શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે ૧.૨૧ કરોડની છેતરપિંડી(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી સલાહકાર તરીકે નિવૃત્ત ૭૧ વર્ષીય વૃદ્ધ ઓનલાઇન સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે.શેરબજાર અને આઇપીઓમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપીને ઠગોએ આ વૃદ્ધ પાસેથી અધધ ૧.૨૧ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. છેતરપિંડી આચરનારા ભેજાબાજોએ જાણીતી ફાઇનાન્શિયલ કંપની IIFLના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને આ મોટા કૌભાંડને અંજામ આપ્યો હતો.આ ઘટનાની શરૂઆત ગત ૧૯મી માર્ચના રોજ થઈ હતી, જ્યારે વૃદ્ધને IIFL કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપતી એક અજાણી યુવતીનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમને શેરબજારની ટિપ્સ આપતા એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા…
Author: gujarat
અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ક્લિનિંગ સર્વિસના બે યુવકો વૃદ્ધ મહિલાના ઘરમાંથી ૩,૭૫,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરારવસ્ત્રાપુરની ‘ચામુંડા ક્લિનિંગ સર્વિસ’માંથી આશરે ૨૫થી ૩૦ વર્ષના બે યુવકો સફાઈ માટે આવ્યા હતા.(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટના જોધપુરમાં, ઘરમાં સાફ-સફાઈ માટે બોલાવવામાં આવેલા ક્લિનિંગ સર્વિસના બે અજાણ્યા યુવકો વૃદ્ધ મહિલાના ઘરમાંથી ૩,૭૫,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. વિશ્વાસ રાખીને કામ સોંપ્યા બાદ થયેલી આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જોધપુર ગામમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા…
શું પોલીસ કર્મી જ કાયદાનો ભંગ કરીને નશાની હાલતમાં રસ્તા પર બેફામ ગાડી ચલાવશે તો….(એજન્સી)સુરત, શહેરના અઠવાગેટ વિસ્તારમાં મોડી સાંજે એક ઘટના સામે આવી છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મી પર જ દારૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ લાગ્યો છે. અઠવાગેટ નજીક એક પોલીસકર્મીએ પુરપાટ ઝડપે કાર હંકારી પાછળથી બીઆરટીએસ બસને જોરદાર ટક્કર મારતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. Drunk ASI Sparks Outrage in Surat After Crashing Car Into Busપ્રાપ્ત વિગતો અનુસાર, અઠવાગેટ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર બસ નિયમિત રીતે પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી…
(એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક બની છે. અસહ્ય ગરમી અને ભર ઉનાળાની વચ્ચે જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્્યું છે.ચોમાસાના આગમન પહેલાં જ દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઊલટી, તાવ અને ટાઈફોઈડના કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.હાલમાં સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોતાં અંદાજ લગાવી શકાય છે કે રોગચાળો કેટલો ગંભીર છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા બે સપ્તાહમાં જ હોસ્પિટલની ઓપીડીનો આંકડો ૨૫,૦૦૪ ને પાર પહોંચી ગયો છે. રોગની ગંભીરતાને કારણે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૨૮૮ જેટલા દર્દીઓને…
મેટ્રિમોનિયલ એપ પર હિન્દુ નામ ધારણ કરીને ઠગાઈ આચરતો વિધર્મી ઝડપાયો-ઓળખ આપનાર વ્યક્તિ વાસ્તવમાં કરીમ સિપાઈ(એજન્સી)અમદાવાદ, ગુજરાતના પાટનગર સમાન અમદાવાદ શહેરમાંથી મેટ્રિમોનિયલ એપ્લિકેશનના માધ્યમથી મહિલાઓ સાથે છેતરપિંડી આચરવાનું એક ચોંકાવનારું અને મોટું કૌભાંડ સામે આવ્યું છે. મેટ્રિમોનિયલ એપ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક વિધર્મી યુવકને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ ઝડપી લીધો છે.આરોપીની ઓળખ છુપાવીને મહિલાઓનું શોષણ કરવાના આ ખુલાસા બાદ અમદાવાદ શહેરમાં ભારે સળવળાટ મચી ગયો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી મેટ્રિમોનિયલ એપ પર પોતાની નકલી પ્રોફાઇલ બનાવીને હિંન્દુ મહિલાઓને છેતરતો હતો. તેણે પોતાનું નામ ‘આદિત્ય પટેલ’ રાખ્યું હતું અને પોતે એક મોટો બિઝનેસમેન હોવાની…
