Author: gujarat

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ, પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એ. આર. તડવી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને બાતમી મળી હતી કે ગોધરા ટાઉન બી ડિવિઝન…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વસોના વલેટવા ગામની સીમમાં કેનાલ પાસે દરોડો પાડી ખેડા જિલ્લા પંચાયત ના સભ્ય અને નડિયાદના આખડોલ ગામના પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર સહિતની બુટલેગર ત્રિપુટીનો રૂપિયા ૫,૦૭,૬૪૪ની કિંમતનો ૧,૦૩૩ નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે.રાજકીય આલમમાં ભારે ચકચાર મચાવનારા આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક સાગરીતની અટકાયત કરી કુલ રૂપિયા ૫,૧૭,૬૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી જિલ્લા પંચાયત સભ્ય સહિતની બુટલેગર ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.જેને પકડવા પોલીસ કામે લાગી છે.મળતી માહિતી. મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસ ટીમને ગઈકાલે મધ્યરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક પ્રચાર પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડના ૪૩ લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી…

Read More

(માહિતી) નર્મદા, એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે ૨૩ અને ૨૪ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.લેવલ-૩ જીમ્નાસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડો.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, કુ. ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું.પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર-સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક…

Read More

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયોમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથે સંવાદ કરી છેલ્લા ૧૨ વર્ષમાં ‘મોદી સરકાર’ માં થયેલ સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને રાષ્ટ્રહિતની કામગીરી અંગે સંવાદ કર્યોગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઐતિહાસિક અવસર પર ભારતીય જનતા પાર્ટીના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ…

Read More

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાંથી માટી માફિયાઓની ગુંડાગર્દી અને બેખોફ અંદાજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકાના ભુંભલી ગામમાં એક ખેડૂતની કિંમતી જમીનમાંથી તેમની જાણ બહાર અધધ ૫૦,૦૦૦ ઘનમીટર માટીની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માફિયાઓએ માત્ર ૧૫ જ દિવસમાં ખેડૂતની આખી જમીન ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સરખેજ વિસ્તારના રહેવાસી ભુપતભાઈ પ્રજાપતિએ ભુંભલી ગામની સીમમાં ૧૨ વીઘા જમીન ખરીદી હતી. આ જમીન પર સ્થાનિક માટી માફિયાઓએ તરાપ મારી હતી. ખેડૂતની ગેરહાજરીનો લાભ ઉઠાવીને માફિયાઓએ માત્ર ૧૫ જ દિવસમાં ૮ વીઘા જમીનમાં ૮ ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દીધા હતા અને આખી જમીન…

Read More

યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ પર મોટો પ્રહાર;આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશથી ૭૨ દુકાનો સીલ- ૧૩૧ને શો-કોઝ નોટિસ સહિતલાયસન્સ રદ કરવા સુધીના પગલાં –ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર ત્રાટક્યુંFDCAતંત્રમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ,નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે,આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર –FDCAદ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન,અલ્પ્રાઝોલમ,નાઇટ્રાઝેપામ,ટ્રામાડોલ…

Read More

આરોપી સામે ગુનો પુરવાર થાય છે, દયા ન દાખવી શકાયઃ પોક્સો કોર્ટસગીર દીકરીએ માતાના બનાવની જાણ કરતા માતાએ આરોપી વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીઅમદાવાદ,શહેરના સોલા હાઇકોર્ટ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય સ્પે. પોક્સો કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે દયા ન દાખવી શકાય. ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો ૩૮ વર્ષિય ભૂપેન્દ્ર રતનસિંગ પરમાર તેના જ વિસ્તારમાં રહેતી સગીરાને ૨૩ ફેબ્›આરી ૨૦૨૦ના રોજ રાત્રે આઠ વાગ્યે ધાબા પર લઇ ગયો હતો. જ્યાં અશ્લીલ વીડિયો બતાવી ભૂપેન્દ્રએ સગીરા…

Read More

એકને સાત વર્ષની કેદવર્ષ ૨૦૨૩માં સલૂન સંચાલકને પૈસા લેવા બોલાવી સલૂનમાં લઈ જઈ હત્યા કરાઇ હતીહિંમતનગર,હિંમતનગરના ઈલોલમાં ત્રણ વર્ષ અગાઉ હેરકટિંગ સલૂન ભાડે આપ્યા બાદ ભાડે આપનારને પૈસા આપવાના બહાને ઈલોલ બોલાવી સલૂનમાં જ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી હત્યા કર્યાની ફરીયાદ તત્કાલિન સમયે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ હિંમતનગર ડીસ્ટ્રીકટના જજની કોર્ટમાં રજુ કરાઈ હતી ત્યારબાદ ગુરૂવારે સુનાવણી થતાં ન્યાયાધિશ તથા બંને પક્ષના વકીલોએ જેલમાં રહેલા ત્રણ શકમંદો સાથે ઓનલાઈન કેસ ચલાવી સુનાવણી પૂર્ણ કરી હતી જેમાં ન્યાયાધિશે બંને પક્ષોના વકીલોની દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ બે આરોપીઓને ફાંસની સજા અને એકને…

Read More

કડી તાલુકાના અણખોલ ગામની સીમમાં ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલી કડી પોલીસે મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતીમહેસાણા,કડી તાલુકાના અણખોલ ગામની સીમમાં આવેલી એક ખાનગી કંપનીના પરિસરમાં બુધવારે મોડી રાત્રે જમતી વખતે શ્રમિક મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બચાવવા વચ્ચે પડેલા યુવકને પિતરાઈ ભાઈએ લાકડાનો ફટકો મારી દેતાં તેમનું મોત નીપજ્યું હતું. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કડીના અણખોલ પાટિયા પાસે આવેલી દુવા રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉત્તર પ્રદેશના રાહુલ રામસુરેશ નિશાદ (ઉં.વ. ૨૨) અને તેનો મોટો ભાઈ ઇન્દ્રજીત નિશાદ (ઉં.વ. ૩૪) શ્રમિક તરીકે નોકરી કરતા હોઈ…

Read More