Author: gujarat

“નોકરી શોધનાર નહીં,પણ નોકરી આપનાર બનો” ના મંત્રને સાર્થક કરતા આ કેન્દ્રથી અનેક યુવાનો આજે પોતાના નાના-મોટા ઉદ્યોગો સ્થાપી‘આત્મનિર્ભર‘બન્યાજૂનના અંતિમ બે દિવસ દરમિયાન વડોદરા ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉદ્યોગ જગત માટે નવા દ્વાર ખોલવા જઈ રહી છે. આ સમિટના પૂર્વ આયોજનના ભાગરૂપે જ્યારે રાજ્યના ઔદ્યોગિક વિકાસની સમીક્ષા કરવામાં આવે છે,ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા જી. આઈ. ડી. સી. ખાતે કાર્યરત ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. “નોકરી શોધનાર નહીં,પણ નોકરી આપનાર બનો” ના મંત્રને સાર્થક કરતા આ કેન્દ્ર એ છેલ્લા પાંચ વર્ષમાં ૩,૩૦૦ જેટલા તાલીમાર્થીઓને સજ્જ કરી ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં મજબૂત પાયો નાખ્યો છે.ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિ શરૂ કરનાર…

Read More

ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે AMC દ્વારા ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે યોજાયો સ્પેશિયલ ટીબી નિદાન કેમ્પઅમદાવાદ, દેશને ક્ષય રોગથી મુક્ત કરવા માટે ચાલી રહેલા 100 દિવસીય “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક સરાહનીય સંયુક્ત પગલું ભરવામાં આવ્યું છે.ટીબીના રોગની વહેલી ઓળખ અને સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા હેતુસર ઓઢવ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ કાર્યરત ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે આધુનિક પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે યુનિટના માધ્યમથી એક વિશેષ ટીબી તપાસ અને સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન જિલ્લા મહિલા અને…

Read More

ચેન્નાઈ,તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સીએમ વિજય (CM Vijay) ની સરકારે રાજ્યની કથળતી આર્થિક સ્થિતિ અંગે એક સત્તાવાર ‘શ્વેત પત્ર’ (White Paper) જાહેર કરીને મોટો ધડાકો કર્યો છે. નાણાકીય સ્થિતિના આ સત્તાવાર રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં જન્મ લેનાર દરેક બાળક હવે સરેરાશ ₹૧.૨૮ લાખના દેવાના બોજ સાથે જન્મે છે.રાજ્યના નાણા પ્રધાન એન. મેરી વિલ્સને (N. Marie Wilson) આ શ્વેત પત્ર બહાર પાડતા અગાઉની એમ.કે. સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકે (DMK) સરકારની નાણાકીય નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષ પહેલાં રાજ્ય પરનું પ્રત્યક્ષ દેવું આશરે ₹૪.૮ લાખ કરોડ હતું, જે હવે વધીને લગભગ ₹૧૦ લાખ કરોડ થઈ ગયું છે. જો…

Read More

અમદાવાદ, પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે અને અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સાથે આજેતા.16.06.2026ના રોજ શિષ્ટાચાર મુલાકાત અને સમીક્ષા બેઠક યોજી હતી.બેઠક દરમિયાન રાજ્યમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ,યાત્રીસુવિધાઓનાવિસ્તાર,વિવિધ રેલવે પ્રોજેક્ટોની પ્રગતિ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલન સાથે જોડાયેલા મહત્વપૂર્ણવિષયો પરચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ રેલવે પ્રોજેક્ટોના સમયબદ્ધ અમલીકરણ તથા જનહિતના કાર્યોને વધુ ગતિ આપવા માટે પરસ્પર સંકલન મજબૂત રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે અમદાવાદ,સાબરમતી સહિતના અમૃત ભારત સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોની પ્રગતિ તેમજ વિવિધ સંકલન સંબંધિત મુદ્દાઓ પર…

Read More

સંજય ઓઝા,પાર્થ ઓઝા,વ્યાસ બ્રધર્સ અને હાર્દિક દવે જેવા ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રદર્શિત કરશેદેશના રાષ્ટ્ર નિર્માણ,સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘અંતર્ગત આગામી ૧૯ જૂન થી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન‘સંસ્કૃતિ કુંજ‘ખાતે ભવ્ય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા‘સંસ્કૃતિ કુંજ‘પરીસરમાં સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્રિ-દિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ૧૨ વર્ષના અવિરત વિકાસ,સુશાસન અને કુશળ વહીવટ પર આધારિત વિશેષ પ્રદર્શન રહેશે. આ…

Read More

રાજુલા પાસે સિંહણે યુવકને ફાડી ખાધો – વન વિભાગ હરકતમાં(એજન્સી)અમરેલી, અમરેલીના રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શન મોડમાં આવી જવા પામ્યું છે. બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે અને સિંહ બાળનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં સિંહણના હુમલામાં એક યુવકનું દુઃખદ મોત થતાં વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાના અનુસંધાને વન વિભાગે બે સિંહોને પકડી લીધા છે, જ્યારે એક સિંહબાળનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વન વિભાગ સંપૂર્ણ સાવચેતી સાથે કામગીરી કરી રહ્યું છે અને આવી ઘટના ફરી ન…

Read More

એએમટીએસ પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઈલેક્ટ્રીક બસો પાર્કિંગમા પડી હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં.એએમટીએસ પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એએમટીએસ ઈલેક્ટિÙક બસ દુર્દશા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના…

Read More

NEET-UGની સુચારુ અને સુરક્ષિત કામગીરી માટે બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત*NEETસંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે ડીજીપી શ્રી જી.એસ મલિકે આઈજીપી કાયદો અને વ્યવસ્થા શ્રી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા*રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકે21જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની તૈયારીઓની સમીક્ષા કરવા મંગળવારે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી.તમામ પોલીસ કમિશનરો,રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાંNEETપરીક્ષાનું સુરક્ષિત,શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ડીજીપી શ્રી મલિકેNEETસંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) શ્રી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં…

Read More

નવી દિલ્હી, ભારતમાં કફ સિરપના વધતા જતા ગેરકાયદેસર વેચાણ અને તેના કારણે થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે.હવેથી, કોઈપણ પ્રકારનું કફ સિરપ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો અને દવાઓના દુરુપયોગને અટકાવવાનો છે.કેન્દ્રીય મંત્રાલયે ‘ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, ૨૦૨૬’ બહાર પાડ્યા છે. આ સુધારા અંતર્ગત ‘શેડ્યૂલ’ માંથી ‘સિરપ’ શબ્દને દૂર કરવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે કોઈપણ સિરપ ઓવર-ધ-કાઉન્ટર વેચી શકાશે નહીં.જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલકપ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતા…

Read More