‘પેન્સિલ’ પોર્ટલ અને પુનઃવસન: મુક્ત થયેલા બાળકોને શિક્ષણનો નવો આશરોજનજાગૃતિની નવી લહેર: ‘સેવ ધ ચાઇલ્ડ’ અભિયાનમાં અમદાવાદીઓની ભાગીદારીઆલેખન- સંજય શુક્લા, પ્રાદેશિક માહિતી કચેરીબાળપણ એ કુદરતની સૌથી સુંદર ભેટ છે, જ્યાં રમવા-કૂદવાની અને ભણવાની ઉંમરે જ્યારે માસૂમ હાથોમાં કામના ઓજારો આવી જાય છે ત્યારે માત્ર એક બાળકનું ભવિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ રોકાઈ જાય છે. દર વર્ષે 12 જૂનના રોજ મનાવવામાં આવતો ‘બાળ મજૂરી વિરોધ દિવસ’ આપણને આ સામાજિક દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવાની યાદ અપાવે છે. આ દિશામાં ગુજરાત સરકાર અને ખાસ કરીને અમદાવાદ શહેરે જે પ્રશંસનીય કામગીરી કરી છે, તેની સાફલ્યગાથા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.અમદાવાદ એક…
Author: gujarat
રિક્ષાચાલક પાસેથી કફ સિરપની ૮૫૨ બોટલ કબજે કરાઈફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા અને અમદાવાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજ સાંજ પડતાંની સાથેજ કફ સિરપનું ધૂમ વેચાણઅમદાવાદ, અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ તથા ગાંજા ઉપરાંત યુવાનો કફ સિરપનો પણ નશો કરતા થઈ ગયા છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક વખત વેજલપુર ફતેવાડીમાંથી કફ સિરપની ૮૫૨ બોટલ સાથે એક રિક્ષાચાલક યુવકને ઝડપી લીધો છે. તે ઘણા સમયથી આ વિસ્તારમાં જ કફ સિરપનો ગેરકાયદે વેપલો કરતો હતો. શ્રમજીવીઓ કામધંધો કરીને થાકીને આવ્યા બાદ કફ સિરપનો નશો કરી ગાઢ નિદ્રામાં પોઢી જતા હોય છે, જ્યારે ઘણા યુવાનો કફ સિરપનો નશો કરી ફરવાની ધૂનમાં હોય છે.અમદાવાદ એસઓજીના બી.સી.…
આણંદ જિલ્લામાં એસીબીનો સપાટોતારાપુર નગરપાલિકાનો એન્જિનીયર રૂ. ૮ હજારની રૂશ્વત લેતાં આબાદ પકડાયા, વચેટીયો ફરારઆણંદ, આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરતાં ત્રણ સરકારી કર્મચારીઓ જેમાં બે મહિલા પોલીસકર્મી અને તારાપુર ન.પા.નો ફિલ્ડ એન્જિનીયર અનુક્રમે રૂ. ૧.૧૦ લાખ અને ૮ હજારની લાંચ લેતાં અમદાવાદ અને આણંદ એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ જવા પામ્યા છે. આ બંને બનાવોને લઈ ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ભય અને ફફડાટ સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ બનાવમાં એક ફરીયાદીની પુત્રવધુ દ્વારા આણંદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ત્રાસ આપવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં ફરિયાદી તથા તેમના પરિવારજનોને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ…
બે આરોપીની ધરપકડવિદેશી નાગરિકોના મોબાઇલ નંબર સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે આરોપીઓ ચોક્કસ એપ્લિકેશન દ્વારા વિદેશી નાગરિકોને કોલ કરતા હતાઅમદાવાદ, અમેરિકન નાગરિકોને સસ્તા વ્યાજદરે લોન આપવાનું કહીને ઠગવામાં આવતા હતાનવગુજરાત સમય, રામોલમાં પાન પાર્લરની આડમાં વિદેશી નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી આચરતા કોલ સેન્ટરનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યાે છે. પાન પાર્લરની પાછળ ગુપ્ત રૂમ બનાવીને રાત્રિના સમયે વિદેશી નાગરિકોને ફોન કરવામાં આવતા હતા. સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપી પ્રોસેસિંગ ફી સહિતના ચાર્જ પેટે ૨૫થી ૨૦૦ ડોલર પડાવવામાં આવતા હતા. આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી નાગરિકો સાથે વાતચીત કરીને તેમને શિકાર બનાવતા હતા.આ અંગે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.રામોલમાં…
આણંદના મોગર નજીક એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને નમૂનાઓને તપાસ માટે એફએસએલમાં મોકલાયાઆણંદ, આણંદ જિલ્લામાં મોગર ગામ પાસે આવેલી અંબિકા ડેરીમાં આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરીને સ્થળ પરથી અંદાજે ૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ ‘ડેલીસિયસ સ્વીટ’ મીઠો માવો અને ૧૦૦ કીલો પનીરનો જથ્થો કબજે કરી તેના નમુના વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના કારણે ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ નજીકના મોગ૨ ગામે સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરી નામની ફર્મમાં સંદીપકુમાર અશોકભાઈ શર્મા નામનો સેક્સ ડેલીસીયસ સ્વીટ નામનો મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર…
સુશાસનના12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિકઅમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટ જેવા ઔદ્યોગિક મહાનગરો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડોગુજરાતમાં લૉજિસ્ટિક્સ વધુ કાર્યક્ષમ બન્યું, માર્કેટ અને ફેક્ટરીઓ વચ્ચે એક્સેસમાં સુધારો થવાથી ઉદ્યોગોને ફાયદો –રાજ્યના બંદરો સુધી મજબૂત કનેક્ટિવિટી,રોજગારીમાં વધારો અને માલસામાનની ઝડપી હેરફેર શક્ય બનીGandhinagar, આ વર્ષે શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 12વર્ષ પૂર્ણ થયા છે.26મે, 2014ના દિવસે તેમણે દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના દૂરંદેશી નેતૃત્વમાં,ગુજરાતે દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના માર્ગોને આધુનિક બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું,જેથી રાજ્યમાં પરિવહન વધુ સુગમ બને,ઔદ્યોગિક વિકાસ…
સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાશ્રીની કડક સૂચનાઅરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશેGandhinagar, રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી બનાવવાનો અને અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર,ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો છે.આ…
રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને જનસંપર્ક કાર્યાલય-પોલીસભવનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા ડીજીપી શ્રી જી. એસ. મલિકજિલ્લા કક્ષાએ જ પ્રશ્નો ઉકેલાય અને લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાશેરજૂઆત લઈને આવેલા નાગરિકો સાથે રાજ્યના પોલીસ વડાએ રૂબરૂ સંવાદ કર્યોઅમદાવાદ, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.મુલાકાત દરમિયાન શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે,ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે…
પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવાની અનોખી શરૂઆતSurat, “લોક સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર ધ્યેય સાથે પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેર ખાતે પ્રથમ જનકલ્યાણકારી સેવા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પાર્થસિંહ પરમારની સૂચના અને પ્રેરણા હેઠળ તથા ઉપપ્રમુખ શ્રી જીગર પટેલની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય યોજાયું હતું.કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ, નિરાધાર અને શ્રમિક વર્ગના ભાઈ-બહેનો માટે નિઃશુલ્ક અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.આ સેવા કાર્યમાં યુવા શક્તિએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને…
