પત્નીની હાલત ગંભીરવહેરાખાડી કોતરમાં લઈ જઈ પત્ની ઉપર પતિ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરારઆણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે રહેતી એક પરણીતા પોતાની માતા સાથે હોસ્પિટલમાં હાજર હતી ત્યારે તેણીનો પતિ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને પત્નીને વહેરાખાડી ખાતે મહિસાગર નદીએ ફરવા જવાનું કહીને બાઈક ઉપર બેસાડી કોતરોમાં લઈ આવ્યો હતો. જ્યાં જઈને કોઈ કારણસર પોતાની પાસેના તિક્ષ્ણ હથિયારથી બંને હાથમાં ઘા મારીને જીવલેણ ઈજા પહોંચાડી ભાગી છુટ્યો હતો. બીજી તરફ પરણીતાને લોહીલુહાણ હાલતમાં પ્રથમ આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યાંથી આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે ૩૫ વર્ષીય કૃષ્ણાબેન આશિષભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. કૃષ્ણાબેનના…
Author: gujarat
પોલીસે આરોપી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા કબજે કર્યા પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા પછી પરત નહીં આપી ચુનો ચોપડ્યો, ત્રણની ધરપકડસુરત,સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી સાથે ૫૧ લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ત્રણ આરોપીઓએ વેપારીને RTGSથી આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા બાદ પરત નહીં આપી ચુનો ચોપડ્યો હતો. સરથાણા પોલીસે આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે.ત્રણેય આરોપીઓએ છેતરપિંડી આચરવા માટે બોગસ આંગડિયા પેઢી ઊભી કરી હતી.મોટા વરાછામાં રહેતા દિનેશ તુલસીભાઈ કુકડીયાને ૬ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેડમાં આવેલી દુકાનમાં કિશોરભાઈ ઘોડાદરા (રહે, કતારગામ),…
આ ઘટના બે દિવસ પહેલા ઘટનાનું પુનરાવર્તન છે અગાઉ પાંચ યુવાન ભરતીના પાણીમાં ફસાયા હતા. સ્થાનિક નાવિકોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાઅંકલેશ્વર,જીવના જોખમે નર્મદા નદી કિનારે સેલ્ફી લેતા યુવાન ભરતી ના પાણીમાં ૩ યુવાનો ફસાયા ગયા હતા. આ ત્રણ દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. બે દિવસ અગાઉ પાંચ યુવાન ભરતી ના પાણીમાં ફસાયા હતા. નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે સુરક્ષા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી હતી.ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોના જીવ જોખમમાં મૂકવાનું બીજો બનાવ સામે આવ્યો છે.…
Independence Day 2025: દેશભરમાં આજે (15મી ઓગસ્ટ) સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. પોરબંદર આજે સંપૂર્ણ રીતે દેશભક્તિમાં મગ્ન પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં ‘બાપુના પગલે તિરંગા ભારત’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને…
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં પણ છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં જ ૫૨૦૪ લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ ૬૯૦, રાજકોટથી ૫૪૦ જ્યારે દાહોદથી ૪૮૭ લોકોએ બંદૂક રાખવાનો પરવાનો મેળવી લીધો છે. વધતા જતા હથિયારના ક્રેઝ આગામી સમયમાં ગુનાખોરીના આંકડામાં વધારો લાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.રાઇટ ટુ ઈન્ફોર્મેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ૫ વર્ષમાં ૨૦૦થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવા રાજ્યમાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ મણિપુર, નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતૂસો ખરીદવાના મામલે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે. શિવરંજની પાસે કારે એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી.મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે કારચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે મોડીરાતે બ્રેઝા ચાલકે બે યુવકને 100 ફૂટ ફંગોળ્યાં હતા .અમદાવાદ શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત થયો હતો. એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના…
અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતીમાઇક એન્ડ્રુઝને પીડિત પરિવારની વેદના જણાવીઅમદાવાદ, અમદાવાદમાં ૧૨મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને ૨ મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, રતન ટાટાએ ક્્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, એઆઈ-૧૭૧ વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા…
(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. અમેરિકામાં પાકિસ્તાની પ્રવાસી સમુદાયને સંબોધતા મુનીરે ધાર્મિક સ્વરમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપી હતી. પાકિસ્તાની ફિલ્ડર અસીમ મુનીરે પોતાના ભાષણમાં કહ્યું, એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં સૂરા ફીલ અને મુકેશ અંબાણીનો ફોટો હતો, જેથી પાકિસ્તાન આગલી વખતે શું કરશે તે અંગે સંદેશ આપી શકાય.મુનીરે ધમકીભર્યા સ્વરમાં કહ્યું, આપણે ભારતના પૂર્વથી શરૂઆત કરીશું, જ્યાં તેમના સૌથી મૂલ્યવાન સંસાધનો છે, અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું. ફીલ એક અરબી શબ્દ છે, જેનો અર્થ હાથી છે. સૂરા ફીલ કુરાનની એક સૂરા છે, જેમાં…
ભારતના અંતરિક્ષ કાર્યક્રમના પિતૃ – ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જયંતિ નિમિત્તે ISRO તરફથી શ્રદ્ધાંજલિનવી દિલ્હી, ભારત આજે વિશ્વના અગ્રણી અંતરિક્ષશક્તિ ધરાવતા દેશોમાં સામેલ છે, પરંતુ તેનું શ્રેય જે દ્રષ્ટિવંત વૈજ્ઞાનિકને જાય છે, તે છે ડૉ. વિક્રમ અરવિંદ સારાભાઈ. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતૃ તરીકે ઓળખાતા ડૉ. સારાભાઈની આજે 106મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.1919માં અમદાવાદમાં જન્મેલા ડૉ. સારાભાઈએ 1947માં કેમ્બ્રિજથી વતનમાં પરત ફરી સ્વતંત્ર ભારત માટે સંશોધનના નવા દરવાજા ખોલ્યા. માત્ર 28 વર્ષની ઉંમરે, તેમણે પોતાના પરિવાર અને મિત્રો સંચાલિત દાનધર્મી ટ્રસ્ટને મનાવી અમદાવાદમાં **ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)**ની સ્થાપના 11 નવેમ્બર, 1947ના રોજ કરી.તેમણે રશિયાના…
દરેક નાગરિકને શિક્ષિત બનાવવાનો પ્રણાલીસભર પ્રયાસ પ્રાચીન સમયના ભારતનું લક્ષણ હતું: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીસમાજમાં સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન એક સરાહનીય પ્રયાસ છે: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરમનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયોGandhinagar, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,સંસ્કૃત એ માત્ર ભાષા નહીં,પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે. વેદો,ઉપનિષદો,શાસ્ત્રો,મહાકાવ્યો તથા વૈદિક વિજ્ઞાન બધું જ સંસ્કૃતમાં લખાયેલું છે.રાજ્યપાલશ્રીએ…
