Author: gujarat

ભાવનાબેન નવસારીમાં કલેક્ટર ઓફિસમાં એક કેન્ટીન ચલાવે છે અને સખી મંડળના અન્ય સભ્યો સાથે કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે. નવસારી, જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા નોગામા ગામના ભાવનાબેન પટેલ આજે ગુજરાતના સફળ લખપતિ દીદી બન્યા છે, જેઓ આજીવિકા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ થકી વાર્ષિક લગભગ ₹10.16 લાખની કમાણી કરે છે. તેઓ વર્ષ 2014થી ગાયત્રી સખીમંડળ સાથે સંકળાયેલા છે,જેના કારણે તેઓને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ હેઠળ યોજાતી મીટિંગો,વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને આજીવિકાની તકો વિશે જાણકારી મળી. મિશન મંગલમ પહેલથી પ્રેરિત થઈને અને તેઓના સ્વસહાય જૂથ એટલે કે ગાયત્રી સખીમંડળની સહાયથી તેમણે કેન્ટીન અને કેટરિંગ સેવાઓ આપવાનું કામ શરૂ…

Read More

ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમઅપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ629કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના4.1કિ.મી.,વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ ઓફ દેશલપર સીરચા રોડ5.1કિ.મી.,મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના5.5કિ.મી.,નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી,મોટા કાંડગરા ગામના4.5કિ.મી.,અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચે.19થી39ના20કિ.મી.નો સમાવેશ થાય છે.આ ફોરલેન…

Read More

અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતાવડોદરા, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરાના કરજણ અને પાદરા વચ્ચે સોમવારે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી એક આર્ટિગા કારને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈશર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર કમનસીબ પરિવાર સેલવાસનો રહેવાસી હતો અને કાર દ્વારા રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ખાટું શ્યામજીના દર્શન કરવા જઈ…

Read More

૧૨ વર્ષ : જનવિશ્વાસના,વિકાસના,જનકલ્યાણના –પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની સહાય સીધી ધરતીપુત્રોના ખાતામાં જમાદેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૨૭ લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવાઈવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું: શ્રી જીતુભાઈ વાઘાણી,કૃષિ મંત્રી,ગુજરાતસમયસર સહાય મળતા મજૂરી,ડીઝલ,મેન્ટેનન્સ જેવા નાના ખર્ચને પહોંચી વળવામાં સરળતા થઈ: ખેડૂત શ્રી રમેશભાઈ પટેલગુજરાતમાં કૃષિ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં એક નવો ઈતિહાસ રચાયો છે.‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના‘ (પીએમ કિસાન યોજના) હેઠળ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં,એટલે કે કુલ ૨૨ હપ્તામાં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની જંગી…

Read More

અમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરવામાં આવી રહેલા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મકરબા ખાતે નિર્માણાધીન ફોર લેન રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.કમિશનરશ્રીએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર ચાલી રહેલી કામગીરી ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને તાકિદ કરી હતી કે, મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજની કામગીરી તા. 31 જુલાઈ, 2026 સુધીમાં પૂર્ણ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે. સાથે જ તેમણે નિર્માણ કાર્ય દરમિયાન આસપાસના વિસ્તારોમાં…

Read More

અમદાવાદ (પ્રતિનિધિ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાળા પથ્થરની ખાણ ચલાવતા વ્યવસાયી પાસેથી લાંચ માંગવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.ફરિયાદી અને તેના ભાગીદારની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ નહીં કરવામાં આવે તે માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં રૂ.30 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ રકઝકના અંતે રૂ.20 લાખમાં સોદો નક્કી થયો હતો.ફરિયાદ મુજબ હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને જીવાભાઈ અરજણભાઈ પરમારે ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી. રૂ.20 લાખના નક્કી થયેલા સોદામાંથી પ્રથમ હપ્તા તરીકે…

Read More

સીટીએમ બ્રિજ નીચે BRTS કોરિડોરમાં પીકઅપ વાનની ટક્કરથી યુવકનું મોતબંને મિત્રો મટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે વાહનની ટક્કરથી આશીફનું મોત નિપજતા ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરીઅમદાવાદ, શહેરમાં બનેલી બે અકસ્માતોની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કલોલમાં રહેતા વૃદ્ધ પતિ-પત્ની શહેરના શાહીબાગ ખાતે મરણ પ્રસંગમાં આવ્યા હતા. સંબંધીની અંતિમવિધિ પતાવીને બંને પતિ-પત્ની હીરાવાડી ગયા હતા. જ્યાંથી કલોલ જવા નીકળ્યા ત્યારે એસપી રિંગ રોડ પર એપોલો સર્કલ પાસે ટ્રેલરના ચાલકે ટક્કર મારતા બંને પતિ-પત્ની એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા. વૃદ્ધા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં સીટીએમ બ્રિજ નીચે બીઆરટીએસ કોરિડોરમાં એક વ્યક્તિનું મોત…

Read More

હુમલામાં યુવતી સહિત પરિવારના ૫ાંચ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છેમુંબઈ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામે સગાઈ રાખવાની ના પાડતા યુવતી અને તેના પરિવાર પર છરી તથા લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવતી સહિત પરિવારના ૫ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, સાયલા વિસ્તારની યુવતીની સગાઈ લીંબડી ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી.જોકે, આ યુવક કુટેવો ધરાવતો હોવાનું સામે આવતા યુવતી અને તેના પરિવારે આ સંબંધ આગળ ન વધારવાનો નિર્ણય કર્યાે હતો અને સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટી જવાની બાબતનું…

Read More