Author: gujarat

આVGRE 2026દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ,ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે,જેMSMEs,હસ્તકલા અને કુટિર ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવામાં સહાયરૂપ બનશે.વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) –દક્ષિણ ગુજરાતના ભાગરૂપે VGRE 2026સમગ્ર દક્ષિણ ગુજરાતમાંMSME,ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તૈયાર છેગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) –દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે,જે ગુજરાત સ્થાપના દિવસ1અને2મે2026દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે,વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1થી5મે2026દરમિયાન તે જ સ્થળે યોજાશે,જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME,સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે.12,000ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત થનારું આ પ્રદર્શન સવારે10:00વાગ્યે શરૂ…

Read More

અમને સરકારી વાર્તાઓમાં રસ નથી-ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળઃ તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધુંઅમદાવાદ, રાજ્યભરમાં ઉંદર પકડવા માટે વપરાતી જીવલેણ ‘ગ્લુ ટ્રેપ’ પર પ્રતિબંધ મૂકવા અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટેની ખંડપીઠે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, સંબંધિત વિભાગોએ ગ્લુ ટ્રેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવા બાબતે કોઈ સંતોષજનક પગલાં લીધા નથી.કોર્ટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અપૂરતી માહિતીવાળા સોગંદનામાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખંડપીઠે આકરી ટકોર કરતા જણાવ્યું કે, “હાઈકોર્ટની કોર્ટમાં બોલ ના નાખશો. તમને એ પણ ખબર નથી હોતી કે પ્રતિબંધિત વસ્તુઓ બજારમાં કેવી રીતે વેચાય…

Read More

(એજન્સી)જામનગર, જામનગરમાં ધો.૧માં ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઇના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દીવસ છે. જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં આરટીઇના કુલ ૭૨૨૭ ફોર્મ ભરાયા છે. જેમાંથી ૨૪૩૭ ફોર્મ નામંજૂર થયા છે. રીજેકટ થયેલા ફોર્મમાં ખૂટતા દસ્તાવેજો ૨૭ થી ૨૯ એપ્રિલ સુધી અપલોડ કરી શકાશે. મેરીટ અને પસંદગીના આધારે બાળકોને શાળાની ફાળવણી કરાશે. રી આરટીઇના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી ૪ મેના જાહેર થશે.જામનગરમાં આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ ફરજીયાત એજયુકેશન એકટ-૨૦૦૯ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી આવતા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ છે.જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ૧૨૦ ખાનગી શાળાઓમાં આરટીઇની ૮૦૮ બેઠક માટે ૨૨…

Read More

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગનું બજેટ રૂપિયા ૨૯/- હજાર કરોડનું છે! આ વિભાગના સચિવ તરીકે હાલ પી.આર.પટેલિયા સેવારત છે જ્યારે આ જ વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે જે.એ. ગાંધી ફરજ બજાવે છે.સચિવાયમા થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે હોદ્દાની રૂએ ભલે પટેલિયા વિભાગના સર્વોચ્ચ સ્થાને હોય પણ સમગ્ર વિભાગમાં વર્ચસ્વ અને દબદબો તો સ્પેશિયલ સચિવ જે.એ.ગાંધીના જ છે.આ અંગે એવું કહેવાય છે કે જે.એ.ગાંધી પાસે (૧)-નેશનલ હાઇવે (૨)- પંચાયત હસ્તકના રોડ (૩) g.s.r.d.બોર્ડનુ મેનેજિંગ ડિરેક્ટરનું પદ અને (૪)-સમગ્ર ઉતર ગુજરાતનો હવાલો સંભાળે છે.આ અંગનું સૌથી મોટું આશ્ર્‌ચર્ય એ છે કે ખાસ સચિવ ગાંધી પાસે આ તમામ…

Read More

લોકશાહીના પર્વમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરીગુજરાત રાજ્યમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે યુવાનોથી લઈ વૃદ્ધ સુધીના તમામ નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.ત્યારે મતદાન મથકો પર માનવતાના દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ પોતાની ફરજની સાથે સાથે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને મતદાન બુથ સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે.અમદાવાદના વાંચ, મણિપુર તથા બગોદરાના ભામસરા અને ગાંગડ ગામે પ્રાથમિક શાળા ખાતે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો અમદાવાદ ગ્રામ્ય પોલીસના કર્મીઓના સહારે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. પોલીસની આ મદદના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા.અમદાવાદ ગ્રામ્ય પોલીસના આ સરાહનીય…

