Author: gujarat

નેશનલ હાઈવે નં.૪૮ના ટોલ ટેક્સથી બચવા કામરેજના અંતરિયાળ વિસ્તારમાંથી નીકળતાં વાહનો પાસેથી ઉઘરાવાતો હતો ટોલ ટેક્સઃ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો સંચાલકોનો દાવોસુરત, ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી અધિકારીઓના કિસ્સાઓ અટકવાનુ નામ નથી લેતા. સુરત જિલ્લાના કામરેજમાં હવે નકલી ટોલનાકું ઝડપાયું છે. નેશનલ હાઈવે નંબર ૪૮ના ટોલ ટેકસથી બચવા માટે આંતરિક રસ્તાનો ઉપયોગ કરતા વાહનચાલકો પાસેથી અહીં ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામા આવતા હતા. નકલી ટોલ ટેકસની રસીદ પણ વાહન ચાલકોને અપાતી હતી !કામરેજના ચોર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવેને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા પંચાયતના રસ્તા પર આ ટોલનાકું ઉભું કરવામાં આવ્યું હતું. હકીકતમાં હાઈવે પરના મુખ્ય ટોલનાકાને બાયપાસ કરવા…

Read More

અમદાવાદ શહેરના મ્યુનિ. કોર્પાેરેટરોની ચૂંટણી હોય કે ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની ભાવિ ચૂંટણી હોય સત્તાના વરવા રાજકારણમાં લોકશાહી મૂલ્યો અને રાજકીય આદર્શાે પર થતાં કુઠારાઘાત કોણ અટકાવશે?!ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા કેટલાક ઉમેદવારોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા સાથે તસ્વીરો પડાવી ?! પણ કેટલાક સામે કથિત ફરિયાદનું નિરાકરણ શું ?! અને કયારે ? કઈ રીતે થશે ?!લોકશાહી વિચારધારા એ એક જીવનની રીતી છે ! માનવીય મૂલ્યો અને સિધ્ધાંતોને ઉજાગર કરતી એ આદર્શ રાજનિતિ પણ છે. પરંતુ ભારતમાં એ સમય હતો જયારે દેશમાં ગાંધી મૂલ્યોનું અને સરદાર પટેલના આદર્શાેનું રાજ હતું ત્યારે સત્તાના રાજકારણમાં નૈતિકતા હતી ! ગુજરાત બાર કાઉન્સિલમાં…

Read More

અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ટિકિટોની સોદાબાજીને લઈ ભડકાની સ્થિતિ છે. ભેંસ ભાગોળે છાશ છાગોળેને ઘરમાં ધમાધમ જેવી સ્થિતિ છે તેમ છતાં શનિવારે અમદાવાદ શહેર માટે આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.અમદાવાદ શહેરના અડધો અડધ કરતા વધારે વોર્ડમાં કામ કરતા વધારે વોર્ડમાં આમ આદમી પાર્ટી ચાર ઉમેદવારોની આખી પેનલ ઊભી રાખી શકી નથી અને હવે મંગૂરી લાલ કે હસીન સપનેની જેમ અલગ અલગ જાતના વાયદાઓ કર્યા છે.અમદાવાદ શહેર માટે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો તેમાં આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું. આ જાહેરાત વખતે આપના કાર્યકરોએ એવી…

Read More

અમદાવાદ, અક્ષય તૃતિયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ.પ્રીતિબેન અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન અજિતનાથ ભગવાન શ્વેતાંતર જૈન દેરાસરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી.On the sacred occasion of Akshaya Tritiya, Gautam Adani was fortunate to offer prayers at the Shri Ajitnath Bhagwan Shwetambar Jain Temple. The eternal values of Jainism, such as non-violence, compassion, self-discipline, and simplicity, inspire us to lead purposeful, humble, and responsible lives.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર સવારે ૭ઃ૪પ વાગ્યે પહોંચેલા અદાણી દંપતીનું જૈન સમાજના સભ્યોએ સ્વાગત કર્યા બાદ તેઓ તારંગાની ટેકરી પર ગયા હતા. જૈન સંપ્રદાયની પરંપરાઓમાં આ…

Read More

મહિલા આરક્ષણ બિલ પસાર કરવામાં કોંગ્રેસે રોડાં નાંખ્યાત્રણ તલ્લાકના બિલનો પણ કોંગ્રેસે ખૂબ વિરોધ કર્યો હતો. નારી સમાજનું અપમાન કરીને કોંગ્રેસે મોટી ભૂલ કરી છે અને તેના પરિણામો કોંગ્રેસે ભોગવવા પડશે.(પ્રતિનિધિ) અમદાવાદ, સંસદમાં મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કરીને બિલને પસાર નહીં થવા દઈને મહિલાઓની આશા- અપેક્ષા પર પાણી ફેરવી દીધું હોવાનો ભાજપે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આક્ષેપ કર્યો છે.છેલ્લાં બે- ત્રણ દિવસથી મહિલા આરક્ષણ બિલ મામલે જાગેલા વિવાદના સંદર્ભમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ ચૂંટણી સંચાલનના ઈન્ચાર્જ ગોરધન ઝડફીયા અને રાજ્યના મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૩માં ડી-લિમિટેશન સાથેનું બિલ લાવ્યા હતા અને…

Read More

સરસપુર-રખિયાલમાં જિગ્નેશ મેવાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ-કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા, હાય હાયના નારા લગાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી કરવા મામલે જુદા જુદા વોર્ડમાં સ્થાનિક કાર્યકરોનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે.કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્‌યો હતો અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યા હતા. હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા…

Read More

દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ-ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશગાંધીનગર, સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ફંડ મોકલવનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનાર પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે.પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં ૧.૨૫ કરોડ રૂપિયા આંગડિયા મારફતે મોકલાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.ક્રાઈમ બ્રાંચને…

Read More

અમદાવાદ, સોશિયલ મીડિયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વીડિયો બનાવવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જોખમમાં મુકી દે છે.ત્યારે પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક કંપનીની જાહેરાત કરવા માટે સીજી રોડ નવરંગપુરામાં એક કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હોય તવો સીન બનાવીને સાંજના સમયે રીતસરનો ટ્રાફિક જામ કરી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બી ડીવીઝન ટફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સીજી રોડ પર આવેલી એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે એક વીડિયો શુટ કરે છે. જેમાં…

Read More

દંતાણી સમાજના પ્રથમ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલનું ૨૩૭મું અંગદાન –વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: અત્યાર સુધી ૭૮૪ અંગો તથા ૨૩૭ પેશીઓનું દાન મળ્યુંઅંગદાન જાગૃતિ અંગેના સરકારના પ્રયાસો તેમજ સમાજસેવી સંસ્થાઓના સહયોગથી દરેક સમાજ અંગદાનનું મહત્વ સમજતો થયો છે – તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ, અમદાવાદઅમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવતાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખતું સ્થળ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલના આંગણે જે રીતે એક પછી એક ત્રણ અંગદાન અને એક ત્વચાદાનની ઘટનાઓ બની છે, તેણે સમગ્ર સમાજ માટે સેવાનો નવો રાહ ચીંધ્યો છે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં થયેલા ‘અંગદાનના મહાયજ્ઞ’ થકી…

Read More

(એજન્સી)સુરત, ઉનાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે, રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો.ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્‌યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર,…

Read More