સાયબર ફ્રોડની નવી હાઇટપોલીસે ૩૯૮ કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યોમહેસાણા,પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ૩૯૮ કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પાટણ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભારત સરકારના SAMANVAYAઅને NCCRPપોર્ટલ પરની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ‘ધી હારીજ નાગરિક સહકારી બેન્ક લિ., હારિજ’ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓમાં અસામાન્ય અને શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. જેમાં ૧૩ મ્યુલ એકાઉન્ટ્સમાં રૂ.૩૯૮.૪૩ કરોડના ગેરકાયદે વ્યવહારો થયા હતા. આ ખાતાઓમાં દેશભરમાંથી નોંધાયેલી ૨૨૮ સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી હતી.કેટલાક ઈસમો દ્વારા…
Author: gujarat
દીપક મોદી બિનહરીફ ચૂંટાયા હતાગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની હતીવિસનગરના વોર્ડ નં.૧ ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપીમહેસાણા,વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા.ભાજપ દ્વારા તેમને પાલિકામાં…
પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યોઘરોબો કેળવીને પિતા-પુત્રએ ભેગા મળી વૃદ્ધના ફોન તથા એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતાઆણંદ,સાક્ષર નગરી વિદ્યાનગરમાં નિવૃત્ત ડેપ્યુટી જનરલ મેનેજર સાથે મિત્રતા કેળવીને બે શખ્સોએ રૂપિયા ૫૦.૭૫ લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે બે વિરુદ્ધ ઞુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ શહેર નજીક આવેલ વલ્લભ વિદ્યાનગર ખાતે ૪, શિવ બંગલોઝ સોસાયટી દરબાર ટેકરો, નગર પંચાયત હોસ્પિટલ પાસે નાના બજારમાં રહેતાં કુલથુ શંકર અય્યર (ઉંમર વર્ષ ૭૧) નિવૃત્ત જીવન જીવે છે. તેઓ અગાઉ આઈ.ડી.એમ.સી. લિમિડેટ , વલ્લભ વિદ્યાનગરમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે સને ૨૦૨૧માંથી નિવૃત થયાં છે. તેમનું એકસીસ બેંક વિદ્યાનગર શાખામાં બચત ખાતું…
હજારો લોકો ડિમોલિશનના પગલે ઘરવિહોણા બની જવાની દહેશત૧૯૭૩ ની કલમ ૪૪ મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી ૨૪ કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્યઅમદાવાદ,સુરતમાં ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીનો મામલો હવે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશનનો વિવાદ હાલ ખૂબ ચર્ચાસ્પદ છે અને ત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી પર તાકીદે મનાઇ હુકમ આપવાની દાદ માંગવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે. સુરતના નાસિરનગરથી અરજદાર શેખ હુસૈન અઝીઝએ એડવોકેટ ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનરને…
અમદાવાદ, નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા.11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા.11જૂન2026ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર…
રશિયામાં ૨૦ ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડઆખરે મામલો પોલીસ મથકે પહોંચતા પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ રિમ્પલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતોઆણંદ, આણંદ જિલ્લાના પેટલાદમાં વિદેશમાં ઊંચા પગારની નોકરી અપાવવાના બહાને આચરવામાં આવેલા એક મસમોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.પેટલાદના સુંદરા ગામના કુખ્યાત એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને ટેલરિંગની નોકરી અને માસિક ૧.૩૦ લાખના આકર્ષક પગારની લાલચ આપવામાં આવી હતી. આ જાળમાં ફસાવીને એજન્ટ દ્વારા મહિલાઓ સહિત ૨૦ જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને રશિયા મોકલી દેવાયા હતા, જ્યાં તેઓ ગંભીર મુશ્કેલીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.ભોગ બનનારાઓના પરિવારોનો આક્ષેપ છે કે રશિયા…
આગામીVGRC –મધ્ય ગુજરાત પૂર્વે પ્રવાસન આધારિત વિકાસ મોડલ તરીકે ઉભર્યું કાંકરિયા લેકફ્રન્ટગુજરાત આગામી29-30જૂન, 2026ના રોજ વડોદરાનીGSFCયુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત માટે ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે. પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ કોન્ફરન્સ દરમિયાન ફોકસ સેક્ટર તરીકે પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં,અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ એ બાબતનું નોંધપાત્ર ઉદાહરણ બન્યું છે કે,કેવી રીતે સુવિકસિત પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર,સાંસ્કૃતિક આકર્ષણો અને મનોરંજન સુવિધાઓ શહેરી વિકાસમાં યોગદાન આપી શકે છે,આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને વાઇબ્રન્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે શહેરની સ્થિતિને મજબૂત બનાવી શકે છે.અમદાવાદના મણિનગર વિસ્તારમાં (દક્ષિણ ભાગ) આવેલું કાંકરિયા લેકફ્રન્ટ…
ટ્રીટેડ વોટરના પુનઃઉપયોગ દ્વારા દર વર્ષે 1 થી 1.25 લાખ કરોડ લિટર પીવાલાયક પાણીની બચતઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિભાગ દ્વારા જળ સંરક્ષણ, ગંદા પાણીના શુદ્ધિકરણ અને તેના પુનઃઉપયોગના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરનાર વોટર રિયુઝ મોડલને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં ઉત્પન્ન થતા ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો મહત્તમ પુનઃ ઉપયોગ થઈ શકે તે માટે સતત આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.અમદાવાદ શહેરમાં 18 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) કાર્યરત છે, જેની કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા 1367 MLD છે. શહેરમાંથી દરરોજ આશરે 1320 થી 1350 MLD ગંદુ પાણી એકત્રિત થાય છે,…
ભાવનાબેન નવસારીમાં કલેક્ટર ઓફિસમાં એક કેન્ટીન ચલાવે છે અને સખી મંડળના અન્ય સભ્યો સાથે કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે. નવસારી, જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા નોગામા ગામના ભાવનાબેન પટેલ આજે ગુજરાતના સફળ લખપતિ દીદી બન્યા છે, જેઓ આજીવિકા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ થકી વાર્ષિક લગભગ ₹10.16 લાખની કમાણી કરે છે. તેઓ વર્ષ 2014થી ગાયત્રી સખીમંડળ સાથે સંકળાયેલા છે,જેના કારણે તેઓને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ હેઠળ યોજાતી મીટિંગો,વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને આજીવિકાની તકો વિશે જાણકારી મળી. મિશન મંગલમ પહેલથી પ્રેરિત થઈને અને તેઓના સ્વસહાય જૂથ એટલે કે ગાયત્રી સખીમંડળની સહાયથી તેમણે કેન્ટીન અને કેટરિંગ સેવાઓ આપવાનું કામ શરૂ…
