(પ્રતિનિધિ) નડિયાદ, ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશનલ સમિટમાં તેજસ પટેલને ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યું હતું.ભારતની વિવિધ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા અને કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના માધ્યમથી નવીનતાઓ સાથે શરૂ કરેલી સેવાઓ, સહકારી બેંકિંગ અને સમુદાય વિકાસમાં અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા તેજસ પટેલનું ભારતમાં સહકારી બેંકિંગ ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન અને અસાધારણ નેતૃત્વને બિરદાવવામાં આવ્યું છે. ખાસ કરીને કેડીસીસી…
Author: gujarat
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પેટ્રોલ-ડીઝલ ખર્ચ ઘટાડવા ઓનલાઈન મીટિંગ કરવા પર ભારઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વાહનોમાં દરરોજ ૧૦૦ લિટર પેટ્રોલ અને ૫,૦૦૦ લિટર ડીઝલનો વપરાશ થાય છે. (પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મોટરકાર સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશ પાછળ વર્ષે દહાડે રૃ. ૧૬ કરોડ, ૫૩ લાખથી વધુ રકમના ખર્ચ કરવામાં આવે છે. એએમસી દ્વારા ઘણાં વાહનો પર્યાવરણને સાનુકૂળ ઝ્રદ્ગય્ આધારિત કરીને દોડાવવામાં આવી રહ્યા છે તેમજ ઈલેક્ટ્રીક વ્હીલકલ વાહનોનો પણ વપરાશ કરવામાં આવી રહ્યો છે.એએમસીના જમાલપુર એસ. ટી. ડેપો પાસે આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી એએમસીના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પૂરવામાં આવે છે. એએમસીના વાહનોમાં દરરોજ ૧૦૦ લિટર પેટ્રોલ…
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર નગરપાલિકામાં નવું બોર્ડ અસ્તિત્વમાં આવે તે પૂર્વ વહીવટદારના શાસન દરમ્યાન પાલિકાના ચીફ ઓફિસર તથા દબાણ વિભાગ દ્વારા બુધવારે ટીપી રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરીને ઉમિયા સોસાયટીથી શાંતિપાર્ક સુધી ૭૦થી વધુ કાચા-પાકા દબાણોનો સફાયો કરી દેવામાં આવતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.આ અંગે ચીફ ઓફિસર ઉપેદ્ર ગઢવી તથા દબાણ વિભાગના વડાના જણાવાયા મુજબ ચુંટણી અગાઉથી જ હિંમતનગર નગરપાલિકાની હદમાં દબાણ દુર કરવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું જોકે હવે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ તેની સાથે જ આચારસંહિતા પણ સમાપ્ત થઈ ગઈ છે.જેથી બુધવારે નગરપાલિકા દ્વારા…
ગુજરાત પોલીસ હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે ઃ રાજ્યના પોલીસ વડાનો આદેશ(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ગુનેગારોને પાઠ ભણાવવા માટે જાહેરમાં તેમનું સરઘસ કાઢવાની કે કાન પકડાવી માફી મંગાવવાની પોલીસની જૂની પદ્ધતિઓ પર હવે કાયમી બ્રેક લાગી ગઈ છે.રાજ્યના પોલીસ વડા (ડીજીપી) ડો. કે. એલ. એન. રાવે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને એક લેખિત પરિપત્ર જારી કરીને આરોપીઓ સાથે માનવીય વ્યવહાર કરવા અને કાયદાની મર્યાદામાં રહેવા કડક સૂચના આપી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે પોલીસ અધિકારીઓને મીટિંગ ઓનલાઈન લેવા નિર્દેશ કર્યો છે. ડીજીપી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, હવે રાજ્યમાં કોઈપણ આરોપીની ધરપકડ બાદ…
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ’ પર વિચારણા, સરકાર એક્શનમાં(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે.રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,…
(એજન્સી)અમદાવાદ, પશ્ચિમી એશિયા દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે આ દસકનું સૌથી મોટું સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેની અપીલની ભારે અસર થઈ છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ કાર પુલિંગનો અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં કાર બાઇક પુલિંગનો નિર્ણય કર્યો છે.આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે કાર, બાઇક પુલિંગનો નિર્ણય કરવામાં…
(એજન્સી)ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જનતાને પડતી અગવડતા દૂર કરવા અને સાદગી અપનાવવા માટે વીવીઆઈપી કલ્ચર ઘટાડવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રોટોકોલમાં મોટો ફેરફાર કરીને એક નવી મિસાલ કાયમ કરી છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા એસટી બસ અને ટ્રેનમાં કરશે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ૨૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ૧૦૮ બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીઆઈપી કલ્ચર ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે.સામાન્ય રીતે ૧૦થી વધુ વાહનોના લશ્કરી કાફલા…
વડાપ્રધાન મોદી માત્ર બે કારના કાફલા સાથે નીકળ્યા-વડાપ્રધાન અને અમિત શાહ સહિતના નેતાઓએ કાફલામાં કર્યો ઘટાડોનવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને વધતા ઈંધણના ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનો બચાવવા માટે એક અનુકરણીય પહેલ કરી છે. પીએમ મોદીએ પોતાના કાફલાના કદમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેની અસર હવે ભાજપ શાસિત રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દીધી છે.Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol.સૂત્રોના જણાવ્યા…
સાઉથ વેસ્ટ ઝોન દ્વારા કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ એલોટ કરવામાં આવ્યાઅમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રાયોગિક પહેલ હાથ ધરવામાં આવી છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સરખેજ અને જોધપુર વિસ્તારોમાં આવેલા એવા કોમર્શિયલ કોમ્પલેક્ષો, જ્યાં પોતાની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી, તેઓ માટે AMCએ પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપી છે. AMCની આ પહેલથી અવ્યવસ્થિત પાર્કિંગ અને ટ્રાફિક દબાણમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.સાઉથ વેસ્ટ ઝોન હેઠળ સરખેજ અને જોધપુર વોર્ડ વિસ્તારમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને…
