કચ્છ, ભુજના ચકચારી સાક્ષી ખાનિયાની હત્યા કેસમાં ભુજ કોર્ટે માત્ર ૮ મહિનામાં જ મોટો ચુકાદો આપી કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પ્રેમ પ્રકરણ મામલે સાક્ષી ખાનિયાને મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોર નામના બે શખ્સોએ ગત ૨૮ ઓગસ્ટના ૨૦૨૫ના રોજ ભુજની સંસ્કાર કોલેજની બહાર સરાજાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.જે મામલે ભુજમાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભુજના છાત્રોએ કેન્ડલ સાથે રેલી યોજીને સાક્ષીને ન્યાય મળે તે માટે રેલી યોજી હતી. આ મામલે કોર્ટે આરોપી મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને કસૂરવાર ઠેરવ્યા છે અને બંને આરોપીઓને કોર્ટે આજીવન કારાવાસની…
Author: gujarat
નવસારી જિલ્લા-તાલુકા પંચાયત બિનહરીફ, ઈવીએમના દર્શન દુર્લભનવસારી, નવસારી જિલ્લામાં થઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બે મત આપવાનો અધિકાર છે પણ જિલ્લાના ૪૭ ગામના અંદાજે ૧ લાખથી વધુ મતદારો એકપણ મત આપી શકશે નહી. આ સ્થિતિ અનેક બિનહરીફ બેઠકોના કારણે થઈ છે.નવસારી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય મતદારે બે મત આપવાના અને મનપા, પાલિકામાં કુલ ૪ મત આપવાના છે. ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૭ લાખથી વધુ મતદાર છે ત્યાં અનોખી સ્થિતિ પેદા થઈ છે.જિલ્લામાં ૩પ૦થી વધુ ગામો છે તેઓના લોકોને બે મત આપવાનો અધિકાર છે જેમાં એક મત…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ રવિવારના રોજ શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પ્રક્રિયા યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા તાલુકાના ચાદંણા અને માતરના ઊંઢેલા ગામે ફૂટ પેટ્રોલિંગ કરીને મતદારોને મહત્તમ મતદાન કરવા તેમજ મતદારોને સુરક્ષિત માહોલ પૂરુ પાડવાનો સંદેશો પાઠવ્યો હતો.આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મતવિસ્તારની બાબતો થી વાકેફ થઈ ચુસ્ત નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા સુચના આપી હતી. તથા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હાલ કાર્યરત પોલીસ…
૨.૧૩ કરોડના ખર્ચે મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે બનેલા નવા બસ સ્ટેન્ડમાં એન્જિનીયર વિભાગે ભોપાળુ વાળતાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ છે.બસની રાહ જોઇ રહેલા મુસાફરો કોઇ પણ ખૂણામાં ઉભા રહે તો પણ શૌચાલયના અંદરના દ્રશ્યો તેને દેખાય તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. (તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે ૨.૧૩ કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં એન્જિનીયર વિભાગે ભોપાળુ વાળતાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ છે. બસ સ્ટેન્ડની બિલ્ડીંગની વચ્ચે જ પુરૂષ માટે શૌચાલય બનાવ્યું છે. જેમાં કોઇ દરવાજો કે આડસ ન રાખતાં બહારથી જાહેર જનતાને અંદરના દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. જેના કારણે મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય જાય છે. જ્યારે શૌચાલયમાં જતાં…
૬૦ વર્ષના શાસન દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓને ન તો માન આપ્યું છે કે ન તો અધિકાર આપ્યા છે.(પ્રતિનિધિ)દમણ, લોકસભામાં NDA સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારા બિલને પસાર કરવામાં અવરોધ ઊભો કરવા બદલ કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો સામે ભાજપ દ્વારા હાલમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ ઝુંબેશ ચાલી રહી છે.આ બિલમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતના અમલીકરણ માટે અગાઉ નિર્ધારિત કેટલીક શરતોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશના ભાગ રૂપે, પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ રેલીઓનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.આ પહેલને ચાલુ રાખતા, દમણ જિલ્લા ભાજપના પ્રમુખ ભરત પટેલે દમણમાં પ્રમુખ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રીના પટેલ અને ભાજપ…
