Author: gujarat

(એજન્સી)અમદાવાદ, રાજ્યના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર શેરથા બાયપાસ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી એક આઈસર ટ્રક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાજુમાં પસાર થતી કાર પર પલટી ખાઈ ગઈ હતી.આ ગંભીર દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું ટ્રકના વજન નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસાણા તરફથી આવી રહેલી આઈસર ટ્રકમાં મોટું મશીન લદાયેલું હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીક હાઈવે પર આવેલા બમ્પ પર ટ્રક કૂદતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.આઈસર ટ્રક સીધી જ…

Read More

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! અમદાવાદ શહેરમાં આશરે ૧૨થી ૧૫ લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજમુંબઈ,અમદાવાદમાં એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોની સંખ્યાનો તંત્રને તાળો મળતો નથી. ત્યારે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવા ડબલ કનેક્શન મામલે તંત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. બીજી તરફ કેટલાક તત્ત્વો હાલ ઘરેલું બાટલામાંથી ગેસની કટકી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બ્લેકમાં વેચવાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં આશરે ૧૨થી ૧૫ લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજ છે.જ્યારે બીજી બાજુ શહેરના ૬૦થી ૭૦ ટકા…

Read More

ગુજરાત યુનિ. પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યોયુવતીએ અન્ય બે શખ્સ સાથે મળીને નાગરિકતા મેળવવા માટે ખોટો પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતોઅમદાવાદ,નવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઇમિગ્રેશન ઓફિસર સામે પોર્ટુગીઝ નાગરિકતા મેળવવા માટે ખોટા નામ અને ખોટી જન્મ તારીખવાળો ભારતીય પાસપોર્ટ રજૂ કરનારી યુવતી સામે ફરિયાદ નોંધાઇ છે. આ યુવતીએ અન્ય બે શખ્સ સાથે મળીને નાગરિકતા મેળવવા માટે ખોટો પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતો. આ અંગે ઇમિગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.નવરંગપુરાના હુડકો ભવનમાં FRROઓફિસના પોર્ટલ પર એક અરજી આવી હતી. જેમાં અરજદાર નિશા જગન(રહે.વલસાડ)એ ભારતીય વિઝા મેળવવા માટે અરજી…

Read More

કોર્ટનો ચુકાદો આવવાની ભીતિએ ઝેરી દવા પી લીધીલાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં ગમે ત્યારે ચુકાદો આવી શકે તેમ હોવાથી યુવાન માનસિક તણાવમાં હતોજૂનાગઢ,જુનાગઢમાં પત્ની સાથેના મનદુઃખ બાદ ચાલી રહેલા ભરણપોષણના કેસમાં સંભવિત જેલવાસ અથવા મોટી રકમની ચુકવણીના ડરે એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં ગમે ત્યારે ચુકાદો આવી શકે તેમ હોવાથી માનસિક તણાવમાં આવી ગયેલા આ યુવાને એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી મુજબ, જુનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૪૦…

Read More

ઉમરેઠના બેચરી ગામે પતિ, સાસુ-સસરા અને કાકા સસરાએ ભેગા મળી ત્રાસ આપતાં હોઈ ત્રણ દિવસ અગાઉ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતોઆણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામે રહેતી એક પરિણીતાને પતિ, સાસુ-સસરા અને કાકા સસરાએ ભેગા મળીને માત્ર ૧૧ મહિનાના લગ્નગાળા દરમ્યાન અવારનવાર કોઈને કોઈ બહાને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતા. જેથી પરિણીતાએ ત્રણ દિવસ અગાઉ પોતાના ઘરે બીજા માળે પતરાંના શેડની લોખંડની એંગલમાં સાડી ભરાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાે હતો. આ બનાવમાં ઉમરેઠ પોલીસે મરનાર પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પતિ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામે…

Read More

વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી –પોલીસ ભવનમાં સાતમે માળે બનેલા આ સેન્ટરની શ્રી સંઘવી તથા ડીજીપી શ્રી કે. એલ. એન. રાવે કર્યું નિરીક્ષણ વડોદરા, શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલિસની એક ટૂકડી…

