Author: gujarat

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના અંતિમ તબક્કા પહેલા બેરેકપુરમાં યોજાયેલી વિશાળ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ રેલી ભાજપ માટે મહત્વપૂર્ણ અંતિમ પ્રચાર સભા તરીકે જોવામાં આવી રહી છે, વડાપ્રધાને રેલીની શરુઆતમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમની અંતિમ સભા છે.તેમણે કહ્યું કે, હું જ્યાં-જ્યાં ગયો ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળના લોકોનો મેં જે મિજાજ જોયો છે, તેનાથી એ વિશ્વાસ લઈને પાછો જઈ રહ્યો છું કે ૪ મેના પરિણામો પછી ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.રેલી દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં પશ્ચિમ બંગાળ સાથેના…

Read More

અમદાવાદ, અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે ગત મોડી રાતે બેફામ ગતિએ આવતી એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.નશાની હાલતમાં હોવાનું મનાતા યુવકોએ એક ઈકોને જોરદાર ટક્કર મારતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર વાગતા જ ઈકો ફંગોળાઈને આખી પલટી મારી ગઈ હતી. ઈકોમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાયા હતા.અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ મોકલી…

Read More

ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા એક યુવાનની બે અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.મૂળ અમરેલી જિલ્લાના રાજુલાનો વતની અને હાલ મહુવા ખાતે કામગીરી અર્થે રહેતો સમીરભાઈ સાલેભાઈ યાફાઈ નામનો ૨૬ વર્ષીય યુવાન આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે ગયો હતો.મતદાન પ્રક્રિયા પૂર્ણ કરીને જ્યારે તે નવા બસ સ્ટેશન વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તકની રાહ…

Read More

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક શાંગ્રીલા આર્કેડમાં આગની ઘટના: 50 લોકોનું રેસ્ક્યુઅમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ શાંગ્રીલા આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે 27 એપ્રિલની સવારે અંદાજે 10:15 વાગ્યે આગની ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને એક સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી. ફાયર કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.આ ઘટનામાં બિલ્ડિંગના પહેલાથી ચોથા માળ સુધી આગ અને ધુમાડો ફેલાઈ જતા અંદાજે 50 જેટલા લોકો અંદર ફસાયા હતા, જેમને ફાયર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.જો કે, આગની અસરથી ચાર મહિલાઓ ધુમાડાના કારણે બેભાન…

Read More

સુરત ટેક્સટાઈલ ઉત્પાદનનું પાવરહાઉસ: રૂ.૧.૫ લાખ કરોડનું વાર્ષિક ટર્નઓવરસુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગનો પાયો ૧૯મી સદીમાં નંખાયો હતો,જ્યાં ૧૮૬૬ થી ૧૮૮૧ દરમિયાન મિલો અને જિનિંગ ફેક્ટરીઓની શરૂઆત થઈ હતી.ગુજરાતના કુલ GDPમાં ૨૫ ટકાથી વધુનો હિસ્સો –સુરતનું નીટેડ ફેબ્રિક વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છેUS,ઈઝરાયેલ અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશો બન્યા સુરતી કાપડના મુરીદસુરત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપવા માટે આગામી તા. ૧લી અને ૨જી મે ૨૦૨૬ના રોજ સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસથી ટેક્સટાઈલ સહિતના મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ આકર્ષાશે,વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે સીધી જોડાણ ક્ષમતા…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) ને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્ય મહાસચિવ સાગર રબારીએ તેમના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપનારા નેતાઓની યાદીમાં આ વધુ એક નામ ઉમેરાયું છે.પાયાના કાર્યકરો અને ખેડૂત સમુદાયમાં પ્રભાવ ધરાવતા સાગર રબારીએ ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે, તેવા સંવેદનશીલ સમયે તેમનું રાજીનામું પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યું છે.સોમવારે પોતાના નિવેદનમાં રબારીએ જણાવ્યું હતું કે, “આજે હું આમ આદમી પાર્ટી સાથેની મારી સફર અહીં પૂર્ણ કરું છું. પાર્ટીની…

Read More

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષક શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ (IAS) દ્વારા રવિવારે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.ચૂંટણી નિરીક્ષકશ્રીએ સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકશ્રીએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી…

Read More

આVGRE 2026દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ,ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે,જેMSMEs,હસ્તકલા અને કુટિર ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવામાં સહાયરૂપ બનશે.વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) –દક્ષિણ ગુજરાતના ભાગરૂપે VGRE 2026સમગ્ર દક્ષિણ ગુજરાતમાંMSME,ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તૈયાર છેગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) –દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે,જે ગુજરાત સ્થાપના દિવસ1અને2મે2026દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે,વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1થી5મે2026દરમિયાન તે જ સ્થળે યોજાશે,જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME,સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે.12,000ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત થનારું આ પ્રદર્શન સવારે10:00વાગ્યે શરૂ…

Read More

અમને સરકારી વાર્તાઓમાં રસ નથી-ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળઃ તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધુંઅમદાવાદ, રાજ્યભરમાં ઉંદર પકડવા માટે વપરાતી જીવલેણ ‘ગ્લુ ટ્રેપ’ પર પ્રતિબંધ મૂકવા અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટેની ખંડપીઠે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, સંબંધિત વિભાગોએ ગ્લુ ટ્રેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવા બાબતે કોઈ સંતોષજનક પગલાં લીધા નથી.કોર્ટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અપૂરતી માહિતીવાળા સોગંદનામાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખંડપીઠે આકરી ટકોર કરતા જણાવ્યું કે, “હાઈકોર્ટની કોર્ટમાં બોલ ના નાખશો. તમને એ પણ ખબર નથી હોતી કે પ્રતિબંધિત વસ્તુઓ બજારમાં કેવી રીતે વેચાય…

Read More