(એજન્સી)સોમનાથ, પ્રથમ જ્યોતિ‹લગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને ૭૭ વર્ષ બાદ લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે.ટ્રસ્ટનો નવો લોગો આગામી ૧ એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે. ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લેટરપેડ સહિતના સ્થાને નવો લોગો મૂકવામાં આવશે.આ સાથે મંદિર પરિસરમાં મોટા હો‹ડગ્સ અને સાઈન…
Author: gujarat
અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે ૩૩.૮૭ લાખની છેતરપિંડી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પ્રખ્યાત ટ્રાવેલ્સ એજન્સી અજય મોદીમાં કમિશન બેઝ પર ગાંધીનગરમાં કામ કરતી મહિલાએ કસ્ટમર સાથે ૩૩.૮૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહિલાએ પોતાના બેંક ખાતામાં સેટિંગ કર્યું હતું.જેમાં કસ્ટમર જ્યારે પેમેન્ટ કરવા ઊઇ કોડ સ્કેન કરે ત્યારે નામ ‘અજય મોદી ટ્રાવેલ્સ’નું જ દેખાતું હતું, પરંતુ રૂપિયા સીધા મહિલાંના ખાતામાં જમા થતા હતા.આ રીતે મહિલાએ કુલ ૩૩,૮૭,૧૮૪ની છેતરપિંડી કરી હોવાની સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે વસ્ત્રાપુરમાં રહેતા ૪૬ વર્ષીય આલાપભાઇ અજયભાઇ મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની…
બોગસ ચલણી નોટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સુરતના ભાવેશ ગજેરાની ધરપકડ કરી(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચકચારી બનેલા કરોડોની નકલી નોટોના રેકેટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. યોગગુરુ પ્રદીપની ધરપકડ બાદ આ નેટવર્કના મહત્વના કડી સમાન સુરતના ભાવેશ ગજેરાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે નકલી નોટોનું નેટવર્ક ગુજરાતના બે મોટા શહેરોમાં કેટલું ઊંડું ઉતરેલું છે તેનો પર્દાફાશ થયો છે.તપાસમાં સામે આવ્યું છે કે, ભાવેશ ગજેરાએ સુરત અને અમદાવાદમાં નકલી નોટો વટાવવા માટે સ્થાનિક એજન્ટોની મદદથી આખું ઝાળ બિછાવ્યું હતું. ભાવેશ મુખ્યત્વે અમદાવાદમાં રહીને આ કાળા કારોબારની તમામ નાણાકીય લેવડદેવડ સંભાળતો હતો. આરોપી અને તેના સાગરીતોએ મળીને અત્યાર…
આરોપી શિક્ષક પર બે લેપટોપ ચોરીનો પણ આક્ષેપઅરજદારને ૧૦,૦૦૦ના જામીન બોન્ડ અને તે જ રકમની એક જામીનગીરી રજૂ કરવાનો કોર્ટે હુકમ કર્યોઅમદાવાદ,અત્યારે જ્યારે વિશ્વના માથે યુદ્ધનો પડછાયો જોવા મળી રહ્યો છે અને એની ઘેરી અસર LPG પેટ્રોલ, ડીઝલ સહિતના પુરવઠા પર પડી રહી છે. આ તબક્કે હાઇકોર્ટમાં એક એવો રસપ્રદ કેસ આવ્યો છે કે જેમાં આરોપી ઉપર ૧૪ જેટલા LPG સિલિન્ડર ચોરી કરવાનો આક્ષેપ છે. વળી, જામનગર જિલ્લાનો આ આરોપી શિક્ષક છે. જેણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. અલબત્ત, હાઇકોર્ટે તેને રેગ્યુલર જામીન આપ્યા છે. આ કેસમાં હાઇકોર્ટ કાંતિલાલ નામના એક અરજદારની રેગ્યુલર જામીન અરજીની…
મોતને હાર્ટ અટેક ગણાવાતાં છેવટે ભાંડો ફૂટ્યોપોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છેભાવનગર,ભાવનગર જિલ્લાના વરતેજ વિસ્તારમાં પત્નીએ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા પતિએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શરૂઆતમાં સાસરિયા પક્ષ દ્વારા આ કુદરતી મૃત્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.સિહોરના મઢડા ગામે રહેતા જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ આ અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી અલ્પાએ તેના ભાઈઓને મળીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, પતિ અર્જુનને અન્ય યુવતી સાથે…
