નિયમ ભંગ કરનારને ૨ વર્ષની જેલ અને ૧ લાખનો દંડ થશે(પ્રતિનિધિ) ભરૂચ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ અંતર્ગત “ બાળ લગ્ન એ કાનૂની અપરાધ છે.આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, હિન્દુ પંચાગ મુજબ તા.૧૯/૦૪/૨૦૨૧ ના દિવસે ‘અક્ષયતૃતીયા’ (અખાત્રીજ) ના શુભ દિવસે તથા અન્ય દિવસમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજતા હોય છે.જેમાં ખાસ બાળલગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવાનું કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા…
Author: gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.મુમતાઝ પટેલે લખ્યું છે કે તેમને પ્રચાર માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે,પરંતુ પાર્ટીમાં એકજુટતા…
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ હાર, ૩૯ ઉમેદવાર પાણીમાં બેસી ગયાઅમદાવાદ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના ૩૯ જેટલા ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. પ્રમુખ પોતે પણ તેમના ઉમેદવારોને સાચવી શકયા ન હોવાનું સામે આવ્યું છે.આમ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની રણનીતિનો તેમના ગઢમાં જ ફિયાસ્કો થયો છે. આણંદમાં ભાજપે ચૂંટણી પહેલાં જ જીતનું ખાતું ખોલાવ્યું છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પાણીમાં બેસી જતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ભાજપે તેમના ગઢમાં જ ધૂળ ચટાવી…
કડીમાં ૩૬માંથી ર૮ અને ઊંઝામાં ૩૬માંથી રર બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતામહેસાણા, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં મહેસાણા જિલ્લાની કડી અને ઉંઝા નગરપાલિકામાં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસ સહિતના તમામ પક્ષો નિષ્ફળ નિવડ્યા હતા અને આ બંને પાલિકા પર ભાજપે ચૂંટણી પહેલાં જ ભગવો લહેરાવી દીધો છે.ભાજપને કડીમાં ૩૬માંથી ર૮ અને ઉંઝામાં ૩૬માંથી રર બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મળી હતી. આમ મહેસાણા જિલ્લામાં જિ.પં.ની ૩, તા.પં.ની ૧પ, નગરપાલિકાની ૬૦ અને મહેસાણા મહાનગરપાલિકાની પ મળી કુલ ૮૩ બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મળી છે.સાબરકાંઠા જિલ્લા અને વાવ-થરાદ જિલ્લામાં જોકે ભાજપને બિનહરીફ બેઠકો કરવામાં ભારે મહેનત…
છત્રાલની ઘટનામાં કલોલની સેશન્સ કોર્ટે ૧ લાખનો દંડ ફટકાર્યો અને પીડિતાને ર લાખનું વળતર આપવા હુકમ કર્યોગાંધીનગર, એસિડ એટેકના કેસમાં સજા કરવામાં આવી હોવાનો ગાંધીનગર જિલ્લામાં ચુકાદો કલોલની સેશન્સ કોર્ટે આપ્યો છે. કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે ૧પ વર્ષની સખત કેદની સજા ફટકારી અને ૧ લાખનો દંડ ફટકાર્યો છે, જયારે પીડિતાને ર લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. કેસની વિગતો મુજબ ૧૮ જુલાઈ…
(પ્રતિનિધિ) મોડાસા, સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓના પડઘમ વાગતા જે હવે ચૂંટણી પ્રચાર તેજ ગતિએ છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ‘આપ’ના ગુજરાત પ્રદેશના નોર્થ ઝોનના જોઇન્ટ સેક્રેટરી અને દંતોડના વતની ચંદુભાઈ પટેલે પોતાના ૨૦૦થી વધુ સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવનાર ચંદુભાઈ પટેલે પક્ષને ‘રામ-રામ’ કરી દીધા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ નેતાગીરી સામેની નારાજગી અને સંગઠનમાં યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે તેઓએ ભાજપમાં જોડાવવાનો…
ડીસા, ડીસા તાલુકાની શ્રી ગેનાજી ગોળીયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દૂધ ચોરીનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ ટેન્કરમાંથી દૂધ ચોરી કરનાર ટેસ્ટરને સીસીટીવી કૂટેજના આધારે ઝડપી પાડી બનાસ ડેરી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.ગેનાજી ગોળીયા દૂધ મંડળીમાં ૧૦,૦૦૦થી વધુ પશુપાલકો દૂધ ભરાવે છે. અહીં ટેસ્ટર તરીકે ફરજ બજાવતો સંજયકુમાર રમેશભાઈ ગેલોત (માળી) છેલ્લા એક વર્ષથી રાત્રિના સમયે બલ્ક યુનિટના ટેન્કરમાંથી આશરે ર૦ લિટર જેટલું દૂધ કાઢી લેતો હતો. આ ચોરી કરેલું દૂધ તે સવારના સમયે પોતાના જ ખાતા નંબર ૧પ૯૦માં જમા કરાવી દેતો હતો.બનાસ ડેરીના બલ્ક રૂટોમાં દૂધની સતત ઘટ આવતી…
અમદાવાદ સિવિલમાં ૨૩૪મું અંગદાનઃ કપડવંજના મનુભાઈ પરમાર મૃત્યુ બાદ પણ બન્યા અમર(માહિતી) અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા મિલાપની સાક્ષી બની છે. કપડવંજ, ખેડાના વતની અને વ્યવસાયે ખેતીકામ કરતા ૩૯ વર્ષીય મનુભાઈ પરમારના અકાળે અવસાન બાદ તેમના પરિવારે લીધેલા અંગદાનના નિર્ણયથી આજે સાત જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. આ ઉમદા કાર્ય સાથે સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૩૪ પર પહોંચ્યો છે.ઘટનાની વિગત મુજબ, ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ૧૩ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો…
૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે. ૧૭ નવા બ્રિજ બનાવવાનું આયોજન. સુભાષબ્રિજને ૮ માર્ગીય બનાવવામાં આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે. ભાજપ દ્વારા ૧૬ એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને એએમસી પૂર્વ પદાધિકારીઓએ આગામી પાંચ વર્ષમાં ભાજપ શું કરશે તેનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું.અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭માં ભાજપના પદાધિકારીઓ દ્વારા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત ફરીથી ભાજપના ચૂંટણી સંકલ્પ પત્રમાં કરવામાં આવી હતી. ભાજપના નેતાઓને કોઈ ખાસ મોટી જાહેરાત ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં…
