Author: gujarat

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમનું આયોજનતાલીમ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની વેબસાઈટhttps://gujarattourism.com/forms/guide-tourist.htmlપરતા. ૨૩ મે ૨૦૨૬ સુધી અરજી કરી શકશે*અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ ૧૪ દિવસનું પ્રશિક્ષણ આપશેશહેરના ગાઈ઼ડ માટે ધો. ૧૨ પાસ ફરજીયાતસમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત*ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડે પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા નાગરિકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે.આ તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક,ઐતિહાસિક,વન્યજીવ અને સાંસ્કૃતિક સ્થળોએ પોતાની વ્યાવસાયિક સેવાઓ આપી શકશે.આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઐતિહાસિક,સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા માટે કુશળ ગાઈડ્સ તૈયાર…

Read More

‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે‘ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ-મુસાફરોના સમય અને ભાડા બંનેમાં થશે બચતનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે‘ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે‘ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ નવીન વ્યવસ્થા હેઠળ,અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ ૨૪ ટ્રીપો,ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના કારણે…

Read More

ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગના કર્મયોગીઓ ‘ન્યૂ મીડિયા’ માટે તાલીમબદ્ધ થશેમાહિતી વિભાગના અધિકારીઓ–કર્મચારીઓને કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાની તાલીમ અપાશે –માહિતી કમિશનરની કચેરી ખાતે સ્ટુડિયો સ્થાપિત કરવામાંMICAઆપશે ટેકનિકલ સહયોગગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત માહિતી કમિશનરની કચેરી અને સંચાર ક્ષેત્રની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા MICAવચ્ચે મહત્વપૂર્ણMoUપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.માહિતી કમિશનરશ્રીની કચેરી ખાતે માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી અનેMICAવતી એસોસિએટ ડીન પ્રોફેસર શ્રી સુરેશ મલોડિયા તેમજCDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલત દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ અવસરે કમિશનર શ્રી કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે,માહિતી અને પ્રસારણ વિભાગ અનેMICAવચ્ચેના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ…

Read More

ગુજરાત કેડરમાં ફાળવાયેલા2025ની બેચના 8પ્રોબેશનરીIASઓફિસર્સ મુખ્યમંત્રીની મુલાકાતે –બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ અજમાયશીIASઅધિકારીઓ ને શુભેચ્છાઓ પાઠવીગુજરાત કેડરમાં ફાળવાયેલા2025ની ભારતીય સનદી સેવા બેચના8પ્રોબેશનરી ઓફિસર્સે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.આ અજમાયશીIASઅધિકારીઓ મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી વહીવટ અકાદમીમાં ફાઉન્ડેશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે તેમને બાવન સપ્તાહની જિલ્લા તાલીમ માટે બનાસકાંઠા,ભરૂચ,અમરેલી,કચ્છ,પંચમહાલ,ગોધરા,વલસાડ,રાજકોટ અને મહીસાગર જિલ્લા ફાળવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલા આ પ્રોબેશનરી આઈ.એ.એસ. ઓફિસર્સને શુભેચ્છાઓ પાઠવી સામાન્ય માનવી,વંચિત ગરીબના કલ્યાણના સેવા સંકલ્પ સાથે સેવારત રહેવાની શિખ આપી હતી.આ અધિકારીઓ જિલ્લા તાલીમ દરમિયાન જાહેર આરોગ્ય અને પોષણ,વન ડિસ્ટ્રિક્ટ…

Read More

-:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી:-Øજનગણના–૨૦૨૭માં દરેક નાગરિકની ભાગીદારી દેશના વિકાસનો મજબૂત આધાર બનશેØસચોટ જનગણના એટલે સશક્ત ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલુંØઘરે બેઠા સ્વ-ગણના પ્રક્રિયામાં જોડાઈ દેશના વિકાસમાં સહભાગી બનોØજનગણનાના સાચા આંકડાઓથી જ લોકો સુધી યોજનાઓનો વાસ્તવિક લાભ પહોંચશેદેશના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા‘સ્વ-ગણતરી‘ (Self-Enumeration)અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના તમામ…

Read More

ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના થયા પછી શરૂઆતમાં મહાનગરપાલિકા સરકારના બહુમાળી ભવનમાં બેસતી હતી ત્યારબાદ મહાનગરપાલિકાનું નવું આલિશાન ભવન કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ‘ચ’ રોડ પર બનાવવામાં આવ્યું.જે બન્યાને હજુ માંડ ૫ વર્ષ થયા છે તેમ છતાં આ નવા નક્કોર, આલિશાન અને ભવ્ય બિલ્ડીગની છતમાં કરવામાં આવેલ પ્લાસ્ટરમાંથી એક પોપડુ ખરી પડ્‌યું છે.ગુજરાતીમા એક કહેવત છે કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’ એ યાદ કરીને અમારા એક સિનિયર પત્રકાર મિત્રએ એ એવી નૂકતેચીની કરી કે મહાનગરપાલિકા ભવનના બાંધકામમાં થયેલ ભષ્ટ્રાચારે છત પરથી પોકારીને ગોલમાલ છતી કરી છે!ગુજરાતના અધિક મુખ્ય સચિવ ચન્દ્ર વેણુ સોમનુ એક વધું પરાક્રમ?અત્યંત તોછડા અને વિવેકહીન વર્તન માટે જાણીતા…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ચેકની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોનો ભરોસો મજબૂત બને તે માટે અદાલતો દ્વારા ચેક રિટર્નના કેસોમાં કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના એક મહત્વના કેસમાં આરોપીને સજા ફટકારી સાથે ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ગોધરાના બહારપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી મુકેશ જગદીશભાઈ અડવાણીએ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સંતરોડ પોલીસ સ્ટેશન સામે રહેતા મનિષ અમૃતલાલ સૂર્યવંશીએ પોતાના અંગત કામ માટે તેમની પાસેથી રૂ.૩ લાખ હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ આ રકમ પરત ચુકવવા માટે આરોપીએ બેંક ઓફ બરોડા, સંતરોડ શાખાનો રૂ.૩…

Read More

સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે પશુપાલકોને સંબોધી યુવાનોને પશુપાલન ક્ષેત્રે જોડાવા અનુરોધ કર્યો(પ્રતિનિધિ) હિંમતનગર, ઈડર તાલુકાના નવા (રેવાસ) મુકામે “ધી નવા (ઈ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.” અને “ધી નવા ગામની સેવા સહકારી મંડળી લિ.”ના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાબર ડેરીના ચેરમેન માનનીય શ્રી શામળભાઈ બી. પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.સહકારના પાયા પર ઉભેલી શ્વેતક્રાંતિને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આયોજિત આ મહોત્સવમાં ચેરમેનશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકો અને સભાસદોને સંબોધતા જણાવ્યું હતું કે, સાબર ડેરી આજે દૂધ ઉત્પાદકોના વિશ્વાસ અને સહકારથી સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. તેમણે યુવાનોને પશુપાલન વ્યવસાય…

Read More