નેપાળી શખ્સની ધરપકડANTF ગાંધીનગરની ટીમે બાતમીના આધારે નિકોલના ફ્લેટમાં રેડ પાડી ૩૩૩ ગ્રામ ચરસ ઝડપ્યુંઅમદાવાદ,શહેરમાં નશીલા પદાર્થાેની હેરાફેરી અને વેચાણ રોકવા માટે એન્ટી નાર્કાેટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ એક મોટી સફળતા મેળવી છે. નિકોલ રોડ પર આવેલા એક ફ્લેટના ચોકીદારની રૂમમાં છૂપી રીતે ચાલી રહેલા ચરસના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યાે છે. પોલીસે સ્થળ પરથી એક નેપાળી મૂળના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ૮૩ હજારની કિંમતનું ૩૩૩ ગ્રામ ગેરકાયદેસર ચરસનો જથ્થો કબ્જે કર્યાે છે. જ્યારે જથ્થો સપ્લાય કરનાર પલાયન થઇ જતા તેની શોધખોળ આદરી છે.ANTF ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલ કાનબા હોસ્પિટલથી એસ.પી. રિંગ રોડ તરફ જતા…
Author: gujarat
NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની ટીમો સક્રિય : સાગટાળા રેન્જમાં ૧૪ નાઈટ વિઝન કેમેરા ગોઠવાયાદાહોદમાં વાઘના સંરક્ષણ અને વંશવૃદ્ધિ માટે સરકારનો એકશન પ્લાન તૈયારદાહોદ,ગુજરાત હવે ટાઈગર સ્ટેટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી દાહોદના જંગલોમાં મધ્યપ્રદેશથી આવેલા ટાઇગરે વસવાટ કર્યાે છે. હવે આ ટાઈગર કાયમી ધોરણે આ વિસ્તારમાં વસવાટ કરે તેનો વંશવેલો વધારે તે માટે સરકાર અને નેશનલ ટાઈગર કન્વર્ઝન ઓથોરેટી પ્રયાસરત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે વાઘની તમામ જાણકારીઓ તેમજ તેને લગતી તમામ માહિતીઓ, તથા વનવિભાગ તેમજ ટાઈગરના સરક્ષણ માટે કામ કરતી એજન્સીઓની ગતિવિધિઓ તેમજ કાર્ય પદ્ધતિ ખૂબ જ ગોપનીય રાખવામાં આવી છે.આ…
*રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ701લોકોનો શોધી તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું, તે જ આ ઓપરેશનની સફળતા છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*ગુજરાતભરમાં કેટલાય પરિવારો ખોયાઇ ગયેલા સ્વજનની ભાળ મળે તેની રાહ જોઇને બેઠા છે તેમના ચહેરા પર હવે સ્મિત રેલાયુ છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર બે અઠવાડિયામાં જ701લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.આ ઓપરેશન મિલાપને કારણે,કોઈ ગુમ થયેલી દીકરી ઘરે પરત ફરી છે તો,કોઈ માતા પોતાના સંતાન સાથે વર્ષો પછી ફરી મળી છે. કોઈ પરિવારે દાયકાઓ પહેલાં સ્વજનને મળવાની આશા છોડી દીધી હતી,તેને આખરે પોતાના પ્રિયજન ક્યાં રહે છે…
ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)કંપનીએ વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI)સ્થાપી છે. અહીંથી બે પાયલોટ બેચનાં કુલ201તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ પણ થઇ ગઇ છે.વડનગરમાં આવેલી આ તાલીમ સંસ્થા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં સ્કિલ ઇન્ડિયા મિશનનાં વિઝનને આગળ ધપાવે છે,જેનો હેતુ લાખો યુવાનોને ઉદ્યોગલક્ષી કુશળતા આપીને રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.વડનગર ખાતે45થી90દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા),અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન,અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ,ખંભાળિયા ખાતેનાં સોલર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા18,000થી20,000નાં સ્ટાઇપેન્ડ પર કામ કરે છે.ખાસ વાત એ છે કે, વડનગર ખાતેની આ સંસ્થામાં ભાઇઓ અને બહેનો બંને…
વર્ચ્યુઅલ બેઠકમાં આસ્ટ્રાખાન અને ગુજરાતની યુનિવર્સિટીઓ વચ્ચે સંસ્થાકીય સંબંધોને મજબૂત કરવા અંગે પણ ચર્ચા થઈગાંધીનગર, ૨૦ મે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રશિયાના આસ્ટ્રાખાન (Astrakhan) પ્રાંતના ગવર્નર ઇગોર બાબુશ્કિન વચ્ચે બુધવારે યોજાયેલી એક વર્ચ્યુઅલ બેઠક બાદ, ગુજરાત અને આસ્ટ્રાખાન વચ્ચે વેપાર, શિક્ષણ, શિપબિલ્ડિંગ (જહાજ નિર્માણ), પરિવહન અને લોજિસ્ટિક્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવા સંમતિ સધાઈ છે.રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વેપાર, શૈક્ષણિક આદાનપ્રદાન અને શિપબિલ્ડિંગ ક્ષેત્રે સહયોગને આગળ વધારવા માટે સંમત થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર’ (INSTC) પ્રોજેક્ટના ભાગ રૂપે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સહકાર આપવાની ગુજરાતની તૈયારી દર્શાવી હતી અને રાજ્યના શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રહેલી તકો…