Read More

(એજન્સી)વડોદરા, લોકશાહીના પર્વમાં અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી પણ નિરાશાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે.ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. નવદંપતીને મતદાન મથકે જોઈને ત્યાં…

Read More

ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને પેન કલેક્ટર્સ દ્વારા ‘સ્ટેટસ સિમ્બોલ’ તરીકે વાપરવામાં આવે છે. અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ વિયેટજેટ ફ્લાઇટ નંબર VJ 1805 દ્વારા જાપાનથી હો ચી મિન્હ સિટી થઈને અમદાવાદ ઉતરેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની અંદાજીત 30 લાખ રૂપિયાની ૬૧ ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. આ કિંમતી પેન કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વગર અને જાહેર કર્યા વગર (Declaration વગર) ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કસ્ટમ્સ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ, આ જપ્ત કરાયેલી પેનોની કુલ કિંમત અંદાજે ૩૦ લાખ રૂપિયા…

Read More

​સાણંદ: આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સાણંદ તાલુકાના બકરાણા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અંગત જીવનના સૌથી મહત્વના એવા લગ્ન પ્રસંગના દિવસે પણ એક યુવાને પોતાની નાગરિક ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને સમાજને જાગૃતતાનો સુંદર સંદેશ આપ્યો છે.​બકરાણાના નિવાસી શ્રી ગૌતમભાઈ પટેલના સુપુત્ર શ્રી વૈભવના આજે શુભ લગ્ન હતા. લગ્ન માટે જાન પ્રસ્થાનનું મુહૂર્ત સવારે 7:31 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે લગ્નની ધમાલ અને તૈયારીઓ વચ્ચે લોકો અન્ય કામો વિસરી જતા હોય છે, પરંતુ શ્રી વૈભવે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.​તેમણે પોતાના લગ્નના વેશમાં સજ્જ થઈ, જાન લઈને નીકળતા…

Read More

પડતર પ્રશ્નને કારણે ગુજરાતના કેટલાંક ગામોના મતદારોએ મતદાનનો સામૂહિક બહિષ્કાર કર્યાે-કેટલીક જગ્યાએ EVM ખોટકાયાની ફરિયાદો ઉઠીઅસહ્ય ગરમી વચ્ચે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં અંદાજે ૫૭%થી વધુ મતદાન -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલેટ પેપર મારફતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી(એજન્સી)ગાંધીનગર, ૨૬મી એપ્રિલના રોજ ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતો માટે ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું. રાજ્યમાં સાંજ છ વાગ્યા સુધીમાં એકંદરે ૫૭થી ૬૦ ટકા જેટલુ મતદાન યોજાયું હતું. અમદાવાદ સહિત ૧૫ નગરપાલિકાઓમાં અંદાજે ૫૩ ટકા જેટલુ મતદાન થયું હતું.જ્યારે ૮૪ નગરપાલિકાઓમાં ૫૮, ૩૪ જિલ્લા પંચાયતમાં ૬૧ ટકા અને ૨૬૦ તાલુકા પંચાયતમાં પણ ૬૧ ટકાથી વધારે…

Read More

સૌથી વધુ કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં આજે કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી હતી, બપોરના ટાણે આકાશમાં અંગારા ઓકતી ગરમીને કારણે રોડ-રસ્તાઓ સુમસામ બન્યા હતા. રાજ્યના ચાર નગરોનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે ૪૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત અમરેલીમાં ૪૪.૫, રાજકોટમાં ૪૪.૪ અને ગાંધીનગરમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં ૪૩.૮ અને વડોદરામાં ૪૩ ડિગ્રી જેટલી ગરમી નોંધાઈ હતી. આમ મેગાસિટી અમદાવાદમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ નજીક પહોંચ્યો હતો.દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો ૪૫…

Read More