ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમઅપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ629કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના4.1કિ.મી.,વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ ઓફ દેશલપર સીરચા રોડ5.1કિ.મી.,મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના5.5કિ.મી.,નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી,મોટા કાંડગરા ગામના4.5કિ.મી.,અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચે.19થી39ના20કિ.મી.નો સમાવેશ થાય છે.આ ફોરલેન…
Author: gujarat
અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતાવડોદરા, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરાના કરજણ અને પાદરા વચ્ચે સોમવારે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી એક આર્ટિગા કારને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈશર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર કમનસીબ પરિવાર સેલવાસનો રહેવાસી હતો અને કાર દ્વારા રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ખાટું શ્યામજીના દર્શન કરવા જઈ…
૧૨ વર્ષ : જનવિશ્વાસના,વિકાસના,જનકલ્યાણના –પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની સહાય સીધી ધરતીપુત્રોના ખાતામાં જમાદેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૨૭ લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવાઈવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું: શ્રી જીતુભાઈ વાઘાણી,કૃષિ મંત્રી,ગુજરાતસમયસર સહાય મળતા મજૂરી,ડીઝલ,મેન્ટેનન્સ જેવા નાના ખર્ચને પહોંચી વળવામાં સરળતા થઈ: ખેડૂત શ્રી રમેશભાઈ પટેલગુજરાતમાં કૃષિ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં એક નવો ઈતિહાસ રચાયો છે.‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના‘ (પીએમ કિસાન યોજના) હેઠળ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં,એટલે કે કુલ ૨૨ હપ્તામાં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની જંગી…
અમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરવામાં આવી રહેલા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મકરબા ખાતે નિર્માણાધીન ફોર લેન રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.કમિશનરશ્રીએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર ચાલી રહેલી કામગીરી ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને તાકિદ કરી હતી કે, મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજની કામગીરી તા. 31 જુલાઈ, 2026 સુધીમાં પૂર્ણ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે. સાથે જ તેમણે નિર્માણ કાર્ય દરમિયાન આસપાસના વિસ્તારોમાં…
અમદાવાદ (પ્રતિનિધિ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાળા પથ્થરની ખાણ ચલાવતા વ્યવસાયી પાસેથી લાંચ માંગવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.ફરિયાદી અને તેના ભાગીદારની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ નહીં કરવામાં આવે તે માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં રૂ.30 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ રકઝકના અંતે રૂ.20 લાખમાં સોદો નક્કી થયો હતો.ફરિયાદ મુજબ હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને જીવાભાઈ અરજણભાઈ પરમારે ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી. રૂ.20 લાખના નક્કી થયેલા સોદામાંથી પ્રથમ હપ્તા તરીકે…
સીટીએમ બ્રિજ નીચે BRTS કોરિડોરમાં પીકઅપ વાનની ટક્કરથી યુવકનું મોતબંને મિત્રો મટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે વાહનની ટક્કરથી આશીફનું મોત નિપજતા ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરીઅમદાવાદ, શહેરમાં બનેલી બે અકસ્માતોની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કલોલમાં રહેતા વૃદ્ધ પતિ-પત્ની શહેરના શાહીબાગ ખાતે મરણ પ્રસંગમાં આવ્યા હતા. સંબંધીની અંતિમવિધિ પતાવીને બંને પતિ-પત્ની હીરાવાડી ગયા હતા. જ્યાંથી કલોલ જવા નીકળ્યા ત્યારે એસપી રિંગ રોડ પર એપોલો સર્કલ પાસે ટ્રેલરના ચાલકે ટક્કર મારતા બંને પતિ-પત્ની એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા. વૃદ્ધા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં સીટીએમ બ્રિજ નીચે બીઆરટીએસ કોરિડોરમાં એક વ્યક્તિનું મોત…
હુમલામાં યુવતી સહિત પરિવારના ૫ાંચ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છેમુંબઈ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામે સગાઈ રાખવાની ના પાડતા યુવતી અને તેના પરિવાર પર છરી તથા લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવતી સહિત પરિવારના ૫ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, સાયલા વિસ્તારની યુવતીની સગાઈ લીંબડી ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી.જોકે, આ યુવક કુટેવો ધરાવતો હોવાનું સામે આવતા યુવતી અને તેના પરિવારે આ સંબંધ આગળ ન વધારવાનો નિર્ણય કર્યાે હતો અને સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટી જવાની બાબતનું…
યુવકે તપાસ કરતા ખોટી વેબસાઇટ મારફતે તેની સાથે ૧૯,૮૦૦ રૂપિયા નું સાયબર ફ્રોડ થયુ હતુંદ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટથી છેતરાયોઅમદાવાદ,ગુજરાત સહિતના રાજ્યોમાં આવેલા તીર્થધામોની આસપાસ હોટલ, વાડીઓની ફેક વેબસાઇટથી અનેક લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બનવા પામ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે આ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પણ હજુ લોકો ફેક વેબસાઇટથી સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા એક યુવકે દ્વારકા ખાતે કડવા પટેલ સમાજ ભવનમાં રૂમ બુક કરાવવા ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટના માધ્યમથી ગઠિયાઓએ સાયબર ફ્રોડ આચર્યુ હતું. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હેબતપુર વિસ્તારમાં રહેતા…
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીબેંગ્લોર સાયબર ક્રાઇમે બેંક ખાતામાં રહેલી ૫૦ લાખની રકમ લીયન કરતા ભાંડો ફુટ્યોઃ ચોંકાવનારો કિસ્સાનો પર્દાફાશઅમદાવાદ,સાયબર ક્રાઇમની એક વિચિત્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સીજી રોડ પરની ઝવેરી એન્ડ કંપનીમાંથી એક ગઠિયાએ ફોન કરી ૫૦ લાખનું સોનું ખરીદીને પેમેન્ટ આરટીજીએસ કર્યું હતું. થોડા દિવસ બાદ કંપનીના ખાતામાં આવેલી રકમ બેંગ્લોર સાયબર ક્રાઇમે લીયન કરી હતી. વેપારીએ તપાસ કરાવતા આ રકમના તાર સાયબર ફ્રોડ સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યુ હતું. તપાસ દરમિયાન બેંગ્લોરમાં ૮૦ લાખની સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી.આ ગુનો આચરનારે ૫૦ લાખનું સોનું ખરીદ્યું હતું અને કોર્ટના હુકમથી તે ૫૦ લાખની રકમ લીયન કરીને ભોગ બનનારને…
