Author: gujarat

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ નગર પાલિકાના કચરા નિકાલની ડમ્પીંગ સાઈડ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય અને મંત્રી તથા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ જિલ્લાના કોંગ્રેસની કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લા કલેકટર, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, વલસાડ ધારાસભ્ય, વલસાડ ડાંગ સાંસદ, શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને પાલિકા પ્રમુખને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે વલસાડ નગરપલિકા તથા જીલ્લા તંત્ર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઈડ અંગે પ્રયત થતા આવેલ છે.અગાઉ નંદાવલા, સરોણ વિસ્તારમાં ત્યાર…

Read More

સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અપાતી ન હોવાની ફરિયાદ(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્સ્યુલેટ RG ઈક્વિપમેન્ટ્‌સ પ્રા. કંપનીના ૩૦ જેટલા કામદારો સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અને કામદારોને પીએફ,આઈ કાર્ડ, પગાર સ્લીપ,ઈન્ક્રીમેન્ટ બોનસ તેમજ ફાયર સેફ્‌ટી, કેન્ટિંગ, મેડીકલ, સુવિધાઓ આપતી નથી અને કામદારનું શોષણ કરે છે.કંપની મેનેજમેન્ટ ગેર વહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈપણ સરકારી અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે.આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં…

Read More

રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓનો પરામર્શ સમિતિમાં સમાવેશGandhinagar, રાજયમાં મંત્રીશ્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્યમંત્રીશ્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રીઓની ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સમિતિઓમાં રાજયના સંસદ સભ્યશ્રીઓને આમંત્રિત સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.પ્રથમ સમિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૬ મંત્રીશ્રી-ધારાસભ્યો તેમજ આમંત્રિત સભ્ય તરીકે ત્રણ સંસદશ્રીઓ,બીજી સમિતિમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત ૧૮ મંત્રી-ધારાસભ્યશ્રીઓ તથા ત્રણ સંસદશ્રીઓ,ત્રીજી સમિતિમાં નાણા મંત્રી શ્રી કનુ દેસાઈ સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ સહિત ત્રણ સંસદશ્રીઓ,ચોથી સમિતિમાં કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી…

Read More

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના ચક્રવ્યુહમાં મહિલા અનામત બેઠકોની ભૂમિકા અનેક નવા સમીકરણો ઉમેરશે અને જુના જોગીઓ એની વોટ બેંકમાં એકડા કપાતા આશ્ચર્યજનક પરિણામો સર્જશેપ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે !-મહિલાઓ માટે ૩૦% અનામત બેઠકો થતાં ૧૮ પુરૂષ ઉમેદવારો પૈકી બગડામાંથી એકડા મેળવવા નવો ચક્રવ્યુહ ઘડવાની ફિરાકમાં ?!તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! મહાત્મા ગાંધી કહે છે કે, “માણસે પોતાનું વિચારોનું સર્જન છે ! એ જે વિચારે છે તેવો બને છે”! ગુજરાત બાર કાઉન્સિલનો એક સમય એવો હતો જેમાં વધારેમાં વધારે સિનીયર, વિખ્યાત કાયદાશાસ્ત્રી વકીલાતના ક્ષેત્રમાં મહેનત કરી…

Read More

ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને આર્થિક મદદ મળી રહી છે.-પ્રજાપતિ લક્ષ્મીબેનદાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG” સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.સ્વસહાય જૂથના પ્રમુખશ્રી પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા ૧ મહિના સુધી…

Read More

ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરાશે-ફ્લાવર શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે.“ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે.આ અવસરે મુખ્યમંત્રી દ્વારા “સ્ત્રી સશક્તિકરણ” ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ…

Read More

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦‘નું આયોજનરાજ્યના ૧,૦૫૬ વિજેતા બાળકો માટે કુલ રૂ. ૨૨ લાખના ઇનામ અનેDLSSમાં સીધા પ્રવેશની સુવર્ણ તક –સુરત ખાતે તા. ૯ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૬ દરમિયાન યોજાશે‘મિની ખેલ મહાકુંભ‘ –રાજ્યના ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ કરાવી નોંધણીઆજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે,ત્યારે ગુજરાતના ભાવિ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા અને તેમની શક્તિઓને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટે ગાંધીનગર સ્થિત‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી‘દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે આગામી તા. ૯ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૬ દરમિયાન‘રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે રાજ્યભરમાંથી ૪,૫૦૦થી…

Read More

Gujarat DGP Appointment: ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છ મહિનાનો વધારાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બુધવારે નિવૃત્ત થયા છે. ગાંધીનગરમાં એક સમારોહમાં વિકાસ સહાયને વિદાય આપવામાં આવી હતી. ગુજરાત સરકારે નવા ડીજીપીની જાહેરાત કરી નથી. ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. તેઓ પૂર્ણકાલીન ડીજીપીની નિમણૂક સુધી કાર્યભાર સંભાળશે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની દોડમાં કે.એલ.એન. રાવ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ હતા. સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક ન કરવામાં આવતા હજુ સસ્પેન્સ યથાવત છે. સવાલ એ છે કે શું રાવ જ સહાયના ઉત્તરાધિકારી હશે કે પછી મલિક ડીજીપી બનશે.કોણ છે કે.એલ.એન. રાવ?કે.એલ.એન. રાવ ગુજરાત કેડરના…

Read More

વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીરાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈરાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,લોકોમાં આજે પણ એવી માનસિકતા વ્યાપક છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે અને દેશની ખાદ્ય સુરક્ષા સામે સંકટ ઊભું થશે. પરંતુ આ માન્યતા ભ્રામક છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી;ભ્રમ તોડવો…

Read More

સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. ૦૭ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન નોંધણીGandhinagar, રાજ્યમાં સંસ્કૃત ભાષા,ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃત પ્રેમીઓ અને પ્રતિભાગીઓ તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૦૭ જાન્યુઆરી,૨૦૨૬ સુધી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટhttps://grsb.gujarat.gov.in/મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુમાં,શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની માર્ગદર્શિકાhttps://drive.google.com/file/d/1uYof0D6t1lqape–aZFcspirGE2aBtXP/view?usp=drive_linkલિંક પરથી ડાઉનલોડ કરી શકાશે,તેમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકોની અને…

Read More