૯૦ મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે,મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેકગીર સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.“સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની…
Author: gujarat
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં સ્મૃતિ કાર્યક્રમોમાં ભાગ લેવા અને વડોદરામાં સરદારધામ હોસ્ટેલ સંકુલનું ઉદ્ઘાટન કરવા માટે 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે, તેમ વડાપ્રધાન કાર્યાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.વડાપ્રધાન મોદી 10 મેના રોજ જામનગર પહોંચશે અને બીજા દિવસે સવારે સોમનાથની મુલાકાત લેશે.11 મેના રોજ સવારે 10:15 વાગ્યે, તેઓ સોમનાથ મંદિરમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’ માં સહભાગી થશે. આ મહોત્સવ મંદિરના પુનઃનિર્માણ બાદ તેના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમના ભાગરૂપે, વડાપ્રધાન વિશેષ મહાપૂજામાં ભાગ લેશે, ત્યારબાદ કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે.નિવેદન અનુસાર, વડાપ્રધાન “સોમનાથના સમૃદ્ધ વારસા…
શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરૂષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન : શ્રી ભાગવતઋષિશ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે : પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીઅમદાવાદ, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથ-ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્થામાં અભ્યાસ કરતાં ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણકાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું…
ગાંધીનગર, કેન્દ્ર સરકારના ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ મંજૂર કરાયેલા 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી હવે છ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સ્થિત છે. કેન્દ્રીય કેબિનેટે રાજ્ય માટે રૂ. 3,936 કરોડના વધારાના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, તેમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શનિવારે જણાવ્યું હતું.નવા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા રૂ. 3,068 કરોડનું રોકાણ અને સુરતમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. 868 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા 2,230 થી વધુ હાઈ-ટેકનોલોજી નોકરીઓ અને હજારો પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.આ મંજૂરીઓ અંગે પ્રતિક્રિયા આપતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં…
ગાંધીનગર: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જય થડેશ્વર દ્વારા નિર્મિત સોમનાથ મંદિરના કાલાતીત વારસા પર આધારિત એક અદભૂત ડોક્યુમેન્ટ્રીની ઝલક નિહાળી હતી.આ પ્રેરણાદાયી દસ્તાવેજી ફિલ્મમાં સોમનાથની આધ્યાત્મિક ભવ્યતા, સમૃદ્ધ ઇતિહાસ અને સનાતન સંસ્કૃતિના વારસાને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રયાસ એ અગણિત ભક્તો અને દૂરદ્રષ્ટાઓ માટે એક સાચી શ્રદ્ધાંજલિ છે જેમણે સદીઓ સુધી આપણા વારસાનું જતન કર્યું અને તેનું રક્ષણ કર્યું.શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ આવી ડોક્યુમેન્ટ્રી ભારતની ભવ્ય સાંસ્કૃતિક જડો સાથેના આપણા જોડાણને વધુ મજબૂત બનાવશે.જય થડેશ્વર ગુજરાતના એક જાણીતા અને…
દહેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો: મૃતકના પરિવારને મરણના દાખલા માટે જરૂરી પોલીસ કાગળો આપવા બદલ લાંચ માંગી હતીપોસ્ટમોર્ટમ રિપોર્ટ લેવો હોય તો એક લાખ પોલીસને આપવા પડે છેભરૂચ, રાજયમાં લાચ રૂશ્વતનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે અને તેમાંય સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારમાં ગળાડુબ થઈ ગયા છે ક્યાંય સરકારી શાળામા ગરીબ બાળકોને સુવિધા આપવા માટે તો ક્યાંક મૃતકના પોસ્ટમોર્ટનો રિપોર્ટ લેવા માટે લાંચ માંગી રહ્યા છે.દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી તેને રંગેહાથ ઝડપી પાડયો છે, અકસ્માત મોતના કિસ્સામાં મરણનો દાખલો મેળવવા માટે જરૂરી પંચનામા અને…
સોમનાથ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ મે, સોમવારના રોજ સોમનાથ મંદિરની મુલાકાત લેશે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીએ લખ્યું, “૧૧ મેના રોજ ફરી એકવાર નવીનીકૃત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો મને લહાવો મળશે.આ પ્રસંગ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે રાષ્ટ્રની પેઢીઓએ આ પવિત્ર સ્થળના રક્ષણ અને પુનઃનિર્માણ માટે અથાક સંઘર્ષ કર્યો. આ અવસરે , હું ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું…”પીએમ મોદીએ આગળ લખ્યું, “સોમનાથ ફક્ત એક મંદિર નથી, તે આપણી સભ્યતાનો અવિચળ સંકલ્પ છે. તે પહેલાં લહેરાતો વિશાળ સમુદ્ર શાશ્વતતાની ભાવના જગાડે છે. તેના મોજા આપણને શીખવે છે…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વિશ્વાસઘાત અને ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેવાડી વિસ્તારમાં વર્ષોથી ઘરકામ કરતી બે મહિલાઓએ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી.મકાનમાલિકે શંકાના આધારે બેડરૂમમાં લગાવેલા છુપા સીસીટીવી કેમેરામાં બંને મહિલાઓ તિજોરી સાફ કરતી કેદ થઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ફતેવાડીમાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના ઘરે છેલ્લા કેટલાક સમયથી કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ સાફ સફાઈ માટે આવતી હતી. ગત એપ્રિલ માસમાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી આ બંને મહિલાઓએ તિજોરી પર હાથ સાફ…
અમદાવાદ પોલીસને હાથતાળી આપી પોસ્કોનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો છે. વાડજ પોલીસે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા ‘ભરત’ નામના આરોપીની ગત રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. આરોપી ભાગ્યો ત્યારે તેની સાથે બે જ પોલીસકર્મીઓ હોવાની જાણકારી મળી રહી છે જેમને ચકમો આપી આરોપી નાસી છૂટ્યો હતો.ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે ૫ઃ૦૦ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી.…
