23 ટ્રેનોના મુસાફરી સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો-85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છેઅમદાવાદમંડળનાવિવિધસ્ટેશનોપરથીચાલતી/પસાર થતીટ્રેનોનાસમયમાંફેરફારપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આવનારી 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસૂચિ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જેના પરિણામે આ ટ્રેનો પોતાની વર્તમાન નિર્ધારિત સમય પહેલાં જ ગંતવ્ય પર પહોંચશે.આ વખતે અમદાવાદ મંડળમાંથી પસાર થતી 85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે તેમજ 23 ટ્રેનોના મુસાફરી સમયમાં 05 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. તેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને પોતાના…
Author: gujarat
એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્રમોરબીથી વૈશ્વિક બજારો સુધી:VGRCરાજકોટ ખાતે એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકોજાંબુડિયા-પાનેલી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)દ્વારા આગામી સમયમાં ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસિત કરવામાં આવશે,જેને રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરતી દિશામાં એક સશક્ત પગલું છે.GIDCઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત આધાર આપશે.જાંબુડિયા–પાનેલી ખાતેGIDCનો વ્યૂહાત્મક ઔદ્યોગિક વિકાસગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)દ્વારા મોરબી–રાજકોટ ઔદ્યોગિક પટ્ટામાં જાંબુડિયા–પાનેલી ખાતે વિકસિત થઈ રહેલો ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક આશરે1050એકર વિસ્તારને આવરી લેશે. આ પાર્ક વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટરની નજીક…
રેવા ગ્રામ એ સેવા ધામ બની રહેશેઃ જગદીશ ત્રિવેદીજાણીતા હાસ્યકાર, વિરલ દાતા, લેખક પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ આત્મન ફાઉન્ડેશન સંચાલિત રેવા ગ્રામની મુલાકાત લીધીગાંધીનગર, પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત, જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને અનેક સંસ્થાઓને વિરલ દાનથી મદદ કરનાર જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં રેવા ગ્રામ સેવા સંકુલની મુલાકાત લીધી હતી. આત્મન ફાઉન્ડેશન દ્વારા અંબોડ નજીક રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ રસપૂર્વક સંસ્થાની પ્રવૃત્તિઓ જાણી હતી તથા આખા પરિસરની મુલાકાત લીધી હતી.ગ્રામભારતી સંસ્થાના વિદ્યાર્થીઓ, નજીકની શાળાના શિક્ષકો- વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભાવકો સાથે આત્મીયતાથી જગદીશભાઈએ વાર્તાલાપ કર્યો હતો. બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓ માટે તેમણે જુદી જુદી પ્રેરક પ્રસંગકથાઓ કહી હતી.ગુરુ…
કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બૅંક’ લખેલું હતું, તેમ છતાં તે બૅંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઇ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી. અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરુંઃ ૧૭ બૅન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બૅન્ક આૅફ ઇન્ડિયા સહિતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બૅન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમદાવાદ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) ક્રાઇમ બ્રાંચે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે વિવિધ બૅંકોમાં જમા થયેલી…
Hemang Joshi BJP Career: લોકસભા ચૂંટણી 2024માં ભાજપે તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ જ્યારે તેમને ત્રીજી વખત ટિકિટ મળવાનો વિરોધ થયો ત્યારે ભાજપે ટિકિટ કાપવી પડી હતી. આવી સ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોષીની લોટરી લાગી ગઈ હતી. વડોદરા ગુજરાતમાં ભાજપનો અભેદ ગઢ હોવાથી ટિકિટ મળતાની સાથે જ હેમાંગ જોષીની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ જ કારણ હતું કે ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ તેમના કાર્યાલયનું નિર્માણ પણ શરૂ થઈ ગયું હતું. હવે જ્યારે ગુજરાતમાં ભાજપે નવી ટીમની જાહેરાત કરી, ત્યારે હેમાંગ જોષી રાજકારણના નવા ‘ધુરંધર’ બનીને ઉભર્યા છે.…
