અમદાવાદના સનાથલમાં હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોઅમદાવાદ, અમદાવાદના સનાથલ ગામમાં રવિવારે રાત્રિના સમયે એક હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઉભી થયેલી અદાવતમાં એક ૩૧ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.ઘટનાની વિગતવાર માહિતી મુજબ, સનાથલ ગામના મોટુ ફળિયામાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ભરતસિંહ ચૌહાણ (ઉ.વ. ૩૧) ગત…
Author: gujarat
૫ાંચ લોકોનાં મોતખીણમાં ખાબકેલા ૯ લોકોમાંથી ૪ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યાભાવનગર, હિમાચલ પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર વહેલી સવારે મનાલીથી બેલા જતી વખતે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઇને ખીણમાં ખાબકી ગઇ હતી. કારમાં સવાર કુલ ૯ લોકો ખીણમાં ખાબકી ગયાની માહિતી સામે આવી હતી. જેમાંથી ૪ને તો બચાવાયા પણ ૫ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસે ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક…
પરિણીતાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ ગુનો નોંધાયોકામધંધા બાબતે પતિ સાથે તકરાર બાદ પત્ની સંતાનો સાથે અમદાવાદ રહેવા માટે આવી ગઈ હતીઅમદાવાદ, વ્યવસાય બાબતે પતિ સાથે વિવાદ થતાં, પત્ની પતિનો ત્યાગ કરીને છેલ્લા કેટલાક સમયથી સંતાનો સાથે ઓઢવ વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી. યુવતી સામાન્ય કામકાજ કરીને આજીવિકા મેળવતી હતી. તેવામાં તાજેતરમાં જ પરિણીતાના પતિએ પત્નીને લાંછન લગાડવા માટે કાવતરું રચ્યું હતું. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્નીની છબી મૂકી તેની નીચે અભદ્ર લખાણ લખીને પોસ્ટ કરી હતી. આ ઉપરાંત પત્નીની અન્ય મહિલા મિત્રોને પણ આવી વિગતો (રીલ્સ) મોકલી હતી. અંતે પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના ઓઢવ…
ત્રણ ચોર પકડાયાનારોલમાં મકાનનો દરવાજો તોડીને રોકડ અને દાગીના ચોરી જનાર મુદ્દામાલ સાથે પકડાયાઅમદાવાદ, અમદાવાદમાં હત્યા ઉપરાંત ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવ થવું પડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વટવાના ૩૫ વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ કર્યા બાદ નારોલના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે યુવકોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ બંને યુવાનોએ શહેરમાં અન્ય કોઈ સ્થળે કોઈ કારીગરી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ઓઢવમાંથી ચોરીના કલરના જથ્થા સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.બે દિવસ પહેલા નારોલના ગેબનશા વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના…
આર્થિક ગુનાઓને ડામવા આવશ્યક છેઃ કોર્ટઆરોપીઓ આવા ગુના કરવા ટેવાયેલા છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે તેવી હકીકત તપાસમાં બહાર આવીઅમદાવાદ, શહેરના શેરબજારમાં રોકાણના બહાને ૯.૩૭ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગંભીર ગુનામાં પકડાયેલી સાસુ-વહુની જોડીને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યાે છે. એડિશનલ સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ જયેશકુમાર ઈશ્વરલાલ પટેલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, ગંભીર આર્થિક ગુનામાં સંડોવણી છે, આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર પુરાવા છે અને આટલી મોટી રકમની છેતરપિંડીમાં જામીન આપી શકાય નહીં. આરોપીઓ ધારાબેન મિહીરભાઈ પરીખ અને ગીતાબેન જીતેન્દ્રભાઈ પરીખ ‘એમ.પી. ફિનકોર્પ સર્વીસીસ’ નામની પેઢીમાં ભાગીદાર તરીકે કાર્યરત…
