Author: gujarat

અમદાવાદ જીલ્લાની તમામ ITI માં નવા સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયોઅમદાવાદ, રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) કુબેરનગર ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેમજ અમદાવાદ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આઈ. ટી. આઈ. સંસ્થાઓમાં વિવિધ NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણી, ફોર્મ ભરવાની તેમજ પસંદગી પ્રક્રિયા હાલમાં ચાલુ છે.પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે સંસ્થામાં હાજર રહી ઓનલાઈન અરજી પક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી ફી રૂ. ૫૦/- નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ,…

Read More

*મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરિંગ; પ્રિવેન્ટિવ પગલાં તરીકે અસરગ્રસ્ત ૧૦ કિમી વિસ્તારમાં ‘ડીટીકિંગ’ કામગીરી તેજ*Amreli, ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર,ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી,તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.વન મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું…

Read More

‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ એક એવી જટિલ અને અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે,જેમાં બાળકના નાકના બંને છિદ્રો પાછળથી સંપૂર્ણપણે બંધ હોય છે. આવા બાળકો નાકથી બિલકુલ શ્વાસ લઈ શકતા નથી. જ્યારે તેઓ રડે છે ત્યારે જ મોં વાટે થોડો શ્વાસ લઈ શકે છે.‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી થકી નવજાત બાળકીને મળ્યું નવજીવન: આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની: આરોગ્ય રાજ્ય મંત્રીઅમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના…

Read More

પાલનપુરના સામઢી મોટાવાસ પાસેથી ૧૬.૭૨ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયુંપાલનપુર, પાલનપુર એસ.ઓ.જી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના સામઢી મોટાવાસ પાસેથી બાતમીના આધારે અલગ -અલગ માર્કાના ૧૫ કિલોના શંકાસ્પદ ઘીના ૧૭૬ ડબ્બા ભરેલા પીકઅપ ડાલા સહિત કુલ રૂ.૧૯.૭૨ લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર એસ.ઓ.જી. શાખાના પીઆઈ ડી.એમ.રાઠોડ, જે.જે.સરવૈયા, ઇન્દ્રજીતસિંહ, નટવરભાઈ, માવજીભાઈ, રાજુભાઈ વગેરેની ટીમ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલામાં શંકાસ્પદ ઘી ના ડબ્બા લઇને પસાર થનાર છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમીવાળું પીકઅપ ડાલુ આવતાં તેને…

Read More

બેફામ દોડતી કાર રસના કોલાને અથડાતાં બેનાં મોત, ત્રણ ઘાયલ-શેરડીનો રસ પીવા ઉભા હતા ત્યારે બેફામ ઝડપે આવતી કારના ચાલકે સર્જેલો અકસ્માતઆણંદ, આણંદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર અડાસ ગામના બ્રિજ નજીક વડોદરાથી અમદાવાદ તરફ જતાં રાજવી હોટલ નજીક આજે ઢળતી સાંજે પૂરઝડપે દોડતી કારનાં ડ્રાઇવરનો સ્ટેરીંગ પરનો કાબુ ચાલ્યો જતા આ કાર રોડ સાઈડના રસના કોલાને ધડાકાભેર ટકરાઈ હતીઅને હોટલ સામે જઈ ઉભી રહી હતી. અકસ્માતને કારણે ત્યાં ઉભા રહેલા બે વ્યક્તિઓનાં મોત થયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.જે ખંભોળજના હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના…

Read More

લોકઅપમાં જતા પહેલા અશોકસિંહે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ‘પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા છે.’ જે જમીનને લઈને આ આખો ખેલ ખેલાયો તે કોઈ નાની-સૂની જગ્યા નથી.અમદાવાદ, અમદાવાદના પોશ ગણાતા નહેરૂનગર વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં થયેલા ફાયરિંગના મામલે આજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ૨૭ મે થયેલા ફાયરિંગ કેસમાં આજે જ્યારે પોલીસ નિવૃત્ત ડી.વાય.એસ.પી. અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવા ગઈ ત્યારે તેમનો રોફ જોવા મળ્યો હતો.જોકે, કાયદાના સકંજામાં આવેલા નિવૃત્ત અધિકારીનો પાવર પોલીસે ક્ષણભરમાં ઉતારી દીધો હતો અને બે પોલીસ કોન્સ્ટેબલે તેમને ધક્કા મારીને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે આ…

Read More

વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા, વાપીના મેયર દક્ષાબેન પટેલ, આણંદના નવા મેયર દીપિકાબેન પટેલ, સુરતના મેયર માયાબેન માવાણી, ભાવનગરના નવા મેયર ઉષાબેન તલરેજાઅગાઉ અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મહેસાણાના મેયર સોનલબેન ઓઝા, નવસારીના ડે. મેયર કેયૂરીબેન દેસાઈ, ગાંધીધામના મેયર દિવ્યા નાથાણીની નિમણૂંક થઈ ગઈ છે.(એજન્સી) ગાંધીનગર, લાંબા સમયની રાહ બાદ આખરે ગુરુવારે સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ તથા વાપીના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરી લેવામાં આવી છે. આ સાત મનપામાં પાંચ મેયર પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે. તો જોઈ લો કયા મનપામાં કયા ઉમેદવારોને મળ્યો સત્તાનો તાજ.નોંધનીય છે કે, ૨૬મી મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી,…

Read More

ગુજરાતમાં ગરમી : ગાંધીનગરના ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’માં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન૧૫ જમ્બો કૂલર્સ,૨૦ હાઇ-ટેક સ્પ્રીન્ક્લર્સ અને વિટામિનયુક્ત આહારની વ્યવસ્થા: કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન ૪ ડિગ્રી સુધી ઘટાડાયુંસમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે,ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન‘ (ઝૂ) ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન’ હાથ ધરવામાં આવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ (GEER)ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ માસથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે,જે આગામી ચોમાસાની…

Read More