નવી દિલ્હી, દેશના આઈટી હબ ગણાતા પુણેમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પુણે સ્થિત જાણીતી આઈટી કંપની ‘થિંકટેક ઇન્ડિયા’ (ThynkTech India) એ કોઈપણ પૂર્વ સૂચના વિના રાતોરાત પોતાની કામગીરી (Operations) બંધ કરી દીધી છે.કંપનીના આ અચાનક બંધ થવાના નિર્ણયને કારણે 700 થી વધુ કર્મચારીઓ એક જ ઝાટકે બેરોજગાર થઈ ગયા છે. કર્મચારીઓ હવે તેમની બાકી નીકળતી સેલરી અને ડિપોઝિટના પૈસા પાછા મેળવવા માટે વલખાં મારી રહ્યા છે.Pune, Maharashtra: Pune Police arrested Harshal Thakare, the CEO of Noida-based Thynk Tech India OPC Pvt Ltd, following the sudden shutdown of their Hinjawadi, Pune branch. The company left over 700 freshers,…
Author: gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ માંથી રાહતના સમાચાર સામે આવ્યા છે.છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતો દીપડો આખરે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાયો છે.જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં હાશકારો ફેલાયો છે.ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે વન વિભાગને મોટી સફળતા મળી છે.ગામમાં આવેલ કેસુ બાપાની વાડી ખાતે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં રાત્રિ દરમિયાન એક દીપડો પુરાયો હતો.અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર અને બોલબાલા જોવા મળી રહી છે.ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ગત અઠવાડિયે સેંગપુર ગામમાં એક વાછરડાનું દીપડાએ મારણ કરતા…
થલતેજમાં ૪પ૦ ચો.મી. સરકારી જમીન મુકત કરાવી, નિયમોના ભંગ બદલ બિલ્ડર દંડાયો(એજન્સી)અમદાવાદ, ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા વિવિધ વોર્ડોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં થલતેજના ટી.પી. સ્કીમ નં.ર બોપલના ફાઈનલ પ્લોટ નં.૧૭૪માં આવેલી સરકારી જમીન પર બનેલું ગોડાઉન દુર કરવામાં આવ્યું હતું.આશરે ૭,૦૦૦ ચોરસ મીટરના પ્લોટમાંથી ૪પ૦ ચોરસ મીટર જેટલી જમીન દબાણયુકત કરાઈ છે. જેની સાથે જ ચાંદલોડીયામાં એક ચાલુ બાંધકામ પ્રોજેકટમાં ગ્રીન નેટ પર બાંધવા અને જાહેર માર્ગ પર બાંધકામ સામગ્રી મુકીને દબાણ કરવાના મુદે કાર્યવાહી કરાઈ હતી. અગાઉ આપવામાં આવેલી નોટીસના અનુસંધાને બિલ્ડર પાસેથી રૂ.૧.રપ,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.આ સાથે જ જાહેર માર્ગોપર ગેરકાયદે પાર્કીગ…
ર૦% શરીર કાર્યરત હોવા છતાં રાજુલબેન યાજ્ઞિકે પ૦૦૦ કિ.મી.ની લેહ-લદ્દાખ રોડ ટ્રીપ કરી(એજન્સી)અમદાવાદ, તમારું મન મજબુત હોય તો તમે કોઈપણ પરિસ્થિતિ સામે લડી શકો છો. આ શબ્દો છે પ૦ વર્ષીય રાજુલાબેને માલીકના ગાંધીનગરમાંરહેતા રાજુલબેન યાજ્ઞિક મસ્કયુર ડિસ્ટોફી નામના રોગ ધરાવે છે. અને તેમનું માત્ર ર૦ ટકા શરીર જ કાર્યરત છે.સામાન્ય રીતે મસ્કયુલર ડીસટ્રોફી ધરાવતા લોકો મનથી હારી જતાં હોય અને સામાન્ય જીવન જીવવાનું છોડી દેતાં હોય છે. ત્યારે રાજુલાબેન આવા તમામ લોકો માટે એક ઉદાહરણ છે. તેમણે તાજેતરમાં જ, લેહ-લદાખની રોડ ટ્રીપ કરી છે. અને મસ્કયુલર ડિસ્ટ્રોફીથી પીડાતા દરેક વ્યકિત માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.આ વિશે રાજુલા યાજ્ઞિકે કહયુંકે સામાન્ય રીતે…
અમદાવાદના સોલા વિસ્તારમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટયો(એજન્સી)અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટના ૫૦૦થી વધુ રહેવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલટી સહિતની તકલીફોથી પીડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થવાના કારણે દૂષિત પાણીની સપ્લાય થઈ રહી છે, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાણી સંબંધિત સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા હાલ સ્થિતિ ગંભીર બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.રોગચાળાની માહિતી મળતા અમદાવાદ મ્યુનિસિપલ…
