નાનખટાઈ ખાવાના કારણે ઉલટીઓ થઈ, AMC ફૂડ વિભાગમાં ફરિયાદ(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત કે અન્ય ચીજ વસ્તુઓ નીકળવાની ઘટના બનતી હોય છે ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં શ્રીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીમાંથી ખરીદી કરવામાં આવેલી નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી.ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જે નાનખટાઈ ખાવાના કારણે તેમને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઇ મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે.ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે બે…
Author: gujarat
ગાંધીનગર, ગુજરાત સરકારે સેવાકીય મુદ્દાઓમાં કોર્ટના ચુકાદાનો સમયસર અમલ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ અને સંસ્થાઓ દ્વારા કોર્ટમાં દાખલ થતી પિટિશનોમાં ચુકાદા પછી વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી ન થવાને કારણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પરિસ્થિતિ ઊભી થતી હતી. હાઇકોર્ટમાં કેટલાક કેસોમાં થયેલા વિલંબને ગંભીરતાથી લઈને સરકારે અગાઉનો ૩ માર્ચ ૨૦૨૬નો પરિપત્ર રદ કરીને નવી ગાઇડલાઇન જાહેર કરી છે.નવા નિયમો મુજબ, જો કોર્ટનો ચુકાદો સ્વીકારવાનો હોય તો સમગ્ર પ્રક્રિયા ૪૫ દિવસમાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. તેમાં કચેરીના વડાને ૧૨ દિવસ, ખાતાના વડાને ૧૦ દિવસ, વહીવટી વિભાગને ૮ દિવસ અને નાણા વિભાગને ૧૫ દિવસનો સમય ફાળવવામાં…
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી ફરી એકવાર ગૃહમાં સપાટી પર આવી હતી.જો કે, આ શાÂબ્દક જંગમાં અંતે હર્ષ સંઘવીનો વિજય થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વચ્ચે જુનો જંગ છે. બન્ને વચ્ચે અવારનવાર શાÂબ્દક ટપાટપી થતી રહે છે.યુસીસી બિલ પર ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે’ તેવું નિવેદન આપ્યું છે. આ દાવાને હર્ષ…
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લેતા સમાન નાગરિક સંહિતા બિલ બહુમતીના આધારે પસાર કરવામાં આવ્યું છે. બપોરે ૩ વાગ્યે રજૂ થયેલા આ બિલ પર ગૃહમાં આશરે ૭.૩૦ કલાક સુધી લાંબી અને ગહન ચર્ચા ચાલી હતી.અંતે રાત્રે ૧૦.૩૭ કલાકે આ બિલને સત્તાવાર રીતે પસાર જાહેર કરવામાં આવ્યું હતું. યુસીસી બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ બિલને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે પ્રવર્ત સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી.જો કે, સરકારે આ પ્રસ્તાવ નકારતા અંતિમ મતદાન સમયે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ બિલ પસાર થતા હવે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને…
ભરૂચમાં કુલ1394જેટલા ઉદ્યોગો,જેમાંથી45%કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરીUSD 986 મિલિયનથી વધુ અમેરિકી નિકાસઅને23.5%થી વધુ રાષ્ટ્રીય ફાળો સાથે ભરૂચ બન્યું કેમિકલ કેપિટલઅમદાવાદ, ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેમાં ભરૂચ જિલ્લો કેમિકલ તથા પેટ્રોકેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં દેશના અગ્રણી હબ તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ,સાયખા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વિશ્વકક્ષાના કેમિકલ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો છે. નાના,મધ્યમ અને મોટા ઉદ્યોગ એકમોની વ્યાપક હાજરીને કારણે અહીં અદ્યતન ઉત્પાદન ક્ષમતા વિકસેલી છે,જેના પરિણામે આ વિસ્તારને “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પ્રગતિને નવી ઉંચાઈ સુધી લઈ જવા…
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સમરસ જુથનું નેતૃત્વ કરતા જે. જે. પટેલ ૧૯૪૯ એકડા સાથે જીત્યા ! બાકીના “બગડા” માંથી “એકડા” કરી જીત્યા ?! રસપ્રદ ચૂંટણી પરિણામમાં સુરત બારનો દબદબો રહ્યો ?!-ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અને સમરસ પેનલનું પોસ્ટમોર્ટમ શું છે ?!સમરસ જુથમાં નવોદિત મહિલા ઉમેદવારો અને પ્રતિભાશાળી નવોદિત ઉમેદવારોને સમરસમાં સમાવવા તરફ ચક્રવ્યુહ ઘડી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં સમરસને વધુ મજબુત કરશે ?!બ્રિટીસના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “રાજકારણ યુદ્ધ જેટલું જ રોમાંચક હોય છે, યુદ્ધમાં તમે એક જ વાર હણાઓ છો, જયારે રાજકારણમાં તો. વારંવાર મરવું પડે છે”!! જયારે રશિયન સામ્યવાદના પ્રણેતા વાÂલ્દમીર લીચ લેનિન કહે…
વોશિંગ્ટન, છેલ્લા ૨૫ દિવસથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, યુદ્ધનો અંત લાવવા માટે ઈરાન સાથે સક્રિય મંત્રણા ચાલી રહી છે અને ઈરાને ફરી ક્યારેય પરમાણુ શસ્ત્રો ન રાખવા માટે સહમતી દર્શાવી છે.USA president Donald Trump Claims Iran Has ‘Agreed’ To ‘Never Have A Nuclear Weapon’વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાને સદ્ભાવનાના પ્રતીક તરીકે અમેરિકાને એક ‘ભેટ’ ઓફર કરી છે. જોકે તેમણે આ ભેટની સ્પષ્ટ વિગતો આપી નથી, પરંતુ તે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) દ્વારા તેલના વેપાર સાથે સંબંધિત હોવાનું સૂચવ્યું છે.ટ્રમ્પના દાવાઓથી…
બે મુસાફરો પાસે રહેલી ટિકિટના સિરિયલ નંબર એકસરખા જણાતા રેલવેની ટીમ સતર્ક થઈ ગઈ હતીઆરોપીઓ નકલી ટિકિટ વેચીને મુસાફરો પાસેથી પૈસા પડાવતા હતા અને બાદમાં અસલી ટિકિટો કાઉન્ટર પર જમા કરાવી રેલવે પાસેથી રિફંડ લેતા હતાઅમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને પારદર્શક ટિકિટિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનમાં નકલી રેલ ટિકિટોના એક આંતરરાજ્ય સંગઠિત રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે.તારીખ ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રયાગરાજ–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૬૮) જ્યારે અમદાવાદ સ્ટેશને પહોંચી, ત્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફના શ્રી…
છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં મચ્છર મારવા 34.86 કરોડનો ધૂમાડો કરાયોફોગીંગ, IRS અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી માટે વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલા ૪.૧૫ કરોડ ખર્ચની સામે વર્ષ ૨૦૨૪-૨૫ માં તે વધીને ૧૫ કરોડ પર પહોંચી ગયો છે. અમદાવાદ, AMC દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. મચ્છર મારવા વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન એટલે કે, છેલ્લા પાંચ વર્ષમાં ફોગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ ૩૪.૮૬ કરોડનો ધુમાડો છતાં સ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે.વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ ૧૫ કરોડ ખર્ચાયા છે. બજેટ બેઠક ૨૦૨૬-૨૦૨૭ અંતર્ગત મ્યુનિ. વિપક્ષના કોર્પોરેટરને પ્રશ્નના જવાબમાં…
