Author: gujarat

NCRB રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યોચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો નવી દિલ્હી,જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જોઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા ૩૬ મહિનામાં તસ્કરોએ ૧૦૬૯ કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યાે છે. જેની સામે પોલીસ માત્ર ૨૨૧ કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. ૭૮૭ કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.જો તમારા ઘરેથી ૧૦૦ રૂપિયાની ચોરી થાય, તો પોલીસ માંડ ૨૭…

Read More

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સાથે લાખોની ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીને ચૂનો ચોપડ્યો ત્રણેને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યાેઅમદાવાદ, વર્ષ ૨૦૦૧-૦૨માં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સાથે લાખોની છેતરપિંડી કરનાર સર્વેયર સહિત ૩ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે અને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ચુકાદો આપતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિલેશ એન. પાથરે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ નિઃશંકપણે પૂરવાર કરે છે કે આરોપીઓએ કાવતરું રચી વીમા કંપની સાથે છેતરપિંડી કરી છે. એફ.એસ.એલ. રિપોર્ટ અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટના અભિપ્રાય મુજબ દસ્તાવેજોમાં કરવામાં આવેલી સહીઓ બનાવટી હોવાનું સ્પષ્ટ થયું છે.વીમા કંપનીના અધિકારીઓએ તેમના…

Read More

ભારતની પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મળી મંજૂરી- ₹20,667 કરોડના ખર્ચે વિકસિત થશે ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટઅમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ આજે રેલ મંત્રાલયની અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળી આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે.લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), આવનારા ધોલેરા એરપોર્ટ તેમજ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા…

Read More

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસના અવસરે તા. 12 મે 2026ના રોજ સાબરમતી ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં સર્વોદય બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. ભાનુમતિ શેખર, સહાયક મુખ્ય ચિકિત્સા અધિક્ષક (પ્રશાસન) તેમજ વરિષ્ઠ અને કનિષ્ઠ નર્સિંગ સ્ટાફ દ્વારા દીપ પ્રજ્વલન તથા ફ્લોરેન્સ નાઇટિંગેલના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.રક્તદાન શિબિરને હોસ્પિટલના કર્મચારીઓ અને રક્તદાતાઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. શિબિર દરમિયાન કુલ 43 યુનિટ રક્ત સફળતાપૂર્વક એકત્રિત કરવામાં આવ્યું હતું.સમારોહ દરમિયાન ટૂંક સમયમાં નિવૃત્ત થનાર શ્રીમતી મીનાક્ષી પરમાર અને શ્રીમતી શર્મિષ્ઠાને હોસ્પિટલમાં તેમની સમર્પિત સેવાઓ અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ “બેસ્ટ નર્સ” પુરસ્કારથી સન્માનિત…

Read More

મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો ગુજરાત પ્રવાસ: 13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ-PACના કુલ 13 સભ્યોનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ તા. 12 થી 15 મે,2026 દરમિયાન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે પધાર્યું છે. જે અંતર્ગત આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલી,વહીવટી માળખું,જાહેર હિસાબોની દેખરેખ અને આધુનિક ટેકનોલોજી થકી અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરી પરસ્પર અનુભવોનું આદાન-પ્રદાન કરવાનો છે. ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રીમતી મિયાની ડી. શીરા સહિત સભ્યોના પ્રતિનિધિ મંડળને ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી…

Read More

ગુજરાતે માત્ર વિકાસમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેચ્યું: રમતગમત રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીતભારત સહિત એશિયાના ૨૯ દેશોના ૪૦૦થી વધુ ખેલાડી,ટેકનિશીયન અને કોચની ઉપસ્થિતિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રમતગમત રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીતના અધયક્ષસ્થાને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ભારત સહિત એશિયાના ૨૯ દેશોના ૪૦૦થી વધુ ખેલાડી,ટેકનિશીયન અને કોચ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે,ગુજરાત હવે માત્ર વિકાસમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. ગુજરાતમાં યોજાતી આવી ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ આપણા સ્થાનિક…

Read More

સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા સાથે યુવા અધિકારીઓએ લોકભવનમાં રાજ્યપાલશ્રી સાથે કરી મુલાકાતAhmedabad, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા -સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટકના માર્ગદર્શન હેઠળ ગુજરાત કેડરના ૨૦૨૫ બેચના ૮ પ્રોબેશનરી IASઅધિકારીઓએ આજે ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ યુવા અધિકારીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વહીવટમાં પારદર્શિતા તેમજ સંવેદનશીલતા લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,અધિકારીઓએ માત્ર ફાઈલો સુધી મર્યાદિત ન રહીને જમીની સ્તર પર જનતાની સમસ્યાઓ સમજવી જોઈએ. તેમણે આ અધિકારીઓને રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘રાષ્ટ્રહિત માટે ઇંધણ બચત’ની અપીલને આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ આવકારીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. તાજેતરમાં પાટીદાર સમાજના એક સંમેલન દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કરેલી નમ્ર અપીલને રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સહર્ષ સ્વીકારી રાષ્ટ્રહિતમાં એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.આ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રત્યેક શ્વાસ રાષ્ટ્રના ઉત્થાન માટે હોય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ વચ્ચે ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં,જો આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો તે સીધી…

Read More

ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન છેલ્લા બે વર્ષમાં20%વધ્યું,રાજ્યમાં વાર્ષિક26કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છેગુજરાત સરકારના પ્રોત્સાહન અને જાગૃતિ કાર્યક્રમોથી રાજ્યમાં ખેતીનું ચિત્ર બદલાયુંવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક,ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે.ગુજરાતમાં છેલ્લા2વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે20%વધ્યુંછેલ્લા2વર્ષમાં રાજ્યમાં ટેન્ડર કોકોનટના ઉત્પાદનમાં અંદાજે20ટકાનો વધારો થયો…

Read More

વરસાદી મોસમમાં રોડ મેન્ટેનન્સ માટે AMCની આગોતરી તૈયારી, હોટમિક્સ પ્લાન્ટ અને મટીરિયલ સ્ટોક તૈયાર(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા અને રોડ ડેમેજ જેવી સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટમિક્સ પ્લાન્ટ અને સંબંધિત મટીરિયલની આગોતરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.શહેરના વિવિધ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક રોડ રિપેરિંગ કામગીરી કરી શકાય તે માટે એએમસી દ્વારા હોટમિક્સ મટીરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે તેમજ કામગીરી માટેની મશીનરી પણ સજ્જ કરવામાં આવી છે.ગત ચોમાસા દરમિયાન એએમસીના હોટમિક્સ પ્લાન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં…

Read More