(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા ઝડપભેર અને સુનિયોજિત કામગીરી હાથ ધરી મધ્યપ્રદેશ રાજ્યના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલા બે નાબાલિક બાળકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા છે. આ સફળ કામગીરીથી પોલીસ પ્રત્યે જન વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.માહિતી મુજબ, ફરીયાદી પિંટુ રામા ચૌહાણના ઓળખીતો ધર્મેન્દ્ર ચૌહાણ છેલ્લા એક માસથી તેમના ઘરે રહેતો હતો અને બાળકોને નદીએ સ્નાન માટે લઈ જતો હતો. તા. ૨૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેણે અજય (ઉ.વ. ૬) અને દીપક (ઉ.વ. ૪) નામના બંને બાળકોને નદીએ લઈ જવાની આડમાં મોટરસાયકલ પર લઈ જઈ અપહરણ કર્યું હતું.સાંજ સુધી બાળકો પરત ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ…
Author: gujarat
નિઃશુલ્ક લગ્નોત્સવમાં સેવાની જ્યોત ઝળહળી (પ્રતિનિધિ)મોડાસા, કહેવાય છે કે દીકરી એટલે તુલસીનો ક્યારો અને એ ક્યારાને જ્યારે યોગ્ય આંગણું મળે ત્યારે આખું જગત મહેકી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામમાં આવેલા આત્મજ્યોત આશ્રમખાતે રવિવારે કંઈક આવો જ દિવ્ય અને સામાજિક સમરસતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. નિમિત્ત હતું – પ્રેમનું પાનેતર’શીર્ષક હેઠળ યોજાયેલ ૧૮ જરૂરિયાતમંદ દીકરીઓનો પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ.આત્મજ્યોત આશ્રમના પૂજ્ય સદગુરુ શ્રી દિલીપરામ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ માંગલિક અવસરે ૧૮ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મંગલ શરણાઈઓના સૂર અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે આ દીકરીઓએ ચોરીના ફેરા ફર્યા, ત્યારે ઉપસ્થિત…
અપક્ષ ઉમેદવારે રૂપિયા પરત માંગતા મતદારોએ કહ્યું, લઈ લો તમારા ત્રણ લાખ પાછા(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે આક્ષેપો પ્રતિઆક્ષેપોનો દોર જામ્યો છે. આવી સ્થિતિમાં એએમસીના ચૂંટણી પ્રચાર દરમિયાન એક મીટિંગનો વીડિયો વાયરલ થયો છેજેમાં લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવારે ગત ચૂંટણીમાં આપેલા રૂપિયા અઢી લાખની સામે માત્ર ૧૭ મત મળ્યા હોવાનો બળાપો કાઢતા મતદારો અકળાઈ ગયા હતા. મતદારોએ અગાઉથી જ વ્યવસ્ગા કરીને રાખેલા રોકડા રૂપિયા ત્રણ લાખનું બંડલ આપીને રોકડું પરખાવતા ઉમેદવારે ચાલતી પકડી હતી અને કારમાં બેસીને ભાગી ગયા હતા.લાંભા વોર્ડમાં ગત ટર્મમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડેલા કાળુ…
ર૦ર૬-ર૭ માટે પુસ્તકો તૈયાર કરવાના ટેન્ડરમાં વિવાદથી અઢી મહિના વેડફાયા -કાનૂની કાર્યવાહી દરમિયાન યુદ્ધ શરૂ થતાં કાગળના ભાવો ઉંચકાતા જે તે એજન્સીનો જૂના ભાવે કામનો ઈન્કાર(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પાઠય-પુસ્તક મંડળ દ્વારા ધો.૧થી ૧રના પુસ્તકો છપાવવા માટે આપવામાં આવેલા ટેન્ડરમાં કાયદાકીય વિવાદ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ મંડળે કરેલી પ્રક્રિયાને માન્ય રખાઈ હતી.મહત્ત્વની વાત એ કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન જે તે સમય વ્યય થયો તો દરમિયાન ખાડી દેશોમાં યુદ્ધ શરૂ થતાં કાગળનો ભાવ વધી જતાં નવેસરથી ટેન્ડરીંગ પ્રક્રિયા પછી પણ સરવાળે પાઠય-પુસ્તક મંડળે ૧ર કરોડનો બોજો ઉઠાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા…
વલસાડ, ૨૨ એપ્રિલ ૨૦૨૬: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલી પીકઅપ વાન રસ્તામાં પલટી મારી જતાં ૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૨૮ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, પીકઅપ વાનમાં સવાર મુસાફરો એક પ્રસંગ પૂરો કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. કપરાડાના વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ આવતા વાન ચાલકે વાહન ચઢાણ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અચાનક વાનની બ્રેક ફેલ થઈ ગઈ હતી.બ્રેક ફેલ થતાં વાન નિયંત્રણ ગુમાવીને રિવર્સમાં દોડવા લાગી…
