Author: gujarat

બચાવ કામગીરી દરમિયાન ૧૪ વર્ષીય પારુલ અને રિંકુને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેહમીરપુર, ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં હોળી પલટી જવાથી ૯ લોકો ડૂબ્યા હતા જેમાંથી ૩ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ૬ લોકો હજુ પણ લાપતા છે. આ તમામ લોકો યમુના નદીના સામે છેડે તરબૂચ ખાવા ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો.ઘટનાની વિગત મુજબ, ભૌલી ગામના રહેવાસી શ્રીપાલની દીકરીના લગ્ન મંગળવારે હતા. બુધવારે દીકરીની વિદાય બાદ સાંજે મહેમાનો અને પરિવારના સભ્યો નદી કિનારે ફરવા નીકળ્યા હતા. ૯ વર્ષની રાની, ૯ વર્ષની…

Read More

બસ લીમખેડાના પ્રતાપપુરા અને કોલીયારી નદી પાસેના વળાંક પર પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.લીમખેડા: અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર તા. 08-05-2026ને શુક્રવારના રોજ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા પાસે ઉજ્જૈનથી ગોધરા જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગની સાઈડમાં આવેલા ઉંડા ખાડામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, લક્ઝરી બસ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મુસાફરો ભરીને ગોધરા તરફ જઈ રહી હતી. વહેલી સવારે જ્યારે બસ લીમખેડાના પ્રતાપપુરા…

Read More

કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલા ઘુસર ગામ પાસે ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન-એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનનો કાળો કારોબાર દિવસેને દિવસે બેફામ બનતો જઈ રહ્યો છે. ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલા ઘુસર ગામ પાસે ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ ખાણ-ખનીજ વિભાગને ગોમા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન અને હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.…

Read More

મહેસાણા, કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. મહેસાણાના પાંચોટ વિસ્તારમાં એક એવી ઘટના બની જ્યાં કુદરતે જ જાણે વ્યક્તિને મરતા બચાવ્યો અને ત્યારબાદ ૧૦૮ તથા પોલીસની ટીમે કાઉન્સેલિંગ દ્વારા તેને જીવનનું મહત્વ સમજાવ્યું.પુત્ર નાપાસ થવાના આઘાતમાં આત્મહત્યા કરવા નીકળેલા પિતાનું બાઈક સ્લિપ થઈ જતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓ રેલવે ટ્રેક સુધી પહોંચી શક્યા નહીં અને આખરે એક અમૂલ્ય જિંદગી બચી ગઈ.બુધવાર બપોરે ૧રઃપ૮ કલાકે પાંચોટ ૧૦૮ એમ્બ્યુલન્સને એક ગંભીર ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, એક ૪૦ વર્ષીય પુરુષ મહેસાણા- પાંચોટ લાઈન પર અલોડા રેલ્વે ટ્રેક પાસે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે.માહિતી…

Read More

ઉંચા તાપમાનમાં શાકભાજી બળી જતાં ખેડૂતોને પણ માર, અન્ય વસ્તુઓના ભાવ પણ ઉંચકાયાધોરાજી, ઉનાળાની આકરી ગરમીની સીધી અસર હવે શાકભાજીના બજારમાં થઈ છે. ઉંચા તાપમાનના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થતાં ગત મહિનાની સરખામણીએ ભાવમાં અંદાજે ૩૦થી પ૦ ટકાનો વધારો નોંધાયો છે. ૪૦થી ૪૪ ડિગ્રી તાપમાનને ધોરાજી પંથક અને રાજકોટ જિલ્લાના ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.ખાસ કરીને લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. મહિના પહેલાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો મળતા લીંબુ હવે સીધા ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોચી ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ લગ્ન સિઝન સાથે આકરા તાપમાનને કારણે ઠંડા પીણા, શેરડીના રસ અને અન્ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ…