(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને બાળ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે કુલ ૧૨ બાળકો લાપતા થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ બાળકો ગઈકાલે રાત્રે બાળ સંરક્ષણ ગૃહના મુખ્ય ગેટેથી જ કોઈને પણ જાણ કર્યા વગર બહાર નીકળી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચેથી આટલી મોટી સંખ્યામાં બાળકો કેવી રીતે ગાયબ થઈ ગયા, તે સુરક્ષા તંત્ર સામે મોટો સવાલ ખડો કરે છે.લાપતા થયેલા કુલ ૧૨ બાળકોમાંથી એક…
ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક કુંવારા યુવકોને આ જ રીતે લગ્નની જાળમાં ફસાવીને શિકાર બનાવ્યા(એજન્સી)લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ફેબ્રુઆરી મહિનામાં બનેલી ચકચારી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગના ગુનાનો પર્દાફાશ કરવામાં મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે. લગ્નની લાલચ આપી, ખોટી લગ્નવિધિ રચીને એક નિર્દોષ યુવક પાસેથી રૂ.૨,૭૦,૦૦૦ પડાવી ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન અને તેની મુખ્ય મહિલા સાગરીત સહિત ૭ લોકોને પોલીસે દબોચી લીધા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થોડા સમય પહેલાં લગ્નના નામે મોટી છેતરપિંડી થઈ હતી. આ ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપીને પહેલાં કન્યા બતાવી હતી અને ત્યારબાદ વિશ્વાસમાં લઈને ખોટી લગ્નવિધિ કરાવી હતી. લગ્ન બાદ…
પૂર્વ ના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવને કારણે ચોમાસામાં સર્જાતી જળબંબાકારની સ્થિતિ(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવ્યું નથી. જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ખાસ કરીને નિકોલમાં મધુમાલતી ફ્લેટ અને આસપાસના વિસ્તારો, સૂર્યાવાડી, ઓઢવ CMC, BRTS સ્ટેન્ડ પાસે, ભિક્ષુક ગૃહ, આદિનાથનગર પાછળનો ભાગ, વિદ્યાનગર, ઉત્તર ઝોનમાં ભાર્ગવ રોડ, સૈજપુર ગરનાળા, વસ્ત્રાલ રિંગરોડ પછી વસ્ત્રાલ ગામ, વગેરે વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદી પાણી ઓસરતા નથી અને જળબંબાકારની સ્થિતિને કારણે દૂધ, શાકભાજી સહિત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ મળતી…
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)દ્રારા તેની ૨૪મી વાર્ષિક એચઆર કોન્ફરન્સનું“હ્યુમન એન્ડ એઆઈ–ઈન્ટેલિજન્સ ઈન ટ્રાન્ઝિશન: સ્ટ્રક્ચરિંગ ધ ફ્યુચર ઓફ વર્ક”થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત એચઆર પ્રોફેશનલ્સ,વૈશ્વિક વિચારકો,અનુભવી એચઆર એક્ઝિક્યુટિવ્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ જોડાયા હતા,જેમણે માનવ મૂડી (હ્યુમન કેપિટલ) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના બદલાતા પ્રવાહો પર અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા.કોન્ફરન્સની શરૂઆત એએમએના વાઇસ પ્રેસિડેન્ટ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના સીઈઓ શ્રી મોહલ સારાભાઈ દ્રારા પ્રેરણાદાયી સ્વાગત પ્રવચનથી થઈ હતી. મુખ્ય અતિથિ ઝાયડેક્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અજય રાન્કાએ “એઆઈ અને રોબોટિક્સના યુગમાં વૈશ્વિક સ્તરે પ્રાસંગિક સંસ્થાઓની રચના” વિષય પર ઉદ્બોધન પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટી ઓફ…
રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટીસાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી 3 વર્ષના બાળકે ગુમાવી અન્નનળીઃ સિવિલના ડોક્ટરે આપ્યું નવજીવનસાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી ગુમાવી અન્નનળી,સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડૉક્ટરોએ જટીલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરી જોધપુર રાજસ્થાન ના ૩ વર્ષના અયાનને આપ્યું નવજીવનઘરમાં વપરાતા એસિડ,ક્ષાર,સાબુ બનાવવા માટેના કેમિકલ,ફિનાઈલ,ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર,બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી:- ડો. રાકેશ જોષીનાનાં બાળકોની જિજ્ઞાસા ઘણી વખત ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક ગંભીર અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે,જેમાં ઘરે રમત રમતા સાબુ બનાવવા માટે વપરાતા કેમિકલનું પાણી પી જવાથી માત્ર ત્રણ…
