Author: gujarat

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૪૮ વોર્ડના ૧૯ર ઉમેદવારોની યાદી જાહેર કરી તેમના ફોર્મ પણ ભરાવી દીધા છે અને તેની અંતિમ ચકાસણી પણ પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જુના જોગીઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપી છે.પરંતુ કોંગ્રેસમાંથી વંડી ટેકી ભાજપમાં ગયેલા કેટલાક પ્રતિભાશાળી નેતાઓની પણ બાદબાકી કરવામાં આવી છે જેના કારણે તેમની કારકિર્દી પણ હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ર૦ર૧માં યોજાયેલ ચૂંટણીમાં તત્કાલિન વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ચાંદખેડામાંથી ચૂંટણી લડ્યા હતા જયાં તેમની હાર થઈ હતી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા…

Read More

રહેણાક વિસ્તારોમાં નળ ખુલ્લાં મૂકવાની પ્રવૃત્તિને રોકવા બૂચ લગાવાયા પરંતુ લોકોમાં જાગૃતિ નથી આવતી(એજન્સી)અમદાવાદ, જળ એ જ જીવન છે તેવા સુત્રોને ભુલાવી દઈ શહેરનાં અનેક વિસ્તારોમાં રહેણાંક તથા કોર્મશીયલ એકમોમાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોય છે.પરંતુ મ્યુનિ.નાં મધ્ય ઝોનમાં બીનજરૂરી પાણી વેડફાતાં અને રોડને નુકશાન પહોચાડતા કોર્મશીયલ એકમો સામે પાણીનાં જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને તેના ભાગરૂપે રપ એકમના જોઠાણો કાપી નાખવામાં આવ્યા છે.મધ્ય ઝોનના ડે.કમીશ્નર રમ્યકુમાર ભટ્ટનાં જણાવ્યા અનુસાર મધ્ય ઝોનનાં જુદાજુદા વોર્ડમાં કેટલાક દુકાનદારો પાણીની પાઈપલાઈન બંધ કરવાને બદલે પાણી વેડફાતાં હોવાની અને રોડ પર વહેતું હોય તોય તેને અટકાવવામાં કોઈ પ્રયાસ કરતા…

Read More

રોજનાં પાંચ હજાર ટનના રોડ રિસરફેશના કામો સામે હાલ ૧૦૦ ટનથી ઓછું કામ થાય છે(એજન્સી)અમદાવાદ, મેગાસીટી અને સ્માર્ટ સીટી એવા અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહીના કરતાં વધુ સમયથી રોડ રિસરફેસના કામો નહીવત પ્રમાણમાં થઈ રહયાં છે. તેમાંય અમેરીકા ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગ જારી રહેશે તો રોડ રીસરફેસના બકાકી કામો કયારે હાથ ધરાશે તો નકકી નહી તેમ મ્યુનિ.ઈજનેર ખાતાના સુત્રોએ સ્વીકાર્યું હતું.શહેરમાં બે મહીના અગાઉ રોજના પાંચ હજાર ટન જેટલા મટીરીયલનો ઉપયોગ થતો હતો અને નવા રોડ બનાવવા રોડ રીસરફેસ પેચવર્ક જેવા કામો પુરજોશમાં ચાલતાં હતા તેવી માહિતીના ઈજનેર ખાતાના સુત્રોએ કહયું કે જયારેથી ઈરાન સામે અમેરીકા તથા ઈઝરાયેલ…

Read More

નવસારી, નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ ૨૦ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ ૨૪ પૈકી ૨૧ બેઠકો પર બિનહરીફ થઈ છે.આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં ૩ ઉમેદવારો છે. સંભવતઃ ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.ગણદેવી નગરપાલિકાનાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોની ચૂંટણી માટે ભાજપે ૪૯, કોંગ્રેસે ૨૦ અને અપક્ષો મળી ૬૯ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી.જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. જ્યારે એક અપક્ષનું…

Read More

અમદાવાદ, રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે.નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની એસયુવી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.આ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં સધી માતા ચાર રસ્તા પાસે આવેલા આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેનો પીછો કરી…

Read More

અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાંત કેરોસીન વિતરણ કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. આ કેરોસીન ગ્રામીણ વિસ્તાર માટે રહેશે અને તેનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તથા પ્રકાશની વ્યવસ્થા કરવા માટે જ કરી શકાશે.પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીનનો પુરવઠો અપાશે. આ માટે કેરોસીનના પ્રતિ લિટરના ભાવ ૬૧.૯૬થી ૬૨.૬૯ નક્કી કરવામાં આવ્યા છે. ૧ ટેન્કર એટલે કે ૧૨ હજાર લીટર કેરોસીનની માગણી મળ્યા બાદ જથ્થો મોકલવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ન્ઁય્ ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન…

Read More

અમદાવાદ, હવામાનમાં આવી રહેલા મોટા ફેરફારોને કારણે આગામી દિવસો ગુજરાત માટે પડકારજનક સાબિત થઈ શકે છે. એક તરફ સૂર્યદેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, તો બીજી તરફ પશ્ચિમ વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેની અસર ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન જોવા મળશે. આ ઉપરાંત ૨૦ એપ્રિલ દરમિયાન ગરમી તેના આકરા તેવર બતાવશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી શકે છે.દેશભરમાં હવામાન ફરી એકવાર મોટો યુ-ટર્ન લેવા માટે તૈયાર છે. થોડા દિવસ પહેલા જ તોફાન અને વરસાદથી થોડી રાહત મળી…

Read More

ઊંઝા, ઊંઝા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંઝા નગરપાલિકામાં કુલ ૧૧૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૪૪ જેટલા ફોર્મ રદ થતાં હવે ૭૩ ઉમેદવાર મેદાને છે. જોકે, બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોણ મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.ઊંઝા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ તેમજ આપ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી કામલી ઉનાવા બેઠક પર ભાજપ-કોંગ્રેસ, આપ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે જ્યારે કહોડા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ મેદાને છે.આજે ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા પંચાયતની ઉનાવા બેઠક પર કોંગ્રેસનું મેન્ડેટ ના મળતાં ફોર્મ…

Read More

ઉમરગામ, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર…

Read More

મોરબી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે સાત હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે.આ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે ૫૦ લાખથી ૧.૫૦ કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગની હાલત પણ કફોડી બની છે અને તેના પર ૩૬ કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવ્યું છે.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબીમાં કાર્યરત ૬૫૦ જેટલા સિરામિક એકમો વાર્ષિક ૬૦ હજારથી ૭૦…

Read More