(એજન્સી)ગાંધીનગર, ઉત્તરાયણ નજીક આવતા જ ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો વેપલો વધ્યો છે. હાઈકોર્ટેના કડક વલણ બાદ પોલીસની ટીમો રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા લેભાગુ તત્વોને ઝડપી લેવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ગાંધીનગરના માણસાના બિલોદરામાંથી ચાઈનીઝ દોરીની ૯૬૦ રીલ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ૨.૮૮ લાખ આંકવામાં આવી છે. વેપારી ખેતરમાં વાવેલા એરંડાની આડમાં ચાઈનીઝ દોરીને સંતાડી તેનું વેચાણ કરતો હતો.માણસા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બિલોદરા ગામનો દલપુજી ઠાકોર નામનો ઈસમ મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર ૩૬૧ વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ કરે છે.…
Indian Post My Stamp: રાજકારણમાં સ્વપ્રસિદ્ધિ માટે નાટક થવું નવી વાત નથી, પરંતુ હવે આ વૃત્તિ કેટલાક અખબારોમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાંથી પ્રકાશિત થતું એક અખબાર તાજેતરમાં સતત પોતાની હાજરી બતાવવા માટે અતિશયોક્તિભર્યા પ્રચારમાં ઉતર્યું છે. રોજબરોજ મોટા ફોટા અને વધારાની વાતો સાથે પ્રથમ પાનું ભરવાનું વલણ હવે ચર્ચાનું કારણ બન્યું છે. તાજી ઘટના એનું જીવતું ઉદાહરણ બનીને સામે આવી છે.સ્વર્ગવાસી ઉદ્યોગપતિના નામે ભ્રામક રજૂઆતતાજેતરમાં આ અખબારે પોતાના પૂર્વ ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિના નામે એક ઘટનાને અતિમહત્વપૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો. પ્રથમ પાના પર આઠ કોલમમાં એવી રીતે સમાચાર છપાયા કે જાણે ભારત સરકારે સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડી…
પાદરીઓએ ધર્માંતરણ કરાયાનો આક્ષેપ-ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ૧૫૦થી વધુ આદિવાસી લોકોની સ્વધર્મમાં ઘર વાપસી(એજન્સી)નર્મદા, નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ધર્માંતરણના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી સનાતન હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે.આ મામલે જે લોકો ખ્રિસ્તી બન્યા હતા, તેમને જ્યારે અનુભવ થયો કે તેઓ છેતરાઈ રહ્યા છે, ત્યારે તેમણે મૂળ ધર્મમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ, ધર્મ જાગરણ સંસ્થા, ધર્મ પ્રસાર વિભાગ અને સ્થાનિક સાધુ-સંતોના…
(એજન્સી)તાપી, વ્યારાની ખાનગી સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વ્યારામાં ઇન્દુ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વહેલી સવારે આ કરુણ દુર્ઘટના બની હતી. જ્યાં હોસ્ટેલમાં રહેતી અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું છે.ક્રિસમસની રજાઓ પૂરી કરીને ગઈકાલે જ સ્કૂલે આવેલી દીકરીના મોતના સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિગતવાર વાત કરીએ તો, વ્યારાના જેતવાડી ગામની વતની સેજલકુમારી રાકેશભાઈ ગામીત (ઉં.વ. ૧૬) આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી.વહેલી સવારે ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં સેજલ હોસ્ટેલથી નાસ્તો કરવા માટે…
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વનવિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જીલ્લા સાંસદની ગાન્ટ માંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયેસ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જેતે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈ પૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહિ આવતા ભારે ગોબાચારી થતા ટુક સમયમાં આ સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરાતા અને રસ્તા સારો બને અને લોકની સમસ્યાનું નિરાકણ થાય તે માટે હાલમાં ફરીવાર આજ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તાઅને ભારેખમ વાહનોની ભારસમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તા…
