(એજન્સી)ઓમાન, ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ મોટી સૈન્ય કાર્યવાહી કરતા ઈરાની બંદર તરફ આગળ વધી રહેલા ગાંભિયાના ધ્વજવાળા એક વ્યાવસાયિક (કોમર્શિયલ) જહાજને અધવચ્ચે જ રોકીને નિÂષ્ક્રય કરી દીધું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય જળસીમામાં એમ/વી લિયાન સ્ટાર નામનું આ જહાજ ઓમાનની ખાડી થઈને ઈરાનના બંદર તરફ જઈ રહ્યું હતું.સેન્ટકોમના જણાવ્યા મુજબ, જહાજની શંકાસ્પદ હિલચાલ જોયા બાદ અમેરિકન સુરક્ષા દળોએ રેડિયો સંદેશા દ્વારા તેને રોકાઈ જવા માટે ૨૦ થી વધુ વખત કડક ચેતવણીઓ આપી હતી. જહાજના ક્રૂ (ચાલક દળ) ને સ્પષ્ટપણે જણાવાયું હતું કે તેમનું આ પગલું અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીનું સીધું…
Author: gujarat
ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય(એજન્સી)અમદાવાદ, મે મહિનાની કાળઝાળ ગરમીમાંથી હવે આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આકરા ઉનાળાના અંતિમ દિવસો વચ્ચે હવે વરસાદના આગમનના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ત્યારે શનિવારની મોડી રાતથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના બુલેટિન અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. આજે અમદાવાદ આઈપીએલની મેચમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે. આજે અમદાવાદનું તાપમાન…
5મી જૂને PM મોદીની સભા માટે સુરતમાં ચાર અલગ-અલગ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વેસુ વીઆઇપી રોડ-૨ પર સ્થળ પસંદ કરીને ડોમ બનાવવાની તૈયારી પણ કરાઈ હતી.(એજન્સી)સુરત, હજુ ચોમાસું આવ્યું નથી, પરંતું ગુજરાતમાં વરસાદની આગાહી આવી ગઈ છે. ૫ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવવાના છે. પરંતું તે પહેલા જ વરસાદનું આગમન થયું છે. જોકે, વરસાદની આગાહીને પગલે વડાપ્રધાનની સભાનું સ્થળ બદલવામાં આવ્યું છે.ઓપન સ્થળને બદલે હવે ઈન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર સુરત શહેરમા હળવા પવન સાથે વરસાદ આવતા માહોલ બદલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ, લિંબાયત વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ…
શહેરની વિવિધ સામાજિક, પર્યાવરણલક્ષી અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) તેમજ જાગૃત નાગરિકોને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અમદાવાદના મેયરની અપીલઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પહેલાં નદીના પટમાં રહેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ તથા અન્ય અવરોધોને દૂર કરવા અને નદીના બંને કાંઠાની સ્વચ્છતા જાળવવા માટે તા. 02 જૂનથી 05…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાની વધુ એક ગંભીર બેદરકારી ગોમતીપુર વિસ્તારમાં સામે આવી છે. ગોમતીપુર ખાતે હાથીખાઈ ગાર્ડન પાસે આવેલ ગરીબ આવાસ યોજનાના મકાનો નજીક તા. 27 મેના રોજ એક વૃક્ષની મોટી ડાળી તૂટી પડી હતી. સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો દ્વારા તાત્કાલિક બગીચા ખાતાના ટેકનિકલ સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી હતી કે આ વૃક્ષ ભારે પવનમાં ગમે ત્યારે પડી શકે તેવી જોખમી સ્થિતિમાં છે અને સમયસર કાર્યવાહી કરવામાં આવે.ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર ટ્રેક્ટર સાથે માત્ર બે કર્મચારીઓ આવ્યા હતા, પરંતુ “આ કામગીરી માટે હાઇડ્રોલિક મશીનની જરૂર છે અને…
