“અમારુ આ અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી,પરંતુ મુક્ત કરાયેલા બાળકોનું પુનવર્સન કરવામાં આવી રહ્યું છે અને તેમને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે: ડીજીપી શ્રી જી. એસ. મલિક
“દરેક બાળક શાળામાં હોય,કોઈપણ બાળક કામ પર નહીં” – આ સુત્ર હેઠળ બાળમજૂરી સામે પોલીસે રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યુ છે અને મુક્ત કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવી રહ્યાં છે.
ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ છે.
આ અભિયાનનાં પ્રથમ14દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી84 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યાં છે તેમને મજૂરીએ રાખી ગુનો આચરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 26આરોપીઓ સામે16કેસો કરવામાં આવ્યા છે.
આ અભિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે “દરેક બાળક શાળામાં હોવું જોઈએ,કોઈપણ બાળક મજુરી કરતું ન હોવું જોઇએ.”
આ અભિયાન અંતર્ગત,પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારો,વેપાર સંસ્થાઓ અને બાળ મજુરો રાખતા હોય તેવા એકમો પર દરોડા પાડવામાં આવે છે અને જ્યાં બાળમજૂરો મળે છે ત્યાંથી તેમને મુક્ત કરી આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવે છે.
બાળકોને શોષણમાંથી મુક્ત કરાવ્યાં: નવી જિંદગીની શરૂઆત
થોડા દિવસ પહેલા,સુરત શહેરનાં કામરેજ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને મળેલી બાતમીનાં આધારે જય અંબે ટેક્સટાઇલ્સ નામના કારખાનામાં દરોડા પાડ્યા. પોલીસે અહીંથી બે બાળકોને મુક્ત કરાવ્યા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે,કારખાનાનો માલિક આ બાળકોને રોજ માત્ર₹200જેટલું વેતન આપતો હતો. એટલુ જ નહીં,જો બાળકો કામ કરવાની ના પાડે,તો તેમની સાથે બળજબરી કરતો હતો.
આ બાળકો પાસે સવારે8:00વાગ્યાથી સાંજે7:00વાગ્યા કામ કરાવવામાં આવતુ. માત્ર એક કલાકનો જ જમવાનો વિરામ આપવામાં આવતો. બાળકોને શારીરિક,માનસિક અને આર્થિક શોષણ સહન કરવું પડતું હતું. પોલીસે આ માસુમ બાળકોનું રેસક્યૂ કરીને તેમનું પુનર્વસન કર્યુ. આ બાળકો ફરીથી શાળાએ જાય તે માટે વ્યવસ્થા કરી. માસુમ બાળકોને મજુરીએ રાખનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.
મુક્તિથી પુનર્વસન સુધીની પ્રક્રિયા

