*શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો*ગાંધીનગર, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન,ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ,૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે,સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત…
Author: gujarat
સોમનાથના માછીમારો માટે ગર્વની વાત: PM મોદીએ ‘મન કી બાત’માં તેમને ‘સાગરના યોદ્ધાઓ’ ગણાવ્યાસોમનાથ, ૩૦ માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૩૨મા એપિસોડમાં માછીમાર સમુદાયના કરેલા વખાણને ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોએ ઉમળકાભેર વધાવી લીધા છે. માછીમારોનું કહેવું છે કે આ માન્યતાએ તેમના મનોબળમાં વધારો કર્યો છે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે.પ્રસારણ દરમિયાન, વડાપ્રધાને માછીમારોને “સાગરના યોદ્ધાઓ” અને “આત્મનિર્ભર ભારતના કરોડરજ્જુ” તરીકે ઓળખાવ્યા હતા. તેમણે અર્થતંત્ર અને ખાદ્ય સુરક્ષામાં તેમના પ્રદાનનો સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીએ ટેકનોલોજી, વીમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ઓડિશાની સુજાતા ભુયાન…
AMA દ્રારા ૧૬મા ડૉ. લલિતા અય્યર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરાયું:નાસા સાથે જોડાયેલા એસ્ટ્રોફિઝિસ્ટ ડૉ. એકતા શાહે“હર સ્પેસ,હર સ્ટોરી” વિષય પર સંબોધન કર્યુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા“હર સ્પેસ,હર સ્ટોરી:વિમેન શેપીંગ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન થ્રુ લીડરશીપ,લર્નિંગ,એન્ડ લીગસી”વિષય પર જાણીતા એસ્ટ્રોફિઝિસ્ટ,ડેટા સાયન્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચ મેન્ટર ડૉ. એકતા શાહ દ્રારા સંબોધિત ૧૬મા ડૉ. લલિતા અય્યર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો. શાહ બ્રહ્માંડની પ્રારંભિક વિશાળ સંરચનાઓના મેપિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. છ નવી આકાશગંગા પ્રોટોસ્ટ્રક્ચર્સની તેમની ગ્રાઉન્ડબ્રેકિંગ શોધ—જેમના નામ ભારતીય છ ઇન્દ્રિયો પરથી: દ્રષ્ટિ,સુરભિ,સ્પર્શ,રુચિ,સ્મૃતિ અને શ્રવણ રાખવામાં આવ્યા છે—તે હવે યુએસએ અને યુરોપના સંશોધન જૂથો માટે મુખ્ય સંદર્ભ બની ગઈ છે.મુખ્ય…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ના ૧૩૨મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૨ સંસ્કરણમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની પાયલ મુંજપરાની પ્રેરણાદાયી સફળતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પાયલે ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના‘ હેઠળ ‘સૂર્ય પહેલ‘ દ્વારા સોલર પાવર ટેકનોલોજીની તાલીમ લીધી અને ૪ મહિનાનો Solar PV Technician કોર્સ પૂર્ણ કર્યો.આજે પાયલ માત્ર એક કુશળ સોલર ટેકનિશિયન જ નહીં, પરંતુ એક સફળ સોલર ઉદ્યોગસાહસિક (Entrepreneur) તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે. પાયલની આ સફર દર્શાવે છે કે કેવી રીતે આ સરકારી યોજનાઓ જયપુર, મેરઠ તેમજ ઉત્તર-પૂર્વ સહિત દેશના છેવાડાના વિસ્તારોમાં…
પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી ઓચિંતું રાજીનામું લઈ લેવાયું ત્યારે સમગ્ર ગુજરાતના ભા.જ. પ.માં આશ્ર્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.એ પછી વિધાનસભાના આઠમા સત્રમાં સુરતના પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાનું ઉપાધ્યક્ષ પદ પહેરાવવામાં આવ્યું.પરંત નવાઈ લાગે એવી વાત એ છે કે પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા હતા. અરે,તા.૨૪/૩/૨૬ના રોજની પ્રશ્નોતરીમાં જેઠા ભરવાડનો પ્રશ્ન સૌથી પહેલો હતો તો પણ તેઓ ગૃહમાં હાજર નહોતા રહ્યા.એ સામે નવા ઉપાધ્યક્ષને…
