અમદાવાદ , સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે.હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે.અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચિમકી આપતાં સરકારે બેકફુટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે, શિક્ષકોને પણ આ કામગીરી…
Author: gujarat
અમદાવાદ, ઈરાન-ઈઝરાયેલ,અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે. આયાત-નિકાસના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે.યુદ્ધની સ્થિતિના લીધે યુ.એ.ઇ ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના ૨૯૦૦૦થી વધુ કન્ટેનર અટવાઈ પડ્યા છે જેમાં ગુજરાત ભારતના ૫૫૦૦ વધુ કન્ટેનરો છે. એમ કોંગ્રેસના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે.ગુજરાત બટાકા, તડબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત કોમોડિટી એક્સપોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર ૮૦૦થી વધુ રિફર કન્ટેનરો એટલે રેળિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે કન્ટેનરોને ને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થાની જરૂર હોય છે.આ પોર્ટની…
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં ભાષાની શુદ્ધતાના ધજાગરા ઉડ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.ગત ૨૬મી ફેબ્›આરીના રોજ લેવાયેલા ગુજરાતી (પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રમાં જોડણી, વ્યાકરણ અને તથ્યોની ૫૦થી પણ વધુ નાની-મોટી ભૂલો હોવાનો દાવો શિક્ષણ જગતના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી મામલે હાલ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ સાથે શિક્ષણ બોર્ડની આકરી ટીકા થઈ રહી છે.શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬મી ફેબ્›આરીના રોજ ધો.૧૦માં ગુજરાતી સહિતની વિવિધ પ્રથમ ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.ગુજરાતી વિષયના પેપરમાં જોડાણી સહિતની નાના-મોટી અંદાજે ૫૦થી વધુ ભાષાકીય ભૂલ હોવાનો દાવો નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે.…
અમદાવાદ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધોની અસર હવે સીધી રીતે ગુજરાતના સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. છેલ્લા 6 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખુટી જશે તેવી બીકે લોકો પેટ્રોલ પર લાઈનો લગાવી રહ્યા છે.સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.જોકે, પેટ્રોલિયમ મંત્રાલયે…
માછીમારોના હિતમાં સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય –રાજ્યના માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશેમાછીમારોના હિતમાં ત્વરિત નિર્ણય કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રીનો મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યોGandhinagara, ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટના ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનો ઉકેલ લાવ્યા છે.ગુજરાત સરકારના મત્સ્ય સંઘ – GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા…
ગુજરાત વિધાનસભાની લોબીમાં ભેગા થતા કાર્યકરોમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો ચિત્ર એવું ઉપસે છે કે ગુજરાત વિધાનસભામાં બેસતા મહિલા ધારાસભ્યો અને ગામડામાં સરપંચ બનતી મહિલા સરપંચની સ્થિતિ એક સરખી છે.ગામડામાં મહિલા સરપંચનો વહીવટ જેમ તેનો પતિ ચલાવતો હોય છે એમ ગુજરાતના મોટાભાગના મહિલા ધારાસભ્યોનો વહીવટ તેમના પતિદેવ જ ચલાવતા હોય છે.અરે,એક મહિલા ધારાસભ્ય તો એવાં છે કે ધારાસભા ચાલતી હોય ત્યારે તેમનાં પતિ આખા સત્ર દરમિયાન ગાંધીનગરમાં જ રહે છે. અને મહિલા ધારાસભ્ય સાથે આવીને વિધાનસભામાં બેસતા મંત્રીઓને મળીને તેમની પત્નીના મતવિસ્તારના અનઉકલ પ્રશ્નો અંગે રજૂઆત કરવા રહે છે.ધારાસભામા તો પ્રોક્સીની જોગવાઈ નથી પણ ધારસભાની બહાર કામ કઢાવવા…
ઇ-નગર પોર્ટલ: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ –મિશન અંતર્ગત શહેરી નાગરિક સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મવર્ષ 2025–26માં ઇ-નગર પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા અને ₹1,031 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ઇન્ટરનેટની વ્યાપક પહોંચ અને સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકના રોજિંદા કામો સરળતાથી પૂરા થઈ શકે છે.ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સને નવી ઊંચાઈઓ મળી રહી છે. નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ…
મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત-પગાર પર અંદાજીત 30 ટકા કાપ મુકવાની જાહેરાત કરીશીમલા, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો ૫૦ ટકા પગાર,નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો ૩૦ ટકા, ધારાસભ્યોનો, ૨૦ ટકા અને સરકારી અધિકારીઓનો ૩૦ ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો ૩૦ ટકા પગાર અટાકીવ દેવાયો છે.મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું…
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં થયેલ ચોરીના એક મહત્વના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરાએ સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. પોપટપુરા વિસ્તારમાં મઢુલી હોટલ પાસે પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો,જેના પાસેથી ગોધરા કોર્ટ બિલ્ડીંગમાંથી ચોરાયેલા નોટરી વકીલોના સિક્કા, સહીનું પેડ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન અને મોબાઇલ ફોન મળી કુલ અંદાજિત રૂપિયા ૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર, ગોધરા કોર્ટના ફોજદારી વિભાગમાં વકીલોના ટેબલમાંથી તા. ૦૩ માર્ચ ૨૦૨૬ના રોજ સિક્કાઓની ચોરી કરવામાં આવી હતી. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ…