Read More

૧ર જિલ્લાના ર૦૦ સ્કેટરોએ એક કલાક સુધી નોનસ્ટોપ સ્કેટિંગ કર્યુંપોરબંદર, પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત જે.કે.સ્કેટિંગ પ્રથમ વખત જે.કે.સ્ટેટિંગ એકેડેમી દ્વારા નોન-સ્ટોપ સ્કેટિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોપાટી સ્કેટિંગ રીંગ ઉપર યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ૧ર જિલ્લાના કુલ અંદાજે ર૦૦ જેટલા સ્કેટિંગ એથ્લીટ્‌સે ભાગ લીધો હતો.આ ઈવેન્ટને ઐતિહાસિક બનાવવાનું મુખ્ય કારણ એ છે કે, તેમાં ખેલાડીઓને સતત એક કલાક સુધી રોકાયા વગર સ્કેટિંગ કરવાનું હતું. માત્ર એક કલાકમાં ખેલાડીઓએ અંદાજે ૪પ કિલોમીટર જેટલું અંતર કવર કર્યું. પ વર્ષથી લઈને રપ વર્ષ સુધીના ખેલાડીઓએ આ ચેલેન્જને ઉત્સાહ અને આનંદ સાથે પૂર્ણ કરી.આ નોન-સ્ટોપ સ્કેટિંગ ઈવેન્ટનું ઉદ્દઘાટન પોરબંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ.ચેતનાબેન તિવારીના…

Read More

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) એવું કહેવાય છે કે ગૌ માતામાં ૩૩ કોટી દેવતાઓનો વાસ હોય છે. ગાયનું દૂધ અમૃત સમાન હોય છે. ગૌમૂત્ર પણ ઔષધીનું કામ કરે છે અને આદી અનાદિકાળથી ભારતમાં ગાયોનું જતન અને સન્માન કરાઈ રહ્યું છે. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.ભારતમાં હિન્દુ દીકરીઓ અને બહેનો ગાયનું વ્રત પણ કરે છે અને શ્રાવણ માસમા બોળ ચોથના દિવસે અને અન્ય દિવસોએ પણ ગૌમાતાનું પૂજન કરાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વિરોધી માનસિકતાવાળા લોકો દ્વારા ગાયોની કતલ થતાં હિન્દુ સનાતની સમાજમાં આક્રોશની લાગણી જોવા મળે છે. ગાયોના જતન માટે ભારતમાં કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે.હવે સંતો મહંતોની આગેવાનીમાં…

Read More

ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડી મારી નબળી ગુણવત્તા ખુલ્લી પાડી(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેમદાવાદ તાલુકાના વાંઠવાડીમાં અંદાજે ૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી માહી સિંચાઈ કેનાલની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સ્થળ પર પહોંચી નિરીક્ષણ દરમિયાન હથોડીના સામાન્ય ફટકા મારતા જ કેનાલના પોપડા ઉખડી ગયા હતા, જેનાથી કામની હલકી ગુણવત્તાના પુરાવા સામે આવ્યા છે. જેને લઈને ધારાસભ્ય લાલ ગુમ બન્યા હતામહેમદાવાદના વાંઠવાડી વિસ્તારમાં માહી સિંચાઈ વિભાગ દ્વારા ૨ કરોડના ખર્ચે નવી કેનાલ બનાવવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે ખેડૂતો અને રહીશો દ્વારા આ કેનાલના કામમાં ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર પાર્ક કરેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગી હતી.આ ઘટના ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બની હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા,જેનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો અને હાઈવે પર વાહનવ્યવહારને નિયંત્રિત કર્યો હતો.આગના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. કેબિનમાં સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી.શરૂઆતમાં…

Read More

અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કર્યો હોવાનો પર્દાફાશડ્રાઈવરે પોલીસ સમક્ષ ‘કાઈઝન ફાર્મા’ કંપનીના બીલ અને ઈવે બિલ રજૂ કર્યા(પ્રતિનિધિ)ભરૂચ, દહેજમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ એલ.સી.બી ભરૂચે ઝડપી પાડ્‌યું છે.સાયખા જીઆઈડીસીમાં આવેલી માલ્વીસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.મળતી માહિતી મુજબ ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ એલ.સી.બી ભરૂચની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જોલવા ગામ નજીક ખાડીમાં એક ટેન્કર મારફતે જોખમી કેમિકલ વેસ્ટ ખાલી કરવામાંની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આર.જે.૦૯-જીસી૭૮૩૨ નંબરનું…

Read More