Author: gujarat

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વ વિશે માહિતી આપે છે -એક સેલ્ફ-એક્સપ્લેનેટરી પાર્ક જ્યાં એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ અને મુલાકાતીઓ માટેની સુવિધા ઉપલબ્ધ, ઉનાળુ વેકેશનને બનાવશે રસપ્રદ*ગાંધીનગર, 16 મે, 2026: ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત 11 માર્ચ, 2026ના રોજ સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે આ પાર્કનું…

Read More

ટેલિકોમ્યુનિકેશન માત્ર વાતચીતનું સાધન મટીને વિકાસનું એન્જિન બની ગયુંસરકારની વિવિધ યોજનાઓ આજે ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચીઅમદાવાદ, આજે જ્યારે આપણે ‘વિશ્વ ટેલિકોમ દિવસ‘ ઉજવી રહ્યા છીએ, ત્યારે ટેલિકોમ્યુનિકેશન માત્ર વાતચીતનું સાધન મટીને વિકાસનું એન્જિન બની ગયું છે. ગુજરાત અને ભારત સરકારની વિવિધ યોજનાઓ આજે ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ ક્રાંતિમાં i-Khedut જેવા પોર્ટલ્સે ખેડૂતો અને સરકાર વચ્ચેના અંતરને સાવ નાબૂદ કરી દીધું છે. અગાઉના સમયમાં ખેડૂતોને સરકારી સહાય કે સબસિડી મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ i-Khedut પોર્ટલે આખી પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવી દીધી છે. ખેડૂત પોતાના મોબાઈલ કે ગ્રામ પંચાયતમાંથી જ…

Read More

સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર-મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગ દાન થકી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન દાનઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઉઠી છે,જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની ભેટ આપી છે.મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર ૨૯ વર્ષીય ધર્મેન્દ્ર દરબારને ગત ૪ મે ૨૦૨૬ના રોજ કડી પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે…

Read More

ટ્રેંન્ટ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા અને સાવચેતી રાખવા ગ્રામજનોને અપીલ૧૬ મે, વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત માંડલના પ્રાથમિક આરોગ્ય ટ્રેંન્ટ ખાતે રેલી યોજાઈ, જેમાં, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, આશા વર્કર્સ અને સ્થાનિક આગેવાનોએ જોડાઈને ડેન્ગ્યુ થી ફેલાનાર બીમારીઓ અને તેના નિવારક ઉપાયો થી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.રેલી દરમિયાન “મચ્છર મુક્ત ગુજરાત”, “ડેન્ગ્યુથી બચો-સાવચેતી રાખો” જેવા વિવિધ લોકજાગૃતિના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગ્રામજનોને ડેન્ગ્યુના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા બાબતે પત્રિકા વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુનું મચ્છર ચોખ્ખા પાણીમાં જન્મે છે, તેથી અઠવાડિયામાં એકવાર ઘરના…

Read More

રાજ્યના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની અછત-સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે ‘નો પેટ્રોલ’ના પાટીયાં(એજન્સી)અમદાવાદ, વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ટાળવા તેમજ પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઇંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની ચર્ચા વચ્ચે થરાદ શહેરમાં ઈંધણની અફરાતફરીનો માહોલ સર્જાયો છે.ગુજરાતમાં મહિસાગર અને ભરુચ જિલ્લા બાદ હવે દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક એવા સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ આજે ૧૫મી મેના સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે યુવાનો ઉપર અચાનક વિશાળ ભેખડ ધસી પડતા બંનેના ઘટનાસ્થળે જ દટાઈ જવાથી મોત નિપજ્યા હતા.મળતી વિગતો અનુસાર, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા માટે ગયા હતા.જ્યારે તેઓ ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક જ માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થયો હતો. આ વિશાળ ભેખડ બંને યુવાનો પર પડતા તેઓ બહાર નીકળી શક્્યા નહોતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો…

Read More

અમદાવાદ બલોલનગર બ્રિજ પરથી નીચે પટકાતા ખોપરી ફાટી જતાં બાઈક ચાલકનું મોત(એજન્સી)અમદાવાદ અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપને જોડતા બલોલનગર બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા એક બાઈક સવારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, યુવક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો, જ્યારે તેનું સ્પોટ્‌ર્સ બાઈક અકસ્માત સ્થળથી ૨૦ થી ૨૫ મીટર દૂર જઈને બ્રિજ પર જ પડ્‌યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બાઈકની ગતિ ખૂબ જ વધારે હતી. બ્રિજની સાઈડમાં લગાવેલું લોખંડનું પતરું તોડીને યુવક નીચે ફેંકાયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની…

Read More

(એજન્સી)ગાંધીનગર, શહેરના ન્યૂ વાવોલ વિસ્તારમાં રિલાયન્સ માર્ટ બજાર પાસે પૂરપાટ ઝડપે ટ્રેક્ટર- ટ્રોલી ચાલકે વળાંક પર કાબૂ ગુમાવતા ટ્રેકટરની ટ્રોલી જ્યુપિટર સ્કૂટર પર પલટી ખાતા સ્કૂટર સવાર પિતરાઈ ભાઈ-બહેન ટ્રોલી નીચે દબાઈ ગયા હતા.જેમાં ભાઈનું ઘટનાસ્થળે અને બહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકોના પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર શહેરના વાવોલની સહજાનંદ શ્યામ સોસાયટીમાં રહેતા ઉર્વેશભાઈ સોનારની ૧૭ વર્ષીય દીકરી વૈષ્ણવીએ તાજેતરમાં જ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી હતી. તેનો માસીનો દીકરો ૨૬ વર્ષીય રાહુલ સંજયભાઈ ફોટદાર બે દિવસ અગાઉ જ સુરતથી ગાંધીનગર આવ્યો હતો. આજે બપોરે બંને પિતરાઈ ભાઈ બહેન જ્યુપિટર સ્કૂટર…

Read More

મેટ્રો સેવા રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય-PM મોદીની અપીલ બાદ કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો: ૩૦૦ નવી બસો જનતાની સેવા માટે ખુલ્લી મુકાશે-ગાંધીનગર, ગુજરાત સરકારની આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે કડક આદેશો આપ્યા છે, જેમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા અને ઓનલાઈન મીટિંગ્સ પર ભાર મૂકવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે.રાજ્યમાં જાહેર પરિવહનને વેગ આપવા માટે ૩૦૦ નવી એસટી બસો સેવામાં મૂકવાની અને મેટ્રોના સમયમાં રાત્રે ૧૧ વાગ્યા સુધીનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે, સાથે જ મંત્રીઓ અને અધિકારીઓને બિનજરૂરી કાફલા ટાળીને કારપૂલિંગ તથા ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા તાકીદ…

Read More

પ્રોટોકોલને બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો ગુજરાત સરકારનો ઐતિહાસિક અભિગમ*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની‘ઈંધણ બચાવો‘ની અપીલને માન આપીને લેવાયો પ્રજાલક્ષી નિર્ણય**સમારોહ પાછળ થતો સમય અને સરકારી નાણાંનો બગાડ અટકાવી બસોને સીધી રૂટ પર દોડાવવામાં આવશે*Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ અને ‘ઈંધણ બચાવો‘માટે કરેલી અપીલને ગુજરાત સરકારે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શનિવારથી રાજ્યના વિવિધ રૂટો પર એકસાથે ૩૦૦ નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવશે.આ નિર્ણયની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે,આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં,કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ,રીબન…

Read More