Author: gujarat
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય પદાધિકારીઓની નિમણૂક બાદ 27 મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ખારીકટ કેનાલના પ્રોજેક્ટ સહિત પૂર્વ વિસ્તારમાં ચાલતી વિવિધની કામગીરીઓને લઈને વસ્ત્રાલ ખાતે સમીક્ષા કરી હતી. વસ્ત્રાલ આરટીઓ રોડ અને પૂર્વ વિસ્તારમાં તળાવ ઇન્ટરલિન્કિંગની ચાલતી કામગીરી બાબતે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પૂર્વ વિસ્તારના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક કરીને કામો ઝડપી પૂર્ણ થાય તેના માટે સૂચના આપી હતી.મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આજે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વસ્ત્રાલ આરટીઓ પાસે ખારીકટ કેનાલ પ્રોજેક્ટના કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કેનાલમાં પાણી છોડવામાં આવ્યું…
સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા -ગુજરાત હાઈકોર્ટમાંથી અગાઉ ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચકચારી અને કાળજું કંપાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યરાત્રિએ લક્ઝુરિયસ જેગુઆર કાર બેફામ દોડાવીને નિર્દોષ ૯ લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ હવે જેલની બહાર આવશે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ 27-05-2026ના રોજ તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટોળે વળેલા લોકો પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર…
ATS-કોસ્ટગાર્ડનું ઓપરેશનઃ કચ્છના દરિયામાંથી ૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું-બ્રાઝિલથી લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા, કરાચી થઈ જહાજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુકચ્છ, કચ્છમાં ફરી નશાનો સામાન ઝડપાયો છે. એસટીએસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે એટીએસે મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે ૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી એટીએસ કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.In a…
ગુજરાતમાં ઈબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો-મુંબઈથી વડોદરા આવેલા એક વેપારીમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણોઅમદાવાદઃ આફ્રિકન દેશ કોંગોમાં ફેલાયેલા ઈબોલા વાયરસથી વિશ્વભરના દેશોમાં ભારે ફફડાટ ફેલાયો અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.આ દરમિયાનમાં આફ્રિકન દેશમાંથી ગુજરાત આવી રહેલા લોકોને હોમ આઈસોલેશન રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા એક વેપારીમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બની રહ્યું છે અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ વેપારીના તમામ રિપોર્ટો ચકાસવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વેપારી થોડા દિવસ પહેલાં કોંગોથી બોમ્બે આવ્યો હતો અને ત્યાંથી…
મે 27, 2026: અખબારી અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનેપત્ર લખીને વિનંતી કરી છે.શ્રી નથવાણીએ સિંહોના મૃત્યુને અત્યંત ચિંતાજનક બાબત જણાવી હતી. “જોકે, મને પૂર્ણ વિશ્વાસ…
ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ: રાજ્યના ૨૦ રસ્તાઓ પર જૂના મટિરિયલના રિસાયક્લિંગથી નવા રોડ બનશેબજેટમાં ₹૧૧૪૭ કરોડની જોગવાઈ-આનાથી નવા પથ્થરો માટે ખાણકામ (Mining) કરવાની કે બહારથી નવું મટિરિયલ લાવવાની જરૂરિયાત ખૂબ જ ઓછી થઈ જશે.ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્પીડ અને સ્કેલ’ (ઝડપ અને વ્યાપ) ના વિઝનને સાકાર કરતા ભારતભરમાં રોડ નેટવર્કનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.આ જ વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યના રસ્તાઓના આધુનિકીકરણ અને પર્યાવરણની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં ₹૧,૧૪૭ કરોડના ભારેખમ ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ‘ક્લાઇમેટ રેઝીલીયન્ટ’ (હવામાન અનુકૂળ) અને અદ્યતન ‘ગ્રીન…
ભરૂચ સ્થિત આત્મીય હોલ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ’વેદો એ સૃષ્ટિનું આદિ જ્ઞાન અને માનવ સભ્યતાનું મૂળ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીભરૂચ સ્થિત આત્મીય હોલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રના કલ્યાણ તેમજ સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ૧૯ વર્ષની નાની વયે ૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર “દંડકમ” પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે તથા તેમની સાથેના ઘનપાઠી વિદ્વાનો સહિત કુલ આઠ જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી કરવામાં…
*ખેડૂતો માટે મહત્વના સમાચાર –ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે તા. ૨૭ મે,૨૦૨૬થી ઓનલાઇન નોંધણી શરૂ થશે*આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશેગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. ૨૭ મે,૨૦૨૬થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. ૧૦ જૂન એટલે કે,૧૫ દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.ઉનાળુ મગનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈનેVCEમારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી…
વાપીમાં ATSનો સપાટોઃ ૭૧.૩૧ લાખ રૂપિયાની કિંમતનું ૨.૩૩૭ કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો -ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પોલીસે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૭૧.૩૧ લાખ રૂપિયાની કિંમતનું ૨.૩૩૭ કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે સગા નરાધમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને…
