(એજન્સી)સુરત, ઉનાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે, રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો.ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર,…
Author: gujarat
અમદાવાદ, ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસ મામલે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ ધંધુકામાં ફાટી નીકળેલી હિંસા બાદ આ કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે ઘટનાને ગંભીરતાથી લઈને હાલ આ કેસની તપાસ માટે સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે.આ સીટમાં ડીવાયએસપી, પીઆઈ અને એક પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે, જેઓ આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે અને સીટની તપાસ બાદ આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.વિગતવાર વાત કરીએ તો, ૧૮મી એપ્રિલને શનિવારે બપોરના સમયે બાઈક લઈને જઈ નસીબ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સમીર નામના યુવકના સાથે…
(એજન્સી) વિરુધુનગર, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.અગાઉ ૯ લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા વધીને ૧૯ થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા ૬ લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ (ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.…
ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશેઃ મોદી(એજન્સી) કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીમાં ક્્યારે આગાહી કરતા નથી, ક્્યારે બોલતા પણ નથી. તેઓ વર્ષોથી ચૂંટણી લડી રહ્યા અને આગાહીની વાતો ટાળતા રહ્યા છું. તેમણે એમ પણ કહ્યું કે, બંગાળમાં નાની વ્યક્તિથી લઈને ઘરમાં કામ કરનાર વ્યક્તિઓ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે,…
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ પરિવહન ક્ષેત્રમાં નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જમ્મુ-કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે.આ વિશેષ કન્સાઇન્મેન્ટ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) માટે લિંચ (LCH) સ્ટેશન પરથી લોડ કરવામાં આવી છે. આ રેકમાં કુલ 20 બીસીએન વેગનોનો સમાવેશ થાય છે, જેને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. 10 વેગન બારી બ્રાહ્મણ (BBMN) અને બાકીના 10 વેગન ઉત્તર રેલવેના જમ્મુ-તવી મંડળના અનંતનાગ (ANT) સ્ટેશન માટે મોકલવામાં આવ્યા છે.આ પરિવહન દ્વારા રેલવેને ₹24.62 લાખનું માલભાડું આવક રૂપે પ્રાપ્ત થયું છે. આ પહેલ માત્ર ડેરી ઉત્પાદનોની સતત પુરવઠા શ્રેણી સુનિશ્ચિત કરવા માટે…
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધના નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક પદાર્થનું વેચાણ અટકાવવા Say No to Drugs મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુકત સાબરકાંઠાના સુત્રને સાથક કરવા તથા આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને આ બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોયજે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી સ્મીત ગોહીલ ઇડર વિભાગ ઇડરનાઓના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.પઢેરીયા, પીએસઆઇ કે એલ જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા.જે આધારે તા.૧૬/૦૪/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ…
સાતેજ પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદગાંધીનગર, ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત પત્રકાર હોવાની ઓળખ આપી એક મહિલા પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલવાની ઘટના સામે આવી છે. દારૂના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ કથિત પત્રકારો અને તેમના સ્ટાફે કુલ રૂ.૧,૦પ,૦૦૦ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા.ફરિયાદી લક્ષ્મીબેન રવિભાઈ ચુનારા, જેઓ રકનપુર ગામના ઓરાઈ તળાવ કિનારે રહે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અગાઉ દેશી દારૂ વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. ગત ૧૦ ડિસેમ્બર ર૦રપ ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના ત્રણ વ્યક્તિઓ પત્રકાર તરીકે તેમની પાસે આવ્યા હતા. આ શખ્સોએ મહિલાનો દારૂની કોથળીઓ…
લોહીલુહાણ હાલતમાં માતા સિવીલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદ(એજન્સી)અમદાવાદ, શહેરમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ચોકાવનારી ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી. જેમાં વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં માત્ર ટીવી ચાલુ રાખવા જેવી સામાન્ય તકરારમાં એક પુત્રએ આવેશમાં આવી પોતાની સગી માતા પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો છે.આ હુમલામાં પ૬ વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ફરીયાદ નોધી તપાસ આદરી છે.વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં રહેતા સુનીતાદેવી ભદોરીયા ઉ.વ.પ૬ તેમના પુત્ર અર્જુનસિંહ સાથે રહે છે. ગત ૧૪ એપ્રીલની મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યા સુધી પુત્ર અર્જુન ટીવી જોતો હોવાથી માતાએ તેની…
(એજન્સી)વાવ, બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના ડોડગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે બહેનો અને તેમની ફોઈનો દીકરો તળાવમાં પાણી લેવા ગયા હતા,ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ડોડગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને વાલ્મિકી સમાજમાં આ ઘટનાને લઈને ગાઢ દુઃખ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી અનુસાર, મૂળ ગામડીના વતની અને હાલ ડોડગામમાં ભાગિયા તરીકે ખેતીકામ કરતા શિવા વાલ્મિકીની બે પુત્રીઓ હેતલ (ઉ.વ. ૧૮) અને ગુડી…
ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો-‘બિનહરીફ’ માસ્ટરસ્ટ્રોક: ૭૩૧ બેઠકો પર લડાઈ વિના ભાજપની જીત(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો છે. કારણ કે, પહેલીવાર રેકોર્ડબ્રેક ૭૩૧ બેઠકો ગુજરાતમાં બિનહરીફ થઈ ગઈ છે. હવે માત્ર ૨૫ હજાર ઉમેદવારો વચ્ચે જંગ છે. ૧૯૦૦ થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રેકોર્ડબ્રેક ૭૩૧ બેઠકો ભાજપની ઝોળીમાં આવી ગઈ છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે માત્ર ૨૫ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ૭૩૧ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. આવું પહેલીવાર થયુ છે કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થઈ હોય. કારણ કે, ચૂંટણી પંચના આંકડા મુજબ,…
