પોલીસ તપાસ પક્ષપાતી હોવાનો અને સીડીઆર અને સીસીટીવી ફુટેજ ગાયબ કરાયા હોવાનો ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો.(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં વર્ષ ર૦ર૪માં મંદીરના પાટોત્સવની પત્રીકામાં નામ લખવા જેવી નજીવી બાબતે એક જ સમાજના બે જેથો વચ્ચે થયેલી ખુની અથડામણના કેસમાં નવો વળાંક આવ્યો છે.આ ચકચારી રાયોટીગ વિશ્વ મર્ડર કેસમાં સંડોવાયેલા ગાંધીનગરના તત્કાલીન ટ્રાફીક પોલીસ ઈન્સ્પેકટર ગોવિંદભાઈ કે. ભરવાડ વિરૂધ્ધ પુરતા પુરાવા ન મળ્યા હોવાનું દર્શાવી પોલીસે અદાલતમાં ‘ સમક્ષ રજુ કરવા તાકીદ કરી છે. નોધનીય છે કે પોલીસ તપાસ પક્ષપાતી હોવાનો અને સીડીઆર અને સીસીટીવી ફુટેજ ગાયબ કરાયા હોવાનો ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો.ર૪ એપ્રિલ ર૦ર૪ ના રોજ વસ્ત્રાપુર વિસ્તારોના એક મંદીરના…
Author: gujarat
IAS અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપાયા(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યપાલના આદેશથી અનેક આઈએએસ અધિકારીઓની બદલી, નવી નિમણૂક અને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે.આ ફેરફારોને રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોમાં વહીવટી ગતિ અને સંકલન વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.આ ફેરફારોમાં સૌથી મહત્વપૂર્ણ નામ ડૉ. રતનકંવર ગઢવીચારણનું છે. તેઓ હાલમાં કમિશનર (આરોગ્ય, ગ્રામીણ) તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકાર દ્વારા તેમને હવે કમિશનર, ન્યુટ્રીશન મિશન, ગાંધીનગરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આરોગ્ય અને…
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થઈવડોદરા, વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ઊભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર ૬ઈ૬૫૭ માં આ ગંભીર ઘટના ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે ૦૮.૫૦ વાગ્યાથી લઈને ૦૯.૧૫ વાગ્યા સુધી (આશરે ૨૫ મિનિટ) અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય…
કંપની સામે FIRના આદેશ અને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ-કોન્ટ્રાક્ટરને કામ કર્યા વગર રૂ.76,17,906.28નું ચૂકવણુ કરવામાં આવ્યું-કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી, કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક, તથા સિનિયર ક્લાર્ક, પૂર્વઝોન ઇજનેર ખાતા પ્રિ ઓડિટર આર.એસ પટેલના પ્રતિનિધિઓના નિવેદનો લીધાAMC દ્વારા જવાબદારો પાસેથી કુલ રૂ.81,70,931.31ની વ્યાજ સહિત રીકવરી કરવામાં આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.AMCના વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને…
નિકોલના ‘આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સમાંથી રૂ.૧.૧૧ કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈઅમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ‘આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ આયોજનબદ્ધ રીતે અંદાજે ૧.૧૧ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી આચરી હતી. આ ઘટના બાદ કેટલાય દિવસોથી ફરાર આરોપી સેલ્સ ગર્લ અને તેના પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી જ ધરપકડ કરી લીધી છે.નિકોલમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ અનુસાર, શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક વેરિફિકેશન (ઓડિટ)…
સેટેલાઈટમાં મહિલાએ ૭માં માળેથી પડતું મૂક્યું(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મન વિચલિત કરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક ૪૮ વર્ષીય મહિલાએ રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદીને મોત વ્હાલું કરી લીધું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ રિકવર કરી છે, જેમાં મહિલાએ પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ગણાવ્યા હોવાનું લખ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.માનસિક રીતે બીમાર હતી, ૭માં માળેથી ચંપલ મળ્યા ‘વીરા તલાવડી બાજુ રહેતી આશરે ૪૫થી ૫૦ વર્ષની…
ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો જય-આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા-જય દલાલ MLA સંગીતા પાટીલના નજીકના ગણાતા જયશ્રી દલાલનો પુત્ર(એજન્સી)સુરત, શહેરમાં ભાજપના યુવા નેતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ડીંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની ઉધના વિસ્તારમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.નોંધનીય છે કે, જય દલાલ એમએલએ સંગીતા પાટીલના નજીકના ગણાતા જયશ્રી દલાલનો પુત્ર છે. યુવકની હત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, વ્હાલસોયા દીકરાને ગુમાવવાને કારણે પરિવારમાં આક્રોશ અને આક્રંદ જોવા મળી રહ્યો છે. જય દલાલની સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા…
(એજન્સી)રાજકોટ, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા છે. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું રવિવારે મોત થયું હતું. બંને મિત્રોને દારુ પીવાની ટેવ હોવાનો પણ ખુલાસો થયો હતો.ક્રાઈમબ્રાંચની ટીમે બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. જીણા ભગત નામના બુટલેગર પર મૃતકના પુત્રએ આરોપ લગાવ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો કે દારૂમાં કેમિકલ અથવા કંઈક ભેળવ્યું હોવાની આશંકા છે. પિતાએ પોલીસને જીણા ભગતનું એડ્રેસ બતાવતા કાવતરું રચાયું હોવાનો આરોપ લાગ્યો છે. જીણા ભગત વર્ષોથી બુટલેગર…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને મરામતના કામોની ગુણવત્તા, પારદર્શિતા અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.આ નવા સરક્યુલર મુજબ હવેથી ઇજનેર, વહીવટ અને પ્રિ-ઓડિટ વિભાગે બિલિંગ અને મેઝરમેન્ટ બુક રેકોર્ડ કરવા માટે એક ચોક્કસ અને ચુસ્ત કાર્યપદ્ધતિનું પાલન કરવાનું રહેશે.આ હેઠળ પ્રોજેક્ટની અંદર કેટલી કામગીરી થઈ છે અને મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો આપવાની રહેશે. આ સાથે જ સંપૂર્ણ પ્રોજેક્ટમાં કેટલાં જથ્થાને નક્કી કરવામાં આવ્યો છે તેમાંથી કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ વિગતો વેરિફિકેશન કરીને આપવાની રહેશે.આ…
૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને ૧૪ વર્ષથી નાના તમામ બાળકોને ૬ મહિના સુધી “રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ” અપાશેગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને એક વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી…
