(એજન્સી)સુરત, સુરત સાયબર સેલે લિંબાયત વિસ્તારમાં દરોડા પાડીને દુબઈ સ્થિત સાયબર માફિયાઓ માટે કામ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી મહારાષ્ટ્રની બેંકોના ખાતા ખોલાવી તેની કિટ દુબઈ મોકલતી હતી અને તે ખાતાઓમાં જમા થતા ફ્રોડના નાણાં એટીએમ મારફતે ઉપાડી લેતી હતી.પોલીસે આ મામલે ૨૨ વર્ષીય બીએસસી પાસ યુવક ભાવેશ શિંદેની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો હરીશ ચૌધરી અને રૂષિકેશ શિંદેને વોન્ટેડ જાહેર કર્યા છે. સાયબર સેલને મળેલી બાતમી મુજબ, ભાવેશ શિંદે અને તેના સાથીદારો લોકોને કમિશનની લાલચ આપીને અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા હતા.આ ખાતાઓની ડેબિટ કાર્ડ અને પાસબુક સહિતની બેંક કિટ દુબઈના સાયબર માફિયાઓને મોકલવામાં આવતી…
Author: gujarat
બનાસકાંઠામાં ATSનું મેગા ઓપરેશન: ડીસાના હાઈવે પર આવેલા ઢાબા પરથી પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયોડીસા: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસઓજી (SOG) એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજ્યની સરહદ પરથી આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક ધરાવતા એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારને દબોચી લીધો છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટની ગેંગ સાથે સંકળાયેલો આ આરોપી પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર હતો.સુરક્ષા એજન્સીઓને ચોક્કસ માહિતી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો કુખ્યાત બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ ડીસા હાઈવે પર વોચ ગોઠવી હતી. આરોપી…
ગાંધીનગર, ગુજરાતમાં બેફામ રીતે વાહન હંકારવા અને અકસ્માત કરીને ભાગી જવાના હિટ એન્ડ રનના વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કુલ ૯૫૯૭ બનાવો નોંધાયા છે. રાજ્યમાં જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાહન બેદરકારીથી ચલાવવાના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે.સમગ્ર દેશમાં હિટ એન્ડ રનના માર્ગ અકસ્માતના બનાવોમાં ગુજરાત મોખરાનું રાજ્ય છે.જેમાં સેંકડો વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. લોકસભામાં સડક, પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યમાં બનેલા હિટ એન્ડ રનના બનાવોની અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં દર વર્ષે પોણા બે હજારથી વધુ હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે.સમગ્ર દેશમાં આ પ્રકારના અકસ્માતમાં તમામ ૩૬ રાજ્ય અને…
અમદાવાદ, શહેરના સરખેજ વિસ્તારમાં ફોઇના ઘરે રહેતી કિશોરીને સ્નેપચેટ પર એક યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને થોડા દિવસ પહેલા યુવક લગ્નની લાલચ આપીને કિશોરીને ભગાડીને પોતાના ઘરની પાછળના ઘરમાં રાખી હતી. જ્યાં તેની સાથે અડપલાં કર્યા હતા. બીજીતરફ કિશોરીના પરિવારના સભ્યોએ દીકરીની શોધખોળ કરતા આરોપી તેને મૂકીને ભાગી ગયો હતો.કિશોરીની ભાળ મળતા સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. બોડકદેવમાં રહેતા યુવકની ૧૬ વર્ષીય પુત્રી સરખેજ ધોળકા રોડ પર આવેલા ફોઇના ઘરે રહે છે. ગત તા.૨૮ માર્ચે યુવકની પુત્રી ઘરેથી ગાયબ હતી.જેથી યુવક સહિતના લોકોએ શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી…
નડિયાદ, ડાકોરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ડુંગળા ભાગોળ વિસ્તારમાં આવેલા સત્યનારાયણ મંદિર સામે ભાડાના મકાનમાં રહેતા અને ડાકોરના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા ચિરાગ જગદીશભાઈ ભૈયાને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.અત્યંત સામાન્ય આવક ધરાવતા આ ફેરિયાના ઘરે કરોડો રૂપિયાના વ્યવહાર અંગેની નોટિસ પહોંચતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧૧ કરોડ ૮૬ લાખ રૂપિયા અને વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૭ કરોડ ૯૮ લાખ રૂપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું છે.આમ,…
