ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ,આગામી મહિનાથી પ્રવેશ શરૂ થશે23એકર વિસ્તારમાં અત્યાધુનિક કેમ્પસ,ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામ સ્વરૂપે,રાજ્યના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ એક નવી સુવિધાની ભેટ પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં હિંમતનગર ખાતે નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ2025-26થી આ કૉલેજમાં80સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે.કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી કામધેનુ વેટરનરી કૉલેજ શરૂ કરવા માટે…
Author: gujarat
પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતી ૭૦૦ કિટ તૈયાર કરાઈ: એન.આઈ.ડી. ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલબિહારની ટિકુલી કલા, ઝારખંડની પૈટકર પેઇન્ટિંગ, ઓડિશાની તાલપત્ર ચિત્ર અને બંગાળના પટ્ટાચિત્ર કલાકૃતિઓ સમાવિષ્ટદેશના ૭૯મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહેમાનોને મોકલવામાં આવનારા આમંત્રણ માટેની કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે આ ઘટનાને સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત ગણાવી હતી.આ અંગેની વિગતો આપતાં તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવનારા ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રણ મોકલવા માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એન.આઈ.ડી. અમદાવાદને આમંત્રણ કિટ તૈયાર…
અમદાવાદ, શાહપુર યુવક મંડળ દ્વારા ૩૩ મા છાત્ર- શિક્ષક સન્માન સમારંભનો વંદેમાતરમ્ ગાન દ્વારા પ્રારંભ કરી ઓગસ્ટના ક્રાંતિ મહિનામાં વંદેમાતરમ્ ગાનના ૧પ૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલા છાત્ર- શિક્ષક સન્માન સમારંભમાં ભાવસાર હોલ ખાતે ર૭ બાળકોનું અને ૧૦ શાહપુરના પુર્વ નિવાસી પ્રતિભાવન મહાનુભાવોનું સન્માન કરી ભાવિ પેઢીને પ્રેરણા પુરી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.શાહપુર યુવક મંડળના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટીના પુર્વ ઉપકુલપતિ, સ્કુલ બોર્ડ અમદાવાદના પુર્વ ચેરમેન ર્ડા. જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણવિદ્ શ્રી રાજાભાઈ પાઠક ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં ર્ડા. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સફળતા કઠોર પરિશ્રમ થકી જ…
પ્રખ્યાત અમેરિકન કાનૂની ફર્મ બીઝલી એલેનના મુખ્ય વકીલ અમેરિકાની કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરશે(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલમાં પીડિત પરિવારોએ અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝની વકીલ તરીકે નિમણૂં કરી છે. ત્યારે લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી.65 પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે ઘટના સ્થળની મુલાકાત કરી. તેઓ પરિજનો સાથે મળી હવાઈ કંપની સામે લડત આપશે. વકીલ માઇક એન્ડ્રેવસે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. Blaming Pilot alone is unjustified: says US Aviation and Legal Expert Mike Andrews અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ સુરત અને દીવ બાદ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ આજથી ૧૩ ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદની હયાત હોટેલમાં…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સબમીટ કરેલા ડીપીઆરને રાજ્ય સરકારે લીલીઝંડી આપી(દેવેન્દ્ર શાહ દ્વારા), (અમદાવાદ) અમદાવાદ શહેરના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ખારી કટ કેનાલને રૂ.૧૨૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્ય કેનાલને જ ડેવલપ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે પેટા કેનાલ માટે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી. ખારીકટની અલગ અલગ પેટના કેનાલ પર લગભગ ૯૦ જેટલા માઈનોર બ્રિજ આવેલા છે.જે અત્યંત ભયજનક અવસ્થામાં છે પંરતુ તેના રિપેરીંગ માટે રાજ્ય સિંચાઈ વિભાગ કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો ન હતો.…
