Author: gujarat

વર-કન્યા માટે2ખાસ એરકન્ડિશન્ડ(AC)રૂમ, 2575ચો. ફૂટનું મોટું કીચન અને સ્ટોરરૂમ તેમજ1710ચો. ફૂટનો વિશાળ અને સ્વચ્છ વોશરૂમ એરિયા.અમદાવાદ (સોલા) તા25મે,2026:ઉમિયા માતાજી સંસ્થાન,સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિર,આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના નિર્માણ અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી પ્રમુખ બાબુભાઈ જે પટેલ ( બી જે પી),ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાલા, સંસ્થાના મંત્રી જંયતિભાઈ પટેલ,સહમંત્રી મુકેશભાઈ બડુ,ટ્રસ્ટી સી.કે.પટેલ સોલા કેમ્પસના ચેરમેન પી.સી.પટેલ વાઇસ ચેરમેન પ્રવિણ પટેલ (ઘાટલોડિયા),કો ઓડિનેટર સુરેશ પટેલ,ખજાનચી હસમુખ પટેલ,સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ,બાંધકામ કમિટિના ચેરમેન આઈ.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શ્રદ્ધા,શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ ધરાવતા આ પ્રોજેક્ટ્સની વિગતો…

Read More

ગુજરાત સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત સિટીઝન સર્વિસિસ ડિલીવરી અંગે મહત્વના MOUગાંધીનગરમાં સંપન્નલાઈનથી ઓનલાઈન સુગમ ડિઝીટલ ઈનીશ્યેટીવને ગતિ આપતા MOUગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWSપ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એકMOUગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારેGARCની ભલામણો…

Read More

Øકેન્દ્ર સરકારનીSOPઅને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન: આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ-કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટગુજરાત હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી: આરોગ્ય રાજ્ય મંત્રીØઈબોલા વાયરસ શંકાસ્પદ દર્દીઓ માટે અમદાવાદ સિવિલ ખાતે ૩૨,સુરત સિવિલમાં ૧૦ બેડ તેમજ શંકાસ્પદ પેસેન્જરો માટે એસ.વી.પી. હોસ્પિટલ- અમદાવાદ ખાતે ૬૦ બેડની અલાયદી વ્યવસ્થા કાર્યરત*ગાંધીનગર, ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી,નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર –SOPગુજરાત સરકારને આપવામાં આવી છે,તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની…

Read More

274 ફોગિંગ મશીનો, 2000નો સ્ટાફ અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ શરૂઅમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રિ-મોન્સૂનની સઘન કામગીરી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે હાથ ધરવામાં આવી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત આરોગ્ય શિક્ષણ મારફતે કોમ્યુનિટી સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત વિવિધ સ્થળોએ IEC એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના કુલ 1591 કેસ નોંધાયા હતા, જેમાં 1347 સરકારી હોસ્પિટલમાં અને 244 ખાનગી હોસ્પિટલમાં કેસોનો સમાવેશ થાય છે. જ્યારે મલેરિયા(PV)ના 784 અને મલેરિયા (PF)ના 177 કેસ નોંધાયા હતા. જયારે વર્ષ 2026માં જાન્યુઆરીથી…

Read More

PM મોદીના ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિતGIટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશેVGRC-મધ્ય ગુજરાતજૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મઘ્ય ગુજરાત વિસ્તાર માટે વડોદરા ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC),વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે,આ પ્રદેશના હસ્તકલા ક્ષેત્રને પણ પ્રદર્શિત કરશે.આ રીજનલ કોન્ફરન્સમાં મધ્ય ગુજરાતના એવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને વિશેષ સ્થાન મળવાની શક્યતા છે,જેઓને પહેલેથી જ ભૌગોલિક સંકેત (GI)ટેગ પ્રાપ્ત થયો છે અથવાGIટેગ માટે નોંધણીની પ્રક્રિયામાં છે.GIટેગ એ અધિકૃતતાનું એક સશક્ત પ્રમાણ છે,જે એવા ઉત્પાદનોને માન્યતા આપે છે,જેની વિશેષ પ્રતિષ્ઠા અને ગુણવત્તા તેના મૂળ સ્થાન સાથે જ જોડાયેલી હોય છે.મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક અનોખી હસ્તકલાઓથી સમૃદ્ધ છે. તેમાં અમદાવાદ સોદાગરી…

Read More

ટ્રસ્ટ દ્વારા શરૂ થયું અનોખું ‘વિદ્યાદાન અભિયાન’નકામા પડેલા પુસ્તકો દાન કરી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સહભાગી થવા સાણંદના નાગરિકોને અપીલઆજના સમયમાં પણ કંઈ કેટલાય પરિવારો એવા છે જેઓ આર્થિક સંકળામણના કારણે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી અથવા તો પુસ્તકો ખરીદવાની શક્તિના અભાવે બાળકોને અડધેથી ભણતર છોડી દેવું પડે છે. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને કોઈપણ બાળક પુસ્તકોના અભાવે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે સાણંદના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘વિદ્યાદાન અભિયાન’નો એક પ્રશંસનીય પ્રારંભ કરવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક અભિયાન બેનર સાથે આ અનોખી પહેલને બહોળા સ્તરે લોકો સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ…

Read More

શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી.કેન્સર કાંતિલાલને હરાવી શક્યુ નહીં,પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘વિશાળે જગ વિસ્તારે,નથી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીપૂર્ણ જીવનશૈલી અને સામાન્ય લોકો સાથે જોડાયેલા રહેવાના કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીની સાદગીભરી જીવનશૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાને કરેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરતની મુસાફરી કરી હતી. સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ સામાન્ય મુસાફરોની વચ્ચે રહી ટ્રેનમાં…

Read More

ક્રાઇમ બ્રાંચની સોલા ભાગવત પાસે મોટી કાર્યવાહીઃ સિગારેટ, અમૂલ ઘી, ચા અને મસાલા સહિત રૂ ૩.૦૯ લાખનો ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્તઅમદાવાદ, શહેરમાં જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્‌સના પેકિંગ તેમજ લોગોની આબેહૂબ નકલ કરી નિર્દોષ ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક ચીટિંગ કરતી એક શાતિર ટોળકીનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે.એસ.જી. હાઇવે પર સોલા ભાગવત ગેટ નજીક વોચ ગોઠવીને પોલીસે નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું ગેરકાયદે વેચાણ કરતા ૩ શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ ઇન્વેસ્ટિગેશન…

Read More