પર્યાવરણને અનુકૂળ નવા કન્ટેનર વેગન લોડિંગ અને અનલોડિંગને સરળ બનાવે છે, જ્યારે સામગ્રીનો ખર્ચ અને ટર્નઅરાઉન્ડ સમય ઘટાડે છેટર્નઅરાઉન્ડ બાંધકામ ઉદ્યોગમાં ક્રાંતિ લાવે છે; સિમેન્ટનો સસ્તો ખર્ચ ગરીબો અને મધ્યમ વર્ગ માટે પોસાય તેવા આવાસમાં મદદ કરે છેરેલવે દ્વારા વધુ સિમેન્ટના વહનથી રસ્તાઓ પર ટ્રકનો ભાર ઘટે છે, ભીડ ઓછી થાય છે અને નૂર (freight) કાર્યક્ષમતામાં સુધારો થાય છેરેલવે મંત્રીએ અધિકારીઓને ફ્લાય એશ પરિવહન બજારની વિશાળ ક્ષમતાનો અહેસાસ કરવા અને પાવર પ્લાન્ટ્સના કચરાને રાષ્ટ્રીય સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા વિનંતી કરીAhmedabad, રેલવે સુધારાઓમાં પ્રાપ્તએક મોટી સફળતામાં,ભારતીય રેલવેએ છેલ્લા ચાર મહિનામાં સિમેન્ટના વહનમાં170ટકાનો વધારો નોંધાવ્યો છે.આ વધારો રેલવે દ્વારા ગયા વર્ષે…
Author: gujarat
ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યોભાણિયાએ 5 વર્ષથી માસી સાથે આડા સંબંધ રાખતા પેથાપુરના રહેવાસીને છરીના 7 ઘા ઝીંકી પતાવી દીધો(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્નીએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા પોલીસને જણાવ્યું હતું કે, ‘મારા પતિને પ્રેમ સંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગ તરીકે થઈ છે. ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, ૧૨મી મેની સાંજે અજાણ્યા શખસોએ જશ્મિતસિંગ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ,…
(એજન્સી)અમદાવાદ, નીટ પરીક્ષા પેપર લીક લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમદાવાદની મુલાકાત દરમિયાન વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા.એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા કેન્દ્રીય શિક્ષણમંત્રીની આ મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી તેમ છતાં પણ મંત્રીના કાફલા સામે પ્રદર્શન કરવા કાર્યકરોની પહોંચ્યા હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.મહત્વનું છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રીના કાર્યક્રમોની વિગતો સામાન્ય રીતે પહેલાથી જાહેર કરવામાં આવતી હોય છે. પરંતુ ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હોવા છતાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાફલો આઈઆઈએમ અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો ત્યારે એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ કાળા વાવટા અને કાળા કપડાં સાથે ધસી આવ્યા…
પેટ્રોલ-ડીઝલ બચત અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા મ્યુનિસિપલ કમિશનરની સૂચનાએક જ વાહનમાં એકથી વધુ કર્મચારીઓ મુસાફરી કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંધણ બચત અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ મુજબ હવે AMCના અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસ આવવા-જવા માટે શક્ય હોય ત્યાં સુધી AMTS અને BRTS જેવી જાહેર બસ સેવાઓનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.રાષ્ટ્રીય સંપત્તિ સમાન પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટે તમામ ઝોન ઓફિસ સહિત વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ કર્મચારી અથવા અધિકારી ખાનગી…
(એજન્સી)ગોધરા, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં હાહાકાર મચી ગયો છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા અને શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણ સંકટને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. એક તરફ સરકાર ઈંધણની કોઈ અછત ન હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે.અમદાવાદના રીંગ રોડ પર પણ ન્યારાના પેટ્રોલ પંપો પર સ્ટોક પૂરો થઈ ગયો છે, આ ઉપરાંત પેટ્રોલ પંપ પર ડીઝલ આવતું નથી તેવી ફરિયાદો ઉઠી છે, અને ડિઝલનો સ્ટોક અમદાવાદના ઘણાં પેટ્રોલ પંપો પર પૂરો થઈ ગયો છે અને જ્યાં છે ત્યાં…
