વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી અપનાવીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલએક પેડ માં કે નામ3.0’અંતર્ગત રાજ્યભરમાં551.91 લાખ રોપાઓનું વાવેતરનું વન વિભાગનું આયોજનરાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી જૂન,વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ3.0”વૃક્ષારોપણ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત ગાંધીનગરથી કરાવી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાને હરિયાળી કરવાના પર્યાવરણ પ્રિય અભિગમથી2024થી આ એક પેડ માં કે નામ અભિયાન શરુ કરાવ્યુ છે.વડાપ્રધાનશ્રીના સફળ સુશાસનના12વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ3.0”નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના‘જ‘રોડ…
Author: gujarat
પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં હતા-નર્મદા મુખ્ય કેનાલમાંથી એક સાથે ત્રણ મૃતદેહ મળ્યાઆ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડ્યા હતાગાંધીનગર, ગાંધીનગરના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી ગુરૂવારે સવારે એક સાથે ત્રણ કમભાગી આત્માઓના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મૃતકોમાં અમદાવાદમાં રહેતી ૨૩ વર્ષીય પરિણીતા, તેની દોઢ વર્ષની માસૂમ દીકરી અને પરિણીતાની સગી માતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી અને રહસ્યમય બાબત એ છે કે ત્રણેયના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જે સામૂહિક આત્મહત્યા તરફ ઈશારો કરે છે. આ ઘટનાની જાણ થતાં જ…
બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, નાયબ કલેક્ટર કચેરીમાં અફરાતફરી-લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ સેવા સદન બિલ્ડિંગમાં આગ ઓલવવા માટેની પ્રાથમિક ‘ફાયર સેફ્ટી’ની કોઈ જ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતીછોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સેવા સદન (નાયબ કલેક્ટરની કચેરી) બિÂલ્ડંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરકારી કચેરીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે બિÂલ્ડંગમાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા લાભાર્થીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગ્યાના તુરંત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ અત્યંત ગંભીર બાબત એ રહી કે ઘટનાના એક કલાક…
ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવી ઐતિહાસિક સિદ્ધિ: કેટેગરી-Bરાજ્યોની તમામ શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ ક્રમેગુજરાતે ઉત્કૃષ્ટ અમલીકરણ-શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ‘પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ’ મેળવવાની સાથે અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓમાં પણ દેશમાં પ્રથમ સ્થાનપીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર ૧૦.૬૬ લાખથી વધુ ગ્રાહક અરજીઓ તથા ૬.૮૧ લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવામાં સમગ્ર દેશમાં સોલર,પવન,હાઇડ્રોપાવર જેવી રિન્યુએબલ એનર્જી મહત્વનો ફાળો આપી રહી છે. જે અંતર્ગત સામાન્ય નાગરિકો પણ પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવીને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક ઉપાર્જન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારે‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના‘અમલી બનાવી…
અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ -ગુગલ સર્ચમાંથી નંબર લઈ જાળમાં ફસાવવાનું કરતા કાવતરું-પોલીસને આશંકા છે કે આ ગેંગનો ભોગ બનનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છેરાજકોટ, ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પ્રેમ સંબંધોમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી એક શાતિર ‘હની ટ્રેપ’ ગેંગનો પર્દાફાશ કર્યો છે.આ મામલે પોલીસે ગેંગની મુખ્ય સૂત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ સહિત અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગનો ભોગ બનનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે.જેતપુર શહેર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી ખાસ કરીને આર્થિક રીતે…
રાજકોટના કરસનભાઈ એક પ્રતિષ્ઠિત પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે- ૩૯ મેચોમાં ૯૧૩ રન બનાવ્યા અને ૧૦૯ વિકેટો ઝડપી. એક જ મેચમાં માત્ર ૩૩ રન આપીને ૫ વિકેટ લેવી એ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી કરસન ઘાવરી વસ્તી-ગણતરી ૨૦૨૭ અંગે જન જાગૃતિ અભિયાનમાં જોડાયારાજકોટ, કરસન દેવજીભાઈ ઘાવરી ભારતના એક પ્રતિષ્ઠિત પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે,જેમનો જન્મ ૨૮ ફેબ્રુઆરી,૧૯૫૧ના રોજ રાજકોટ,ગુજરાતમાં થયો હતો. એક પ્રખ્યાત લેફ્ટ આર્મ-ફાસ્ટ બોલર અને લોઅર-ઓર્ડરમાં ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે,તેમણે ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન ૩૯ ટેસ્ટ મેચ અને ૧૯ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું,જેમાં ૧૯૭૫ અને ૧૯૭૯ ના સૌપ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય…
રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં: નાયબ મુખ્યમંત્રીગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ હજુ પણ જારી રહેશેઅમદાવાદ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા આ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ‘અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૫૬૮ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં ૧૭૨ પુરુષો,૨૮૨ સ્ત્રીઓ અને…
અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી-ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી અમેરિકનો સાથે ઠગાઈ-એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો -લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતોઅમદાવાદ, સામાન્ય રીતે હાઈટેક કોમ્પ્યુટર્સ, વિશાળ ઓફિસ અને અનેક કર્મચારીઓના મોટા સેટઅપ સાથે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરો પર પોલીસની રેડના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે એક એવા અનોખા અને ચોંકાવનારા કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે,જ્યાં કોઈ મોટું સેટઅપ કે સ્ટાફ ન હતો, પરંતુ એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો. લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે…
દહેજભૂખ્યા સાસરિયાઓની રુ.૫૧ લાખ અને રુ.૧ કરોડની કારની ડિમાન્ડ- વારંવાર “તું તારા બાપના ઘરેથી અમારા મોભા મુજબનો કરિયાવર, ફોર-વ્હીલર કે મકાન-મિલકત લાવી નથી” તેમ કહીને મેણાં-ટોણાં મારતા હતાઅમદાવાદ, સોલા વિસ્તારમાં દહેજ ઉત્પીડનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નમાં ૭૮ તોલા સોનું અને ૪ કિલો ચાંદી આપવા છતાં સાસરિયાઓએ પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો.પતિએ ૫૧ લાખ રોકડા અને ૧ કરોડની લક્ઝરી કારની માંગણી કરી પરિણીતા સાથે પત્ની તરીકેના સંબંધો પણ રાખ્યા નહોતા. અંતે, અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા સોલા પોલીસે પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભોગ બનનાર…
સગા પિતાએ ૧૪ વર્ષની સગીર દીકરી પર ૩ દિવસ દુષ્કર્મ આચર્યું પોલીસ મથકે ગુનો નોંધાતા જ લંપટ અને નરાધમ પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતોનવસારી, નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતો એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજા કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાના સાયડામાં દીકરી સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.નવસારીમાં એક નરાધમ પિતાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ઘટનાની…
