અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યાે હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે.જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, જીંઇ મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે,…
Author: gujarat
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ ૧,૦૦૦ જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને લઈને રહીશો હવે પાયમાલ થવાના ડરે વિરોધ કરી રહ્યા છે.આગામી ૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પાેરેશનનું મતદાન યોજાવાનું છે.આ મહત્વની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ કપાતનો મુદ્દો ઉછળતા સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રહીશોનો આરોપ છે કે, તેઓ નગર પંચાયતના સમયથી અહીં વસવાટ કરે છે, અને હવે અચાનક તેમના ઘર છીનવવાની તૈયારી થઈ રહી છે.કોર્પાેરેશન દ્વારા…
ગાંધીનગર, રાજ્યભરના વાતાવરણમાં મંગળવારે એકાએક પલ્ટો આવ્યો હતો. તેની વ્યાપક અસર ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાવાની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એકાએક માવઠું થતાં માણસા માર્કેટયાર્ડમાં એરંડાની ૨૦૦થી વધુ બોરીનો જથ્થો તણાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.આ ઉપરાંત માણસા શહેરમાં મંગળવારે વરસાદ દરમિયાન મકાનની દીવાલ ધસી પડતાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ બનાવમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર માણસા શહેરમાં એલ.બી.આર.ડી. સ્કૂલ અને કુમારશાળા સામે આવેલા દંતાણી વાસમાં દીવાલ પડતાં તેના કાટમાળ નીચે દંતાણી કરણ અજીતભાઈ (ઉં.૧૨ વર્ષ) દબાઈ જતા…
પાલનપુર, પાલનપુર પંથકની સગીરાને ત્રણ વર્ષ પહેલાં તેના ઘરેથી અપહરણ કરી ભગાડી બે-બે વખત ગર્ભવતી બનાવનાર આરોપી વિરુદ્ધ પાલનપુરમાં બીજા એડિશનલ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદ તથા રૂ. ૧૪ હજારનો દંડ ફટકાર્યાે હતો.પાલનપુર પંથકની ૧૪ વર્ષની સગીરાને રેવાભાઇ રાજાભાઇ કોદારવી (રહે. પેથાપુર, તા. દાંતા) લલચાવી ફોસલાવી જલોત્રા, વડગામ તાલુકાના જૂની નગરી તેમજ પાટણ અને અમદાવાદ એમ અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવાર નવાર દુષ્કૃત્ય આચરી ગર્ભવતી બનાવી બે-બે સંતાનોની માતા બનાવી દીધી હતી.આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પેશિયલ (પોક્સો) કેસ નં. ૨૬/૨૦૨૫થી પાલનપુરના સ્પેશિયલ (પોક્સો) અને બીજા એડિશનલ સેશન્સ…
સુરત: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ મહિનામાં જ દક્ષિણ ગુજરાતના પરિવહન માળખામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાથી ઘેરાયેલા રહેતા નેશનલ હાઈવે-48 (NH-48) પર હવે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે હાઈવે અત્યારે ‘ડી-કન્જેસ્ટેડ’ (ટ્રાફિક મુક્ત) દેખાઈ રહ્યો છે.એક અવલોકન મુજબ, ખાસ કરીને નવસારી (ખારેલ)-સુરત-વડોદરા અને અમદાવાદ તરફ જતો મોટાભાગનો ટ્રાફિક હવે જૂના નેશનલ હાઈવેને બદલે નવા બનેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શિફ્ટ થઈ ગયો છે. મુસાફરો અને ટ્રાન્સપોર્ટર્સ સમયની બચત અને અવરોધ વગરની મુસાફરી માટે એક્સપ્રેસવેને વધુ પસંદ કરી રહ્યા છે.NH-48 પર સૌથી વધુ અસર ટ્રકો અને ભારે વાહનોની અવરજવર પર પડી છે. અગાઉ…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી થવાનો મોટો બનાવ સામે આવ્યો છે.અજાણ્યા તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખીને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આશરે રૂપિયા ૧૮,૭૨,૯૯૦ની કિંમતના કોપર વાયરના ૧૪૭ બંડલ ચોરી લીધા છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી અંગે ચાંદખેડામાં રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અમિતકુમાર સવજીભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.તેઓ બોપલમાં ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી નિર્માણાધીન સાઇટ પર ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં કોપર વાયરના ભાવમાં સતત વધારો થતો હોવાથી તેમણે ડેવલપર દ્વારા…
