રહેણાંક વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાનમૃત માછલીઓનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત : તંત્રમાં રજૂઆત કરાઈસુઈગામ, સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામના તળાવમાં પાણીનું સ્તર ઘટી જતાં અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછલીઓના મોત નીપજ્યાં છે. મૃત માછલીઓની દુર્ગંધથી આજુબાજુના અને ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પહલે ગ્રામજનો ચિંતિત બન્યા છે.સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામ નજીકના તળાવમાં વરસાદી પાણીમાં હજારો માછલી જોવા મળી હતી. ક્ષારના કારણે તળાવનું પાણી ખારું બની ગયું હતું અને ઉનાળાની ગરમીના કારણે પાણીનું સ્તર ઘટી જતાં અને પાણી ગરમ થતાં તળાવમાં રહેલી સેંકડો…
Author: gujarat
દેશ વિવિધ રાજ્યોમાં ૧૨ ફરિયાદો નોંધાઈમુખ્ય સૂત્રધાર અમદાવાદના ઉર્જિત કવિના ખાતામાંથી ૨.૮૪ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યાસુરત, સુરત શહેરના એક ૭૨ વર્ષીય સિનિયર સિટીઝનને નિશાન બનાવી સાયબર માફિયાઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ના બહાને રૂ. ૧.૪૭ કરોડથી વધુની રકમ પડાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે આ હાઈપ્રોફાઈલ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી મુખ્ય આરોપી ઉર્જિત સચ્ચિદાનંદ કવિની ધરપકડ કરી છે. આરોપીએ વૃદ્ધને મની લોન્ડરિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિના ખોટા કેસમાં ફસાવી સતત ૨૮ દિવસ સુધી માનસિક દબાણમાં રાખી આ જંગી રકમ પડાવી લીધી હતી.સાયબર ગઠિયાઓએ ફરિયાદી વૃદ્ધને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI…
૪ દિવસમાં આરોપીને પગમાં ગોળી મારવાની બીજી ઘટનાઆરોપી રાહુલે શરણાગતિ સ્વીકારવાને બદલે કોન્સ્ટેબલ પર ચપ્પુથી હુમલો કરતા ધમાચકડી મચી ગઈ હતીસુરત, સુરતના લિંબાયત વિસ્તારમાં એક નિર્દાેષ સગીરની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા કુખ્યાત ગુનેગાર રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે હુમલો કરતા લિંબાયત પી.આઈ. એ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી અથડામણમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો, જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી છે.૧૦મી મેની રાત્રે લિંબાયતના ગણેશ નગર પાસે બાઈક અથડાવાની સામાન્ય બાબતે રીઢા ગુનેગાર રાહુલ સંજયનાથ જોગીએ ૧૭ વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર નામના કિશોરની છાતીમાં…
સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈઅમરોલીના ઝવેરી મહોલ્લામાં રવિવારે રાત્રે જમવાનું બનાવતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંસુરત, માનવીય સંવેદનાઓ જાણે મરી પરવારી હોય તેમ સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર રસોઈના ધુમાડા જેવી સામાન્ય બાબતે એક પ્રેમીએ તેની સાથે છેલ્લા સાત વર્ષથી પત્ની તરીકે રહેતી મહિલાની કાતરના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા અરેરાટી ફેલાઈ છે. અમરોલીના ઝવેરી મહોલ્લામાં રવિવારે રાત્રે જમવાનું બનાવતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ૪૦ વર્ષીય જયાબેનનું કરુણ મોત નીપજ્યું છે.હત્યાની ઘટના અંગે અમરોલી પોલીસના વર્તુળો કહે છે કે, અમરોલીના ઝવેરી મહોલ્લામાં જયાબેન (ઉ.વ. ૪૦) તેમના પ્રેમી ભાવેશ મનુભાઈ પાંડવ સાથે…
૪ વર્ષથી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાંડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છેગાંધીનગર, ફાર્મસી કાઉન્સિલે ૨૦૨૨માં ડિપ્લોમા ફાર્મસી પાસ વિદ્યાર્થીઓના ફાર્મસિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશનમાટે ફાર્મસી એક્ઝિટ ટેસ્ટનો નિયમ લાગુ કર્યા બાદ ૨૦૨૪માં પહેલીવારની એક્ઝિટ ટેસ્ટ લેવાનાર હતી. પરંતુ પરીક્ષાના પેપરો અને પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ સાથે વિવાદ ઊભો થતા અંતે છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી. કેન્દ્ર સરકારે હજુ સુધી બે વર્ષ પણ આ પરીક્ષામાં ફેરફાર મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. જેથી ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે અને લેવાશે કે નહીં તે પણ નક્કી નથી.અગાઉ કાઉન્સિલના આદેશથી…
અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “આઉટ ઓફ ધ બોક્સ નોન-કન્વેન્શનલ મેનેજમેન્ટ” (પરંપરાગતથી હટીને બિન-પરંપરાગત સંચાલન) થીમ પર ‘બી.એન. દસ્તુર – એએમએ લર્નર્સ ફોરમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફોરમમાં નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા પર નવા દ્રષ્ટિકોણ જાણવા માટે ઉત્સુક એવા વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દિશાંક પંચાલે (સીનિયર મેનેજર,એએમએ)સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ ફોરમમાં જાણીતા ટ્રેનર,કન્સલ્ટન્ટ અને લેખક શ્રી બી.એન. દસ્તુર સાથે ખાસ સંવાદ યોજાયો હતો.કોર્પોરેટ પડકારો પ્રત્યેના તેમના વિશિષ્ટ અભિગમ માટે જાણીતા શ્રી દસ્તુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે,આજના અસ્થિર વૈશ્વિક બજારમાં નેતાઓએ જડ અને પરંપરાગત માળખાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. તેમણે પ્રાયોગિક સમજ…
વડોદરા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને દિશાદર્શન કરતા જણાવ્યું છે કે,પ્રવર્તમાન સમયમાં વિદેશી મુદ્રા ઉપર ભારણ પડે તેવી પ્રવૃત્તિ ઘટાડવી પડશે. દેશની આર્થિક મજબૂતી માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અપીલ કરતાં વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.વડોદરા ખાતે સરદાર ધામ – ૩ના લોકાર્પણ પ્રસંગે ઉક્ત પરિપ્રેક્ષમાં વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિઓ,જેમાં કોરોના મહામારી,વૈશ્વિક આર્થિક પડકારો તથા પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિઓનો સમગ્ર વિશ્વ પર વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે.વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે…
નર્સિંગ ક્ષેત્રે ૮ વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ’ કાર્યરત કરીને રાજ્યમાં નર્સોની કાર્યક્ષમતા વધારી દર્દીઓને મળશે અત્યાધુનિક સારવારઅમદાવાદ, ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં અધતન હોસ્પિટલોના નિર્માણની સાથે નર્સિંગ સ્ટાફને પણ અત્યાધુનિક તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારા સ્વરૂપે મળશે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે,રાજ્ય સરકાર દ્વારા નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અંદાજે 2500 કિલો હળદર તથા અંદાજે 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા હતા. જે હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું સામે આવ્યું છે.હળદરના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8 ટકા જેટલું વધુ નોંધાયું છે. સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40 ટકાથી 60 ટકા સુધી હોય છે. હળદરના નમૂનામાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન)નું મિશ્રણ હોવાથી હળદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ કરી હોવાનું સામે આવતાં FSSAI એક્ટ હેઠળ નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે…
વર્ષ ૨૦૨૬માં ૨૭૪ આમ કુલ ૧૫૨૫ જેટલા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-૨૬૪ હેઠળ નોટિસ આપવામાં આવી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ભયજનક તથા જર્જરિત મકાનોને લઈને જરૂરી ચેતવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી, અર્ધસરકારી, ખાનગી, વ્યક્તિગત તેમજ ધાર્મિક ટ્રસ્ટોના મકાનોની નિયમિત ચકાસણી દરમિયાન વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી ભયજનક હાલતમાં આવેલા મકાનો અંગે નાગરિકોની સલામતી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.મકાનના ભયજનક અથવા જર્જરિત ભાગો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા, જરૂરી રિપેરિંગ કરવા તેમજ કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે મકાન માલિકો, કબ્જેદારો અને સંબંધિત વ્યક્તિઓને ચેતવણી આપવામાં આવી છે. જો…
