Author: gujarat

અજાણ્યા માણસોને પેઢીમાં રાખતા પહેલા ચેતી જજો- મોજશોખ અને વિદેશ જવા ૮૦ લાખની ચોરી કરનાર ઝડપાયા(એજન્સી)અમદાવાદ, અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગળિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો.આ મામલે ઝોન-૩ એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને ૮૦ લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્‌યા છે. મળતી માહિતી અનુસાર, રતનપોળની આંગળિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના રોજ સોના, ચાંદી…

Read More

ડીઝલની અછત રહેશે તો ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકના પૈડા થંભી જશે!(એજન્સી)ગાંધીનગર, ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છેકે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે.આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો…

Read More

(એજન્સી)અમદાવાદ, નિકોલ રોડ પર આવેલા એક ફ્લેટના ચોકીદારની રૂમમાં છૂપી રીતે ચાલી રહેલા ચરસના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યાે છે. પોલીસે સ્થળ પરથી એક નેપાળી મૂળના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ૮૩ હજારની કિંમતનું ૩૩૩ ગ્રામ ગેરકાયદેસર ચરસનો જથ્થો કબ્જે કર્યાે છે.જ્યારે જથ્થો સપ્લાય કરનાર પલાયન થઇ જતા તેની શોધખોળ આદરી છે. એએનટીએફ ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલ કાનબા હોસ્પિટલથી એસ.પી. રિંગ રોડ તરફ જતા રોડ પર આવેલા ‘પોલારીસ આનંદ ફ્લેટ’ના વોચમેનના રૂમમાં ચરસનો જથ્થો છૂપાવવામાં આવ્યો છે.બાતમી પાકી હોવાથી પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના બે સરકારી અધિકારીઓને પંચ તરીકે સાથે રાખ્યા હતા. ત્યારબાદ…

Read More

(એજન્સી)અમદાવાદ, ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્ય અને ન્યાયની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૦૧ ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મહત્વનો ચુકાદો આપતા પીડિત પરિવારને મોટું વળતર આપવાનો આદેશ કર્યો છે. ગોંડલની ટ્રિબ્યુનલ કોર્ટે અગાઉ આપેલા વળતરની રકમને હાઈકોર્ટે સીધી બમણી કરતાં પણ વધુ કરી દીધી છે.અકસ્માત બાદ ભોગ બનનાર વ્યક્તિ સતત ૬ વર્ષ સુધી કોમામાં રહી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. આ કરુણાંતિકા વર્ષ ૨૦૦૧થી શરૂ થઈ હતી. ૧૯ માર્ચ ૨૦૦૧ના રોજ ગોંડલના માર્કેટ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા ૪૫ વર્ષીય ભગવાનજીભાઈ ભૂતાણી પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર…

Read More

2005માં પાડોશી સાથે ઝઘડો થતાં પોતાના ભાઈ અને મિત્રો સાથે ભેગા મળીને નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નોની હત્યા કરી નાંખી હતી.મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો ‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વોન્ટેડ આરોપી નીકળ્યો-૧૨ વર્ષ બાદ અમદાવાદમાંથી ઝડપાયોમોટા પડદા પર બોલિવૂડની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર અને ‘૫૩મું પાનું’ જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું.(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર…

Read More

થલતેજ, સાબરમતી, પાલડી સહિત 17 મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ પ્લોટની ફાળવણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણની બચત કરવા લોકોને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી છે ત્યારે શહેરના મેટ્રો સ્ટેશન આસપાસ લોકો પોતાના વાહનો મૂકી અને મેટ્રો સ્ટેશન પર જઈ શકેત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ, સાબરમતી, થલતેજ સહિતના મેટ્રો સ્ટેશન નજીક 100 મીટરથી લઈને 500 મીટર દૂર પાર્કિંગ પ્લોટ શોધવામાં આવ્યા છે. મેટ્રોનો લોકો ઉપયોગ વધારે કરે તેના માટે આ પાર્કિંગ પ્લોટ શોધવા અગાઉ પણ સૂચના આપી હતી જેના પગલે હવે…

Read More

ખડોલ ગામના બે કિશોર ખેતરમાં જવા નીકળ્યા હતા ત્યારે સર્જાયેલી કરુણાંતિકાપોલીસે બંને કિશોરોના મૃતદેહને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરીઆણંદ,આંકલાવ તાલુકાના કંથારિયા માર્ગ પર મંગળવારે સાંજના સુમારે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ કિશોરોએ મોપેડ સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાથી પોતાનો જીવ ગુમાવતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામના સુથારી વગો વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સોહિલભાઈ સમસુદીન પરમાર અને ૧૩ વર્ષીય આરીફ રણજિત પરમાર પોતાનું એક્ટિવા લઈને ખડોલ ગામથી છબજીપુરા ખાતે આવેલા ખેતરમાં જવા માટે…

Read More

મૌલાના સહિત ચાર ઈસમોનું કારસ્તાનઃ યુવક સારવારમાં મોતહુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયોવેરાવળ,ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં…

Read More

ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ડીઝલના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટીગાંધીનગર,ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છેકે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી…

Read More

સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું તે કાર કબજે કરાઇઆઠેય આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં એકબીજાને સક્રિય મદદગારી કરી હતીરાજકોટ,રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા…

Read More