ચોમાસા પૂર્વે ગુજરાત એલર્ટ:‘ઝીરો કેઝ્યુઆલિટી‘ના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ: મુખ્ય સચિવસંબંધિત વિભાગો-કેન્દ્રીય સુરક્ષા દળોએ ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટપ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા ગાંધીનગર, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં 03-06-2026ના રોજ ગાંધીનગર ખાતે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સનદી અધિકારીઓ,પોલીસ મહાનિર્દેશક,મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે‘ઝીરો કેઝ્યુઆલિટી‘ના લક્ષ્ય સાથે સજ્જ છે,તેમ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં ચોમાસાના આગમનની સંભાવનાને ધ્યાને રાખીને તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ…
Author: gujarat
અંગદાન એ અંત નથી, પરંતુ અનેક જીવનમાં નવી શરૂઆત છે: આરોગ્ય મંત્રીઅમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતાઓની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે નિર્મિત વિશેષ “અમરકક્ષ”ની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવસભર મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અંગદાન દ્વારા અનેક દર્દીઓને નવજીવન આપનારા મહાન અંગદાતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોના નિઃસ્વાર્થ તેમજ ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.અમરકક્ષમાં પ્રદર્શિત અંગદાતાઓના ફોટોગ્રાફ્સ અને તેમની પ્રેરણાદાયી જીવનગાથાઓ નિહાળતા મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ મૃત્યુ પછી પણ અનેક લોકોને જીવનદાન આપવાની સર્વોચ્ચ માનવસેવા છે. અંગદાતાઓ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારનું જીવંત પ્રતિક છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,…
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશેSurat, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ₹149કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે માલવાહક ટ્રાફિકની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થઈ શકશે. તેનાથી દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સુરતના સ્થાનિક નાગરિકો માટે સલામત અને ટ્રાફિકની ભીડથી મુક્ત મુસાફરીની સુવિધા મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીકના ભારે ઔદ્યોગિક વિસ્તારની ભીડ ઓછી થશે અને સુગમ પરિવહન સુનિશ્ચિત થશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી5જૂન, 2026એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે…
અભિયાનના પ્રથમ બે દિવસમાં જ ૧૦ હજારથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું; રાજ્યના ૮,૦૦૦ ગામોના ૬ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંકવૈજ્ઞાનિક માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી ખેતર સુરક્ષિત અને ખેડૂત સમૃદ્ધ બનશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકારે સમગ્ર દેશમાં તા. ૧ જૂનથી ૩૦ જૂન,૨૦૨૬ દરમિયાન “ખેત બચાવો અભિયાન” શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામેથી “ખેત બચાવો અભિયાન” રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.રાજ્યના ૮,૦૦૦થી વધુ ગામોને આવરી લઈ અંદાજે ૬ લાખથી વધુ ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશય સાથે‘ખેત બચાવો અભિયાન‘આગામી તા. ૩૦ જૂન…
આ પ્રયોગ માટેDSIRDAદ્વારા ગુજરાત વન વિભાગને ફંડ આપવામાં આવ્યુ છે. આ નવતર પ્રયોગને સફળતા મળતા આ વર્ષે વધુ20 હેક્ટરમાં આ પ્રકારે પ્લાન્ટેશન કરાશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે.વન વિભાગની મહેનત રંગ લાવી,ખારાપાટ અને સૂકા તથા ઉજ્જ્ઠ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં12 ફૂટ જેટલા ઉંચા થઇ ગયા.બળબળતા ઉનાળાની તીવ્ર ગરમીમાં અમદાવાદ જિલ્લાનાં ધોલેરામાં મુસાફરી કરવી એક કઠિન અનુભવ બને છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો,સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં…
