સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)હેઠળ13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સનેPoCસ્તરે સહાય, 4000થી વધુIPRફાઇલ કરવામાં આવ્યાi-Hubદ્વારા750જેટલા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને નાણાકીય સહાય,આ સ્ટાર્ટઅપ્સ દ્વારા4,000થી વધુ રોજગારીઓનું સર્જનમહિલા ઉદ્યોગસાહસિકો માટેનીWEstartપહેલ હેઠળ269મહિલા-સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાયવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માને છે કે, ‘જ્યારે યુવાનોના વિચારોને યોગ્ય પ્લેટફોર્મ,નીતિગત સહયોગ અને સંસાધનો મળે છે,ત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણના સૌથી મોટા ભાગીદાર બની શકે છે’. આ જ વિચારધારા સાથે,વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરવામાં આવી હતી,જેના થકી લાખો યુવાનોને ‘જોબ સીકર’માંથી ‘જોબ ક્રિએટર’ બનવાની પ્રેરણા મળી છે.ઉલ્લેખનીય છે કે, 26મે, 2026ના રોજ શ્રી નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના12વર્ષ પૂરાં થયા છે. આ12વર્ષો દરમિયાન દેશમાં નવી ઉદ્યોગસાહસિક સંસ્કૃતિનું નિર્માણ…
Author: gujarat
જેલ વિભાગના વડાDGPડૉ. કે. એલ. એન. રાવના હસ્તે ધોરણ ૧૦,૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થનાર બંદીવાનોના બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરાયાગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનો અને તેમના પરિવારોના ઉત્થાન માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી પગલું ભરવામાં આવ્યું છે.ગઈ કાલે તા. ૧૧/૦૬/૨૦૨૬ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત એક વિશેષ પ્રોત્સાહન અને સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલમાં રહેલા બંદીવાનો તથા તેમના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. વર્ષ-૨૦૨૬ માં ધોરણ-૧૦,૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસની પરીક્ષાઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરનાર રાજ્યની અલગ-અલગ જેલોના…
ગુજરાત નોલેજ સોસાયટી –GKSઅને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીØMOUથી રાજ્યની તમામ ૧૬ સરકારી ઈજનેરી અને ૩૧ સરકારી પોલિટેકનિક કોલેજના ૧૪,૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦થી વધુ અધ્યાપકોને મળશે નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાનØસરકાર પર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ અપાશેઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉચ્ચ – તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં ગુજરાત નોલેજ સોસાયટી –GKSઅને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley’નીBentley Systems India Private Limited’વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું એક ઐતિહાસિક કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું છે.ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામકની…
આવેશમાં આવી ગયેલા સગા ભાઈએ વિજયભાઈ પર ઘાતક હુમલો કરી -માથાના ભાગે ફટકા મારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.વડોદરા, સરકારી સેવામાંથી નિવૃત્તિ બાદ પિતાને મળેલા નાણાંના હિસાબ અને વહેંચણી બાબતે સગા ભાઈઓ વચ્ચે થયેલો વિવાદ હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાઠવા નામના શખ્સ પર તેમના જ સગા ભાઈએ માથાના ભાગે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું.વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલી ચાણકય નગરીમાં વિજયભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તાજેતરમાં તેમના પિતાજી સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હોવાથી તેમને નિવૃત્તિના મળેલા પૈસાના હિસાબ-કિતાબ અને વહેંચણી માટે વિજયભાઈ પોતાના…
