*ખેડૂતો માટે મહત્વના સમાચાર –ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે તા. ૨૭ મે,૨૦૨૬થી ઓનલાઇન નોંધણી શરૂ થશે*આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશેગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. ૨૭ મે,૨૦૨૬થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. ૧૦ જૂન એટલે કે,૧૫ દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.ઉનાળુ મગનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈનેVCEમારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી…
Author: gujarat
વાપીમાં ATSનો સપાટોઃ ૭૧.૩૧ લાખ રૂપિયાની કિંમતનું ૨.૩૩૭ કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો -ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પોલીસે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૭૧.૩૧ લાખ રૂપિયાની કિંમતનું ૨.૩૩૭ કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે સગા નરાધમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને…
મહાનગરપાલિકા હસ્તકના જે કોઈ પણ આંતરમાળખાકીય કામો કરવાના આવશે, તેને હું સમયમર્યાદામાં શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરાવીશઃ હિતેષ બારોટ(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને અત્યંત માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.જોકે, આ ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા, જેમાં આરોપીએ પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના ગુનાઓમાં વોન્ટેડ આરોપી…
🚨 સાબરકાંઠામાં ACBની મોટી કાર્યવાહી: આસિસ્ટન્ટ એન્જિનિયર રૂ. ૪૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા ઝડપાયાહિંમતનગર: ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (ACB) દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સરકારી બાબુઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર (સહાયક ઈજનેર) રાજદીપસિંહ શંભુજી ચાવડા રૂ. ૪૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.ના હાથે આબાદ ઝડપાઈ ગયા છે.મળતી માહિતી મુજબ, ભોગ બનનાર અરજદાર પાસે આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડા દ્વારા કોઈ કામના અવેજ પેટે ગેરકાયદેસર રીતે રૂ. ૪૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગેની સીધી ફરિયાદ એ.સી.બી.ના સત્તાવાર ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર નોંધાવી હતી.ફરિયાદના આધારે…
Ahmedabad 5 Short News: 1. નીલમ હોટલ હત્યાકાંડ: 12 વર્ષથી ‘સંજય’ બનીને ફરતો હતો મુખ્ય આરોપી*શું થયું:* 2014 માં અમદાવાદની નીલમ હોટલમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી પકડાયો. *ડિટેઇલ:* આરોપી *12 વર્ષથી નકલી નામ ‘સંજય’ થી સુરતમાં રહેતો હતો.* આધાર કાર્ડ, પાન કાર્ડ બધું નકલી બનાવ્યું. બીજા લગ્ન પણ કરી લીધા. ક્રાઇમ બ્રાન્ચને ટિપ મળતા મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ઝડપ્યો. હત્યા સમયે હોટલમાં કામ કરતો હતો. માલિક સાથે પૈસાની લેતી-દેતીમાં તકરાર થતા છરી મારી દીધી હતી. *સ્ટેટસ:* આજે કોર્ટમાં રજૂ કરાશે. રિમાન્ડ માંગશે.2. સુરતમાં 21 વર્ષના ભાજપ કાર્યકરની છરી મારી હત્યા*શું થયું:* મહેસાણા વોર્ડ નં 4 માં રવિવારે રાત્રે બનાવ. *ડિટેઇલ:*…
*કલ્પેશ પટેલ સુરત જિલ્લાંનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં વતની છે. પિતાનાં અવસાન પછી વર્ષ2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેમની કેળની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો,કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ50થી વધુ જાતની કેળની ખેતી કરે છે.**વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી છે રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જૈવિક ખાતર અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.*સંવેદનશીલ વ્યક્તિનાં જીવનમાં બનેલી કોઇ ઘટના તેના આખાય જીવનને બદલી નાંખે છે અને બીજાને માટે પથદર્શક બને છે. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં ખેડૂત કલ્પેશ પટેલનાં જીવનમાં કંઇક આવુ જ બન્યું છે.કલ્પેશ પટેલ સુરત…
