Author: gujarat

ગાંધીનગરના ગુજરાતી વેપારીના કર્મચારીઓને 6 જેટલા સશસ્ત્ર લૂંટારુઓએ બંદૂકની અણીએ બંધક બનાવ્યા-કોના એક્સપ્રેસ-વે પર રસ્તામાં જ અવાવરૂ જગ્યાએ છોડીને ભાગી ગયા.કોલકાતા, 19 મે, 2026: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બિઝનેસ ડીલ (વેપાર) કરવાના બહાને ગુજરાતના એક વેપારીના બે કર્મચારીઓને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓ કર્મચારીઓ પાસેથી ₹૪૨ લાખની રોકડ લૂંટી લીધા બાદ એટલાથી જ ન અટકતા, બંનેનું અપહરણ કરી બળજબરીપૂર્વક કારમાં બેસાડી ગયા હતા.જો કે, આરોપીઓ બાદમાં આ બંને કર્મચારીઓને હાવડા જિલ્લામાં આવેલા કોના એક્સપ્રેસ-વે (Kona Expressway) પર લઈ ગયા હતા અને ત્યાં ચાલુ કારમાંથી નીચે ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ…

Read More

રાજ્યપાલશ્રી સાઇકલ ચલાવી યુનિવર્સિટીના કાર્યક્રમમાં પહોંચ્યા –જ્યા સુધી ઇંધણનું સંકટ સમાપ્ત ન થાય,ત્યાં સુધી ગુજરાતમા કોઇ પણ હવાઇયાત્રા કરીશ નહીં-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતગાંધીનગર, પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેન તથા વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથેધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર,યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે…

Read More

ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સોમવાર તા. 18-05-2026ના રોજ લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને એક વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ ઢીલાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી…

Read More

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક રૂ. ૨.૫૦ લાખથી રૂ. ૬.૦૦ લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના ૩ હજાર કુમાર વિદ્યાર્થીઓને મળશે સીધો લાભગાંધીનગર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે, તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યાદીમાં જણાવાયું છે.અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધી માત્ર રૂ.૨.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક…

Read More

ગાંધીનગર, વસ્તીગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા‘સ્વ-ગણતરી‘ (Self-Enumeration)અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ મંગળવાર તા. 19-05-2026ના રોજ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

Read More

અમદાવાદમાં કોર્પોરેશનને આડેધડ ખર્ચો કરી ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવી દીધામ્યુનિ. સત્તાધીશોએ પૂર્વ પટ્ટાના નવા વિસ્તારોમાં વિકાસને ધ્યાને લીધો જ નહીંઃ હવે ભૂલ સુધારાઈવિંઝોલમાં ૭૦ અને ૩પ MLDના બે પ્લાન્ટમાં ગટરના પાણીની આવક વધવા માંડી હતી અને ગંદા પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.માં અનભુવી ઈજનેરો હોવા છતાં સત્તાધીશોએ દીર્ઘદ્રષ્ટિ નહીં દાખવતા વિંઝોલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં ભારે ભૂલો કરતાં મ્યુનિ. તિજોરી ઉપર નાણાંકીય બોજ વધી ગયા બાદ હવે ભૂલ સુધારીને રપ૦ એમએલડીનો નવો એસટીપી બનાવવામાં આવી રહ્યો છે.મ્યુનિ. હદ વિસ્તરણ પહેલાં ઔડા દ્વારા નરોડા, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારના ગટરના પાણી ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવા માટે…

Read More

બિલ્ડર પર લાગેલી ગંભીર કલમ હટાવવાનો પેંતરો નિષ્ફળ, કોર્ટે રિવિઝન અરજી ફગાવી(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિ. વિસ્તારમાં વર્ષ ર૦રરમાં એડોર અસ્પાયર-ર નામની કન્સ્ટર્કશન સાઈટ પર ૧૪માં માળે લિફટના ભાગે સેનટીગ ફીટીગનું કામ કરતી વખતે અચાનક મજુરો નીચે પડતાં સાત મજુરોના મોત મામલે પોલીસે આરોપી બિલ્ડર સામે કરેલો સી સમરી રીપોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટે ના મંજુર કર્યો હતો.જેની સામે બિલ્ડર સૌરભભાઈ કમલેશકુમાર શાહએ સેશન્સ કોર્ટમાં કરેલી રીવીઝન અરજી ફગાવી દઈ નીચલી કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે નોધ્યું હુતં કે, મેજીસ્ટ્રેટ દ્વારા ૧૧ નવેમ્બર ર૦રરના રોજ ‘સી સમરી’ નામંજુર કરવા બાદ પોલીસે માત્ર ત્રણ જ દીવસમાં એટલે કે ૧૪ નવેમ્બર ર૦રરના રોજ આરોપીઓ સામે…

Read More

(એજન્સી)અમદાવાદ, દસક્રોઈમાં આવેલી કોસ્મેટીક વસ્તુની ફેકટરીના માલિકને એકસ્પાયર ડેટની વસ્તુઓ વેચતા હોવાનું કહી કાર્યવાહી કરવાની ધમકી આપી બે લાખ માગતા એસીબીની ટીમે કણભા પોલીસ સ્ટેશનની બાકરોલ પોલીસ ચોકી પાસે ફરીયાદીની કારમાં ટ્રેપ ગોઠવી કણખાના એએસઆઈ ભાવેશ લાભશંકર રાવલ અને જીઆરડી જવાન કમલેશ ઉર્ફે રોબર્ટ વિનોદભાઈ બારોટને રૂ.૩૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.દસક્રોઈ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટીક ચીજવસ્તુઓના ઉત્પાદનની ફેકટરી ધરાવતા ફરીયાદીના ત્યાં આરોપીઓ ગત તા.૧૪મીના રોજ ગયા હતા. એએસઆઈ ભાવેશ સહીત ચાર લોકોએ સ્થળ પર જઈ ફરીયાદીને ફેકટરીના માલસામાન પર નવી તારીખ છાપી એકસપાયરી ડેટનો સામાન કેમ વેચો છો !તેમ કહી કેસ કરી જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી.…

Read More