Øકેન્દ્ર સરકારનીSOPઅને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન: આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ-કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટગુજરાત હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી: આરોગ્ય રાજ્ય મંત્રીØઈબોલા વાયરસ શંકાસ્પદ દર્દીઓ માટે અમદાવાદ સિવિલ ખાતે ૩૨,સુરત સિવિલમાં ૧૦ બેડ તેમજ શંકાસ્પદ પેસેન્જરો માટે એસ.વી.પી. હોસ્પિટલ- અમદાવાદ ખાતે ૬૦ બેડની અલાયદી વ્યવસ્થા કાર્યરત*ગાંધીનગર, ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી,નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર –SOPગુજરાત સરકારને આપવામાં આવી છે,તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની…
Author: gujarat
274 ફોગિંગ મશીનો, 2000નો સ્ટાફ અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ શરૂઅમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રિ-મોન્સૂનની સઘન કામગીરી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે હાથ ધરવામાં આવી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત આરોગ્ય શિક્ષણ મારફતે કોમ્યુનિટી સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત વિવિધ સ્થળોએ IEC એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના કુલ 1591 કેસ નોંધાયા હતા, જેમાં 1347 સરકારી હોસ્પિટલમાં અને 244 ખાનગી હોસ્પિટલમાં કેસોનો સમાવેશ થાય છે. જ્યારે મલેરિયા(PV)ના 784 અને મલેરિયા (PF)ના 177 કેસ નોંધાયા હતા. જયારે વર્ષ 2026માં જાન્યુઆરીથી…
PM મોદીના ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિતGIટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશેVGRC-મધ્ય ગુજરાતજૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મઘ્ય ગુજરાત વિસ્તાર માટે વડોદરા ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC),વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે,આ પ્રદેશના હસ્તકલા ક્ષેત્રને પણ પ્રદર્શિત કરશે.આ રીજનલ કોન્ફરન્સમાં મધ્ય ગુજરાતના એવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને વિશેષ સ્થાન મળવાની શક્યતા છે,જેઓને પહેલેથી જ ભૌગોલિક સંકેત (GI)ટેગ પ્રાપ્ત થયો છે અથવાGIટેગ માટે નોંધણીની પ્રક્રિયામાં છે.GIટેગ એ અધિકૃતતાનું એક સશક્ત પ્રમાણ છે,જે એવા ઉત્પાદનોને માન્યતા આપે છે,જેની વિશેષ પ્રતિષ્ઠા અને ગુણવત્તા તેના મૂળ સ્થાન સાથે જ જોડાયેલી હોય છે.મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક અનોખી હસ્તકલાઓથી સમૃદ્ધ છે. તેમાં અમદાવાદ સોદાગરી…
ટ્રસ્ટ દ્વારા શરૂ થયું અનોખું ‘વિદ્યાદાન અભિયાન’નકામા પડેલા પુસ્તકો દાન કરી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સહભાગી થવા સાણંદના નાગરિકોને અપીલઆજના સમયમાં પણ કંઈ કેટલાય પરિવારો એવા છે જેઓ આર્થિક સંકળામણના કારણે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી અથવા તો પુસ્તકો ખરીદવાની શક્તિના અભાવે બાળકોને અડધેથી ભણતર છોડી દેવું પડે છે. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને કોઈપણ બાળક પુસ્તકોના અભાવે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે સાણંદના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘વિદ્યાદાન અભિયાન’નો એક પ્રશંસનીય પ્રારંભ કરવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક અભિયાન બેનર સાથે આ અનોખી પહેલને બહોળા સ્તરે લોકો સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ…
શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી.કેન્સર કાંતિલાલને હરાવી શક્યુ નહીં,પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘વિશાળે જગ વિસ્તારે,નથી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીપૂર્ણ જીવનશૈલી અને સામાન્ય લોકો સાથે જોડાયેલા રહેવાના કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીની સાદગીભરી જીવનશૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાને કરેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરતની મુસાફરી કરી હતી. સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ સામાન્ય મુસાફરોની વચ્ચે રહી ટ્રેનમાં…
ક્રાઇમ બ્રાંચની સોલા ભાગવત પાસે મોટી કાર્યવાહીઃ સિગારેટ, અમૂલ ઘી, ચા અને મસાલા સહિત રૂ ૩.૦૯ લાખનો ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્તઅમદાવાદ, શહેરમાં જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પેકિંગ તેમજ લોગોની આબેહૂબ નકલ કરી નિર્દોષ ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક ચીટિંગ કરતી એક શાતિર ટોળકીનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે.એસ.જી. હાઇવે પર સોલા ભાગવત ગેટ નજીક વોચ ગોઠવીને પોલીસે નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું ગેરકાયદે વેચાણ કરતા ૩ શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ ઇન્વેસ્ટિગેશન…
Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 23મે, 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે19મા રોજગાર મેળા હેઠળ દેશભરમાં51,000થી વધુ નવી નિમણૂંક મેળવનારા યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા.વડાપ્રધાનેનવી નિમણૂંક મેળવનારાકર્મચારીઓને સંબોધિત કરતા તેમને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની હાકલ કરી.તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં હવે પારદર્શિતા આવી છે તથા તમામ પસંદગી મેરિટના આધારે કરવામાં આવી રહી છે.સાથે જ નિમણૂક પ્રક્રિયા પહેલાની સરખામણીમાં વધુ ઝડપી અને સરળ બની છે.19મો રોજગાર મેળો દેશભરના47સ્થળો પર આયોજિત કરવામાં આવ્યો,જેમાં વિવિધ19વિભાગોમાંથી પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા.રેલવે મંત્રાલય,ગૃહ મંત્રાલય,આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,નાણાકીય સેવા વિભાગ,ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પસંદ થયેલા ઉમેદવારોને…
વાણી મળ્યા પછી મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળતાં બાળકો રાજી રાજી!-મુખ્યમંત્રી બન્યા વાલી: કોકલીયર ઈમ્પ્લાન્ટ સહાય મેળવનારાં ૨૦ બાળકો સાથે એક્વાટિક ગેલેરી નિહાળીબાળકોના વાલીઓએ રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગામને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ ગણાવ્યોઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારાં ૨૦ બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહજ સંવાદ સાધ્યો હતો.વાત્સલ્યસભર વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ એક સ્નેહાળ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી, જેના કારણે માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું. વાણી મળ્યા પછી મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરવાની તક મળતાં બાળકો…