Read More

સોનગઢ, સોનગઢ તાલુકામાં એક કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. ખગોળ ગામની સીમમાં પૂર ઝડપે જતી મોપેડ સ્લિપ થઈ જતાં ચાલક સગીર અને તેની સાથે સવાર ૩ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજયું છે.સોનગઢના ખગોળ ગામની પાટલી ફળિયામાં રહેતા અમીતભાઈ ગામીતની ૩ વર્ષની પુત્રી નીત્યાને તેમના જ કુટુંબી ભાઈ સ્મીત કોકણી (ઉ.વ.૧ર) આંગણવાડીએ તેડીને મોતેડ પર પરત ઘરે લાવી રહ્યો હતો. ઘટવેલ પાટિયા તરફ જતા રોડ પર એક વળાંક પાસે સ્મીતે મોપેડ પરનો કાબુ ગુમાવી દીધો હતો.પુરઝડપે જતું વાહન રોડની સાઈડમાં ઉતરી જઈ અકસ્માત સર્જાતા નીત્યાને માથાના ભાગે જયારે સ્મીતને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને હોસ્પિટલ…

Read More

જો તમે GST નંબર લીધો છે અને ધંધો બંધ કરી દીધો છે તો તાત્કાલીક તેને બંધ કરાવોમહેતાજીએ માલિકના GST નંબરનો એકાઉન્ટન્ટ દુરૂપયોગ કરી ૩૭.૮૬ લાખનો ધૂંબો માર્યોજામનગર, શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા ર૭ વર્ષીય યુવાન હિરેન મુકેશભાઈ હિરપરા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની જ પેઢીના પૂર્વમહેતાજી અને અન્ય શખ્સોએ મળીને યુવાનના જીએસટી નંબરનો ગેરકાયદે ઉપયોગ કરી લાખોનું ટર્નઓવર બતાવી દેતા જીએસટી વિભાગે યુવાનને રૂ.૩૭.૮૬ લાખની પેનલ્ટી સાથેની નોટિસ ફટકારી છે.ફરિયાદી હિરેન હિરપરાએ વર્ષ ર૦ર૧માં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ-કોમર્સ યુનિક એન્ટરપ્રાઈઝ નામે પેઢી શરૂ કરી જીએસટી નંબર મેળવ્યો હતો. જો કે, વ્યવસાય…

Read More

ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી-ચીમનચોક મધ્યે અડચણ ઉભી કરનાર કાર ચાલક સામે ગુનો દાખલ(પ્રતિનિધિ) ભરૂચ, જાહેર માર્ગોને પોતાની જાગીર સમજી બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિકજામ સર્જતા તત્વો સામે વાગરા પોલીસે લાલ આંખ કરી છે.વાગરાના વ્યસ્ત ગણાતા ચીમનચોક પાસે પોતાની લક્ઝરી કાર રસ્તાની વચ્ચે ઉભી રાખી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી કરનાર સુરતના એક શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી શિખામણરૂપ કાર્યવાહી કરી છે.ઘટનાની વિગતો મુજબ, ગત ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે વાગરાના મુખ્ય એવા ચીમનચોક પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.સુરતના મોટા વરાછા વિસ્તારનો રહેવાસી નિલેશ બાબુભાઈ સુતરીયાએ પોતાની ટોયોટા કાર નંબર જીજે ૦૫…

Read More

ર૦૩૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવાનો લક્ષ્યાંક -ગુજરાતમાં વાહનો વધ્યા પણ અકસ્માતમાં ૩ ટકાનો ઘટાડોગાંધીનગર, ગુજરાતમાં અકસ્માત માટે ર૦થી વધારે અસુરક્ષિત રોડની ઓળખ કરવામાં આવી છે. તેમાં વડોદરા- ભરૂચ હાઈવેને સૌથી વધુ જોખમી તરીકે ગણાવાયો છે. આ રોડ પર ર૦રર થી ર૦ર૪ દરમિયાન બે વર્ષમાં ર૮૧ મોત થયા છે.વડોદરાના વરેડિયા અને વેમાળી વચ્ચે નેશનલ હાઈવે-૪૮ પર રપ૩ જીવલેણ અકસ્માત થયા છે અને તેમાં જ ર૮૧નાં મોત થતાં તે રાજયનો સૌથી જોખમી માર્ગ સાબિત થયો છે. આ અકસ્માતોમાં સૌથી ગંભીર બાબત એ ધ્યાન પર આવી છે કે, આ હાઈવે ડિવાઈડેડ ફોર લેન હોવા છતાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને કારણે સામસામેની ટકકર…

Read More