સ્ટેટ જીએસટીનું સર્ચ ઓપરેશન ઃ રૂ.૪.૨૫ કરોડનો જથ્થો જપ્ત(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સ્ટેટ જીએસટીની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં અમદાવાદમાં રાજ્ય વેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલી એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં કરોડો રૂપિયાના કિંમતી માલસામાનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્ક્વોડ ટીમે ખાસ ચકાસણી દરમિયાન યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન થઈ રહેલા સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોને કબજે કરીને કરચોરી સામે કડક સંદેશ આપ્યો છે.પ્રાથમિક વિગતો મુજબ, તપાસ દરમિયાન અંદાજે ૧૨૦ કિલોગ્રામ ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું તેમજ લગભગ ૩ કિલોગ્રામ જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર માલસામાનની અંદાજિત કિંમત રૂ. ૪.૨૫ કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. રાજ્ય…
Author: gujarat
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને મળી રહ્યો છે અભૂતપૂર્વ જનપ્રતિસાદબે દિવસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતો,પશુપાલકો,મહિલાઓ,બાળકો તથા વડીલો સાથે સાધ્યો સીધો સંવાદભીષણ ગરમીમાં અંદાજે3 કલાક સુધી એસ.ટી.બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ પહોંચ્યા હતા રાજયપાલશ્રીરાજ્યપાલશ્રીની સાંદગીથી ગ્રામજનો થયા પ્રભાવિતસાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ‘માં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના લોકસંપર્ક અને સાદગીનું એક નવું ઉદાહરણ બન્યો છે. રાજ્યપાલશ્રીના આગમનથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો છે.ભીષણ ગરમીમાં અંદાજે3કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ સુધી પહોંચેલા રાજ્યપાલશ્રીને જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયા હતા. તેમની…
રાજ્યપાલશ્રીએ રોજિંદા જીવનમાં યોગ,વ્યાયામ અને શારીરિક શ્રમને મહત્વ આપવા પર ભાર મુક્યોકેશરગંજની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો –વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કુદરતી વાતાવરણમાં કર્યો યોગાભ્યાસરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાલી તાલુકાના કેશરગંજ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે કેશરગંજ સમાજવાડી ખાતે શાળાના વિદ્યાર્થીઓ,ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.કેશરગંજ સમાજવાડી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,પ્રતિદિવસ યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે,મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર…
અમદાવાદ: શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટના કારણે જાહેર માર્ગો પર ગંદકી અને કાદવ ફેલાવતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ લાલ આંખ કરી છે. શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં રોડ ખરાબ કરવા બદલ એક જાણીતા બિલ્ડર ગ્રૂપ સામે મોટી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.બોડકદેવ વોર્ડમાં આવેલા જાણીતા સિંધુભવન રોડ (Sindhubhavan Road) પર ‘ઝેડ ગ્રૂપ’ ના નવા બની રહેલા પ્રોજેક્ટની સાઇટ આવેલી છે. આ સાઇટ પરથી માટી ભરીને બહાર નીકળતા વાહનોના કારણે જાહેર માર્ગ પર મોટા પ્રમાણમાં કાદવ-કીચડ ફેલાયો હતો. આ ગંદકીના કારણે વાહનચાલકોને ભારે અડચણ ઉભી થઈ હતી અને અકસ્માતનો ભય પણ વધી ગયો હતો.આ બાબત ધ્યાને આવતા જ, પશ્ચિમ ઝોનના…
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આજ રોજ તારીખ ૦૧ જૂન, ૨૦૨૬ થી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની એટલે કે ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ (ઘરગણતરી અને મકાનની યાદી) ની કામગીરીનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ રાષ્ટ્રીય કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત અંદાજે ૧૦૭૦૦ જેટલા બ્લોકમાં કામગીરી કરવા અંદાજે ૧૩,૦૦૦ થી વધુ ગણતરીદાર તથા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવેલ છે. વસ્તી ગણતરી દરમ્યાન નિયુક્ત કરાયેલા ગણતરીદારો અને સુપરવાઈઝરો દ્વારા તેઓને ફાળવવામાં આવેલ બ્લોકની (વિસ્તારની) રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ સમજવા અને એક પણ ઘર છૂટી ન જાય તે હેતુથી વિસ્તારનો લેઆઉટ નકશો (Layout…
