એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ –રાજ્યભરમાં નિયમ ભંગ કરનાર વિરુધ્ધ કુલ ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ. ૫.૨૧ કરોડનો દંડ કર્યોદંડ વસૂલવો એ લક્ષ્ય નથી,નાગરિકોની જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ છે: રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિક માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકે જણાવ્યું કે,દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી,પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ…
Author: gujarat
Øનર્મદા,ડાંગ અને તાપીના અંતરિયાળ ગામોમાં હવે ખેતી માત્ર ચોમાસા પર આધારિત નથી. હવે સૌર ઊર્જાએ અહીંના ધરતીપુત્રો માટે આશાનું કિરણ બનીને આવી છેØPM-KUSUMહેઠળ ગુજરાતમાં ૬૯૫ મેગાવોટ ક્ષમતાના ૨૫૬ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત. અંદાજે ૨.૯૭ લાખ ખેતીવાડી પંપનું સોલારાઇઝેશનPM-KUSUMયોજના ખેડૂતોને ઊર્જા,જળસુરક્ષા પૂરી પાડવા ઉપરાંત ડીઝલના વપરાશમાં ઘટાડો કરી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે : ઋષિકેશ પટેલ,ઊર્જા મંત્રી,ગુજરાતએક સમય હતો જ્યારે ડાંગના ઉમરપાડા ગામના ખેડૂત રામુભાઈ વાઘમારે માટે વરસાદ જ જીવનનો આધાર હતો. ચોમાસું સારું જાય તો પાક થાય,નહીંતર આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થતું. સિંચાઈ માટે રાત્રે ખેતરોમાં જવું પડતું,વીજળીની અનિશ્ચિતતા અને પાણીની અછત એ વરવી વાસ્તવિકતા હતી. આજે સ્થિતિ…
(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક રાટવીલર શ્વાને ૯ વર્ષના નિર્દોષ બાળક પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, બાળક મોબાઈલમાં ગેમ રમતો હતો, ત્યારે આ રાટવીલર શ્વાને અચાનક હિંસક રૂપ ધારણ કરી જીવલેણ હુમલો કરી દીધો હતો.જે બાદ બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે શ્વાનના માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ઘટનાની વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટી પરિસરમાં…
ગુજરાતના 9.60લાખ મુસાફરોએ કરી મુસાફરીવડાપ્રધાનશ્રીની અપીલના પરીણામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક15,000સુધીનો વધારો નોધાયોનિગમ દ્વારા દૈનિક33,000ટ્રીપો દ્વારા27 લાખથી પણ વધુ મુસાફરોનેસમયસર અને સલામત પરિવહન સેવા અપાય છેઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને ધ્યાને લઈ,મુસાફરોને વિવિધ ધાર્મિક તથા ફરવાલાયક સ્થળોએ જવા-આવવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે19,200જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન2026માં9.60લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે.એસ.ટી. નિગમ દ્વારા અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા અને ગોધરા જેવા જિલ્લાઓ,ધાર્મિક અને પ્રવાસન સ્થળો સોમનાથ,દ્વારકા,પાવાગઢ,શામળાજી,અંબાજી જેવા વિવિધ સ્થળોએ વધારાની ટ્રીપનું આયોજન…
કેન્દ્ર સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કિમમાં વડોદરા અગ્રક્રમે,ઉદ્યોગકારોને કાચામાલની આયાતમાં મળી કરમુક્તિએડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ ૨૦૨૫માં રૂ. ૪૨૮૩૦ કરોડના કાચા માલની આયાત સામે રૂ. ૫૬૦૮૪ કરોડના માલની નિકાસ થઇAhmedabad, કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં પશ્ચિમ ભારતમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિદેશ વેપાર નીતિ – ૨૦૨૩ અને આ પ્રાંતના સશક્ત ઔદ્યોગિક તાકાતના પરિણામે આયાતની સામે નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. આમાં એડવાન્સ ઓથોરાઇઝેશનની મહત્વની ભૂમિકા રહી છે.આ એડવાન્સ ઓથોરાઇઝેશન શું છે?એ પહેલા સમજીએ. વિદેશમાંથી કોઇ સામાન આયાત કરી તેને અહી…
ગૌરવ અને કૃતજ્ઞતા સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવી હાર્દિક શુભેચ્છાઓવડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને વકફ બોર્ડની સલામ : *“સૌનો સાથ,સૌનો વિકાસ”થી “વિકસિત ભારત@ 2047”સુધીની સફરને બિરદાવીAhmedabad, ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ,સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાને બિરદાવી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઠરાવમાં જણાવાયું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ,સુશાસન,આત્મનિર્ભરતા અને સર્વસમાવેશક કલ્યાણના ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. “સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્રને સાકાર કરતાં…
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા તત્વો સાવધાન –કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની કડક ચેતવણી: ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વિક્રેતા કે સંસ્થાઓ સામેPBMએક્ટ હેઠળ થશે એક્શન : લાયસન્સ રદ થવા સાથે જેલ અને દંડની પણ કડક જોગવાઈજગતના તાત સાથે ચેડાં કરનારા સંગ્રહખોરો અને ડુપ્લિકેટ માલ વેચનારાઓ સામે રાજ્ય સરકારની‘ઝીરો ટોલરન્સ‘નીતિમાત્ર ૩ જ મહિનામાં કૃષિ વિભાગે ૫૪ લાયસન્સ સસ્પેન્ડ કર્યા;૦૨ સામે પોલીસ ફરિયાદ દાખલગત વર્ષે ૨૪૬ લાયસન્સ રદ કરી ૨૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતીGandhinagar, રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર,બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય…
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ મેટ્રો ડેપો નજીક આવેલા ઝૂંપડાઓમાં મંગળવારે બપોરે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને બપોરે 15:02 કલાકે અંગાર કોલ પ્રાપ્ત થયો હતો. આગ અંગેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને 15:04 કલાકે કોલમાં જવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની-2 અને વોટર ટેન્ડર-2 સહિતના વાહનો તેમજ જમાલપુર ફાયર સ્ટેશનથી ગજરાજ-8 ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું હતું.આ આગની ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા…
અમદાવાદ (પ્રતિનિધિ) આગામી 21 જૂનના રોજ ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદમાં આજે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત સહયોગથી વસ્ત્રાપુર સ્થિત તન-મન ગ્રાઉન્ડ ખાતે સવારે 5:30 થી 7:30 વાગ્યા દરમિયાન યોજાયેલી આ શિબિરમાં અંદાજિત 2000 જેટલા સફાઈ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ અંગે જાગૃતિ વધે, લોકો નિયમિત યોગ અપનાવે અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલી આ યોગ શિબિર દ્વારા સફાઈ કર્મચારીઓને…
