Author: gujarat

૧૬૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ સુરતની ડુમસ સી ફેસ બનશે કચરા મુક્ત-વીક એન્ડમાં વિવિધ એન.જી.ઓ. સફાઈ અભિયાન કરશે(એજન્સી) સુરત, સુરત પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ બનેલો ડુમસ સી-ફેસ શરૂ થતાં જ સ્વચ્છતા મુદ્દે વિવાદોમાં આવી ગયો છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પહોંચે છે, પરંતુ ત્યારબાદ વિસ્તાર કચરાના ઢગલામાં ફેરવાઈ જતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્વચ્છતામાં દેશમાં આગવી ઓળખ ધરાવતી સુરત પાલિકા માટે આ સ્થિતિ હવે પડકારરૂપ બની ગઈ છે.૧૬૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટમાં પ્રથમ જ વીકએન્ડ બાદ પાલિકાએ અંદાજે ૩૦૦ કિલો કચરો ઉઠાવ્યો હતો. સતત વધતી ગંદકીના કારણે પ્રોજેક્ટની જાળવણી મુશ્કેલ બની રહી…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ૭૭૨ પીઆઈની બદલી(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, તે પહેલા જ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી.જે બાદ ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીના આદેશ અપાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ગુજરાતમાં હાલ એક સાથે ૭૭૨ પીઆઈની બદલીના આદેશ અપાયા છે, ત્યારે આ માહિતી સામે આવતા જ ચૂંટણીને લગતી ચર્ચાઓ શરૂ થઈ છે.મળતી માહિતી મુજબ, આજે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત પોલીસ વિભાગની ડીજી એન્ડ આઈજી ઓફિસ ગાંધીનગર ખાતેથી પોલીસ વિભાગમાં મોટા પાયે પોલીસકર્મીઓની બદલીનો પરિપત્ર જાહેર કરાયો છે.કુલ ૭૭૨ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને…

Read More

(એજન્સી)અમદાવાદ, આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા હોય છે, ત્યારે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વરતારો દેશ અને ખાસ કરીને ગુજરાત માટે મિશ્ર સંકેતો આપી રહ્યો છે.ખેડૂતો માટે આવતું ચોમાસું ચિંતા વધારી શકે છે. કેમ કે, જૂન સુધીમાં અલનીનો અને પોઝિટિવ આઈઓડીની સંભાવના છે. અલનીનો-આઈઓડી એકબીજા પર હાવી થવા પ્રયાસ કરશે. બંને વચ્ચેની ખેંચતાણના કારણે વરસાદ અનિયમિત રહી શકે છે.વૈજ્ઞાનિક તારણો મુજબ, આ વર્ષે દેશમાં સામાન્યના ૯૦ થી ૯૬ ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો, અહીં વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે…

Read More

(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ ૨૦૨૬ની પરીક્ષા આગામી ૨૯ તારીખે ૬૬૯ કેન્દ્રો પરથી લેવાશે, આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-૨૦૨૬ (ગુજકેટ)ની પરીક્ષા આગામી તા.૨૦મી માર્ચે લેવાશે. આ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે.પરીક્ષા…

Read More

અમરેલી, સાવરકુંડલા શહેરમાં ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે જીવદયા અને સેવાભાવનો અનોખો સંદેશ આપતું ‘૫૧૦૦ શ્રીફળ કીડીયારું અભિયાન’ ભવ્ય રીતે યોજાયું હતું. તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા આશ્રમ પરિવાર દ્વારા આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ અબોલ જીવોની સેવા દ્વારા પુણ્યનો લાભ લીધો હતો.સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા સતીષ પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી સાવરકુંડલા વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને દર વર્ષે ધાર્મિક પ્રસંગોએ આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિમાં ‘જીવદયા એ જ પરમો ધર્મ’ અને ‘વસુધૈવ…

Read More

ગાંધીનગર, ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને ૧/૩ અનામત મળશે.આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન ૧૮૨થી વધીને ૨૭૩ થઈ શકે છે.કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતમાં વિધાનસભા બેઠકોના નવા પરિસીમન થશે અને નવી બેઠકો પણ અÂસ્તત્વમાં આવશે. વર્તમાનમાં ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા સીટો છે, જે વધીને ૨૭૩ સુધી પહોંચી શકે…

Read More

મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાં મિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડામિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશેરાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ,હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે.ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-૨૦૨૬ રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે,આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું…

Read More

બનાસકાંઠામાં 2 પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ પૂરો થવાના અંતિમ તબક્કામાં છે. દરેક પ્લાન્ટ દૈનિક લગભગ 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરે છે. ગાંધીનગર, 26 માર્ચ, 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’, આત્મનિર્ભર ભારત અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરીને ગુજરાતનું વિકાસ મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે એક સફળ ઉદાહરણ તરીકે ઉભર્યું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલ બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસો થકી દેશના લગભગ 15 રાજ્યો પોતાને ત્યાં અમલી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા વિકસિત…

Read More

બેચરાજી-રણુજ રેલ ખંડનું બ્રોડગેજ કાર્ય પૂર્ણ –CRS નિરીક્ષણ માટે પ્રસ્તાવ પ્રેષિત ઉત્તર ગુજરાતના વિકાસને મળશે નવી ગતિઅમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાતના પ્રવાસ દરમિયાન ₹1,400 કરોડથી વધુ ખર્ચની વિવિધ રેલવે યોજનાઓ દેશને સમર્પિત કરી હતી, જેમાં બેચરાજી–રણુજ રેલ ખંડનો પણ સમાવેશ થાય છે, જેનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. લગભગ 40 કિલોમીટર લંબાઈ અને ₹520 કરોડના ખર્ચથી પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ગુજરાતને મજબૂત રેલ સંપર્ક ઉપલબ્ધ થયો છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અનુરૂપ વિકસાવવામાં આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં સુરક્ષિત, ઝડપી અને અવરોધરહિત આવાગમન સુનિશ્ચિત થશે.બેચરાજી–રણુજ…

Read More

નવી દિલ્હી: ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી દેશની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષણની સાથે જ ‘ઓપન એજ્યુકેશન સેન્ટર્સ’ કાર્યરત થશે.આ નવી પહેલની સૌથી મોટી વિશેષતા એ છે કે નિયમિત શાળા અને ઓપન લર્નિંગ બંને એક જ કેમ્પસમાં ચાલશે. જો કોઈ વિદ્યાર્થી નિયમિત શિક્ષણમાં નિષ્ફળ જાય છે, તો તેને શાળા છોડવાને બદલે તાત્કાલિક ઓપન લર્નિંગમાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.ભારતમાં ખાસ કરીને ધોરણ ૫, ૮ અને ૧૦ પછી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં…

Read More