૧૮૬૭ને જુદી જુદી સજા કરાઈતકેદારી આયોગના ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના વર્ષ દરમિયાન કુલ ૧૩૮૨ સરકારી અધિકારી-કર્મચારી સામે જુદી જુદી ભલામણો કરાઈસુરત,તકેદારી આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં ગુજરાતમાં વિવિધ વિભાગો-કચેરીઓના ૧૮૬૭ સરકારી અધિકારી-કર્મચારીને ભ્રષ્ટાચાર-ગેરરીતિને લઈને જુદી જુદી સજા કરવામાં આવી છે. જેમાં ૨૦૨૪માં ૧૩૮ વર્ગ-૧ના અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ૨૪૬ અધિકારી-કર્મચારીનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું.તકેદારી આયોગને ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને મળેલી ફરિયાદ બાદ આયોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને તબક્કાવાર રિપોર્ટ મૂકીને ફાઇનલ ઓર્ડર સાથે સરકારને જે તે અધિકારી કે કર્મચારી કે જે દોષિત ઠર્યા હોય તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહીની…
વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છેગાંધીનગર,એક તરફ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, સરકારી વિભાગોમાં ભરતી કરીને શિક્ષિત યુવાઓને તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં આજે પણ સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ કરાર આધારિત નોકરી આપવાનો ક્રમ જારી રહ્યો છે. ૫૮ વર્ષ નિવૃત્તિ પછી પણ સરકારના માનીતા અધિકારીઓને પુનઃ તક આપી નોકરીમાં ગોઠવી દેવાયા છે. પરિણામે સચિવાલય, બોર્ડ-નિગમો જાણે ઘરડાઘરમાં તબદીલ થયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.આજે શિક્ષિત, કાબેલ, હોનહાર…
Ahmedabad, પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે લેવાના વિવિધ પગલાં વિશે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ઉનાળુ મગફળીના ઉભા પાકમાં રોગ તથા જીવાતના અસરકારક નિયંત્રણ માટે આવશ્યક પગલાં લેવા જોઇએ. મોલો જેવા જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો. મોલો-મશી માટે જરૂર જણાય ત્યારે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઈમીડાકલોપ્રિડ ૧૭.૮ એસ.એલ – ૫ મીલી,એસીટામાપ્રિડ – ૨ ગ્રામ અથવા…
751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને, યુનિવર્સિટીએ IIT સહિતની અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે આ ક્ષેત્રમાં ભારતની ટોચની 40 સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.Rajkot, રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના 2026 ના ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગમાં સ્થાન મેળવીને એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને, યુનિવર્સિટીએ IIT સહિતની અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે આ ક્ષેત્રમાં ભારતની ટોચની 40 સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.આ સિદ્ધિ ખાસ નોંધપાત્ર છે કારણ કે આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. નોંધનીય છે કે 2024 પછી ભારતે ટોચના 50 સ્થાનોમાં…
સિંગલ જજના ચુકાદાને પડકાર, ૭મી એપ્રિલે સુનાવણી થશેઅમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના વિવાદમાં હાઈકોર્ટના સિંગલ જજની બેન્ચે એક ચુકાદો આપતાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઈન્દુલકર, અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે ગેરલાયક અને અયોગ્ય ઠેરવ્યા છે.આ સાથે જ વિવાદીત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટ‹નગ ઓફિસરના નિર્ણયને પણ હાઈકોર્ટે રદબાતલ કર્યો છે. સિંગલ જજના ચુકાદા સામે હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ કરવામાં આવી છે જેમાં ૭મી એપ્રિલે વધુ સુનાવણી રાખવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં મંગળવારે પક્ષકારોની સમંતિથી સુનાવણી સાત એપ્રિલે નકકી કરવામાં આવી છે ત્યાં સુધી સિંગલ જજનો વચગાળાના આદેશ મુજબની વ્યવસ્થા યથાવત રહેશે.આ કેસમાં અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને…
