Author: gujarat

રાજકોટ, રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી બળાત્કારની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ વીડિયો વાઇરલ કરી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યાે છે.યુવકે વીડિયોમાં આક્ષેપ કર્યાે છે કે, શિક્ષિકાએ તેને ‘હિડન બોયફ્રેન્ડ’ બનાવી રાખ્યો હતો અને હવે વિદેશમાં સેટ થવા માટે રૂપિયા પડાવવાના આશયથી તેને ખોટી રીતે બળાત્કારની ફરિયાદમાં ફસાવીને બદનામ કર્યાે છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વિદ્યાર્થીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સામે થયેલી ફરિયાદ તદ્દન ખોટી છે. ડિવોર્સી શિક્ષિકા અન્ય વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનમાં હોવા છતાં તેને હિડન બોયળેન્ડ તરીકે રાખતી હતી .યુવકના જણાવ્યા અનુસાર, શિક્ષિકા તેનાથી ઉંમરમાં…

Read More

જામનગર, જામનગરના વુલનમીલ વિસ્તારમાં ગુમ થયેલી એક વિધવા મહિલાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આડા સંબંધોમાં પૈસાની માંગણીથી કંટાળીને એક યુવકે મહિલાની હત્યા કરી તેની લાશને બે દિવસ સુધી કોથળામાં ભરી બંધ મકાનમાં છુપાવી રાખી હતી.જે પુત્રની માતાની હત્યા કરી હતી, તે જ પુત્ર સાથે હત્યારો પોતે પોલીસ સ્ટેશન અને શોધખોળમાં સાથે ફરતો હતો. આખરે લાશમાંથી દુર્ગંધ આવતા ગભરાયેલા હત્યારાએ ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે.શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની ૪૦ વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા નામની વિધવા ગત તા. ૨૩ માર્ચના રોજ…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૧૦૦ ટકા સ્ટેટ ટોપ-અપ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. ૫૦ હજારની સહાય: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાPM-JANMANયોજના અંતર્ગત આદિમજૂથના નાગરિકોને આવાસ નિર્માણ માટે રૂ. બે લાખની સહાયવિધાનસભા ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળના લાભાર્થીઓને આર્થિક મદદ માટેની‘સ્ટેટ ટોપ-અપ યોજના’ની વિગતો આપતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકનું ‘ઘરના ઘરનું’ સ્વપ્ન પૂર્ણ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ૧૦૦ ટકા રાજ્ય ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ અંગે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬થી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જેમના આવાસનાં કામો આર્થિક કારણોસર અધૂરા રહી ગયા હોય,તેઓ વધુ…

Read More

ગાંધીનગર, ૨૮ માર્ચ: ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાઇનાન્શિયલ હબ તરીકે સ્થાપિત કરતા ગુજરાતના GIFT સિટીએ નાણાકીય પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય સહભાગિતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને “આર્થિક વિકાસને વેગ આપતી એક વાઈબ્રન્ટ રિયાલિટી” ગણાવી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જે પ્રોજેક્ટનું સપ્નું જોયું હતું, તે હવે માત્ર એક વિચારધારા મટીને સંપૂર્ણ રીતે કાર્યરત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ બની ગયો છે.મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, “આ સ્કેલ ભારતની નાણાકીય માળખાગત સુવિધાઓમાં વધતા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે. જે એક સાહસિક અને ભવિષ્યવાદી વિચાર તરીકે શરૂ થયું હતું, તે આજે ગુજરાત અને ભારતને ફાઇનાન્સ અને ઇનોવેશનના…

