આણંદ, આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક, હનુમાનજી મંદિર પાસે માતા સાથે રહેતો ૨૯ વર્ષીય પુત્ર રાત્રે આઠ વાગે ઘરેથી બાઈક લઈને માતાને આવું છું કહીને નીકળ્યો હતો.જે મોડીરાત્રે આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર તેને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં બાઇકચાલક યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ આણંદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક હનુમાનજી મંદિર પાસે ભાનુંબેન વેલાભાઈ કચ્છી પોતાના ૨૯ વર્ષીય પુત્ર હીરાભાઈ કાંતિભાઈ ગોહેલ સાથે રહે છે અને ઘરકામ કરે છે.હીરાભાઈ ગોહેલે ત્રણ વર્ષ અગાઉ છુટાછેડા લીધા હોવાથી માતા-પુત્ર સાથે રહેતા હતા અને પુત્ર હીરાભાઈ રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. સોમવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં…
Author: gujarat
ભારતમાંપહેલીવાર2200 MTક્રેનનોકમાલ: 1360ટનવજનધરાવતાપોર્ટલબીમનુંસફળલોન્ચમણિનગર–અમદાવાદ રેલખંડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક એન્જિનિયરીંગ સિદ્ધિ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ હેઠળ આજે મણિનગર–અમદાવાદ રેલખંડ પર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિયરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ ક્રમમાં કિમી 497 (BKC/મુંબઈથી અંતર) પર સ્થિત પિયર નંબર 05 પર પ્રીકાસ્ટ RCC પોર્ટલ બીમનું સફળ પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું, જે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ તકનીકી સિદ્ધિ તરીકે નોંધાયું છે.આ મહત્વપૂર્ણ કાર્ય દરમિયાન અમદાવાદ મંડળના મંડલ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા PCPM/NHSRCL, અમદાવાદના શ્રી રાજેશ અગ્રવાલની ઉપસ્થિતિ અને દેખરેખ હેઠળ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.ઉલ્લેખિત પોર્ટલ બીમ અત્યંત વિશાળ…
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર તારીખ 06 એપ્રિલ, 2026ના રોજ રેલવે સુરક્ષા બળ (RPF) ના જવાનોની સતર્કતા અને સાહસથી એક મુસાફરની જાન બચાવવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, વહેલી સવારે લગભગ 04:00 વાગ્યે ટ્રેન નંબર 09009ના પ્રસ્થાન સમયે એક મુસાફર જનરલ કોચમાં ચઢતા સમયે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર ફરજ પર હાજર હેડ કૉન્સ્ટેબલ કિશોરી લાલ બલાઈએ તરત જ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેનની ગતિ વધારે હોવાને કારણે મુસાફર તેમની પકડમાં આવી શક્યો નહોતો.તે જ સમયે સ્થળ પર હાજર RPF ની CPDS (Crime Prevention and Detection Squad) ટીમના સહાયક ઉપ નિરીક્ષક…
રાજકોટ ઉપલેટાના પડવલા ગામની ઘટના(એજન્સી) રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં એક ખેડૂત પર જૂની અદાવતમાં ફિલ્મી ઢબે જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. રાતના અંધારામાં કાળા કલરની થાર ગાડીમાં આવેલા શખ્સોએ ખેડૂતને બાઇક પરથી પાડી દઈને લોખંડના પાઇપ અને ધોકાથી ઢોર માર માર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે હુમલાખોરોએ હત્યાના ઇરાદે ખેડૂતના બંને પગ પર થાર ગાડીના ટાયર ચડાવી દીધા હતા.આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ઉપલેટાના પડવલા ગામમાં માકડીયા શેરીમાં રહેતા અને ખેતી કરતા ૪૪ વર્ષીય દિપેનભાઈ વિનોદભાઈ માકડીયા ગત ૩૦ માર્ચની રાત્રે આશરે ૧૨ વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન…
ગાંધીનગર મનપાની ર૪ કલાક પાણી આપવાની યોજના વારંવાર ખોરંભે-મેઈન લાઈનના ભંગાણનું રીપેરિંગ બે દિવસ ચાલ્યું, હવે પાણી આવશે કે કેમ…?ગાંધીનગર, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલો કરોડોની ગ્રાન્ટનો મહત્ત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેકટ સમયની સાથે અત્યંત નબળો પૂરવાર થઈ રહ્યો છે. આ પ્રોજેકટ હેઠળ રૂપિયા ૩રપ કરોડના માતબર ખર્ચે નાંખવામાં આવેલી ર૪ કલાક પાણી વિતરણના નેટવર્કમાં વારંવાર ભંગાણ પડતા યોજના નિષ્ફળ ગઈ હોવાના શહેરીજનોમાં આક્ષેપ ઉઠયા છે.શહેરના સેકટર-પ/૧૩ની ચોકડી પાસે મેઈન લાઈનમાં રવિવારે ભંગાણ પડતા સમગ્ર માર્ગ વગર વરસાદે પાણીથી તરબોળ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જૂની ડિઝાઈનની પાઈપ હોવાથી તેનો ૧૦ મીટરનો ટુકડો છેક અમદાવાદથી મંગાવવો…
