આજે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છેવિશ્વ મધમાખી દિવસ: ખેડૂતોની આર્થિક પ્રગતિનું ‘મીઠું‘ માધ્યમ –ખોરાકમાં વપરાતા અનાજ, ફળો, શાકભાજી ઉગાડવામાં પણ મધમાખીની મહત્વની ભૂમિકાવિશ્વ મધમાખી દિવસ દર વર્ષે 20 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમ જાળવવામાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેમના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી આજે ખેડૂતો સમૃદ્ધિના શિખરો સર કરી…
Author: gujarat
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિજ્યારે આપણે ઘરો સુધી સીમિત પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીશું, ત્યારે આ લોકલ ઇનોવેશન્સ દેશના વિકાસ માટે એક સબળ ચાલકબળ સાબિત થશે :- કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘવિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી લોકલ ઇનોવેશન્સ અને ટ્રેડિશનલ વિઝડમને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવા મહત્વપૂર્ણ નેશનલ વર્કશોપનો શુભારંભકેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ…
આહિર પરિવારને કલ્યાણપુરમાં અકસ્માત નડ્યોફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતીખંભાળિયા,દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર ૧ કિલોમીટર દૂર ચાલુ કારમાં અચાનક આગ લાગતા પિતા અને પુત્રીનું કારની અંદર જ જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા માતાનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.મળતી માહિતી મુજબ, રાજકોટમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો આહિર પરિવાર કલ્યાણપુરના રણજીતપુર ગામે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા…
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’!ઈવી પોલિસીનો મોટાઉપાડે એલાન કરી દીધુ પણ સરકારે ઈવી વાહનોનું વધુ વેચાણ થાય તે માટે ઝાઝો રસ દાખવ્યો નહીઅમદાવાદ,પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવવધારાથી સામાન્ય નાગરિકની કમર ભાંગી ગઈ છે, ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે સરકાર ગમે તેટલી ડિજિટલ પીપૂડી વગાડે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત છેક ૧૬મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. વાહન ચા‹જગ પોઈન્ટ ઉપલબ્ધ કરાવવાની બાબતમાં રાજ્ય દેશમાં ૨૨મા ક્રમે અને કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવવામાં ૨૭મા ક્રમે ફસડાયું છે.આ આંકડા સાબિત કરે છે કે સરકાર પાસે માત્ર ભાષણોનું જ રિચાર્જ…
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો!સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મામલો ગરમાયો છેઅમદાવાદ,ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓને મોટી વોટબેન્ક ગણાતો દલિત સમાજ અચૂક યાદ આવે છે. મતદારોને રીઝવવા માટે નેતાઓ ભલે દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લેતા હોવાના ફોટા પડાવે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ ગ્રામીણ સ્તરે દલિતો સામેનો ભેદભાવ યથાવત્ હોવાનું સાબિત કરતી ત્રણ અલગ-અલગ ઘટનાઓ માત્ર ત્રણ દિવસમાં સામે આવી છે, જેણે સામાજિક સમરસતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં દલિત સમાજ પર થઈ રહેલા…
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પુસ્તકે પ્રગતિશીલ ખેડૂતને મધમાખી પાલન તરફ વાળ્યામધ-ક્રાંતિના મશાલચી શ્રી હરસુખભાઈ ભીમાણી દર વર્ષે ૨૦,૦૦૦ કિલો મધના ઉત્પાદન દ્વારા મેળવે છે વાર્ષિક રૂ. ૧૦ લાખની ચોખ્ખી આવકશ્રી હરસુખભાઈ મધમાખી વ્યવસ્થાપનની નિપુણતાના કારણે અંબાણી પરિવારના‘વનતારા‘ખાતે મધમાખી ઉછેર પ્રકલ્પમાં સહયોગ આપી રહ્યા છેજામનગરના જોડિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રી હરસુખભાઈ ભીમાણી આજે ગુજરાતમાં મધક્રાંતિના મશાલચી બન્યા છે. એક સમયે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરતા શ્રી હરસુખભાઈ આજે વર્ષે ૨૦ હજાર કિલો મધનું ઉત્પાદન કરે છે અને તેમાંથી રૂ. ૧૦ લાખની ચોખ્ખી આવક મેળવે છે.આયુર્વેદ યુનિવર્સિટી સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા શ્રી હરસુખભાઈને એ સમજાઈ ગયું હતું કે મધ એ…
30 વર્ષના યુવાન પાર્થ રાવલની દિવ્યાંગતા પર ભારે પડતી તેની જીવવાની ધગશરોજબરોજની તકલીફો સામે પણ અડગ આત્મવિશ્વાસ સાથે વ્હીલચેર પર બેસીને ‘સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ’ બનવાની ઝંખના સેવતો અનોખો યોદ્ધા પાર્થપાર્થ પગ અને અંગૂઠા દ્વારા લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું અદભુત સંચાલન કરે છે! જે કીબોર્ડ પર સામાન્ય લોકો દસ આંગળીઓથી ટાઈપ નથી કરી શકતા, ત્યાં પાર્થ પોતાના પગના અંગૂઠાથી સડસડાટ શબ્દો લખે છે.અમદાવાદ, જ્યારે નિયતિ જન્મથી જ કોઈના રસ્તામાં કાંટા વેરી દે, ત્યારે મોટાભાગના લોકો નસીબને દોષ આપીને બેસી જાય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે એ કાંટાઓને જ પોતાનો રસ્તો બનાવી લે છે. આવી જ એક હૃદયસ્પર્શી…
મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ સ્વ-ગણતરી (Self -Enumeration)અભિયાનમાં સહભાગી થયા-*સરકારી અધિકારી અને કર્મચારીઓને અભિયાનમાં જોડાવાની મુખ્ય સચિવશ્રીની અપીલ*ગાંધીનગર, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા ખાસ ‘સ્વ-ગણતરી‘ (Self-Enumeration)અભિયાનમાં સહભાગી થયા. મુખ્ય સચિવશ્રીએ ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો જાતે ભરી આ ડિજિટલ સેવાનો લાભ લીધો. આ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે,આ પદ્ધતિને અત્યંત સરળ અને પારદર્શી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૬૦ હજારથી વધુ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે.તેમણે આ અવસરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ નવી ડિજિટલ સુવિધાને કારણે…
ગાંધીનગરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ(પ્રતિનિધિ)અમદાવાદ, એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત દ્વારા ગાંધીનગરમાં વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવીનચંદ્ર રાવલને રૂ. ૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.એ.સી.બી. પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી બાંધકામ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમનું કામ કરે છે. આ કામમાં પેસિવ ફાયર સિસ્ટમના પ્રમાણપત્રોને માન્ય રાખવા અને એન.ઓ.સી. સંબંધિત પ્રક્રિયા માટે આરોપી અધિકારીએ કુલ રૂ. ૫ લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી સત્તાવાર ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ એ.સી.બી.એ આયોજનબદ્ધ રીતે…