(એજન્સી)સુરેન્દ્રનગર, વિજ્ઞાન મંગળ પર પહોંચી ગયું છે, પણ માનવી આજેય અંધશ્રદ્ધાના અંધકારમાં ભટકી રહ્યો છે! સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી એક એવી ઘટના સામે આવી છે, જે દીકરા માટે બાધા રખાઈ. જે દીકરાના જન્મ માટે આખું ઘર હરખાયું.એ જ દીકરાને કાળા જાદુના નામે મોતને ઘાટ ઉતારી દેવાયો? એક પાડોશી મહિલા, જે પોતાને માતાજીના ભુવા ગણાવતી હતી, તેની એક ખતરનાક માંગણીએ ચાર વર્ષના કાર્તિકનો ભોગ લીધો હોવાનો આરોપ લાગ્યો છે.ઘટનાની શરૂઆત થાય છે વર્ષો પહેલા, જ્યારે ફારુકભાઈ એછવાડિયાના ઘરે ચાર દીકરીઓ હતી. પુત્રની ચાહમાં પરિવારે પાડોશમાં રહેતી રેહાનાબેન માયકનો સંપર્ક કર્યો, જેઓ પોતાને માતાજીના ભુવા ગણાવતા હતા. રેહાનાબેને બાધા આપી અને સંજોગવશાત ૧ ફેબ્રુઆરી…
‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬‘અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈAhmedabad, રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના સંદર્ભે ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સજ્જ છે. આ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી અને જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ વડાશ્રીની સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા બંદોબસ્તનું આયોજન અને ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી મોટા પાયે પોલીસ અને અન્ય સુરક્ષા દળોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં…
ગાંધીનગર: ગુજરાતને વિશ્વના નકશા પર એક મજબૂત લોજિસ્ટિક્સ અને ટ્રેડ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં આગળ વધતા, ડીપી વર્લ્ડ (DP World) ના ગ્રુપ સીઈઓ શ્રી યુવરાજ નારાયણ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેરીટાઇમ ક્ષેત્રને વધુ વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.ડીપી વર્લ્ડ સાથેની ભાગીદારી અને ગુજરાતનો વિકાસ ડીપી વર્લ્ડ ગુજરાતની વિકાસયાત્રામાં એક વિશ્વાસપાત્ર ભાગીદાર સાબિત થયું છે. અગાઉ ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ દરમિયાન પોર્ટ્સ, લોજિસ્ટિક્સ પાર્ક્સ, રેલ ફ્રેઈટ અને ઈકોનોમિક ઝોન સંબંધિત વિવિધ એમઓયુ (MoU) સાઈન કરવામાં આવ્યા હતા. આ કરારોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં કનેક્ટિવિટી વધારવાનો અને…
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”વ્યાજખોરો સામે એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી ૧૩૬ વ્યાજખોરો જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા“બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ” – આ માત્ર એક ધમકી નહોતી,પણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો. જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળે,ત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું,પરંતુ ગુજરાત પોલીસની સમયસૂચકતા અને કડક કાર્યવાહીએ આવા અનેક નિર્દોષોને બચાવી લીધા છે.રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને…
ગઢચિરોલીથી અમદાવાદ વેચાણ માટે લઈ જવાતું જીવતું કીડીખાઉં (પેંગોલીન) સેવાલીયા પોલીસે જૂની ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યું(પ્રતિનિધિ) નડિયાદ, સેવાલીયા નજીક મહીસાગર નદી પુલ પાસે આવેલ જૂની ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાં બેગ માં છુપાવી લુપ્ત પ્રજાતિના જીવીત કીડીખાઉં (પેંગોલીન) ગેરકાયદેસર તસ્કરી કરતા મહારાષ્ટ્રના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છેપોલીસની પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રના ગઢચિરોલી અને નાગપુરથી આ દુર્લભ પ્રાણીને અમદાવાદ ખાતે ઉંચા ભાવે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છેપ્રાપ્ત માહિતી અનુસાર સેવાલીયા પોલીસ મથકના પી.આઈ એસ.કે. કાંબડ, હે કો રાહુલકુમાર, ભરતભાઈ ની ટીમ દ્વારા ગઈ કાલે મહીસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ પાસે વાહન…
