વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી અપનાવીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
એક પેડ માં કે નામ3.0’અંતર્ગત રાજ્યભરમાં551.91 લાખ રોપાઓનું વાવેતરનું વન વિભાગનું આયોજન
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી જૂન,વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ3.0”વૃક્ષારોપણ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત ગાંધીનગરથી કરાવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાને હરિયાળી કરવાના પર્યાવરણ પ્રિય અભિગમથી2024થી આ એક પેડ માં કે નામ અભિયાન શરુ કરાવ્યુ છે.
વડાપ્રધાનશ્રીના સફળ સુશાસનના12વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ3.0”નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના‘જ‘રોડ પર આવેલા લોકભવન સ્ટાફ ક્વાટર્સની બાજુમાં આશરે0.5હેક્ટર વિસ્તારમાં કુલ5000જેટલા રોપાઓનું વાવેતર “એક પેડ માં કે નામ3.0”અન્વયે કરવાની શરૂઆત રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નાગરિકોને અનુરોધ કર્યો કે,પર્યાવરણ દિવસ માત્ર ઉજવણી નહિ,પરંતુ લોકોની રોજીંદી જીવનશૈલીનો ભાગ બને તે જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા મિશન લાઈફ (લાઈફ સ્ટાઈલ ફોર એનવાયરમેન્ટ)ને અપનાવી રોજબરોજના વપરાશમાં પાણી અને પેટ્રોલ જેવા પરંપરાગત ઇઁધણનો બચાવ કરવા અને વધુને વધુ વૃક્ષારોપણ કરવાની પણ તેમણે અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિકના ધ્યેય સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણનું નિર્માણ સૌ સાથે મળીને કરે તેવો અનુરોધ પણ રાજ્યના નાગરિકોને કર્યો હતો.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ૨૦૨૬-૨૭ દરમિયાન એક પેડ માં કે નામ3.0અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ74453.90હેકટર વિસ્તારમાં551.91લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન છે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે423નર્સરીમાંથી કુલ11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