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલનાઓએ જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ભારે ગુન્હા સાથે સકંડાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અન્વયેશ્રી ડો.કુલદીપકુમાર નાયી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખેડબ્રહ્મા વિભાગ, ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ડી.એન.સાધુ પો.ઇન્સ. પોશીના પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ. વી.બી.મેઘનાથી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે આ દીશામા સતત વોચ તથા તપાસ રાખી કાર્યરત રહેલા. તા.૨૩-૪-૨૬ ના રોજ આગામી સમયમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય જે હેતુથી જીલ્લામા કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ હોયસર્વેલન્સ પો.સ.ઇ. તથા સર્વેલન્સના…
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સંદર્ભે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, આગામી ૨૬મી એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારના ૦૭ઃ૦૦ કલાકથી સાંજના ૦૬ઃ૦૦ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરી યોજાશે.આ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત,…
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ૩ સંસ્થાની સામાન્ય ચૂંટણીના મતદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે જિલ્લા ચૂંટણી પંચ એલર્ટ થઈ ગયું છે. સુરક્ષાની સમીક્ષા બાદ જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના કુલ ૮૯ર મતદાન મથકોમાંથી ર૧૧ મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જયારે કલોલ નગરપાલિકા વિસ્તારના ૧૦ર પૈકી ૪ર મતદાન મથકો પર બાજ નજર રાખવા તંત્ર સજ્જ થઈ ગયું છે.ર૬ એપ્રિલને રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એકશન મોડમાં છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા અને નાગરિકો માટે હેલ્પલાઈન સહિતનું દ્વિસ્તરીય આયોજન કરવામાં આવ્યું…
જીવનભર અનાથ-દર્દીઓની સેવા કરનાર પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન( પ્રતિનિધિ)મોડાસા, રાજેન્દ્રનગર (સહયોગ) ખાતે સંયુક્ત સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી માનવસેવાનો દીવો પ્રગટાવતા પદ્મશ્રી સુરેશભાઈ સોની હવે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાંક સમયથી અસ્વસ્થ રહેલા સુરેશભાઈ સોનીએ અંતિમ શ્વાસ લીધા અને પ્રભુના શરણે ગયા. તેમના અવસાનથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.સુરેશભાઈ સોનીએ પોતાના પરિવાર સાથે મળીને જીવનભર અનાથ બાળકો, કુષ્ઠરોગ પીડિતો અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓની સેવા કરી હતી. તેમણે માત્ર આશ્રય જ નહીં, પરંતુ પરિવાર જેવી લાગણી સાથે દર્દીઓની સંભાળ લીધી. તેમના આશ્રમમાં રહેતા લોકો માટે ખાદી ઉદ્યોગ, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા ઉભી કરી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો…
અમદાવાદ (પ્રતિનિધિ), ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ૧૦૪માં સ્થાપના દિવસે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રેડ ક્રોસના શતાબ્દી ભવનની મુલાકાત લીધી અને અમદાવાદ રેડ ક્રોસની ટીમના વિવિધ માનવતાવાદી કાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.ખાસ કરીને બ્લડ કલેકશન અને ટ્રાન્સફ્યુઝન સેવાઓ માટે મળેલા રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત માન્યતાનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન કમિશનરે સંસ્થાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને શહેરના આરોગ્ય તથા આપાતકાલીન સેવા વ્યવસ્થામાં સંસ્થાએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની સરાહના કરી.તેમણે ખાસ કરીને બ્લડ ડોનેશન સેવાઓના જીવનદાતા પ્રભાવને ઉજાગર કરતાં જણાવ્યું કે, રેડ ક્રોસ હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો આધાર બની રહી છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદને…