1. કચ્છ ગુજરાત સરકાર + Adani Skills એ કચ્છની 11 ITI ટ્રાન્સફોર્મ કરવા MoU કર્યા. યુવાનોને રોજગાર મળશે2. વડોદરા VGRC 2026 વડોદરામાં થશે. સેન્ટ્રલ ગુજરાતના GI-ટેગ્ડ ક્રાફ્ટનું પ્રદર્શન. ઉદ્યોગ અને એક્સપોર્ટ બૂસ્ટ થશે3. મુન્દ્રા, કચ્છ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ + ATS ગુજરાતે મુન્દ્રા કોસ્ટ પાસેથી ₹1150 કરોડનું કોકેઈન ઝડપ્યું. મોટી ડ્રગ્સ સ્મગલિંગ નિષ્ફળ4. ગીર સોમનાથ ગીર જંગલમાં સિંહના બચ્ચાના મોત બાદ સમીક્ષા ચાલુ. 17 સિંહને આઈસોલેટ કરી વેટરનરી ટીમ મોનિટરિંગ કરી રહી છે5. બનાસકાંઠા પાલનપુરમાં પતિએ પત્નીને ₹50,000 માં વેચી દીધી. પોલીસે પતિ સહિત 7 આરોપીની ધરપકડ કરી6. રાજ્યવ્યાપી 1. ખેડૂતો માટે ફેન્સિંગ સબસિડી ₹300/મીટર કરી. ચોમાસા પહેલા પાક બચાવવા પાત્રતા…
રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયોઅમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર તેમજ અસારવા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાઅમદાવાદ, અસારવા વિસ્તારમાં આવેલી અને રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાતી ઐતિહાસિક માતર ભવાની વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા રૂ. 50 લાખના ખર્ચે પુનઃસ્થાપન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. થોડા મહિના અગાઉ વાવમાં તિરાડો પડવાના સમાચાર સામે આવ્યા બાદ રાજ્યના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ આ બાબતમાં અંગત રસ દાખવી ભારતીય પુરાતત્વ…
અમદાવાદ – વડોદરા હાઇવે | 30 મે 2026ટોલ પ્લાઝા પર 150 રૂપિયા આપો. 10 કિલોમીટર આગળ જાવ તો કારનો પૈડો ખાડામાં. સવાલ એક જ: પૈસા રસ્તાના કે ખાડાના ભરીએ છીએ?1. જનતાની હકીકત: – રોજ ઓફિસ જનારો માણસ: અપ-ડાઉન 300 રૂપિયા ટોલ + પેટ્રોલ અલગ. મહિનાના 9000 રૂપિયા. – ટ્રક ડ્રાઈવર: એક ટ્રીપમાં 2500 રૂપિયા ટોલ. ભાડું વધે તો ગ્રાહક બૂમ પાડે. – ખાડામાં કારનો ટાયર ફાટે, સસ્પેન્શન તૂટે. ગેરેજનો ખર્ચ અલગ. – ટોલવાળા કહે “અમારું કામ વસૂલીનું”. રોડવાળા કહે “અમારું કામ મેન્ટેનન્સનું”. વચ્ચે જનતા પીસાય.2. ગણિત શું કહે છે? – એક ટોલ પ્લાઝા દિવસની વસૂલી: 25-30 લાખ રૂપિયા. – એક…
અમદાવાદની જય જલારામ શો-મિલના ભાગીદારોની રૂ.૬.૧૮ કરોડની ઠગાઈઅમદાવાદ, કેનેડા સ્થિત ભાગીદારી પેઢી સાથે પૂર્વ આયોજિત કાવતરાથી આંતરરાષ્ટ્રીય સ્તરે લાકડાના બિઝનેસમાં રૂ.૬.૧૮ કરોડથી વધુની છેતરપિંડીની સનસનાટીભરી ફરિયાદ ડભોઈ પોલીસ મથકે નોંધાઈ છે.કેનેડાની પેઢી પાસેથી મોંઘાદાટ લાકડાના ૧૪૪ કન્ટેનર મુદ્રા પોર્ટ ખાતે મગાવી, બનાવટી બિલોના આધારે કસ્ટમમાંથી માલ છોડાવી લઈને અમદાવાદના વેપારીઓએ ૬.પ૦ લાખ અમેરિકન ડોલર ચુકવ્યા ન હતા ડભોઈના મંડાળાના સૃહદકુમાર પટેલ કેનેડાના નાગરિક છે.એનઆરઆઈ વિદેશમાં ભાગીદારીમાં લાકડાનો બિઝનેસ કરે છે. દરમિયાન મિત્ર મિતુલ ભટ્ટને તેમણે ભાગીદાર બનાવ્યા હતા. મિતુલ ભટ્ટના કહેવાથી સૃહદ પટેલે અમદાવાદ સ્થિત જય જલારામ શો-મિલ સાથે લાકડાનો બિઝનેસ કરવાનું શરૂ કર્યું હતું.જે બાદ એનઆરઆઈની ભાગીદારી પેઢી દ્વારા…
ગોડફાધરોના ઈશારે સ્વપ્નો જોનારાને કોરાણે મૂકી સામાન્ય પરિવારની કાર્યકર બની વડોદરાની મેયર-શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલ બન્યા ડે.મેયરવડોદરા, વડોદરામાં ગોડફાધરોના ઈશારે મેયરના સ્વપ્ના જોનારાઓનો છેદ ઉડાડી દઈને સામાન્ય ઘરની ભાજપાની કાર્યકર ગીતાબેન મકવાણાને વડોદરાના પ્રથમ નાગરીક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલને ડે. મેયર તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મહિલા અગ્રણી વર્ષાબેન વ્યાસના નામ પર મહોર મરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી તથા દંડક તરીકે પૂર્વ કાઉÂન્સલર વિજય ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મેયર પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી…