મુખ્યમંત્રીએ સંબોધનમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના કાર્યોને યાદ કરી, તેમના પુત્ર હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરીઉમરેઠ, ગુજરાતમાં વિધાનસભાની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણીનો રણસંગ્રામ તેજ બન્યો છે. આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં આજે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવું જોમ પૂર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી આ સભામાં હજારોની મેદની ઉમટી પડી હતી.મુખ્યમંત્રી સભાસ્થળે પહોંચતા જ કાર્યકરોએ ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. રજની નગર સોસાયટી પાસે યોજાયેલી આ સભામાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના કાર્યોને…
અમદાવાદ ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટયો(એજન્સી)અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બનતા જ અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.શહેરના વિવિધ વોર્ડમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા વોર્ડમાં પ્રક્રિયા તેજ બની છે.ઘાટલોડિયા વિધાનસભાના બે મહત્વના વોર્ડમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગોતા વોર્ડમાં ૫૫ અને ઘાટલોડિયા વોર્ડમાં ૩૫ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હાલમાં થલતેજ અને બોડકદેવ વોર્ડમાં નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવાની કામગીરી ચાલુ છે. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો, નિકોલ વોર્ડમાં સૌથી વધુ ૮૦…
અમદાવાદ, શીલજના વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઇટલીમાં સેટલ થવાનું કહેનાર યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વકીલને રૂ. ૫૭.૯૦ લાખનો ચૂનો લગાવ્યો હતો.ચાઇનીઝ ગેંગ દ્વારા ઓપરેટ થતી આ ઠગાઈની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૬ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે ચાઇનીઝ ગેંગ માટે કામ કરતો મયૂર સાવલિયા નામનો માસ્ટરમાઇન્ડ દુબઇમાં હોઈ તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.હાલ મયૂર દુબઇની જેલમાં હોવાની વિગતો પોલીસને મળી છે. માસ્ટરમાઇન્ડ મયૂરે થાઇલેન્ડ અને લાઓસના કોલ સેન્ટરોમાં પણ કામ કર્યું છે. એડવોકેટને જે ફેસબુક પરથી સંપર્ક કરાયો હતો તે કંબોડિયાથી ઓપરેટ થતું હોવાની વિગતો પણ પોલીસને મળી છે. આ ટુકડી જરૂરિયાતમંદ લોકોના…
સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગત મહિને ઝડપાયેલા નકલી પનીરના કારખાનાનું પનીર બનાવવા ઇન્ડસ્ટ્રીયલ એસિડ ઉપયોગમાં લેવાતું હોવાનો ઘટસ્ફોટ લેબના રિપોર્ટમાં થયો છે.ગત ૫ માર્ચના રોજ એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડીને પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ધમધમતા પનીર બનાવવાના કારખાનામાંથી ૧૪૦૧ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યાે હતો. લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયેલા આ નમૂનાઓનો રિપોર્ટ આવતા તેમાં પનીર ‘સબ-સ્ટાન્ડર્ડ’ અને માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર થતા તંત્ર દ્વારા કારખાનાના સંચાલક સામે ગુનો નોંધી ગાળિયો કસવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા અહીં દૂધનો ઉપયોગ કર્યા વિના માત્ર પામોલિન તેલ અને જોખમી…
ભાવનગર, ભાવનગરમાં મોડી રાત્રે વાગ્દત્તા સાથે બહાર નીકળેલા એક યુવક પર બે અજાણ્યા બુકાનીધારી શખસોએ છરી વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી.આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતા મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.૨૫) ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં પોતાની વાગ્દત્તા સાથે સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બાઈક ઊભું રાખી તેઓ વાતો કરી રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે શખસોએ છરી બતાવી તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ માંગી હતી.સામનો કરતા હુમલાખોરોએ મનદિપસિંહને ડાબા પડખે છરીના બે ઘા ઝીંકી દીધા હતા અને મનદિપસિંહનું વોલેટ તેમજ દિશાબેનનું…
