ઉદ્ઘાટન:ગુરુવાર,૧૪ મે,૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦થી ૬:૩૦ વાગ્યા સુધી પ્રવેશ: ઓપન / બધા માટે સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)દ્રારાઅમદાવાદ બુક ક્લબ,બુકબગ્સ અને માતૃભાષા અભિયાનના સહયોગથી ગુરુવાર,૧૪ મેથી રવિવાર,૧૭ મે ૨૦૨૬ દરમિયાન “એએમએઝિંગચિલ્ડ્રન્સ બુક ફેર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન્સ બુક ફેરનો ઉદ્દેશ્ય બાળકો અને યુવાનો (પાંચથી અઢાર વર્ષના)માં વાંચન પ્રત્યે આજીવન પ્રેમ કેળવવાનો છે,જેમાં અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષામાં વૈવિધ્યસભર ગ્રંથસંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે.
આ ચિલ્ડ્રન્સ બુક ફેરનું ઉદ્ઘાટન શ્રી અર્ચિત ભટ્ટ (મેનેજિંગ ડિરેક્ટર,ત્રિપદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ);શ્રી દિલીપ સુરકર (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ડિરેક્ટર,વિકસેટ અમદાવાદ);શ્રી જયા આર્ય (પ્રમુખ,અમદાવાદ બુક ક્લબ;ડિરેક્ટર-એડ્યુટેસ્ટ સોલ્યુશન્સ;સહ-સ્થાપક – બુક બગ્સ) અને શ્રી ત્રિલોક સંઘાણી (પ્રમુખ,ગુજરાતી બુક ક્લબ;નિવૃત્ત આસિસ્ટન્ટ ડિરેક્ટર (પી)આઈબીપીએસ;આકાશવાણી અમદાવાદ – પ્રોગ્રામ હેડ) દ્રારા કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ,ચિલ્ડ્રન્સ બુક ફેર શુક્રવાર,મે ૧૫થી રવિવાર,૧૭ મે ૨૦૨૬ દરમિયાન સવારે ૧૧:૦૦થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પ્રવેશ નિઃશુલ્ક છે અને ચિલ્ડ્રન્સ બુક ફેર તમામ માટે ખુલ્લો છે.
રવિવારના વિશેષ કાર્યક્રમો
ચિલ્ડ્રન્સ બુક ફેરમાં રવિવાર,૧૭ મે ૨૦૨૬ના રોજ “બિયોન્ડ ધ બુક” અંતર્ગત બે વિશેષ કાર્યક્રમો યોજાશે.સવારના કાર્યકમમાંલેખિકા અને સંચાલક શ્રી પ્રિયા નારાયણન,રવિવાર ૧૭ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦થી બપોરે ૧૨:૩૦ દરમિયાન “ડેમન્સ એન્ડ ડેમનેસિસ ઓફ હિન્દુ માયથોલોજી”માંથી વાંચન કરશે,ત્યારબાદ બાળકો સાથે સંવાદાત્મક પ્રવૃત્તિઓ યોજાશે.
સાંજના કાર્યક્રમમાં“દાદા-દાદીનો ઓટલો” કાર્યક્રમ અંતર્ગત સાંજે૫:૦૦થી ૭:૦૦ વાગ્યા દરમિયાન ગુજરાતી મૌખિક પરંપરાઓની ઉજવણીના ભાગરૂપે જાણીતા સંચાલકો શ્રી આશા ભટ્ટ,શ્રી પ્રશાંત રાવલ અને શ્રી જ્યોતિ અમરેલિયા બાળકોને (૬-૧૫ વર્ષની વયના) બાળ-ભવાઈ,પંચતંત્રની વાર્તાઓ અને પરંપરાગત અભિનય ગીતો સાથે જોડશે.

