ગાંધીનગર, વસ્તીગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા‘સ્વ-ગણતરી‘ (Self-Enumeration)અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ મંગળવાર તા. 19-05-2026ના રોજ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

