મુખ્યમંત્રીએ અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યોકેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક‘હેલ્સિયન‘ (Halcyon)ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કાર્યરત થયુંકેન્સરની સારવારને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં નારાયણ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.મુખ્યમંત્રીશ્રીએ આ સેન્ટરની મુલાકાત લઈ ને હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓની માહિતી મેળવી હતી.આ કેન્દ્ર‘હેલ્સિયન (Halcyon)રેડિયેશન થેરાપી સિસ્ટમ‘થી સજ્જ છે અને આ સારવાર પદ્ધતિ ખાસ કરીને અદભુત ઝડપ અને ચોકસાઈ માટે જાણીતી છે.કેન્સરના ટ્યુમરની આસપાસના તંદુરસ્ત કોષો (ટિશ્યુઝ) પર થતી આડઅસરને નહિવત કરીને હાઈ-પ્રિસિઝન,ઈમેજ-ગાઈડેડ સારવાર આ ટેક્નોલોજી દ્વારા પૂરી પાડવામાં આવશે.આ નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના પ્રારંભ સાથે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં હવે…
Author: gujarat
ખાખીમાં ધબકતું હૃદય –જ્યારે‘ગુજરાત પોલીસે‘જામીનમુક્ત મહિલાના પરિવારની ભૂમિકા ભજવીજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જિલ્લા જેલની માનવીય સંવેદનાને ઝંકૃત કરતી કામગીરીગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શનમાં નડિયાદ જિલ્લા જેલ પોલીસે વિશેષ વાહનની વ્યવસ્થા કરી અને આ સ્થળારીત (માઇગ્રન્ટ) મહિલા આરોપીને તેના વતન મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં પહોંચાડી અને પરિવાર સાથે મિલન કરાવ્યું.અમદાવાદ, વહીવટીતંત્ર જ્યારે માનવીય સંવેદનાને ઉજાગર કરે છે ત્યારે ભલભલાની આંખો ભીંજાઇ જાય છે. આવી જ ઘટના નડીયાદ જિલ્લા જેલમાં બની છે. જેલમાં રહેલી એક શ્રમિક પરિવારની મહિલા આરોપીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેને તેણીના પરિવારમાંથી કોઈ લેવા આવ્યું નહીં. આ સમયે ગુજરાત પોલીસ તેની વાલી બની…
અમદાવાદ જીલ્લાની તમામ ITI માં નવા સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયોઅમદાવાદ, રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) કુબેરનગર ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેમજ અમદાવાદ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આઈ. ટી. આઈ. સંસ્થાઓમાં વિવિધ NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણી, ફોર્મ ભરવાની તેમજ પસંદગી પ્રક્રિયા હાલમાં ચાલુ છે.પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે સંસ્થામાં હાજર રહી ઓનલાઈન અરજી પક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી ફી રૂ. ૫૦/- નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ,…
*મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરિંગ; પ્રિવેન્ટિવ પગલાં તરીકે અસરગ્રસ્ત ૧૦ કિમી વિસ્તારમાં ‘ડીટીકિંગ’ કામગીરી તેજ*Amreli, ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર,ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી,તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.વન મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું…
‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ એક એવી જટિલ અને અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે,જેમાં બાળકના નાકના બંને છિદ્રો પાછળથી સંપૂર્ણપણે બંધ હોય છે. આવા બાળકો નાકથી બિલકુલ શ્વાસ લઈ શકતા નથી. જ્યારે તેઓ રડે છે ત્યારે જ મોં વાટે થોડો શ્વાસ લઈ શકે છે.‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી થકી નવજાત બાળકીને મળ્યું નવજીવન: આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની: આરોગ્ય રાજ્ય મંત્રીઅમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના…
પાલનપુરના સામઢી મોટાવાસ પાસેથી ૧૬.૭૨ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયુંપાલનપુર, પાલનપુર એસ.ઓ.જી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના સામઢી મોટાવાસ પાસેથી બાતમીના આધારે અલગ -અલગ માર્કાના ૧૫ કિલોના શંકાસ્પદ ઘીના ૧૭૬ ડબ્બા ભરેલા પીકઅપ ડાલા સહિત કુલ રૂ.૧૯.૭૨ લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર એસ.ઓ.જી. શાખાના પીઆઈ ડી.એમ.રાઠોડ, જે.જે.સરવૈયા, ઇન્દ્રજીતસિંહ, નટવરભાઈ, માવજીભાઈ, રાજુભાઈ વગેરેની ટીમ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલામાં શંકાસ્પદ ઘી ના ડબ્બા લઇને પસાર થનાર છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમીવાળું પીકઅપ ડાલુ આવતાં તેને…
બેફામ દોડતી કાર રસના કોલાને અથડાતાં બેનાં મોત, ત્રણ ઘાયલ-શેરડીનો રસ પીવા ઉભા હતા ત્યારે બેફામ ઝડપે આવતી કારના ચાલકે સર્જેલો અકસ્માતઆણંદ, આણંદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર અડાસ ગામના બ્રિજ નજીક વડોદરાથી અમદાવાદ તરફ જતાં રાજવી હોટલ નજીક આજે ઢળતી સાંજે પૂરઝડપે દોડતી કારનાં ડ્રાઇવરનો સ્ટેરીંગ પરનો કાબુ ચાલ્યો જતા આ કાર રોડ સાઈડના રસના કોલાને ધડાકાભેર ટકરાઈ હતીઅને હોટલ સામે જઈ ઉભી રહી હતી. અકસ્માતને કારણે ત્યાં ઉભા રહેલા બે વ્યક્તિઓનાં મોત થયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.જે ખંભોળજના હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના…
લોકઅપમાં જતા પહેલા અશોકસિંહે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ‘પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા છે.’ જે જમીનને લઈને આ આખો ખેલ ખેલાયો તે કોઈ નાની-સૂની જગ્યા નથી.અમદાવાદ, અમદાવાદના પોશ ગણાતા નહેરૂનગર વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં થયેલા ફાયરિંગના મામલે આજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ૨૭ મે થયેલા ફાયરિંગ કેસમાં આજે જ્યારે પોલીસ નિવૃત્ત ડી.વાય.એસ.પી. અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવા ગઈ ત્યારે તેમનો રોફ જોવા મળ્યો હતો.જોકે, કાયદાના સકંજામાં આવેલા નિવૃત્ત અધિકારીનો પાવર પોલીસે ક્ષણભરમાં ઉતારી દીધો હતો અને બે પોલીસ કોન્સ્ટેબલે તેમને ધક્કા મારીને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે આ…
વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા, વાપીના મેયર દક્ષાબેન પટેલ, આણંદના નવા મેયર દીપિકાબેન પટેલ, સુરતના મેયર માયાબેન માવાણી, ભાવનગરના નવા મેયર ઉષાબેન તલરેજાઅગાઉ અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મહેસાણાના મેયર સોનલબેન ઓઝા, નવસારીના ડે. મેયર કેયૂરીબેન દેસાઈ, ગાંધીધામના મેયર દિવ્યા નાથાણીની નિમણૂંક થઈ ગઈ છે.(એજન્સી) ગાંધીનગર, લાંબા સમયની રાહ બાદ આખરે ગુરુવારે સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ તથા વાપીના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરી લેવામાં આવી છે. આ સાત મનપામાં પાંચ મેયર પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે. તો જોઈ લો કયા મનપામાં કયા ઉમેદવારોને મળ્યો સત્તાનો તાજ.નોંધનીય છે કે, ૨૬મી મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી,…