BRTS બસના અકસ્માતોનો આંકડો છેલ્લા આઠ વર્ષમાં ર,૦૦૦ને પાર(એજન્સી)અમદાવાદ, અમદાવાની કહેવાતી સ્માર્ટ જાહેર પરીવહન સેવા હવે નાગરીકો માટે ભયનું કારણ બની રહી છે. શહેરના રસ્તાઓ પર દોડતી એએમસી જનમાર્ગની બીઆરટીએસ બસો અકસ્માતોની હારમાળા સર્જી રહી છે.છતાં અમદાવાદ જનમાર્ગ લીમીટેડ અને પોલીસ વિભાગ યોગ્ય રીતે કામ નથી કરી રહયું મ્યુનિ. વિપક્ષે બજેટ બેઠક દરમ્યાન રજુ થયેલા આંકડાઓના આધારે આક્ષેપ કર્યો છે. કે છેલ્લા આઠ વર્ષમાં બીઆરટીએસ બસોના અકસ્માતોના આંકડો ર૦૦૦ને પાર પહોચી ગયો છે. ખાસ કરીને વર્ષ ર૦રરમાં ૪૦૦થી વધુ અકસ્માતો નોધાયા હતા અને તેમાં ૪ લોકોનાં મૃત્યુ થયા હતા.છતાં તંત્ર તરફથી અકસ્માતો રોકવા કોઈ નકકર નીતી કે કડક અમલ દેખાતો…
100 થી વધુ હાઇ-પરફોર્મન્સ GPUs ઉપલબ્ધ કરવામાં આવશે, જે રાજ્યના સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપયોગી બનશે.Gandhinagar, AI સ્ટાર્ટઅપ સંવાદ”ના સફળ આયોજન બાદ, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર હેઠળ, રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.આ પહેલ મુખ્યમંત્રીશ્રી શ્રી ભુપેન્દ્ર પટેલના ટેકનોલોજી આધારિત અને નાગરિક કેન્દ્રિત શાસનના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે.આ પહેલના ભાગરૂપે, ભારત સરકારની IndiaAI Mission હેઠળ આધુનિક AI કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી રહ્યું છે. તેમાં 100 થી વધુ હાઇ-પરફોર્મન્સ GPUs ઉપલબ્ધ કરવામાં આવશે, જે રાજ્યના સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપયોગી…
અમદાવાદ, કોર્પાેરેટ લોન આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી પોલીસ સકંજામાં આવી છે. પોલીસે આ ગેંગના ચાર આરોપીની ધરપકડ કરીને બોડકદેવ અને સેટેલાઇટના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ કરોડોની લોન બેંક કરતા અડધા વ્યાજે આપવાની લાલચ આપીને રૂપિયા પડાવતા હતા. આરોપીઓએ આસામ અને તામિલનાડુના બે વેપારી પાસેથી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.શહેરના બોડકદેવ તથા સેટેલાઇટમાં ખોટી કંપનીના નામથી ઓફિસ ભાડે રાખીને કેટલાક શખ્સો ઠગાઇ આચરતા હતા. આરોપીઓ આંતરરાજ્યના વેપારીઓનો સંપર્ક કરીને ખોટી ઓળખ આપીને ઓફિસે મીટિંગ કરીને બેંક કરતા અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને વિવિધ ચાર્જ પેટે રૂપિયા વસૂલીને છેતરપિંડી આચરતા હતા. આ મામલે સેટેલાઇટ અને બોડકદેવ પોલીસ…
અમદાવાદ, સાયન્સ સિટી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસ ધરાવીને સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આધેડ સાથે વિચિત્ર પ્રકારનું સાયબર ળોડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.કોઇ ગઠિયાઓએ આધેડનું ઇ-સીમ બ્લોક કરાવીને બંધ કરાવી દીધું હતું. જે બાદ નેટ બેંકિંગનો ઉપયોગ કરીને રૂપિયા ૧.૦૭ કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડે નવું સીમ કાર્ડ લઇને ઓનલાઈન બેંકની ડિટેઈલ તપાસી ત્યારે કુલ ૧૫ જેટલા ટ્રાન્ઝેક્શનથી એક કરોડ રૂપિયા જતા રહ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો.જેથી આધેડે આ મામલે સાયબર ક્રાઇમને જાણ કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસીસ હાથ ધરીને તપાસ શરૂ કરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા ૫૩ વર્ષીય જીતેન્દ્રકુમાર પટેલ ક્રિષ્ના કન્સ્ટ્રક્શન…
સુરત, યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના માર્ગાે અવરોધાતા સુરતના કાપડ બજારમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. ખાસ કરીને યુરોપ અને ગલ્ફ દેશોમાં થતી મોટાપાયે નિકાસ હાલ અટકી પડી છે અને ઓર્ડર્સમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે સુરતના વેપારીઓ પાસે તૈયાર કાપડનો સ્ટોક સતત વધી રહ્યો છે.આ સ્થિતીમાં અનેક ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે. નવી પ્રોડક્શન સાયકલ ખોરવાતા આખા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના જીતુભાઈ વખારિયા કહે છે કે, બીજી તરફ, યુદ્ધને કારણે ઉર્જા અને કાચા માલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. યાર્ન, કલર-કેમિકલ અને કોલસા…
