(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો વલી ગામ આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા આયોજિત ભવ્ય ‘આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ’માં આજે ૧૮૨ દીકરા-દીકરીઓએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીત-રિવાજો સાથે યોજાયેલા આ લગ્નોત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું.છેલ્લા બે દિવસથી વલી મુકામે ચાલી રહેલા આ મહોત્સવનો આજે મુખ્ય દિવસ હતો. ગઈકાલે મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ, આજે સવારથી જ લગ્નનો માહોલ જામ્યો હતો.સવારે હળદર વિધિ બાદ ૧૮૨ વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ-નગારા અને વાજિંત્રોના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા.બપોરે ૧૨ઃ૦૦ કલાકે શાસ્ત્રોક્ત અને…
Author: gujarat
સારિકા માસીના નેતૃત્વ હેઠળ નડિયાદમાં મહિપાલસિંહ ફાઉન્ડેશનને રૂ.૧ લાખનું કરિયાણું અને ૧૪૦થી વધુ સાડીઓનું દાન(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના કિન્નર સમાજ દ્વારા માનવતાની અનોખી મિસાલ પૂરું પાડતા એક ભગીરથ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નર સમાજના આગેવાન સારિકા માસીના નેજા હેઠળ ગજરોજ નડીઆદ ખાતે આવેલ મહિપાલસિંહ ફાઉન્ડેશનને એક લાખ રૂપિયાનું કરિયાણું, ૫૧ હજાર રૂપિયાની રોકડ સહાય તથા ૧૪૦થી વધુ સાડીઓનું દાન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માત્ર સહાય પૂરતું સીમિત ન રહી, પરંતુ સમાજમાં માનવતા, સહકાર અને સેવા ભાવનાનું મજબૂત સંદેશ આપતું બન્યું છે.આ પ્રસંગે કિન્નર સમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ અને સેવા માટેની લાગણી જોવા મળી હતી. સારિકા માસીના માર્ગદર્શન…
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.જસ્ટિસ જે.સી.દોશીએ દેવશાલા સામે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે,…
અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ૪ શખસોએ ગેસ્ટ હાઉસના મેનેજરને બંધક બનાવી લૂંટ ચલાવી(એજન્સી)અમદાવાદ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે ચાર શખસોએ ત્રાટકીને મેનેજરને બંધક બનાવી, માર મારીને રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ ૯૨,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.મળતી માહિતી અનુસાર, થલતેજ ભાઈકાકાનગર બસ સ્ટેન્ડ સામે આવેલા ‘રાજવંશી ગેસ્ટ હાઉસ’માં ગત ૨૦મી એપ્રિલની વહેલી સવારે લૂંટારુઓ ત્રાટક્યા હતા. ગેસ્ટ હાઉસના મેનેજર ગીરીરાજ મીણા જ્યારે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે બે શખસો રૂમ ભાડે લેવાના બહાને આવ્યા…
૭૨ કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણીનગર, સાબરમતી, બહેરામપુરા, દાણીલીમડાંમાં સભાઓઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના નિરીઉત્સાહી વાતાવરણ વચ્ચે સભા-સરઘસ અને રેલી માટે વધુને વધુ આયોજન કરાઇ રહ્યું છે. હવે પ્રચારના માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં ૩૯૦ સભા-સરઘસ અને રેલીને મંજૂરી માટે અરજીઓ આવી છે.જેમાંથી ૨૭૨ને મંજૂરી આપી દેવાઇ છે, ૧૦૮ આગામી ૧૫ કલાકમાં મંજૂરી આપી દેવાશે.કલેકટર કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કુલ ૭૫૬માંથી ૨૦૬ પ્રચાર વાહનોને મંજૂરી અપાઇ છે. આગામી ૭૨ કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણીનગર, સાબરમતી, બહેરામપુરા અને દાણીલીમડાં વિસ્તારોમાં સભાઓ ગજવશે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના વિકાસની પ્રજા નોંધ લઇ રહી હોય તેમ આ વખતે ઉમેદવારોને ઠેર ઠેર વિરોધનો…
તમારે ભાજપવાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો.ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના કાર્યકર પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ થઈ(પ્રતિનિધિ) અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યના ચૂટણાઆમા આચાર માટ જઇ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે.સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા…
ગાંધીનગર, ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા કરવા, હથિયાર અને ફંડ એકઠું કરવા તથા દેશ વિરુદ્ધ જંગ છેડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.ડેપ્યુટી એસપી વીરજીત સિંહ પરમારની આગેવાનીમાં થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે, બંને યુવકો છેલ્લા ૭ મહિનાથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સક્રિય હતા. તેઓ ૧૨-૧૩ સભ્યોના એક અત્યંત નજીકના ગ્રુપનો ભાગ હતા, જે ભારતમાં ‘ગઝવા-એ-હિન્દ’ ની સ્થાપના પર ચર્ચા કરતું હતું. આ યુવકો ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ જેવા ઉગ્રવાદી અને…
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વર્ષોથી માત્ર ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટ ખુબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે.જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ ૬ ટકા વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે.અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના ૧૬ જુલાઈ ૨૦૧૯ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટના લઘુતમ પગારધોરણનો લાભ આપવામાં આવે.…
અમદાવાદ, ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.કાજલ મહેરિયાએ ગત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે.આ લગ્નની જાણ થતાં જ મહેરિયા પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મહેરિયા પરિવાર અને સમાજના અંદાજે ૭૦ જેટલા લોકો કાજલને પરત લેવા માટે તેની સાસરી શેરથા પહોંચ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી…
પાલનપુર, બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આંતરરાજ્ય સ્તરે કાર્યરત બાળ તસ્કરીની “મુરગન ગેન્ગ” તરીકે ઓળખાતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને તેલંગાણામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની સમગ્ર તપાસ દરમિયાન ૮થી વધુ નવજાત શિશુઓના ગેરકાયદે વેચાણનો ચોંકાવનારો ખુલાસો થયો છે.વડગામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ધનપુરા-જલોત્રા હાઈવે નજીકથી એક ચાર વર્ષીય બાળકનું અજાણ્યા વ્યકિતઓ દ્વારા કારમાં અપહરણ કરાયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની સૂચના અન્વયે પોલીસે ગણતરીના કલાકોમાં શૈલેષ ગમાર અને પાબુ ભગોરા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અપહરણ થયેલા બાળકને હેમખેમ છોડાવવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ સમગ્ર નેટવર્ક અનેક રાજ્યોમાં…