Read More

ઓપરેશન “રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહીપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા “ઓપરેશન રેલ પ્રહરી” અંતર્ગત ઉચ્ચ સ્તરની સતર્કતા અને ત્વરિત સમન્વય દ્વારા એક સગીર બાળકીના અપહરણ સંબંધિત ગંભીર પ્રકરણનું સફળતાપૂર્વક ઉકેલ લાવી પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરી.ઉલ્લેખનીય છે કે તારીખ 26.03.2026ના રોજ વર્સોવા પોલીસ સ્ટેશન મુંબઈ માં ખાતે અપરાધ સંખ્યા 0325/2026, કલમ 137(2) ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સગીર બાળકીના અપહરણનો કેસ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, અપહરણ કરાયેલ સગીરને એક યુવાન દ્વારા ટ્રેન સંખ્યા 12480 (સૂર્યનગરી એક્સપ્રેસ) ના જનરલ શ્રેણીના કોચમાં અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહી હતી.મામલાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરપીએફ અમદાવાદ દ્વારા…

Read More

ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે થયેલ હુકમ.નંબર/વિ.શા/ એ-સેક્શન/પરમીટ/પરીક્ષા/ ૨૬/૨૦૨૬ તા.૨૬/૦૩/૨૦૨૬વંચાણે લીધા:- નિવાસી અધિક કલેકટર કચેરીના પત્ર ક્રમાંક નં.એકઝામ સેલ/Gujcet-૨૦૨૬/પરીક્ષા/જાહેરનામું/ વશી. ૧૬૯/૨૦૨૬ તા.૨૪/૦૩/૨૦૨૬ આધારે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૬ ના રોજ કલાક ૧૦/૦૦ થી ૧૭/૦૦ દરમિયાન ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા ૨૦૨૬ અમદાવાદ શહેર ખાતેના અલગ અલગ કેન્દ્રો ઉપર યોજાનાર છે.આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ/ઉમેદવારો શાંતચિત્તે શુધ્ધ વાતાવરણમાં પરીક્ષા આપે અને પરીક્ષાનું સુચારૂ સંચાલન થઇ શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં ઉપર જણાવેલ પરીક્ષા કેન્દ્રો…

Read More

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની બે ચેસ ટુર્નામેન્ટ્સનું આયોજનવિજેતાઓને અપાશે રૂ.11 લાખના ઇનામોઅમદાવાદના આંગણે આગામી તા.28 અને 29 માર્ચના રોજ શતરંજના ખેલાડીઓનો ભવ્ય મેળાવડો જામવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરની ચેસ સ્પર્ધાઓમાં દેશનાં 24 રાજ્યોના 1900થી વધુ ખેલાડીઓ પોતાના દિમાગનો દમ દેખાડશે.ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.બે દિવસીય સ્પર્ધાના આયોજનમાં સંયોજક ડૉ. મહેન્દ્ર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે તા. 28 માર્ચ 2026 (શનિવાર) ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ અંડર-18…

Read More

શહેરોનો થશે સર્વાંગી વિકાસ, વડાપ્રધાનના હસ્તે રચાશે નવો ઇતિહાસ! –વડાપ્રધાન મોદી ૩૧ માર્ચે ગુજરાતના શહેરોને આપશે રૂ. ૫,૨૯૫ કરોડથી વધુના ૪૪ વિકાસ પ્રકલ્પોની ભેટગરીબ અને મધ્યમ વર્ગના ઘરનું સપનું થશે સાકાર: હજારો પરિવારોને મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોઐતિહાસિક નગરી વડનગરમાં હેરિટેજ ટાઉન અને માર્ગ સૌંદર્યીકરણ પ્રોજેક્ટનું થશે લોકાર્પણગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં વધુ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૩૧ માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીમાં વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરી વિકાસને પ્રોત્સાહન આપતા રાજ્યના કુલ રૂ.…

Read More

એક કિલોમીટર રેલવે લાઈન પાછળ અંદાજીત 8 થી 9 કરોડનો ખર્ચ – હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે ₹ 482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવીગાંધીનગર, 28 માર્ચ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાનશ્રી એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.વડાપ્રધાનશ્રી ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય…

Read More

Øજંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂત પ્રજાહિતલક્ષી નિર્ણયØપરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતાં વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશેવારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રીનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણયમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ,કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ9હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ…

Read More