બોડકદેવનાં એક તળાવમાં ગટરનું પાણી આવી જતાં ઉલેચવા માટે વરુણ પંપ મૂકવાની ફરજ પડીતળાવોમાં વરસાદી પાણીનાં આવરા માટેનાં કુદરતી રસ્તા પણ બંધ થઇ ગયાં છે પણ ડ્રેનેજ જોડાણો ભરપૂર ગંદા પાણી ઠાલવે છેઅમદાવાદ, શહેરનાં જુદા જુદા તળાવોમાં ગટરનાં પાણી ના આવવા જોઇએ તેવુ તમામ કમિશનર કહી ગયાં હોવા છતાં મ્યુનિ.તંત્રની ગુનાહિત કામગીરીનાં કારણે આજની તારીખે પણ અનેક તળાવોમાં ગટરનાં પાણી આવે છે, જેને લોખંડનાં દરવાજા લગાવીને કામચલાઉ રીતે અટકાવી રખાયા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમ છતાં બોડકદેવમાં એક તળાવમાં ગટરનાં પાણી આવી જતાં તાબડતોબ તેને ઉલેચવા માટે હેવી ડ્યુટી વરૂણપંપ મુકવાની ફરજ પડી હતી.મ્યુનિ. ઇજનેર ખાતાનાં જ સત્તાવાર સૂત્રોએ સ્વીકાર્યુ…
દાણીલીમડાથી ઉર્સના મેળામાં આવેલા ભાવિકોની કારના ચાલકે કાબૂ ગુમાવતા બે જણાનાં મોતઘટનામાં કાર જે દુકાનમાં ઘુસી ગઈ હતી, તે દુકાનના સંચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમની સ્થિતિ ચિંતાજનક બની પાલનપુર, બનાસકાંઠાના દાંતામાં રવિવારે એક બેફામ કાર દુકાનમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એક દુકાનદારની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મોત થયું હતું. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, દાંતા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ…
અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતાપોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતા અને કાકા ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરીપાલનપુર, હડાદ તાલુકાના બામણોજ ગામે માનસિક અસ્થિર પુત્ર વારંવાર પરિવારજનો તેમજ ગ્રામજનો સાથે ઝઘડા કરતો હોઈ અને ખેતરમાં પણ પિતા તેમજ કાકા સાથે ઝઘડો કરતાં પિતા તેમજ કાકાએ માથાના ભાગે હથોડીના ફટકા મારતાં તેનું મોત થયું હતું. જેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. પાંચેક દિવસ બાદ મૃતકની માતાએ પુત્રની હત્યા કરનાર પતિ તેમજ દિયર સામે ગુનો નોધાવતાં પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.હડાદ પોલીસે જણાવ્યા મુજબ, મૃતક વિજય પ્રજાપતિ (ઉં.વં.૨૫) ત્રણ-ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો.તે…
કર્મચારીઓને વહેલા બોલાવવા માટે ફ્લાઈટની ટિકિટ પણ ઓફર કરી હતી, પરંતુ ઈન્સેન્ટિવ અને બોનસ છતાં ઘણા લોકો હજુ પાછા ફરી શક્યા નથી.અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો ચઢવાની સાથે જ અમદાવાદના રેસ્ટોરન્ટ માલિકો માટે એક નવી મુસીબત ઊભી થઈ છે. હાલમાં લગ્નસરાની મોસમ, ચૂંટણી અને અગાઉ સર્જાયેલી LPG સિલિન્ડરની અછતને કારણે મોટાભાગનો સ્ટાફ વતન જતો રહેતા શહેરની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ મેનપાવરની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે.અમદાવાદના જાણીતા રેસ્ટોરન્ટ માલિક ઋષભ પુરોહિત અત્યારે લગભગ એકલા હાથે પોતાની ગુજરાતી થાળીની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. અખાત્રીજ અને વૈશાખ મહિનામાં પરિવારમાં લગ્ન હોવાથી મોટાભાગનો સ્ટાફ રજા પર ઉતરી ગયો છે, જ્યારે કેટલાક કર્મચારીઓ LPG…