(એજન્સી)હિંમતનગર, મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી છે. જેમાં ૪૦ ફૂટ ઊંડી નદીમાં કાર પડતા ચાર લોકોના મોત થયા છે. ૩ લોકોના ઘટના સ્થળે મોત અને એક યુવકનું સારવાર સમયે મોત થયુ છે. બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ઘટના બની છે. જેમાં સ્થાનિક પોલીસ,એએસપી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી છે.મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના ૯ઃ૩૦ વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર ૪૦ ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છેજયારે એક…
ભાવનગર પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું કોઈ કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં,ભારતીય જનતા પક્ષમા પ્રવર્તતા આંતરકલહના કિસ્સાઓ નિયમિત રીતે બહાર આવતા રહે છે.આવો જ એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.બન્યુ છે એવું કે ભાવનગર શહેરના મેયર ભરત બારડે શહેર ભા.જ.પ.ના પ્રમુખ કુમાર શાહની દાદાગીરી અને જો હુકમીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપી છે.ભાવનગ શહેરના સ્થાનિક અખબાર ‘ગુજરાત છાયા’ સાથે મેયર ભરત બારડે કરેલી વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા- જીલ્લામાં જુગાર તથા દારૂની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા શ્રી. નડીયાદ વિભાગ નાઓ દ્વારા શ્રાવણીયા જુગાર અંગે આપવામાં આવેલ સુચના મુજબ જીલ્લામાં જુગારની પ્રવૃતી અટકાવવા તથા જુગારધારાના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવેલ.દરમ્યાન વડતાલ પો.સ્ટે.ના પી.એસ.બરંડા પો.ઇન્સ. નાઓએ તાબાના માણસોને જુગારના કેસો શોધી કાઢી જરૂરી કાર્યવાહી જરૂરી કરવા સુચના કરેલ અને આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ પી.એસ.બરંડા પો.ઇન્સ. વડતાલ પો.સ્ટે. નાઓને બાતમી હકિકત મળેલ કે, કણજરી બસ સ્ટેન્ડ પાછળ ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઇ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ પી.એસ.બરંડા પો.ઇન્સ. નાઓની સુચના આધારે એન.એસ.ઝાલા પો.સબ.ઇન્સ. તથા…
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં, વલસાડના મિસ્ત્રી પરિવારની ૯ વર્ષની રિયાનો હાથ મુંબઈની ૧૫ વર્ષની અનામતા અહેમદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો. વલસાડના તિથલ રોડ પર સરદાર હાઇટ્સમાં રહેતા મિસ્ત્રી પરિવારની ૯ વર્ષની દીકરી રિયાનું સપ્ટેમ્બર ૨૦૨૪માં મરણ થતા તેના શરીરના અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતુંજેમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર એટલી નાની ઉંમરે માત્ર ૯ વર્ષની બાળકીના હાથનું દાન કરવામાં આવ્યું હતું. જે હાથ મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈ રહેતા મુસ્લિમ પરિવારની ૧૫ વર્ષીય દીકરી અનામતા અહેમદ કે જેનો એક અકસ્માતમાં હાથ કપાઈ ગયો હતો તેમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.બસ ત્યારથી જ આ મુસ્લિમ પરિવારે મિસ્ત્રી પરિવારને પોતાનો પરિવાર અને અનમતાએ, બહેન ગુમાવી ચુકેલા ભાઈ શિવમને…
એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટમાં રૂપીયા ૨ લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી. અને આ રૂપીયા પડાવી લેવા માટેનો પ્લાન બનાવ્યો હતો.ચાંગોદર નજીક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયોઃ બે આરોપીઓની ધરપકડ(એજન્સી)અમદાવાદ, ચાંગોદરના તાજપુર ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીકથી ૧૬મી માર્ચના દિવસે મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રહેવાસી રોહિતસીંગ ગોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંન્ને આરોપીઓએ માત્ર ૨ લાખ રૂપીયા મેળવવાની લાલચમાં આવીને મોહિબુલ ઇસ્લામ નામના યુવકને ગળે ટુંપો આપીને હત્યા કરી…
