મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યામહાસંમેલન અંતર્ગત નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયોઆ સમારંભમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા તથા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલને કરાયા સન્માનિતસૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ સેવા, સમર્પણ…
Author: gujarat
MSU Vadodara NEP Syllabus: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુસ્તક ‘જ્યોતિપુંજ’ અને હિન્દુત્વ વિચારક વી.ડી. સાવરકરની રચનાઓ ભણાવવામાં આવશે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP) હેઠળ શરૂ કરવામાં આવેલા નવા BA (ઇંગ્લિશ) માઇનર કોર્સમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટે નરેન્દ્ર મોદીની ‘જ્યોતિપુંજ’ અને સાવરકરની ‘ઇનસાઇડ ધ એનિમી કેમ્પ’ પુસ્તકને નવા કોર્સ ‘એનાલિસિસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ નોન-ફિક્શનલ રાઈટિંગ્સ ઓન ભારત’ માં સામેલ કર્યા છે. આ કોર્સ ચાલુ શૈક્ષણિક વર્ષ (2025-26) થી લાગુ કરવામાં આવ્યો છે.અભ્યાસક્રમમાં ‘મન કી બાત’ ના એપિસોડMS યુનિવર્સિટીના આ નવા પાઠ્યક્રમમાં શ્રી અરવિંદો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પસંદ કરેલી રચનાઓ,…
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધીવન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા યાયાવર પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવતા રાજ્યપાલશ્રીરાજ્યપાલશ્રીએ થોળ અભયારણ્યની મુલાકાતે આવેલ પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યોમહેસાણા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન/નિરીક્ષણ કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સ્થાનિક પક્ષીવિદ દ્વારા બારહેડેડ ગીઝ, ગ્રેલેગ ગીઝ,ડાલમેસીયન પેલીકન, કોમન ક્રેન, બ્રામણી ડક, રફ એન્ડ રીવ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાયબીરીયા, રશીયા, માંગોલીયા, કઝાકીસ્તાન, ચીન વિગેરે દેશોમાંથી…
દેથલી ગામે “ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાનની કામગીરીની પ્રશંસા;રાજ્ય સ્તરે અભિયાનનું અમલીકરણ કરવાની નોંધ લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીપશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલશ્રીની સલાહખેડા, ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ દૂધ મંડળીની કામગીરી,માસિક આવક,દૂધના ભાવ,ગુણવત્તા,ફેટનું પ્રમાણ,કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન,બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના…
હિંમતનગર, પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામના ગોગા મહારાજના મંદિરમાં રાત્રિના સમયે આવેલા તસ્કરોએ મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા દાન-પેટીમાંથી રોકડ મળી અંદાજે રૂ. ૬,૪૦,પ૦૦ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા.આ અંગે મંગળવારે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. ગત તા. રર ડિસેમ્બરની રાત્રે ચોરીના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ ગોગા મહારાજ મંદિરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યાે હતો.આ અજાણ્યા શખ્સોએ મંદિરમાં દાન-ભેટ તરીકે ભક્તોએ ચઢાવેલા અડધા તોલા સોનાના તથા દોઢ કિલો ચાંદીના નાગ ઉપરાંત અન્ય નાના-મોટા…
અમદાવાદ ક્રીમીનલ કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારના ચૂંટાઈ આવેલા હોદ્દેદારોમાંથી ડાબી બાજુની તસ્વીર બારના સ્થાપક અને એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ ડી. રૂપેરા (શ્રી સી.ડી. રૂપેરા)ની છે ! ડાબી બાજુથી બીજી તસ્વીરમાં ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટાઈ આવેલા શેખ મોહંમદહનીફ હુસેનભાઈની છે !ત્રીજી તસ્વીર સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ આર. વાઘેલાની છે ચોથી તસ્વીર જોઈન્ટ સેક્રેટરી ભાસ્કરભાઈ ભટ્ટ ની છે ! પાંચમી તસ્વીર ખજાનચી પદ ઉપર ચૂંટાઈ આવેલા અંજલીબેન એસ. ડોડીયાની છે ! છઠ્ઠી તસ્વીર કારોબારી પદ પર ચૂંટાઈ આવેલા પલકબેન બી. આચાર્યની છે ! સાતમી તસ્વીર શ્રી દિનેશભાઈ આર. દેસાઈની છે ! આઠમી તસ્વીર શ્રી હરગોવિંદભાઈ આર. વાઘેલાની છે ! નવમી તસ્વીર હેતલબેન એમ. દુલેરાની…
