અમદાવાદ (પ્રતિનિધિ), ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ૧૦૪માં સ્થાપના દિવસે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રેડ ક્રોસના શતાબ્દી ભવનની મુલાકાત લીધી અને અમદાવાદ રેડ ક્રોસની ટીમના વિવિધ માનવતાવાદી કાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.ખાસ કરીને બ્લડ કલેકશન અને ટ્રાન્સફ્યુઝન સેવાઓ માટે મળેલા રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત માન્યતાનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન કમિશનરે સંસ્થાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને શહેરના આરોગ્ય તથા આપાતકાલીન સેવા વ્યવસ્થામાં સંસ્થાએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની સરાહના કરી.તેમણે ખાસ કરીને બ્લડ ડોનેશન સેવાઓના જીવનદાતા પ્રભાવને ઉજાગર કરતાં જણાવ્યું કે, રેડ ક્રોસ હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો આધાર બની રહી છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદને…
Author: gujarat
અમદાવાદ મનપા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પાર્ટીના ચૂંટણી ઉમેદવારો હવે નહી કરી શકે પ્રચાર. અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારનો ગજવો હવે શાંત થઈ ગયો છે. અમદાવાદ માં ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થતાં રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હવે કોઈપણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં.ચૂંટણી આયોગના નિયમો મુજબ, પ્રચાર સમયમર્યાદા પૂરી થયા બાદ તમામ ઉમેદવારોને શાંતિ જાળવવાની ફરજ રહેશે. આ દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકાશે નહીં.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીઓના બેનરો અને પોસ્ટરો ઉતારવાની…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતભરમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમીથી જનજીવન પર અસર પડી છે. અમદાવાદ અને રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૨થી ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.અસહ્ય ગરમીને લીધે બપોરના ટાણે મહાનગરોના રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હિલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’ થી બચવા મથામણ કરી રહ્યા છે.રાજ્યના હવામાન વિભાગે તા. ૨૯ એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે.હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે,…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર કરેલા પ્રચારનો ખર્ચ જાહેર કરવો ફરજિયાત(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારના પડઘમ શુક્રવારે સાંજથી શાંત પડી ગયા છે, રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજ્યના ચૂંટણી પંચે મહાપાલિકા, પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરી છે.ત્યારે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતા પ્રચાર પર થતો ખર્ચ ચૂંટણી આયોગને ફરજિયાત રીતે જણાવવો પડશે. રાજ્ય ચૂંટણી આયોગના નિર્ણય મુજબ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રકારના પ્રચાર જેમ કે, પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ, વીડિયો…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારો દ્વારા તમિળ ભાષામાં અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમિળ સમાજના કાર્યકર્તાઓને સાથે રાખીને તમિળ ભાષામાં જ તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા વોર્ડમાં આશરે ૮ હજાર જેટલા તમિળનાડુના વતનીઓ વસે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમિળ મતદારોને આકર્ષવા તમિળ ભાષામાં બેનરો લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ તમિળનાડુના વતનીઓ સાથે ગ્રુપ મીટિંગ, રાત્રિ મીટિંગ યોજવામાં આવી રહી છે.ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવાર નયન બ્રહ્મભટ્ટ અને કમલેશ પટેલ જણાવ્યું હતું કે, ખોખરા વોર્ડમાં વર્ષોથી તમિલનાડુના પરિવારો વસે છે અને લગભગ ૮…
(એજન્સી)અમદાવાદ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઓછી આવક ધરાવતા બાળકો ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે આરટીઆઈ હેઠળ ધોરણ ૧માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે.ફોર્મ ભરવાની મુદતમાં ૬ દિવસ વધુ અપાયા બાદ ભરાયેલા કુલ ફોર્મ વધીને ૨,૪૯,૯૪૬ થયા છે. આમ રાજ્યમાં આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં અઢી લાખ બાળકોને પ્રવેશ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે આર.ટી.ઈ.માં પ્રવેશ માટે ગત ૪ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી.પરંતુ હાલ ચૂંટણીને પગલે અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં હોવાથી આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટમાં વાલીઓને મુશ્કેલી ઉભી થતા ફોર્મ ભરવાની…
ગાંધીનગરમાં પરેશભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિતની મત્તા ચોરી હોવાનું જણાવ્યું હતું. (એજન્સી)અમદાવાદ, પાટનગર ગાંધીનગરના સેકટર-૨માં એક NRIના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ ૯૯.૫૫ લાખની મત્તાની ચોરીને મધરાત બાદ કારમાં નાસી રહેલા ચોરને નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે કારને અટકાવીને પૂછતાછ કરતા ચોર પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો. અને ચોરે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની કાર લઇને જ ચોરી કરવા જતો હતો. આરોપી સામે કુલ ૨૧ ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. આ અંગે પોલીસે વધુ તપાસ…
(પ્રતિનિધિ)મોડાસા, સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત એફપીઓ અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ની આજીવીકા હેતુ મસાલા, પાપડ, અથાણાં, શાકભાજી અને ફળોની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી રોજગારી મેળવી શકશે.આ પ્રસંગે ઉદઘાટક શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરદાસજી મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ ના વરદ હસ્તે સોલર ડ્રાયરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે સહયોગી સંસ્થાઓ કે. આર. કટારા આટ્ર્સ કોલેજ શામળાજીના પ્રિન્સિપાલ શ્રી અજયભાઈ પટેલ, વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર પ્રદીપભાઈ દૈયા, શામળિયા ફેડરેશનના પ્રમુખ શ્રી ડાહીબેન કટારા,અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ના ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ કટારા, સંધ્યાબેન પાંડોર, મેશ્વો ફાર્મર એફપીઓ ના ચેરમેન શ્રી નરેશ કટારા, છાંયડો ના પ્રમુખ શ્રી આયુષ મહેતા,…
બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતના સભ્ય શંકરસિંહ ગોહિલનું ખુલ્લું સમર્થનગાંધીનગર, બનાસકાઠા જિલ્લા અદાલતને પાલનપુર શહેરથી દૂર જગાણા ખાતે ખસેડવાના સત્તાધીશોના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા આ નિર્ણયના વિરોધમાં આયોજિત પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમમાં વકીલોએ મોટી સંખ્યામાં ઉમટી પડી પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનને બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતના સભ્ય શંકરસિંહ ગોહિલે ખુલ્લું સમર્થન આપી ન્યાયની આ લડતમાં વકીલોની સાથે ખભેખભો મિલાવીને ઉભા રહેવાની ખાતરી આપી છે.આ પ્રસંગે શંકરસિંહ ગોહિલે જગાણા કોર્ટ ખસેડવાના નિર્ણયને અયોગ્ય અને અવિવેકી ગણાવતા જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર વકીલ સમાજ જ નહીં પરંતુ સમગ્ર ન્યાયપ્રણાલી માટે નુકસાનકારક…
