Author: gujarat

બે દિવસીય કેમ્પમાં રાજ્યભરમાં2.96નાગરિકોએ2.96લાખથી વધુ ફોર્મ ભર્યારાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત કેમ્પોમાં બે દિવસ દરમિયાન આશરે10લાખ લોકોએ મુલાકાત લઈ,માર્ગદર્શન મેળવ્યુંનવા મતદાર તરીકે જોડાવા,નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)હાથ ધરવામાં આવી છે. ગત તા.27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19ડિસેમ્બર2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.18જાન્યુઆરી2026સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી…

Read More

ગાંધીનગર: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની દૂરંદેશીની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. નીતિ આયોગના ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગેના તાજેતરના અહેવાલમાં ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સ્થાપિત ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ (GBU) ના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારે લીધેલું આ સાહસ આજે ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે એક ઉત્તમ મોડેલ અને માપદંડ સાબિત થયું છે.બ્રેઈન ડ્રેઈન રોકવા માટે ગુજરાતનું આક્રમક પગલું નીતિ આયોગના રિપોર્ટ મુજબ, ભારતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા ૨૮ વિદ્યાર્થીઓ સામે માત્ર ૧ વિદેશી વિદ્યાર્થી ભારત ભણવા આવે છે, જેના કારણે જીડીપી (GDP) ના અંદાજે ૨ ટકા જેટલું નાણું…

Read More

એએમએ દ્રારા“ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭”વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજનકરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા“સેલ્ફ-સફિશિયન્સી ટુ ગ્લોબલ લીડરશિપ: ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭”વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મીનેશ શાહ દ્રારા આપવામાં આવ્યું હતું.એએમએના પ્રમુખ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ બનાવવાના ઐતિહાસિક પ્રવાસમાં એનડીડીબીની આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ સુધી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્ર માટે પરિવર્તનકારી રોડમેપ રજૂ કર્યો હતો,જેનો ઉદ્દેશ્ય ૨૦૪૭ સુધીમાં દેશને આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ…

Read More

અમદાવાદ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ ખાતે ‘IMA NATCON 2025’ અને ૧૦૦મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશ-વિદેશના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. IMA ‘NATCON-2025’ at Ahmedabad on 27-28 Dec.’25.આ ઐતિહાસિક અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે IMA દ્વારા તૈયાર કરાયેલ ‘૧૦૦ પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ IMAની નવનિયુક્ત ટીમનો શપથવિધિ કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

Read More

દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સંસ્કાર ધામ ખાતે “નમોત્સવ” કાર્યક્રમ ખાતે હાજરી આપી. આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, ઋષીકેશ પટેલ, રીવાબા જાડેજા, પરિમલ નથવાણી તેમજ અમદાવાદના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાવિકસિત ભારત 2047: વડાપ્રધાન મોદીએ 140 કરોડ ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે: કેન્દ્રીય ગૃહ મંત્રીઅમદાવાદ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સંસ્કાર ધામ ખાતે આયોજિત નામોત્સવ 2025 દરમિયાન ઉપસ્થિત જનસમૂહને સંબોધન કર્યું. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. “નમોત્સવ” એ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવન પર આધારિત…

Read More

૩૦ કલાકમાં ૨૪ વાર ધ્રુજી ગુજરાતના કચ્છની ધરતી !(એજન્સી)ભૂજ, શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે ૨૪ વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ તાજેતરના ભૂકંપ પછી લગભગ બે ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ આ પ્રદેશમાં ત્રણ ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી રહી છે.ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ, મુખ્ય ભૂકંપના ૩૦ કલાકની અંદર ૨૩ આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના હળવા આંચકા) આવ્યા હતા. શુક્રવારે સવારે ૪ઃ૩૦થી…

Read More

(એજન્સી)અમદાવાદ,શહેરમાં ફરી એકવાર નજર ચૂકવીને લાખોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આનંદનગર વિસ્તારમાં આવેલી જ્વેલરીના શો રૂમમાં ચોરી થઈ છે. ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ચોરી કરી. ટોળકી સાથે આવેલા ૧૨ વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, અંદાજિત રૂ. ૩.૧૩ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી.આ મામલે ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકીએ તેમની નજર…

Read More

અમદાવાદ: વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આયોજિત ‘યુવા બિઝનેસ મહાસંમેલન’ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીશ્રીઓ અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોના હસ્તે સંસ્થાના સેવાકાર્યોમાં અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સેવાકાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને બિરદાવતા કહ્યું કે:

Read More

2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં14,000હેક્ટરમાં લગભગ1.5લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયુંવાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ-સૌરાષ્ટ્ર2026પૂર્વે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિપ્રગતિશીલ નીતિઓ,આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આ સકારાત્મક ગતિ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ-સૌરાષ્ટ્ર2026પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે,જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરવામાં આવશે.ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમેગુજરાત સરકારના બાગાયતી નિયામકના જણાવ્યા મુજબ,વર્ષ2023-24દરમિયાન ભીંડાના વાવેતર ક્ષેત્રફળ અને કુલ ઉત્પાદનમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં આશરે93,955હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર થતું હતું,જેના પરિણામે11.68લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું.આ કુલ…

Read More

પાંચ વર્ષ પહેલા જ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GBUની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી પહેલની કરી પ્રસંશાગાંધીનગર, ગુજરાત સરકારે ગાંધીનગર ખાતેGIFTસિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી-GBUસ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેનેNITIઆયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે.NITIઆયોગ દ્વારા ગુજરાત સરકારની આ અનોખી પહેલની તેમના અહેવાલમાં પ્રશંસા કરવામાં આવી છે.સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબરા (UoE)સાથે ભાગીદારીમાં શરૂ કરાયેલી દૂરદૃષ્ટિપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી સ્થાપના કરી છે.GIFTસિટીમાં અંદાજે ૨૩ એકરના અત્યાધુનિક કેમ્પસમાં રૂ.૮૦ કરોડથી વધુના અદ્યતન સંશોધન ઉપકરણો અને અંદાજે ૨૦૦ કરોડના ખર્ચે ઉભું થઇ રહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસNITIઆયોગનાGIFTસિટીને…

Read More