ન્યાયતંત્રમાં વિદ્વાન, કાબેલ અને ન્યાયધર્મની સ્વતંત્રતા માટે કામ કરનારા ન્યાયાધીશો નહીં રહે તો પછી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે ! પછી લોકો જ કોર્ટમાં નહીં આવે તો ન્યાયાધીશો અને વકીલો શું કરશે ?!ગુજરાત હાઈકોર્ટના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરવા અને ગુજરાત હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા માટે લડાયેલા રસપ્રદ ચૂંટણી જંગમાં આવેલા અપેક્ષિત ચૂંટણી પરિણામ બારની એકતા મજબુત કરશે ?!તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે ! વર્ષ ૧૯૬૦ થી ગુજરાત હાઈકોર્ટ કાર્યરત થઈ ત્યારથી ગુજરાત હાઈકોર્ટનો ગૌરવવંતો ઈતિહાસ ન્યાયાધીશોએ અનેક ચૂકાદાઓ આપી લખ્યો છે ! બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારનું રક્ષણ કરીને લખ્યો છે !બંધારણનીકલમ-૨૨૬ હેઠળ મળેલી સત્તાની રૂઈએ અધિકારના અમલ…
અમદાવાદ: અમદાવાદની ખ્યાતનામ GCS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તબીબી જગતમાં એક મહત્વની સફળતા હાંસલ કરી છે. હોસ્પિટલના ઓન્કો-સર્જન્સની ટીમે એક 45 વર્ષીય મહિલાના અંડાશય (Ovary) માંથી 2.75 કિલો વજનની અત્યંત જટિલ ગાંઠ દૂર કરી મહિલાને નવજીવન આપ્યું છે.અમદાવાદના રહેવાસી 45 વર્ષીય પરિણીત મહિલા છેલ્લા કેટલાક સમયથી પેટમાં સતત દુખાવો, શરીરમાં સોજા અને પેટમાં ભારેપણું અનુભવી રહ્યા હતા. તપાસ માટે તેઓ GCS હોસ્પિટલ ખાતે આવ્યા, જ્યાં સર્જીકલ ઓન્કોલોજીસ્ટ ડો. સંકેત દેસાઈ દ્વારા તેમનું નિદાન કરવામાં આવ્યું. સોનોગ્રાફી અને MRI રિપોર્ટ્સમાં અંડાશયમાં એક વિશાળ ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું.આ જટિલ સર્જરી અને સારવારની સૌથી મોટી વિશેષતા એ રહી કે, મહિલાની…
આ ઓપરેશન રોયલટી ઈન્સ્પેકટર મેહુલા સમભાયા, દેવયાનીબા જાડેજા અને માઈન્સ સુપરવાઈઝર સગુણા ઓઝાએ હિંમતપુર્વક પાર પાડયું હતું. (એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના શાહપુર નજીકથી પસાર થતી સાબરમતી નદીના પટમાં ખનીજ માફીયાઓને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિભાગની ત્રણ મહિલા અધિકારીની ટીમે મધરાતે ઓપરેશન હાથ ધર્યું હતું. અને રેતી ખનન કરવાના મશીનો અને ડમ્પરો સહીત રૂ.ર.પ૦ કરોડનાં મુદામાલ કબજે કરી વાહનોના માલીકો પાસેથી દંડ વસુલ કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.જીલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શનમાં અને મદદની ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે શાહપુર ખાતે સાબરમતી નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરી છે.આ ઓપરેશન રોયલટી ઈન્સ્પેકટર મેહુલા સમભાયા, દેવયાનીબા જાડેજા અને…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના આયોજન થકી વૈશ્વિક રોકાણ અને આધુનિક મેડિકલ ડિવાઇસ ઇકોસિસ્ટમને મળશે વેગગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક નવો, ક્ષેત્ર-વિશિષ્ટ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે એક સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે.નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું સ્થાપનGIDC દ્વારા પ્રસ્તાવિત નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક લગભગ 336 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ પાર્કને “એન્ડ-ટુ-એન્ડ” ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક સંશોધનથી લઈને ઉત્પાદન,…
