Author: gujarat

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે હરિપ્રબોધમ સત્સંગ સભા ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાઈ હતી.આ આધ્યાત્મિક પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી,હરીઅક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત શ્રીજીચરણ સ્વામી, સાધુ સૌરભ સ્વામી,સર્વમંગલ સ્વામી,મૈત્રી સ્વામી સહિત સાધુ-સંતો તેમજ જંબુસર પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ કીર્તન-ભક્તિ સાથે થયો હતો.ઉચ્છદ મંડળના બાળકો દ્વારા રજૂ કરાયેલા ભક્તિ નૃત્ય અને સંવાદ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં મોટા પુરુષની આજ્ઞાને મન અને બુદ્ધિથી સ્વીકારવી એજ સાચી ભક્તિ છે.પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આપણને અંતરથી સુખી કર્યા છે, તેથી પ્રાદેશિક સંતોને ગમે તેવી સરળ…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બે ડીજે સાઉન્ડ સિસ્ટમ વચ્ચે કોમ્પિટિશન યોજી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ કઠલાલ પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે પપ્પુ ડીજે સિસ્ટમ સહિત અંદાજે ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.મળતી માહિતી મુજબ તા ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરના સમયે કઠલાલ પોલીસને માહિતી મળી હતી કે પિઠાઈ ગામે લગ્નમાં આવેલી બે અલગ-અલગ જાનના ડીજે વચ્ચે જોરદાર કોમ્પિટિશન ચાલી રહી છે. આ સ્પર્ધા જોવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. ડીજે પર ચઢીને કેટલાક શખ્સો મોટેથી અવાજ કરી, જાહેર…

Read More

જિલ્લાની ૧૭ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોનું વર્ગીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૬૯૪ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાંથી ૨૩૫ મથકોને સંવેદનશીલ અને ૧૧૩ મથકોને અતિ સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેમા મતદાન દિવસે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશેઆગામી ૨૬ એપ્રિલ ના રોજ ખેડા જિલ્લામાં યોજાનારી વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિગતવાર આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસી માંથી આગની ગંભીર ઘટના સામે આવી હતી. Metropolitan Eximchem કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતા આગ ભભુકી ઉઠી હતી.ત્યાર બાદ જોતજોતામાં આખી કંપની આગની ઝપેટમા આવી જતા ૧૪ જેટલાં કામદારો દાઝતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં વિવિધ ક્ષેત્રની કંપનીઓ ધમધમી રહી છે અને નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે.ત્યારે ઝઘડીયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૯૦૨/૧ માં Metropolitan Eximchem કંપની કાર્યરત છે.જેમાં ગુરુવારના રોજ પ્રોડક્શનની કામગીરી ચાલતી હતી તે વેળા અચાનક રીએકટરમાં આગ લાગી હતી.જોકે જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્‌યા…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરા ખાતે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. હંસપુરામાં આવેલા એક બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સની સામે સ્કૂલની જગ્યા પાસે બનેલી આ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી.જેમાં ફૂલસ્પીડે બેદરકારીથી આવતી કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા એક મહિલાને અડફેટે લીધા હતા, જેના કારણે મહિલાનું કરુણ મોત થયું છે. મહત્ત્વનું છે કે, આ ઘટનાને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો.પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ૪૪ વર્ષીય પિંકીબેન બળદેવભાઈ પટની અકસ્માતનો ભોગ બન્યા છે. પિંકીબેન પર કાર ફરી વળતાં…

Read More

પોલીસ કમિશનર એક્શનમાં, સંવેદનશીલ બુથોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી(એજન્સી)અમદાવાદ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે અને મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે મેદાનમાં ઉતરી સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો છે.ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી કમિશનરે શહેરના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની વ્યક્તિગત મુલાકાત લઈ પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી.પોલીસ કમિશનર જી.એસ. મલિકે અસારવા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બુથ પર તૈનાત રહેનારા જવાનોની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ મીડિયા સાથે…

Read More

૪૦૦ કિલો ઘીનો જથ્થો જપ્ત- વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું હતુંઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ વિભાગ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટનો પર્દાફાશ કર્યો છે. એએમસી ફુડ વિભાગ દ્વારા વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું અને ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ ના બ્રાન્ડના નામે અંદાજે રૃ.૧.૬૦ લાખની કિંમતનો આશરે ૪૦૦ કિલો ભેળસેળિયા – નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છેઅને એફ.એસ.એસ.એ. આઈ. અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે જીપીએમસી એક્ટ અને એફ.એસ.એસ.એ. આઈ.…

Read More

1200 એક્ટિવાનો સ્ટોક હતો જેમાંથી કોઈ જાણભેદુ 31 એક્ટિવા ચોરી ગયો હતો(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ચાવી સાથેના ૩૧ એક્ટિવા ચોરાવાની સનસનાટીભરી ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. રૂ. ૨૩.૨૫ લાખની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધી છે.નિકોલના અક્ષર કોમ્પ્લેક્સમાં આવેલા સિંગલ ઓટો મોટીવ પ્રા. લિ. નામના હોન્ડાના શોરૂમમાં ગત ૧ જાન્યુઆરીએ ૧૨૦૦ એક્ટિવાનો સ્ટોક હતો. જોકે, ૧ એપ્રિલના રોજ જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે ૩૧ એક્ટિવા ઓછા જણાયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, ગોડાઉનમાં ગાડીઓમાં ચાવીઓ લગાડેલી જ રહેતી હોવાથી કોઈ જાણભેદુ વ્યક્તિ તક જોઈને એક પછી…

Read More

–વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીએ આપેલા સમાજહિત-રાષ્ટ્રહિતના નવ સંકલ્પો પાર પાડવા નવદંપતિઓને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાનમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકુઈની માધવ વિદ્યાપીઠમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રભૂતામાં પગલા પાડતા51નવ યુગલોને સફળ દાંમ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતીના ઉપક્રમે આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન-વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મુખ્યમંત્રીશ્રીએ સામાજિક સમરસતા અને સમાનતાને વિકાસના મુખ્ય સ્તંભમાના એક સ્તંભ ગણાવતાં કહ્યુ કે,આવા સમૂહ લગ્નોત્સવોમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્નગ્રંથીથી જોડાય છે તેનાથી સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરે છે.તેમણે કહ્યુ કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિત,પિડીત,આદિજાતિઓના વિકાસ સહિત સૌના સાથ,સૌના વિકાસ,સૌના…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં સ્વચ્છતાની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાન વાહનોની નિયમિત દેખરેખ અને જાળવણી માટે ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વાહનોના “હેલ્થ ચેક-અપ” દ્વારા તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે પગલાં લેવામાં આવ્યા હતા.આ અનુસંધાને, આ અભિયાનની શરૂઆત એએમસીના સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) ખાતેથી કરવામાં આવી છે. જે આગામી સમયમાં શહેરના તમામ સાત ઝોનમાં કરવામાં આવશે. મધ્ય ઝોનમાં આવેલ વાન ર્પાકિંગમાં ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું.આ કામગીરીમાં વાહનોની…

Read More