આર્થિક લાભ ખાતર ગુનો કર્યાે હોવાનું કોર્ટનું તારણપોલીસે આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુનો નોંધીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતીઅમદાવાદ, રખિયાલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯માં ગેરકાયદે રીતે ગૌવંશના માંસનું વેચાણ કરવાના ચકચારી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ સમીર રતિલાલ સંગાણીએ આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીને ગુનેગાર ઠરાવીને આઠ-આઠ વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ ત્રણેય આરોપીઓને રૂ. ૨-૨ લાખનો દંડ પણ કર્યાે છે. માંસની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દાેષ છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટે ચુકાદો આપતી વખતે મહત્ત્વની નોંધ લીધી હતી કે, આરોપીઓએ આ કૃત્ય કોઈ ઉશ્કેરણી હેઠળ આવીને નથી કર્યું, પરંતુ માત્ર…
Author: gujarat
યસ બેંક અને IDBI બેંકના કર્મચારીઓ સહિત પાંચની ધરપકડકઠોર ગામની જમીનના સોદામાં મૂળ ખેડૂત માલિકો વિદેશમાં હોવા છતાં નકલી દસ્તાવેજો બનાવ્યાસુરત, શહેરમાં જમીનના કરોડો રૂપિયાના સોદામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં સંડોવાયેલા યસ બેંક અને IDBI બેંકના જવાબદાર કર્મચારીઓ તેમજ બોગસ સીમકાર્ડ પૂરા પાડનાર ડિસ્ટ્રીબ્યુટર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કેસમાં જમીન દલાલ હજી પોલીસની પકડથી દૂર છે.પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર કરોડોનું કૌભાંડ ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કઠોર ગામની બ્લોક નં. ૪૭૯, ૪૮૦ અને ૪૮૧ની કિંમતી જમીનના વેચાણને કેન્દ્રમાં રાખીને આચરવામાં…
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરીસસ્તા ભાવે ડૉલર આપવાની લાલચે રાંદેરના વેપારીને કારમાં બેસાડી લઈ ગયા અને લૂંટી હજીરા-સાયણ હાઈવે ઉપર ફેંકી લૂંટારા ફરારસુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સીના બહાને એક વેપારી સાથે ¹ ૧૮.૬૫ લાખથી વધુની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા ધોડદોડ રોડ પર “સિક્યોર વર્લ્ડ સર્વિસિસ” નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે. ગત ૧૫ મેના રોજ વેપારી અબ્દુલ રહેમાન પર વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં સામાવાળા વ્યક્તિએ ૭,૦૦૦ અમેરિકન ડૉલર એક્સચેન્જ કરાવવાની વાત કરી સસ્તા ભાવે ડૉલર આપવાની લાલચ આપી હતી.આ જાળમાં ફસાયેલા…
આણંદની અમૂલ ડેરી દ્વારા યુદ્ધના કારણે વધતા ખર્ચ વચ્ચે પણ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટના રૂપિયા ૧૦ નો વધારો અમૂલ દ્વારા હંમેશા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય : ચેરમેનઆણંદ, ત્રણ જિલ્લાને સાંકળતી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં આગામી પહેલી જૂન ૨૦૨૬થી પ્રતિ કિલો ફેટમાં ૧૦ નો વધારો કરવામાં આવ્યો છે.અમુલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે જણાવ્યું કે, હાલની વૈશ્વિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વના ઉદ્યોગ અને વેપાર માટે અનુકૂળ નથી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સતત યુદ્ધના કારણે તેલ આધારિત દેશો તેમજ વિવિધ ઉદ્યોગોના વ્યવસાય પર ગંભીર દબાણ ઊભું થયું છે. જેથી ડેરી ઉદ્યોગ પણ અસરગ્રસ્ત થયો…
હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થાેપેડીક સર્જન ડૉ. ચિંતન સ્નેહલભાઈ શાહે દર્દીના મિત્ર પાસે લાંચની માંગણી કરી હતીઆણંદ, આણંદની સિવિલ (જનરલ) હોસ્પિટલના એક ઓર્થાેપેડીક ડોકટર આજે ઓપરેશન થીયેટર રુમની બહાર લોબીમાં આંગળીના ઓપરેશન માટે રુ. ૩ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.આણંદમાં રહેતા એક નાગરીકના સંબંધીની હાથની આંગળીનું ઓપરેશન જનરલ હોસ્પિટલ આણંદમાં જ થયું હતું. સરકારના નિયમ મુજબ આ ઓપરેશન વિના મુલ્યે જ થતું હોય છે. પરંતુ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થાેપેડીક સર્જન ડૉ. ચિંતન સ્નેહલભાઈ શાહે દર્દીના મિત્ર પાસે લાંચની માંગણી કરી હતી.જેને પગલે દર્દી ખુદ તેમને મળ્યા હતા ત્યારે ઓપરેશનના અવેજ પેટે રુ. ૬૫૦૦ની…
મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ,સીસીટીવી કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અંગે બારીકાઈથી અવલોકન કર્યુંનાગરિકોને મેટ્રો સહિત જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરતા રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવગાંધીનગર, રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે બુધવારે રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રીના ‘ઈંધણ બચાવો‘અભિયાનને પ્રોત્સાહન આપવાનો અને મેટ્રો સ્ટેશનની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો.રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી દ્વારા દેશમાં ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલા આહવાનને ધ્યાનમાં રાખીને ઓફિસ કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,વેપારીઓ અને પ્રવાસીઓને પોતાના વાહનોના બદલે વધુમાં વધુ મેટ્રો ટ્રેન સહિતની…
ભડભીડ ટોલનાકા નજીક અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં જ મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતાભાવનગર, ભાવનગર ધોલેરા રોડ નજીક હૃદયધબકારા રોકી દેતી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે એક બેફામ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ભાવનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મોડી રાત્રે ભાવનગરના ભડભીડ ટોલનાકા નજીક એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાઈવે પરથી પસાર થઈ રહેલું એક કન્ટેનર આગળ જઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કાર કાળ બનીને…
કેટલાક પંપ ખાતે રવિવારે સાંજથી જ ડીઝલ ખાલી થયું પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતીરાજકોટ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં ડીઝલની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતો અને સામાન્ય વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. ચોમાસું નજીક હોવાથી ખેડૂતો ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત હતા, પરંતુ બરાબર સીઝન ટાણે જ ઇંધણ ન મળતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતાં ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ અછતના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પંપ પર એકત્રિત થઈ ‘ભારત માતાની જય’ અને…
અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બનીઃ દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી(એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં બુધવારે વહેલી સવારે હત્યાની એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં બે પાકા મિત્રો વચ્ચે ચાલી રહેલી કૌટુંબિક અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાને પોતાના જ ખાસ મિત્ર પર છરી વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.ધોળા દિવસે જાહેર મેદાન નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ફૈઝલનગર અને જુહાપુરા વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતો અમન પઠાણ અને દાણીલીમડાના ફૈઝલ નગરમાં રહેતો અરબાઝ મણિયાર ગાઢ મિત્રો હતા.જો કે, છેલ્લા કેટલાક સમયથી…
અમદાવાદમાં કુલ ૧૦.૬૦ કિલોમીટર લંબાઈમાં જુદા જુદા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટનું આયોજન(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટ, આઈકોનિક રોડ, મોડલ રોડ તથા ઈસ્ટ-વેસ્ટ કોરિડોર જેવા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો તેમજ જાહેર વિસ્તારોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે કરોડો રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં કુલ ૧૦.૬૦ કિલોમીટર લંબાઈમાં જુદા જુદા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થલતેજ ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ અને ત્યાંથી વિજય ચાર રસ્તા સુધી ૩.૪૦ કિલોમીટર લાંબો મેટ્રો રૂટ પ્રિસિંક્ટ, ચીમનભાઈ ફ્લાયઓવર એઈસી ક્રોસ રોડથી મોટેરા ક્રોસ રોડ, ત્યાંથી…