(એજન્સી)અમદાવાદ, શહેરના વિજય ચાર રસ્તા પાસે એક્ટિવા પર પસાર થઇ રહેલા દંપતીને વર્ષ ૨૦૨૩માં એએમટીએસ બસે અડફેટમાં લીધા હતા. જેમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતીએ આરોપી એએમટીએસ ડ્રાઇવરને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે. આ ઉપરાંત ફરિયાદીને વળતર પેટે ૫૦ હજાર રૂપિયા ચૂકવવા આપવા આદેશ કર્યાે છે.સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો નો તાજેતરનો રિપોર્ટ જોતા દેશમાં માર્ગ અકસ્માતમાં પ્રતિદીન ૫૪૬ વ્યક્તિના મોત થાય છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવી આવશ્યક બની છે. આ આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે.…
કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા: નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં નિર્ણય લઈ શકાયો નથીહજી પદગ્રહણ ઝડપથી નજીકના દિવસોમાં થાય તેવી કોઈ સંભાવના જોવા મળી રહી નથી.(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ 28 એપ્રિલના રોજ આવ્યા હતા. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપની ભવ્ય જીત થઈ છેત્યારે નાગરિકોના કામો માટે સ્થાનિક સ્વરાજ્યમાં સત્તા મેળવનાર ગુજરાત ભાજપ હજી સુધી 15 મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કોની કરવી તે અંગે નિર્ણય લઈ શકી નથી. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં ભાજપના નેતાઓમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા છે.ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી…
ઉદ્ઘાટન:ગુરુવાર,૧૪ મે,૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦થી ૬:૩૦ વાગ્યા સુધી પ્રવેશ: ઓપન / બધા માટે સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)દ્રારાઅમદાવાદ બુક ક્લબ,બુકબગ્સ અને માતૃભાષા અભિયાનના સહયોગથી ગુરુવાર,૧૪ મેથી રવિવાર,૧૭ મે ૨૦૨૬ દરમિયાન “એએમએઝિંગચિલ્ડ્રન્સ બુક ફેર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન્સ બુક ફેરનો ઉદ્દેશ્ય બાળકો અને યુવાનો (પાંચથી અઢાર વર્ષના)માં વાંચન પ્રત્યે આજીવન પ્રેમ કેળવવાનો છે,જેમાં અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષામાં વૈવિધ્યસભર ગ્રંથસંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે.આ ચિલ્ડ્રન્સ બુક ફેરનું ઉદ્ઘાટન શ્રી અર્ચિત ભટ્ટ (મેનેજિંગ ડિરેક્ટર,ત્રિપદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ);શ્રી દિલીપ સુરકર (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ડિરેક્ટર,વિકસેટ અમદાવાદ);શ્રી જયા આર્ય (પ્રમુખ,અમદાવાદ બુક ક્લબ;ડિરેક્ટર-એડ્યુટેસ્ટ સોલ્યુશન્સ;સહ-સ્થાપક – બુક બગ્સ) અને શ્રી…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે,સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા1000આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં665બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા છે.Ahmedabad, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU)ની આસપાસ રહેતા1000જેટલા આદિવાસી પરિવારો રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા1000આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે વર્ષ2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે,સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા1000આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની38ગ્રામ…
અમદાવાદથી તાલાલા જવા મુસાફરો સ્લીપર કોચમાં બેઠા હતાં: મોટા ભાગના મુસાફરો સુતા હતાં ત્યારે ભયંકર ઘટના બની ગઇ‘સ્લીપર કોચ’ ભડકે બળીઃ ચોટીલાના સાંગાણી ગામ પાસે રાત્રીના ડામર ભરેલા ડમ્પરની પાછળ તાલાલાની મધુરમ્ ટ્રાવેલ્સની લક્ઝરી સ્લીપર કોચ બસ ધડાકાભેર અથડાયા પછી તેમાં આગ ભભૂકી ઉઠી હતીરાજકોટ, ચોટીલા – સાયલા નેશનલ હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક રાત્રીના ખાનગી ટ્રાવેલ્સની બસ આગળ જતા ટેન્કર સાથે અથડાતા વાહનોમાં આંગ લાગી જતા બસ ચાર વ્યક્તિ જીવતા સળગી ભૂંઝાતા મરણ નિપજ્યાં છે. તેમજ દસ જેટલા લોકો દાઝી જતા નાની મોટી ઇજા પહોંચી છે.અકસ્માત અંગે પ્રાથમિક વિગતો મુજબ ગત મોડી રાત્રે ચોટીલા નજદીક આવેલા સાંગાણી ગામના…
