અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લા કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા(એજન્સી)અમદાવાદ,ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ સિંધુથી સાબરમતીની સફર ખેડી અમદાવાદ આવ્યા હતા. જો કે, ૭૮ વર્ષથી સતત આ સફર ચાલતી આવી છે.ભારતના નાગરિક બનવા માટે દર વર્ષે અમદાવાદમાં રહેતા ૧૫૦ જેટલા પાકિસ્તાની લઘુમતીઓ દ્વારા અરજી કરવામાં આવે છે. આમ છેલ્લાં ૯ વર્ષમાં અમદાવાદમાં ૧૨૯૫ પાકિસ્તાની લઘુમતીઓ ભારતની નાગરિકતા મેળવી સત્તાવાર રીતે દેશના નાગરિક બન્યા છે.આઝાદીના ૭૮ વર્ષ બાદ આજે પણ કેટલાક પાકિસ્તાનીઓ લગ્ન કરીને તથા સતામણીથી બચવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે. ત્યારે મળતી વિગતો અનુસાર, છેલ્લાં દસેક વર્ષમાં પાકિસ્તાન છોડી અમદાવાદમાં સ્થાયી થયેલા…
Author: gujarat
અમદાવાદ, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ભવ્ય ૭૫ વર્ષ પૂર્ણ કરી રહેલા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.આ બેનર હવે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં ડગ માંડવા જઈ રહ્યું છે. ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગમાં બનેલી આ ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ ગુજરાત દિવસ એટલે કે ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મનું લેખન અને નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અભિષેક શાહ અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉંબરો’ જેવી વિવેચકો દ્વારા વખણાયેલી અને વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મો આપી ચૂક્યા છે.ફિલ્મ ‘ધબકારો’માં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતાઓ દેવેન ભોજાણી અને આર્જવ…
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ૨૪ કલાકમાં ડૂબવાના બે જુદા જુદા બનાવ બન્યા હતાં. તેમાં ૪ યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. તે પૈકી ૨ યુવકના મૃતદેહ ફાયરબ્રિગેડના તરવૈયાઓની ભારે શોધખોળ બાદ મળી આવ્યા હતાં.આ ઘટનાને પગલે પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. જાણવા મળતી વિગત મુજબ, ડૂબી જવાની બંને ઘટનામાં એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં પડતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધી બે યુવકના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બે યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે.આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ…
અમદાવાદ, વટવા ગામમાં શાકમાર્કેટ નજીક રવિવારની મોડી રાતે કચરો વીણનાર યુવક અને તેના સાથીદારો વચ્ચે રિક્ષામાં બેસવા માટે માથાકૂટ થઇ હતી. બાદમાં અંદરો અંદર યુવક અને તેના સાથીદારો વચ્ચે ઝઘડો એટલી હદે ઉગ્ર બન્યો જેમાં બે શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વટવા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ક્રિષ્ના ખરે અને અરુણ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે.ઇસનપુર ચંડોળા તળાવ પાસે રહેતી ૨૫ વર્ષીય પરીણિત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગતરોજ તે તેના પતિ અને બાળક સાથે ઘરે હાજર હતી. ત્યારે સાંજના સમયે તેના પતિના બે મિત્રો ઘરે આવ્યા અને પતિને કચરો વીણવા માટે લઈને ગયા…
અમદાવાદ, ગાંધીનગરની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અપ્રમાણસર મિલકત ધરાવવાના ૧૭ વર્ષ જૂના એક મહત્ત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાંધીનગરના તત્કાલિન અધિક આવકવેરા કમિશનરના પત્ની જશોદાબેન વડાદિયાને દોષી ઠેરવી બે વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો છે.ગાંધીનગર સીબીઆઈએ ૩૦ જૂન, ૨૦૦૭ના રોજ તત્કાલિન આવકવેરા અધિકારી રમેશભાઈ ફૂલચંદ વડાદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ૧ જાન્યુઆરી, ૨૦૦૨થી ૩૦ એપ્રિલ, ૨૦૦૭ દરમિયાન આ મિલકતો વસાવવામાં આવી હતી. શરૂઆતમાં રૂપિયા ૨૯.૪૯ લાખની વધુ આવક જણાઈ હતી, જે તેમના જાણીતા સ્રોતો કરતા ૨૪૭ %…
અમદાવાદ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. એક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા.મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંદાજે ૫ઃ૩૦ વાગ્યે નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ લીકેજ અંગેનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાયેલો હતો અને કોઈ કારણોસર તણખલો કે આગ મળતા…
જામનગર, ગલ્ફના યુદ્ધની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે. ગેસ અને કાચા માલની અછતના પગલે બ્રાસ ઉદ્યોગના ૮૦ ટકા એકમોને તાળા લાગ્યા છે. ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી જતા ઉદ્યોગકારો દ્વારા વહીવટી તંત્ર સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.તંત્ર દ્વારા તાકિદે ગેસ પુરવઠો પૂર્વવત કરવા સહિતના પ્રયાસોની ખાતરી અપાઈ હતી.છેલ્લા ૨૦ દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફના દેશોમાંથી આવતો કાચો માલ, એક્સપોર્ટ માટેના ઓર્ડર અને મેન્યુફેક્ચરિંગમાં અત્યંત જરૂરી એવા ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. વિદેશી સપ્લાય ચેઈન તૂટી પડતા જામનગરના બ્રાસ ઉદ્યોગને ઓક્સિજન મળતો બંધ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.ખાસ કરીને ગેસ આધારિત શેલિંગ…
*શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો*ગાંધીનગર, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન,ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ,૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે,સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત…
સોમનાથના માછીમારો માટે ગર્વની વાત: PM મોદીએ ‘મન કી બાત’માં તેમને ‘સાગરના યોદ્ધાઓ’ ગણાવ્યાસોમનાથ, ૩૦ માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૩૨મા એપિસોડમાં માછીમાર સમુદાયના કરેલા વખાણને ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોએ ઉમળકાભેર વધાવી લીધા છે. માછીમારોનું કહેવું છે કે આ માન્યતાએ તેમના મનોબળમાં વધારો કર્યો છે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે.પ્રસારણ દરમિયાન, વડાપ્રધાને માછીમારોને “સાગરના યોદ્ધાઓ” અને “આત્મનિર્ભર ભારતના કરોડરજ્જુ” તરીકે ઓળખાવ્યા હતા. તેમણે અર્થતંત્ર અને ખાદ્ય સુરક્ષામાં તેમના પ્રદાનનો સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીએ ટેકનોલોજી, વીમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ઓડિશાની સુજાતા ભુયાન…