વચગાળાની વ્યવસ્થા ન જળવાય તો કન્ટેમ્પ્ટનો રસ્તો-સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન હોવાથી હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મધ્ય જુલાઈમાં સુનાવણી થાય તેવી શક્યતાઓઅમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેન્ચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે.જો કે, સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન હોવાથી હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મધ્ય જુલાઈમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ છે. જેથી હાઈકોર્ટમાં આ મામલે ચોથી ઓગસ્ટના રોજ સુનાવણી રાખવામાં આવી છે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે…
આ અડ્ડા પર આર્થિક શોષણની સાથે બે માસૂમ સગીરો પાસે બળજબરી પણ કરાવવામાં આવી હતી,-સુરતમાં કૂટણખાના પર રેડસુરત, સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ પાંડેસરા વિસ્તારમાં જીપીબી (ગુજરાત હાઉસિંગ બોર્ડ)ના મકાનમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે ત્રણ મજબૂર મહિલાઓને નરક સમાન દલદલમાંથી મુકત કરાવી છે.ચોંકાવનારી વિગત એવી છે કે, આ અડ્ડા પર આર્થિક શોષણની સાથે બે માસૂમ સગીરો પાસે બળજબરી પણ કરાવવામાં આવી હતી, જેમને પોલીસે હેમખેમ રેસ્કયુ કરી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૬૬,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જયારે મુખ્ય સૂત્રધાર ત્રિપુટી પોલીસ રેડ જોઈને ફરાર થઈ ગઈ હતી.એએચટીયુના પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.…
દુર્ઘટનાના ઘાવોને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવી,આરોગ્ય ક્ષેત્રે નવા યુગની તેમજ શિક્ષણની નવી આશાઓનું નિર્માણ થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાગત વર્ષે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ અણધારી ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે આરોગ્ય મંત્રીશ્રીએ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગર,અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ સંદર્ભે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું…
(એજન્સી)અમદાવાદ, શહેરના અનેક વિસ્તારોમાં સમયાંતરે પાણીમાં ગટરનાં પાણી ભળી જવાની ફરીયાદો ઉઠતી રહે છે. તેના માટે ઠેકઠેકાણે ગેરકાયદેસ બાંધકામો કારણભુત હોવાનું જાણી કમીશ્નરે વોટર પોલ્યુશનની સમસ્યા હલ કરવા માટે પાણી-ગટરની લાઈનો ઉપરના ગેરકાયદે બાંધકામો કારણભુત હોવાનું જાણી કમીશ્નરે વોટર પોલ્યુશનની સમસ્યા હલ કરવા માટે પાણી-ગટરની લાઈનો ઉપરના ગેરકાયદે બાંધકામો-દબાણો તોડી નાખવાની સુચના આપી હતી.મ્યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર કમીશ્નર બંછાનીધી પત્નીએ તમામ ડે.કમીશ્નર આસી.કમીશ્નર અને વિવિધ વિભાગોના વડા અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં સમયાંતરે પીવાનાં પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાથી સર્જાતી પાણીજન્ય રોગચાળા સહિતની સમસ્યાઓના ઉકેલ માટે સઘન ચર્ચા કરી હતી.મ્યુનિ. સુત્રોએ કહયું કે ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં…
રાયપુર દરવાજાથી કાંકરિયા તરફનો રોડ પહોળો થશેઃ ૪૧ મિલકત કપાશે(એજન્સી)અમદાવાદ, શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.એ. બ્રિજ બનાવાવની સાથે રોડ પહોળા કરવાની ઝુંબેશ હાથ ધરી છે. તે અંતર્ગત વર્ષોથી અટકેલી રાયપુર દરવાજાથી કાંકરીયા તરફના રોડને પહોળો કરવાની કાર્યવાહી હવે ટુંક સમયમાં અમલમાં મુકાવા જઈ રહી છે. અને રોડ પહોળો કરવા માટે ૪૧ મીલકતો ઓછાવત્તા અંશે કપાતમાં જશે.મ્યુનિ. એસ્ટેટ ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર રાયપુર-દરવાજાથી પારસી અગિયારી સુધીનો બંને બાજુનો રોડ વિવિધ પ્રકારના દબાણો તેમજ કાયદેસર મિલકતોના કારણે સાંકડો બની ગયો છે.આ રોડ પહોળો કરવા માટે છેલ્લા કેટલાય સમયથી વાતો થાય છે છેલ્લે ૩૦ જુલાઈ ર૦રપમાં કમીશ્નરે સૈધાતીક મંજુરી…
ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી ગાંધીનગર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે.જેથી હવે ૧૮ જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ ૧૬૧ જેટલું છે અને કોંગ્રેસનું ૧૨ તેમજ આપનું ૫ જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય…
