જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શનથી બંદીવાનોના જીવનમાં આવ્યું પરીવર્તનગુજરાતની જેલોના બંદીવાનો શિક્ષણ થકી ડિપ્રેશનમાંથી બહાર આવી મુખ્ય પ્રવાહમાં જોડાયા, સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે: ડૉ. કે. એલ. એન. રાવઅમદાવાદ, જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે.આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ ૪૪ બંદીવાનોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ-૧૦માં ૨૨ અને…
Author: gujarat
અમદાવાદ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે જો ઈ-કેવાયસી (e-KYC) બાકી હોય તેવા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા જ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો વેરીફાય કરીને) પદ્ધતિથી ખૂબ જ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે છે. ખેડૂતો પીએમ કિસાન મોબાઈલ એપ (PM-KISAN Mobile App) નો ઉપયોગ કરીને નીચે મુજબના સરળ સ્ટેપ્સ દ્વારા પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે:મોબાઈલ એપ પર ઈ-કેવાયસી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા –સ્ટેપ ૧: એપ ડાઉનલોડ કરવી- સૌ પ્રથમ તમારા એન્ડ્રોઈડ મોબાઈલના Google Play Store પર જઈને “PM Kisan Mobile App” સર્ચ કરીને ડાઉનલોડ કરો. આ સાથે જ…
અમદાવાદની જય ફોર્મ્યુલેશન કંપનીના પૂર્વ MD સહિત ૩ સામે CBIએ ગુનો નોંધ્યો(એજન્સી)અમદાવાદ, અમદાવાદના આશ્રમરોડ પર હરેકૃષ્ણ કોમ્પલેક્ષમાં આવેલી ફાર્માસ્યુટીકલ કંપની મેસર્સ જય ફોમ્યુલેશન લીમીટેડ અને તેના પુર્વ ડાયરેકટરો વિરૂધ્ધ સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા સાથે રૂ.પ૭.૦પ કરોડની લોન છેતરપીડી અને બેક ફ્રોડ આચરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્સ્વેસ્ટીગેશન સીબીઆઈ દ્વારા ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં કંપનીના ત્રણ પુર્વ સંચાલકો વિરૂધ્ધ કલકતામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં પુર્વ મેનેજીગ ડાયરેકટર રક્ષીત અશ્વિનભાઈ પટેલ રહે. સેટેલાઈટ પુર્વ ડાયરેકટર કોમલ રીક્ષત પટેલ રહે. સેટેલાઈટ પુર્વ ડાયરેકટર આર્જીવ મહેશભાઈ પટેલ રહે. સેટેલાઈટ અજાણ્યા જાહેર સેવકો અને અન્ય અજાણ્યા ખાનગી વ્યકિતઓનો સમાવેશ…
આ બ્રિજ પૂર્ણ થયા બાદ એસ.જી. હાઈવે તેમજ વેજલપુર કોર્પોરેટ રોડ પર રોજિંદા ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે -AMC દ્વારા કુલ ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજની કામગીરી ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં મકરબા બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેમાં તા. ૧૮ મે ૨૦૨૬ના રોજ રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રાફિક બ્લોક આપવામાં આવ્યો હતો.આ દરમિયાન એએમસી દ્વારા કુલ ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. એએમસીના ઇજનેર વિભાગ દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન…
ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવા માટે હવે એક વેદનશીલ અને નવી જ મોડસ ઓપરેન્ડી અજમાવી છે, જેને જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેલમાં બંધ કેદીઓના પરિવારોની લાચારી અને અપેક્ષાઓનો ફાયદો ઉઠાવીને આ ગઠિયાઓ નાણાં પડાવી રહ્યા છે.સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું કહીને માધવપુરાના એક સામાન્ય પરિવાર પાસેથી ઓનલાઈન ૪૫,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કેસના આરોપીના પેરોલ મંજૂર કરાવવાના…
ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા ‘સહજાનંદ ટાવર’માં આજે (૨૨મી મે) એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.આગના પગલે સમગ્ર ફ્લેટ અને આજુબાજુના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.મળતી માહિતી અનુસાર, જીવરાજ પાર્ક ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા સહજાનંદ ટાવરના એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું…
ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક પેટ્રોલ પંપ બંધ(એજન્સી)ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી, પોરબંદર વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપ બંધ અથવા ડ્રાય આઉટ થયા છે. પંપ માલિકો મીનિમમ જથ્થો હોવાનું કહીને વેચાણ ટાળી રહ્યા છે.આ સ્થિતિને કારણે વેપાર-ઉદ્યોગ, પરિવહન અને ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકીમાં મૂકાયા છે. માલના આવ-જા પર અસર પડવાની આશંકા વધી છે. ટ્રાન્સપોર્ટરોએ બે દિવસ પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જો સત્વરે નિરાકરણ નહીં આવે તો માલવહન વ્યવસ્થા પર મોટી અસર પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ નજીક સોમનાથ-જેતપુર હાઈવે પર ડીઝલની ભારે અછત સર્જાઈ છે. હાઈવે…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થવા પામ્યો છે. એરપોર્ટ પરથી ૨૦ કિલો ગાંજા સાથે મુસાફર પકડાયો હતો. DRIએ NDPS એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત કરોડોનો ગાંજો ઝડપાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.તાજેતરમાં જ ૫૦ કરોડની કિંમતનું હેરોઈન પકડાયું હતું. ત્યાં ગત રોજ થાઈ એરવેઝમાં આવેલા મુસાફરની તપાસ હાથ ધરતા તેની બેગમાંથી ૨૦ કિલોથી વધુનો ગાંજો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ગાંજાની કિંમત કરોડોની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કસ્ટમ વિભાગે બેંગકોકથી ગાંજા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવેલ ઉત્તર પ્રદેશના મુસાફરને ઝડપી પાડ્યો છે.…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે એક ૨૭ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જે ઓનલાઈન મેટ્રિમોનિયલ અને ડેટિંગ પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસના સાયબર સેલના પીએસઆઈ તરીકે ઓળખ આપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ ભેજાબાજ યુવક AI ટૂલ્સ અને કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકલી ઓળખપત્રો બનાવીને મહિલાઓ પાસેથી પૈસા અને અન્ય સુવિધાઓ પડાવતો હતો.પકડાયેલા આરોપીની ઓળખ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ (ઉંમર ૨૭ વર્ષ) તરીકે થઈ છે. જે યોગેશભાઈ ચમનલાલ પંચાલનો પુત્ર છે. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો હતો.મેટ્રિમોનિયલ એપ્સનો ઉપયોગ કરીને આરોપીએ પ્રખ્યાત ડેટિંગ તેમજ લગ્ન માટેની એપ્સ પર રોકી પંચાલ નામે ફેક આઈડી બનાવ્યા…