સુરેન્દ્રનગરની સિટી સરવે કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની ઝાલાવાડ ચેમ્બરની ફરિયાદસુરેન્દ્રનગર, અહીની સિટી સર્વે કચેરી ૧ અને ર માં પ્રોપર્ટી કાર્ડની નોંધણીમાં થતી પારાવાર હેરાનગતિ, ભ્રષ્ટાચાર અને અકારણ વિલંબ મામલે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના ઉપપ્રમુખ દિલીપસિંહ પરમારે પત્ર દ્વારા સિટી સર્વેની કામગીરીને ફેસલેસ અને પારદર્શક બનાવવાની માંગ કરી છે.ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની રજુઆત મુજબ સામાન્ય નિયમ મુજબ ૪પ દિવસમાં થતી પાકી નોંધ માટે ૧ થી ર વર્ષ સુધીનો વિલંબ કરવામાં આવે છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ કરે છે કે વચેટીયાઓ સિવાય કોઈ કામ થતું જ નથી અને મિલકતની…
મોટી રકમની ચોરી થઈ હોવાની શક્યતાઃ સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ શહેરના માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ પોલીસ નો ખોફ રાખ્યા વિના એક સાથે ૧૪ જેટલી દુકાનોને નિશાન બનાવી તાળા /શટર તોડી ચોરી કરી હતી સ્થાનિક પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લલીતકુમાર ખેમચંદ નાનકવાણીની નગરના માર્કેટ યાર્ડમાં ‘ધનલક્ષ્મી ટ્રેડિંગ’ નામે અનાજ-કરિયાણાની દુકાન આવેલી છે આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં અન્ય પણ દુકાનો આવેલી છે દરમિયાન લલિતકુમાર અને અન્ય દુકાનદારો ગઈકાલે રાત્રિના સમયે નિત્યક્રમ મુજબ દુકાનો બંધ કરી ઘેર ગયા હતા બાદ મધ્યરાત્રી પછી…
(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદ ના ડભાણ નજીક આવેલ પંજાબ હોટલના માલિક પર બે શખ્સોએ રાત્રિના સમયે લાકડાના ડંડા અને ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. પગારના પૈસા આપવાના મુદ્દે થયેલી આ તકરારમાં હુમલાખોરોએ હોટલ માલિકના જડબાના ભાગે લાકડાનો ડંડો ફટકારતા હાડકામાં ફ્રેક્ચર થયું છે.આ મામલે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મળતી માહિતી મુજબ નડિયાદ નજીક આવેલા ડભાણ પાસેની પંજાબ હોટલના માલિક જશવંતસિંગ કરમજીતસિંગ સરદાર હોટલ પર હાજર હતા તે વખતે ગત તારીખ ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે એક વાગ્યે આકાશ ભોઈ અને અલ્પેશ પંજાબ હોટલ પર આવ્યા હતા અને જમવાનું માંગ્યું હતું.હોટલ માલિકે જમવાનું નથી તેમ…
ગો ડિજિટ કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદોજો કંપની બે માસમાં આ રકમ નહીં ચૂકવે તો તેઓએ ૯ ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે. ફોરમે ફરિયાદીના ખર્ચ પેટે વધારાના રૂપ,૦૦૦ પણ ચુકવવાનો હુકમ કર્યો છે.રાજકોટ, રાજકોટમાં ગ્રાહકોના વીમા કલેઈમ નકારવાના કિસ્સાઓ વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદી રાજકોટના કોમલબેન રાઠોડે ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ.૬,૦૦,૦૦૦નું વીમા કવચ લીધું હતુંકોમલબેન ગર્ભાશયના ગાઠના ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે તા.ર૯.૩.ર૦ર૪ થી તા.૩૧.૩.ર૦ર૪ સુધી સારવાર લીધી હતી, જેનો કુલ ખર્ચ રૂ.૯પ,૯૩૬ થયો હતો પરંતુ ગો ડિજિટ…
શિક્ષણ, આરોગ્ય અને વિકાસના ૨૦ વર્ષના માસ્ટર પ્લાન સાથે પરિવર્તનનો દાવો(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કોંગ્રેસનું કમિટેમેન્ટ’ શીર્ષક હેઠળ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક દ્વારા આ મેનિફેસ્ટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ પત્રમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓમાં ધરખમ ફેરફારો કરવાની ખાતરી સાથે શહેરના આગામી ૨૦ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આ આક્રમક અભિગમ અને જીતના દાવાને પગલે રાજકીય આલમમાં હલચલ મચી છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પક્ષ દ્વારા મોટા વચનો આપવામાં…