(એજન્સી)અમદાવાદ, ભારતના જીડીપીમાં સાડા સાત ટકાનો ફાળો આપતા બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી ૩૦મી જૂનથી દરેક કેટેગરીના બાંધકામની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો કરવાની ફરજ પડશે.પરિણામે અત્યારે ૩૮ વર્ષની બચત પછી ફ્લેટ લઈ શકનારાઓ મધ્યમ વર્ગના લોકો માટે ફ્લેટ લેવા અત્યંત કઠિન બની જશે. આવનારા વર્ષાેમાં ૪૦થી ૪૫ વર્ષની બચત પછી મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકશે. આ સ્થિતિ ન આવે તે માટે સરકારે બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ, એવી નારડેકોના સભાસદ બિલ્ડરો અને હોદ્દેદારોએ માગણી કરી છે.અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓના…
(એજન્સી)ગાંધીનગર, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વિભાગ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.પરિપત્ર મુજબ રાજ્યભરમાં ખાલી પડેલી ૧૮૦૮ મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ આગામી અંદાજપત્રની તૈયારી પહેલાં નવી જગ્યાઓની જરૂરિયાત અંગેની દરખાસ્તો પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા…
(એજન્સી)અમદાવાદ, એક દિવસ પહેલા સામાન્ય વાતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પ્રજ્ઞાચક્ષુ આધેડને બેરહેમીથી માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સામે પીડિત દ્વારા અત્યારે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.યુનિવર્સિટીની પોલીસ ત્યાં પીડિત ના ઘરે પહોંચી છે. યુનિવર્સિટી પોલીસના પી.આઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે. એક દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પીએસઆઈ સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો.જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા પીએસઆઈૈંએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન…
1 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક-યુવતીની ધરપકડ-આરોપી કોઈને શક ન જાય તે માટે ડ્રગ્સને બિસ્કિટના પેકેટમાં પેક કરી રાજસ્થાનથી મુંબઈ લઈ જતો હતો.(એજન્સી)અમદાવાદ, શહેરમાં નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે કાલુપુર અને રામોલ વિસ્તારમાંથી પોલીસે લાખો રૂપિયાનું ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અલગ-અલગ બે દરોડામાં પોલીસે બે યુવતીઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે નશીલા પદાર્થો સપ્લાય કરનારા ત્રણ સાગરીતો ફરાર થઈ જતાં પોલીસ તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.કાલુપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલુપુર ઝકરીયા મસ્જિદ પાસે આવેલી સન્ની હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલના રૂમ નંબર…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં સવારથી જ અસહ્ય બફારા અને ભારે ઉકળાટથી નાગરિકો પરેશાન જોવા મળ્યા. જેની વચ્ચે કેટલાક જિલ્લાના લોકોને બપોર પછી મોટી રાહત મળી છે. વાતાવરણમાં અચાનક પલટો સાબરકાંઠાના પોશીના પંથકમાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે અમરેલી અને વિજયનગર પંથકમાં પણ મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.સાબરકાંઠા જિલ્લાના પોશીના અને તેની આસપાસના વિસ્તારોમાં બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે…
