અમદાવાદની જય ફોર્મ્યુલેશન કંપનીના પૂર્વ MD સહિત ૩ સામે CBIએ ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના આશ્રમરોડ પર હરેકૃષ્ણ કોમ્પલેક્ષમાં આવેલી ફાર્માસ્યુટીકલ કંપની મેસર્સ જય ફોમ્યુલેશન લીમીટેડ અને તેના પુર્વ ડાયરેકટરો વિરૂધ્ધ સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા સાથે રૂ.પ૭.૦પ કરોડની લોન છેતરપીડી અને બેક ફ્રોડ આચરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્સ્વેસ્ટીગેશન સીબીઆઈ દ્વારા ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં કંપનીના ત્રણ પુર્વ સંચાલકો વિરૂધ્ધ કલકતામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં પુર્વ મેનેજીગ ડાયરેકટર રક્ષીત અશ્વિનભાઈ પટેલ રહે. સેટેલાઈટ પુર્વ ડાયરેકટર કોમલ રીક્ષત પટેલ રહે. સેટેલાઈટ પુર્વ ડાયરેકટર આર્જીવ મહેશભાઈ પટેલ રહે. સેટેલાઈટ અજાણ્યા જાહેર સેવકો અને અન્ય અજાણ્યા ખાનગી વ્યકિતઓનો સમાવેશ થાય છે. એસબીઆઈ કન્સ્ટોયીમના ડેપ્યુટી જનરલ મેનેજર ડીજીએમ પ્રકાશસિંહ બિષ્ટની લેખીત ફરીયાદના આધારે કલકતા સીબીઆઈએ ગુનો નોધ્યો છે.
ફરીયાદમાં જણાવ્યું છે કે, મેસર્સ જય ફોમ્યુલેશન લીમીટેડ અને તેના પુર્વ ડાયરેકટરોની આશ્રમરોડ પર રજીસ્ટડ ઓફીસ અને બાવળા ખાતે મેન્યુફેકચેરીગ પ્લાનટ ધરાવતી આ કંપની વર્ષ ૧૯૯૬થી એસબીઆઈ સાથે બેકીગ વ્યવહારો કરતી હતી. વર્ષ ર૦૧૮ થી ર૦ર૧ દરમયાન આરોપીઓના એકબીજાના મેળાપીપણામાં બેકમાંથી કરોડો રૂપિયાની ક્રેડીટ અને લોન સુવિધાઓ મેળવી હતી. આ ખાતું ર૮ જુન ર૦ર૧ના રોજ એનપીએ જાહેર થયું હતું.

