પોલીસ તપાસ પક્ષપાતી હોવાનો અને સીડીઆર અને સીસીટીવી ફુટેજ ગાયબ કરાયા હોવાનો ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો.
(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં વર્ષ ર૦ર૪માં મંદીરના પાટોત્સવની પત્રીકામાં નામ લખવા જેવી નજીવી બાબતે એક જ સમાજના બે જેથો વચ્ચે થયેલી ખુની અથડામણના કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ ચકચારી રાયોટીગ વિશ્વ મર્ડર કેસમાં સંડોવાયેલા ગાંધીનગરના તત્કાલીન ટ્રાફીક પોલીસ ઈન્સ્પેકટર ગોવિંદભાઈ કે. ભરવાડ વિરૂધ્ધ પુરતા પુરાવા ન મળ્યા હોવાનું દર્શાવી પોલીસે અદાલતમાં ‘ સમક્ષ રજુ કરવા તાકીદ કરી છે. નોધનીય છે કે પોલીસ તપાસ પક્ષપાતી હોવાનો અને સીડીઆર અને સીસીટીવી ફુટેજ ગાયબ કરાયા હોવાનો ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો.
ર૪ એપ્રિલ ર૦ર૪ ના રોજ વસ્ત્રાપુર વિસ્તારોના એક મંદીરના પાટોત્સવની પરીક્રમા નામ લખવાની બાબતમાં એક જ સમાજમાં બે જુથો વચ્ચે ભારે અથડામણ થઈ હતી અને જોરદાર પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન એક વૃદ્ધ મહિલાને ભયંકર રીતે પથ્થર વાગતાં ગંભીર ઈજાને કારણે તેમનું કરૂણ મોત નીપજયું હતું.
આ કેસમાં ગાંધીનગરમાં ટ્રાફીક પીઆઈ જી.કે. ભરવાડ સહીતના ટોળા સામે રાયોટીગ વીથ મર્ડરનો ગુનો દાખલ થયો હતો. આ ગુનો સંદર્ભે પોલીસે તપાસ કરતા પીઆઈ જી.કે. ભરવાડ વિરૂધ્ધ કોઈ પુરાવા નહી મળતાં તેમની અલગતી બી સમરી કોર્ટમાં ભરી હતી અને ફરીયાદી વિરૂધ્ધ કાર્યવાહીન કરવા મંજુરી માગી હતી. જયારે કેસના અન્ય સાત આરોપીઓ વિરૂધ્ધ વિવીધત ચાર્જશીટ દાખલ કરાયેલું છે.
આ ચકચારભર્યા કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા હત્યાની કલમો રદ કરીને સપરાધ મનુભાઈ કલમ લગાવવામાં આવી છે. તપાસનીશ અધિકારી દ્વારા રજુ કરાયેલા બી-સમરી રીપોર્ટ સામે ફરીયાદી પક્ષ દ્વારા કોર્ટમાં પ્રોટેસ્ટ પીટીશન દાખલ કરીને ઉગ્ર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં ફરીયાદ પક્ષે રજુઆત કરી હતી કે, તપાસનીશ અધિકારીઓે આરોપી પીઆઈના મોબાઈલમાં લોકેશનની કોલ ડીટેઈલનો સમરી સાથે રજુ કરી નથી.