અમદાવાદની ‘સૌદાગરી પ્રિન્ટ’ને જી.આઈ. ટેગ બાદ વૈશ્વિક કલાકારો અને ડિઝાઈનર્સ માટે આ કળા બની આકર્ષણનું કેન્દ્રઅમદાવાદના જમાલપુરથી ફ્રાન્સના ફિલ્મ ફેસ્ટિવલ સુધી છવાઈ સોદાગરી પ્રિન્ટની કળાગુજરાતનું ઐતિહાસિક શહેર અમદાવાદ માત્ર તેની આધુનિક કાપડ મિલો માટે જ નહીં, પરંતુ તેના ભવ્ય અને સમૃદ્ધ હસ્તકલાના વારસા માટે પણ જગવિખ્યાત છે. ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખાતા આ શહેરની સાંકડી ગલીઓમાં છેલ્લા કેટલાય દાયકાઓથી વિસરાઈ ગયેલી 300 વર્ષ જૂની ‘સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ’ કળાને હવે એક નવું સત્તાવાર જીવન મળ્યું છે.વર્ષ 2023માં ભારત સરકારના ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા આ અદ્ભુત હસ્તકલાને સત્તાવાર રીતે જી.આઈ. ટેગ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદના જમાલપુર ખાતે…
રાજકોટ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં ડીઝલની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતો અને સામાન્ય વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.ચોમાસું નજીક હોવાથી ખેડૂતો ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત હતા, પરંતુ બરાબર સીઝન ટાણે જ ઇંધણ ન મળતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતાં ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.આ અછતના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પંપ પર એકત્રિત થઈ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા સહિતના શહેરી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની હતી.આ અંગે એક કાર્યરત પંપના સંચાલક મહેતાભાઈએ જણાવ્યું…
વરિષ્ઠ નાગરિકો,બાળકો અને દિવ્યાંગજનોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ કામગીરીઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા, પદયાત્રીઓના સંરક્ષણ, ફૂટપાથ પર થતા વાહન અતિક્રમણને અટકાવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ફૂટપાથ અને મુખ્ય માર્ગો પર સેફ્ટી રેલિંગ અને ગ્રિલ સ્થાપિત કરવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.AMCની કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં આ કામગીરીને રોડ સેફ્ટી અને નાગરિક સુરક્ષા માટેના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘટક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરના મુખ્ય જંકશનોના પુનર્વિકાસ કાર્ય અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં પદયાત્રીઓની સુરક્ષા, ટ્રાફિકની સરળ અવરજવર, રેઇઝ્ડ ફૂટપાથ, બોલાર્ડ, ટ્રાફિક આઇલેન્ડ અને સેફ્ટી રેલિંગ જેવી સુવિધાઓનો…
વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરીસમગ્ર કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેમુંબઈ, ગુજરાતમાં એક તરફ વહીવટી તંત્ર ધોમધખતા ઉનાળામાં જળ સંચયની મોટી-મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામે લોકશાહીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી દીધા છે.ગાઢવી ગામના તાંબડમાળ ફળિયામાં વર્ષાે પહેલાં સરકારી ખર્ચે એક હેન્ડપંપ (બોર) બનાવવામાં આવ્યો હતો. આ હેન્ડપંપ ગામના ભાજપ કાર્યકર અને મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક અમરેશ તુલજી બુધલની ખાનગી જમીનમાં આવેલો…
આર્થિક લાભ ખાતર ગુનો કર્યાે હોવાનું કોર્ટનું તારણપોલીસે આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુનો નોંધીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતીઅમદાવાદ, રખિયાલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯માં ગેરકાયદે રીતે ગૌવંશના માંસનું વેચાણ કરવાના ચકચારી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ સમીર રતિલાલ સંગાણીએ આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીને ગુનેગાર ઠરાવીને આઠ-આઠ વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ ત્રણેય આરોપીઓને રૂ. ૨-૨ લાખનો દંડ પણ કર્યાે છે. માંસની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દાેષ છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટે ચુકાદો આપતી વખતે મહત્ત્વની નોંધ લીધી હતી કે, આરોપીઓએ આ કૃત્ય કોઈ ઉશ્કેરણી હેઠળ આવીને નથી કર્યું, પરંતુ માત્ર…
