સીટની તપાસના આધારે કલેકટરના હુકમથી ડભોડા પોલીસમાં ગુનો દાખલગાંધીનગર કલેક્ટર અને જમીન તકેદારી સમિતિ લેન્ડ ગ્રેબિંગની તપાસમાં ભૂમાફિયાઓના કૌભાંડનો ભાંડો ફૂટ્યો ગાંધીનગર, અમદાવાદના ભૂમાફિયા કૌશિક વઘાસિયાએ ગિફ્ટ સિટી નજીકના રતનપુર ગામની રૂ. ૧૯૦ કરોડની જમીન હડપ કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૌશિકે NRI વૃદ્ધ ખેડૂતની ૧૮ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી કૌભાંડ આચર્યું હોવાનું સીટની તપાસમાં સામે આવતા કલેકટરના હુકમથી ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર કલેક્ટર અને જમીન તકેદારી સમિતિ લેન્ડ ગ્રેબિંગની તપાસમાં ભૂમાફિયાઓના કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.આ પ્રકરણમાં ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામના ખેડૂત પ્રભુદાસ જેસંગભાઈ પટેલ(ઉં.૭૪)ની માલિકીની ૧૮ વીઘા જમીન પચાવી હોવાનું…
Author: gujarat
ઑક્ટોબર2022થી મે2026સુધીમાં13કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી,68.28કિમીના નેટવર્ક અને54 સ્ટેશનો સાથે અમદાવાદ મેટ્રો પરિયોજના બનીગુજરાતના આધુનિક જાહેર પરિવહનનું મજબૂત મૉડલઅમદાવાદ, કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ,રોજગારી,પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા12વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો નેટવર્કની પરિકલ્પના કરી હતી,જેનો ઉદ્દેશ ટ્રાફિકના દબાણમાં ઘટાડો,શહેરો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા દ્વારા શહેરી વિકાસને નવી ગતિ આપવાનો હતો.આ વિઝનના પરિણામે આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા ઝડપી,સુરક્ષિત અને…
ફેઝ 2A કોરિડોરમાં આવનારા સ્ટેશનો: આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટનવી દિલ્હી, ૧૦ જૂન, 2026, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૨(એ) (Phase 2(A)) ને મંજૂરી આપી દીધી છે. આ નવો કોરિડોર ૬.૦૩૨ કિમી લાંબો હશે અને તેમાં પાંચ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાંથી ચાર એલિવેટેડ (ઊંચા) અને એક અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) હશે.કેબિનેટની સત્તાવાર યાદી અનુસાર, ફેઝ ૨(એ) કોરિડોરમાં આવનારા સ્ટેશનોના નામ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. બાંધકામ દરમિયાન લાગનારા વ્યાજ સહિત આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹૨,૧૬૯.૦૪ કરોડ થશે.ફેઝ ૨(એ) શરૂ થવાની સાથે…
હવે પ્રતિ ખેડૂત ૩,૫૦૦ કિલો (૧૭૫ મણ) બાજરીની ખરીદી થશેમકાઈની હવે ૨,૫૦૦ કિલો (૧૨૫ મણ) અને જુવારની ૧૭૦૦ કિલો (૮૫ મણ) ખરીદી પ્રતિ ખેડૂત થશે ખેડૂતોની લાગણી અને માંગણીને હકારાત્મક પ્રતિસાદ આપતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના સફળ દિવસોની ઉજવણીના અવસરે,ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી,મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ…
આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી અડાલજના ત્રિમંદિર ખાતે પૂજા-અર્ચના કરી તથા પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અવિરત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ, દેશની જનતાએ કહ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’ગાંધીનગર, 10 જૂન, 2026: ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા છે.Gujarat State CM Bhupendra Patel had the good fortune to have darshan of the deities, including the present Tirthankar Shri Simandhar Swami Bhagwan, at Adalaj Trimandir. Narendra Modi has completed…
ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે યોજાયેલી તાલીમ શિબિરમાં ડાંગર ઉપરાંત બાગાયતી પાકો અને મિલેટ્સ અપનાવવા અનુરોધ4 તાલુકાના 25 ગામોના ખેડૂતો માટે ખરીફ પાક પૂર્વ તૈયારી તાલીમ સંપન્નબાવળાની ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના સંયુક્ત સહયોગથી એક વિશેષ કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતેની આ તાલીમમાં સાણંદ, બાવળા, વિરમગામ અને લીંમડી તાલુકાના કુલ 25 ગામોના ખેડૂતોએ ખરીફ પાકની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉત્સાહભેર ભાગ લીધો હતો.તાલીમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. નિતિનભાઈ રાઠોડે ખેડૂતોને જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવા…
1,470વ્યક્તિઓમાં852મહિલાઓ, 342પુરુષો, 42સગીર છોકરાઓ અને234સગીર છોકરીઓનો સમાવેશ;સુરત શહેર પોલીસે સૌથી વધુ341વ્યક્તિઓને શોધી કાઢ્યા“ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે,”રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકGandhinagar, નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં.7મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી,આ અભિયાન હેઠળ…
દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી2,400થી વધુ મૅડિકલ પ્રૉસિજરનો સમાવેશ,PM-JAYયોજના હેઠળ1,981હોસ્પિટલ આવરી લેવાઈકેન્દ્રના સહયોગથી ગુજરાતે આયુષ્માન વીમા કવચ વધારીને વાર્ષિક₹૧૦ લાખ કર્યું : શ્રી પ્રફુલ પાનશેરીયા,આરોગ્ય રાજ્યમંત્રી,ગુજરાતગાંધીનગર, ગુજરાતમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ 2.79કરોડ આયુષ્યમાન કાર્ડધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે,તેમ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં પીએમજેવાય યોજના હેઠળ રાજ્યમાં કુલ1,981હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં1,112સરકારી અને869ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે ક દર્દીઓને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી યોજના અંતર્ગત2,400થી વધુ નાની-મોટી મેડિકલ પ્રોસિજર-સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતે એક નવી અને મજબૂત ઓળખ ઊભી કરી– જ્યારે કોઈ વ્યક્તિ મનમાં કંઈક કરી છૂટવાનો દ્રઢ સંકલ્પ કરી લે છે ત્યારે તે સમાજમાં અદભુત બદલાવ લાવી શકે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અસ્મિતા સન્માન પુરસ્કાર ૨૦૨૬’ યોજાયો હતો. એબીપી અસ્મિતા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનારા ૯ ઉત્કૃષ્ટ મહાનુભાવોને સન્માનની ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘અસ્મિતા સન્માન પુરસ્કાર ૨૦૨૬’ મેળવનાર સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ એક વ્યક્તિ મનમાં કંઈક કરી છૂટવાનો…
