દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે
Surat, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ₹149કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે માલવાહક ટ્રાફિકની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થઈ શકશે.
તેનાથી દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સુરતના સ્થાનિક નાગરિકો માટે સલામત અને ટ્રાફિકની ભીડથી મુક્ત મુસાફરીની સુવિધા મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીકના ભારે ઔદ્યોગિક વિસ્તારની ભીડ ઓછી થશે અને સુગમ પરિવહન સુનિશ્ચિત થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી5જૂન, 2026એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને12,421કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે.
₹7689કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજVIઅનેVII)નું લોકાર્પણ
વડાપ્રધાનશ્રીના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર36કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજVI)અને27.50કિલોમીટર લંબાઇના ગણદેવાથી એના સેક્શન (પેકેજVII)નું લોકાર્પણ કરવામાં આવશે.₹ 7689કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ,માઇનર બ્રિજ,રેલ રોડ બ્રિજ,ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસ (VOP)નું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ70અંડરપાસ અને બે ઇન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે.8લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઇવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજ શરૂ થવાથી આગામી સમયમાં માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના લક્ષ્ય અનુસાર સ્થાનિક ઉદ્યોગો માટે લૉજિસ્ટિક્સનો ખર્ચો ઘડાટવામાં મદદ મળશે.
આ ઉપરાંત, ₹4732કરોડના ખર્ચેNHAIના અન્ય4પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે,જેમાંNH-56 (પેકેજ4)ના ધમાસીયાથી બિટાડા / મોવીનું ફોર લેનિંગ, NH-56 (પેકેજ6)ના નસરપોરથી મલોથાનું ફોર લેનિંગ,સુરત હજીરા નેશનલ હાઇવે (NH-53)પર6લેનVUPએટલે કે વ્હીકલ અંડરપાસ (રિલાયન્સ) અનેVUPકમ ફ્લાયઓવર (કાવાસ)નો સમાવેશ થાય છે.

