Author: gujarat

રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છેપાકિસ્તાન પહેલેથી જ SCO માં ભારત સાથે ભાગીદાર છે અને હવે બ્રિક્સમાં (BRICS) પણ જોડાવા માંગે છે.(એજન્સી)ઈસ્લામાબાદ, રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે. Pakistan’s Ambassador to Russia Faisal Niaz Tirmiziરાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર…

Read More

ભરૂચ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ સમયમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ પહોંચી છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે વોર્ડ નંબર ૪ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો.જોકે હવે ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી યોજાશે.ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે ફોર્મ પરત ખેંવાતા આવતા અને કોંગ્રેસના આગેવાનોને અંદર જવા નહી દેતા નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સરકારી કચેરીમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.કોંગ્રેસ કાર્યકરો દ્વારા પોલીસ વચ્ચે બોલાચાલી સાથે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા જેથી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ…

Read More

પંચમહાલમાં ચોરીની ઇકો ગાડીઓના કૌભાંડનો પર્દાફાશ(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ચોરીના વાહનોને કાયદેસર બતાવી વેચવાના મોટા રેકેટનો પર્દાફાશ પંચમહાલ એસઓજી પોલીસે કર્યો છે. આરોપીઓ ચોરીની ગાડીઓને લીગલ દેખાડવા માટે સ્ક્રેપ થયેલી ગાડીઓના ચેસીસ નંબર અને નંબર પ્લેટનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલી “ઉસ્માની સ્ક્રેપ” નામની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી.જેમાં જુદા-જુદા આરટીઓ રજીસ્ટ્રેશન નંબરવાળી ૩૪ નંબર પ્લેટો, ૩૩ જેટલી ચેસીસ નંબર લખેલી કાપેલી લોખંડની પ્લેટો તેમજ ૧૬ જેટલા વાહનોની મૂળ આર.સી. બુક મળી આવી…

Read More

દાહોદમાં ભાજપનો દબદબો યથાવત -વિપક્ષના ફોર્મ પરત ખેંચાતા જીત સરળ; લીમખેડામાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જંગગોધરા, દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર-૫માં ભાજપને મોટો ફાયદો થયો છે, જ્યાં ભાજપના ઉમેદવાર જેરીકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે.આમ આદમી પાર્ટીની ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણી વિના જ ભાજપનો ઉમેદવાર વિજેતા બન્યો છે. આ સાથે જ નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપના અત્યાર સુધી ૬ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર પણ બિનહરીફ જાહેર થયો છે.તે જ રીતે…

Read More

ખેડાના નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશના વિરોધમાં -ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા(પ્રતિનિધિ)નડિઆદ, ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ વહીવટી તંત્ર માટે મોટી મુંઝવણ ઉભી થઈ છે. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ મળી કુલ ચારેય ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના બની છે.ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી હટાવી નવા બનેલા ફાગવેલ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના સમર્થનમાં ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરી મેદાન છોડ્‌યું છે.ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…

Read More

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્‌યુંજામનગર, જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૨ દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે.આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ…

Read More

(એજન્સી) અમદાવાદ, ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે એટલે કે ચાર ઉમેદવારને મત આપી શકશે. જો ચારથી ઓછા ઉમેદવારને મત આપવો હોય તો આપી શકાશે, પરંતુ મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.ચૂંટણી પંચ દ્વારા મતદારોને વોટિંગમાં મુશ્કેલી ન પડે અને મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી પહેલા ટ્રેનિંગો પણ ગોઠવાતી હોય છે અને આ સાથે મતદારોને પણ ધ્યાનમાં રાખવી જેવી માર્ગદર્શિકાઓ જાહેર કરાય છે. જે મુજબ આ વખતની કોર્પાેરેશન ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે.દરેક વોર્ડમાં જુદા જુદા પક્ષના ચાર ઉમેદવારની પેનલ હોય છે,…

Read More

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટગાંધીનગર, ગુજરાતની ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૯૩૮ ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ ૨૭,૨૯૭ ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો.જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૫ એપ્રિલ અને સમય બપોરે…

Read More

ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજયમાં માહોલ ગરમાયો-જિલ્લા પંચાયતની રણોલી બેઠક પર ભાજપનો વિજયથલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાયાઅમદાવાદ, રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેના પરિણામે રાજયના અનેક વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો હતો.ઠેર ઠેર ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે ઘર્ષણ થતું જોવા મળ્યું હતું કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખ્યા છે. તો બીજી બાજુ કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. અમદાવાદમાં પણ કોંગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચતા ભાજપના…

Read More

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્ટેલના બિલ્ડિંગમાં ધાબાનો સ્લેબ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, હોસ્ટેલના બ્લોકમાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે અચાનક છતનો એક ભાગ (સ્લેબ) ધડાકાભેર નીચે પડ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય વિદ્યાર્થીઓએ તુરંત જ એકઠા થઈને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે:અમદાવાદની સૌથી જૂની અને…

Read More