કોન્ટ્રાકટરોની જવાબદારી નકકી કરવા એસઓપી બનાવવા આદેશઓક્સિજન પાર્ક અને સુંદરવનના ઝાડ સુકાઈ ગયા. અમદાવાદના બાગ બગીચાઓની માવજતમાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહયું છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સ્મશાન, હોલ કે બગીચા આપવામાં આવે છે ત્યારબાદ તેની માવજત થાય છે કે કેમ એની કોઈ જ કાળજી લેવામાં આવતી નથી.આ ઉપરાંત આઉટ સો‹સગમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોવાથી અધિકારીઓને નાગરિકોની ફરિયાદનો ઝડપથી નિકાલ કરવા તાકીદ કરી હતી તેમજ મીડિયામાં આવતા નેગેટિવ ન્યુઝને લઈને કમિશનરે અધિકારીઓને આડા હાથે લીધા હતાં.મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ મીટીંગમાં છેલ્લા બે સપ્તાહથી મુખ્ય મુદ્દો ‘નો નેગેટિવ ન્યુઝ’ રહયો…
જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ(એજન્સી)અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે. બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના કદાવર નેતા તસ્લીમ આલમ તિરમિઝીની જમીન વિવાદના એક ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્લીમ આલમ તિરમિઝી સામે ખેડા જિલ્લાના કપડવંજમાં જમીન સંબંધી ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેમના પર આરોપ છે કે તેમણે જમીન પચાવી પાડવા અથવા હડપ કરવાના હેતુથી એક ખોટા ખેડૂતનું પેઢીનામું તૈયાર કરાવ્યું હતું. આ છેતરપિંડીના આધારે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે…
જયપુરમાં ગુંજ્યો માનવતા અને પ્રતિભાનો મહોત્સવઃ ૨૦૦ પ્રતિભાઓનું સન્માન(પ્રતિનિધિ) વીરપુર, જયપુરના જગતપુરા સ્થિત સુરેશ જ્ઞાન વિહાર યુનિવર્સિટીના કાલિન્દી ઓડિટોરિયમમાં ભવ્ય ફાઉન્ડેશનના તત્વાધાન હેઠળ યોજાયેલ આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને ગ્લોબલ ડાયમંડ આઈકન એવોર્ડ–૨૦૨૬ સમારોહ માનવતા, પ્રતિભા અને સંવેદનાનો અનોખો સંગમ બની રહ્યો હતો. કેન્સર પીડિતો, ઓટિસ્ટિક તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને સમર્પિત આ કાર્યક્રમ માત્ર એક સમારોહ નહીં, પરંતુ સહાનુભૂતિ અને સેવા ભાવનાનો જીવંત ઉત્સવ સાબિત થયો હતો.આ પ્રસંગે દેશ-વિદેશ તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરનાર કુલ ૨૦૦ પ્રતિભાશાળી વ્યક્તિઓને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે ૧૫ દેશોના એવોર્ડીઝની ઉપસ્થિતિએ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય પરિમાણ આપ્યું હતું.આ ભવ્ય અવસરે મહીસાગર…
શહેરની અગ્રણી શાળાઓમાં પોસ્ટર રેલી દ્વારા ૧૦૦% મતદાનનો સંકલ્પ(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં મતાધિકારના પવિત્ર સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ મુહિમ છેડવામાં આવી છે.અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ અધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ‘સ્વેપ’ અંતર્ગત શહેરની શાળાઓમાં સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રુબ્સ હાઈસ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની અનેક શાળાઓ ઉત્સાહભેર જોડાઈ હતી.તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે વિદ્યાર્થીઓએ ચિત્રકામ, નિબંધ લેખન અને આકર્ષક…