“સેવામાં માનવતા અને વાણીમાં મીઠાસ”ના બોધ સાથે દર્દીઓની કરુણાપૂર્ણ સારવાર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારની ‘આત્મબોધ ચિંતન શિબિર‘આપણો વ્યવસાય ફાઇલો સાથે નહીં, જીવતા માણસો સાથે છે, સ્ટાફનો હસતો ચહેરો દર્દીનું અડધું દર્દ દૂર કરી શકે છે:– શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાદર્દીઓની સેવા અને કરુણાપૂર્ણ સારવારને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે, સિવિલ હોસ્પિટલ અમદાવાદના ‘નર્સિંગ પરિવાર‘ દ્વારા અસ્મિતા ભવનમાં વિશેષ “આત્મબોધ ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું.“સેવામાં માનવતા” અને “વાણીમાં મીઠાસ” ના મૂળ મંત્રો સાથે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા તથા અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા ખાસ ઉપસ્થિત…
મહેસાણા સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો:મહેસાણા, જિલ્લાના વિસનગરમાં મ્યુલ એકાઉન્ટ (બીજાના નામે ખોલાવેલા બેન્ક ખાતા) દ્વારા દેશભરમાં આચરાયેલા કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. વિસનગર તાલુકાના એક વ્યક્તિના બેન્ક ખાતાનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોના નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર કુલ ૩૨ જેટલી ફરિયાદો નોંધાતા સાયબર પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત ૧૯ જૂન ૨૦૨૫ના રોજ રાજ્યના 14C-SAMANVAYA પોર્ટલ દ્વારા મ્યુલ એકાઉન્ટ્સ અંગેના ચોક્કસ ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા. આ ઇનપુટ્સના આધારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ખાસ ટીમોની…
આણંદ, તાલુકાના બોરીયાવી ગામમાં માત્ર ૧૦૦ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક મિત્રએ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મજૂરીના બાકી નાણાં માંગવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક મિત્રએ બીજા મિત્ર પર લાકડાના ફટકા વડે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બોરીયાવી ગામે રહેતા ૫૬ વર્ષીય નરેશભાઈ રાવજીભાઈ પટેલ પોતાના પરિવારથી અલગ એકલા જ રહેતા હતા. તેઓ ગામમાં જ મજૂરી કામ કરીને મંદિરના ઓટલે કે શાળાની આગળ સુઈ જઈને પોતાનું જીવન ગુજારતા હતા.…
દોઢ વર્ષના માસૂમ બાળકનું મોતઆણંદ, જિલ્લાના બોરસદથી તારાપુર જતા હાઈવે પર વડદલા ઓવરબ્રિજ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ધર્મજ ચોકડી બ્રિજ ચઢતી વખતે આગળ જતી એક કારના ચાલકે ઓવરટેક કરીને અચાનક જ કોઈ પણ સંકેત આપ્યા વિના બ્રેક મારી દીધી હતી. કાર ચાલકની આ બેદરકારીના કારણે પાછળ આવી રહેલી સીએનજી રીક્ષા કારની પાછળ ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળકનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતાને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.ઘટનાની વિગત એવી છે કે, આણંદ જિલ્લાના તારાપુર ખાતે ફાતિમ સોસાયટી પાસે રહેતા સાહિદશા ઈનાયતશા દિવાન રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન…
હિંમતનગર પાલિકામાં કમીટીઓની રચના બાદ BJPના કોર્પોરેટર આકરા પાણીએ- ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયાહિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે.(પ્રતિનિધિ) હિંમતનગર; હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓની રચના કરાયાની જાહેરાત કરાયા બાદ પાલિકાના એક સિનીયર કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં બળાપો કાઢીને મનોવ્યથા ઠાલવી હતી.ત્યારબાદ નારાજ થયેલા આ કોર્પોરેટરે હિંમતનગરમાં ભાજપમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગે આક્ષેપ સાથેની રજૂઆત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીને કરી છે. જેમાં વોર્ડ નં.૧, ૮, ૧૧, ૬, ૯ના તથા સંગઠનના હોદ્દેદારો પર કરેલા આક્ષેપો બુધવારે સોશ્યિલ મીડીયામાં વાયરલ…