જાહેરમાર્ગો પર પાર્ક કરાયેલા 12 અન-અધિકૃત વાહનોને નોટિસ, રૂ. 9,000 વહીવટી ચાર્જ વસૂલઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરના જાહેરમાર્ગોને અવરોધમુક્ત બનાવવા તેમજ અન-અધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ટી.પી. સ્કીમ અમલીકરણ તેમજ દબાણ નિયંત્રણ સંબંધિત વિવિધ સ્થળોએ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.ટી.પી. સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગોને ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટી.પી. સ્કીમ નં. 53 (ઈસનપુર) વિસ્તારમાં અસલાલીથી કમોડ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા 15.00 મીટર પહોળાઈના ટી.પી. રોડ પરથી રોડ કપાતમાં આવતા 18 કોમર્શિયલ યુનિટોના પ્રકારના આધારે કાર્યવાહી કરવામાં આવી…
સિંધુભવન રોડની મારુતિનંદર રેસ્ટોરન્ટમાં થાળીમાંથી વાળ નીકળતાં ફરિયાદ થઈ તો અન્ય ખામી સામે આવી(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની જનતા જેનાં સ્વાદ અને નામ પર આંખ બંધ કરીને ભરોસો કરે છે, તેવી નામાંકિત પિઝા આઉટલેટ્સ, કાફે અને રેસ્ટોરન્ટ્સ હવે ગંદકી અને જીવાતોના કેન્દ્ર બની રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર મોટી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી વંદો, વાળ અને જીવાતો મળ્યાની ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગો શું માત્ર એસી કેબિનોમાં બેસીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? જનતાના સ્વાસ્થ્ય સાથે…
ACB તપાસમાં રોકડ, પ્લોટ, સોનું-ચાંદી અને વૈભવી મિલકતો સામે આવી-રોકડ, સોનું, ચાંદી, ઘરવખરી અને અન્ય ચલ સંપત્તિઓ મળીને કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 3.97 કરોડથી વધુઅમદાવાદ (પ્રતિનિધિ),ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગાંધીનગરમાં પીજીવીસીએલના વીજ નિરીક્ષક અધિકારી એ.બી. ચૌધરી સામે કરવામાં આવેલી તપાસમાં તેમની આવક કરતાં અનેકગણી વધુ સંપત્તિ હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે.સોલાર પેનલ માટે એનઓસી આપવાના બદલામાં રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીની ધરપકડ બાદ ACBએ તેમના રહેણાંક, સરકારી ક્વાર્ટર અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન અધિકારીના કબજામાંથી સરકારી વાહન ઉપરાંત ખાનગી વાહન, રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. ACBના દસ્તાવેજો મુજબ સરકારી વાહન અને…
31 મે – વિશ્વ તમાકુ નિષેધ દિવસ –ગુજરાતમાં વર્ષ2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” (Tobacco Cessation Centre)દ્વારા ૦૨ લાખથી વધુ તમાકુ સેવન કરનારનું કાઉન્સિલિંગ કરાયું•વ્યસની મિત્રોથી દુર રહેવું –•પાન-પાર્લરનો રસ્તો બદલી નાખવો-•તલપ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું સમગ્ર રાજ્યમાં એન્ફૉર્સમેન્ટ સ્કવોડની ૧૦ હજારથી વધુ સરપ્રાઈઝ વિઝિટના પગલે શાળાઓમાં તમાકુ-સેવનમાં ઘટાડોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસોગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટોબેકો સિસેશન સેન્ટર્સ’ ના માધ્યમથી ૦૨ લાખથી વધુ તમાકુ સેવન કરનારા નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે,તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યાદી અનુસાર આરોગ્ય વિભાગે ગુજરાતમાંCOTPA – Cigarettes and Other…
રાસાયણિક ખાતરો,જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ: કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું:- કૃષિ મંત્રીશ્રીપ્રાકૃતિક કૃષિને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે:- કૃષિ મંત્રીશ્રીઅમદાવાદ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી “ખેત બચાવો અભિયાન”ની શરૂઆત કરાવી હતી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં ૧ જૂનથી ૩૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે. આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે,ખેતી એ આપણા પૂર્વજોનો…
