ગાંધીનગર, ગાંધીનગર જીઆઈડીસી નજીક મંગળવારે મોડી રાત્રે એલસીબીની ટીમે લકઝરી ક્રેટા કારમાંથી ર.૭૭ લાખના દારૂ-બિયરની ૧ર૦૦ બોટલ સાથે બે ખેપિયાને ઝડપી લીધા હતા. દારૂનો જથ્થો કોલવડાના બૂટલેગર નરેશ રાવળે મંગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ દિવાનસિંહ વાળાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કોલવડા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તેના આધારે પોલીસે સેકટર-ર૬ જીઆઈડીસી ગેટ પાસે વોચ ગોઠવી હતી.ત્યારે રાત્રિના સમયે શંકાસ્પદ ક્રેટા કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કરવા છતાં ચાલકે પૂરઝડપે કાર ચલાવી જીઆઈડીસીની અંદર લઈ ગયો હતો.પોલીસે ખાનગી વાહનોમાં પીછો…
Author: gujarat
ગાંધીનગર આરટીઓમાં સતત બે દિવસ ઈન્ટરનેટ સેવા ખોરવાતા હાલાકી -ઓનલાઈન ટેસ્ટ અટકતા અરજદારો પરેશાન, બપોર બાદ કામગીરી થાળે પડીગાંધીનગર, ગાંધીનગર સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા બે દિવસથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે વહીવટી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ કામગીરીના મસમોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓને કારણે વાહનચાલકો અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શોરૂમમાંથી નવા વાહનો ખરીદનારા માલિકો અને ડીલરો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અટકી પડતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.ઘટનાની વિગતો મુજબ બપોરના સમયથી જ આરટીઓ કચેરીમાં ઈન્ટરનેટ સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી. આ ખામીની સીધી…
રાજકોટ, રાજકોટના ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચેના રિંગ રોડ પર પસાર થતા વાહનોને હેરાન ન કરવાના બદલામાં માસિક હપ્તા વસૂલી ચોક્કસ કાર્ડ આપવાના ચકચારી પ્રકરણમાં અદાલતે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલને ૧૦ વર્ષની સખત કેદ અને લાંચની ઉઘરાણીમાં મદદ કરનાર ખાનગી વ્યક્તિને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે.એક વેપારીને તેમના રીક્ષાચાલકે જાણ કરી હતી કે ગોંડલ ચોકડીથી કુવાડવા વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો અટકાવી તપાસ ન કરવાના બદલામાં ૫૦/- રૂપિયા લઈ એક કાર્ડ આપવામાં આવે છે. આ બાબતે વેપારીએ અમદાવાદ એસીબી કચેરીમાં ફરિયાદ કરતા રાજકોટ એસીબીએ ૫ માર્ચ ૨૦૧૮ના રોજ છટકું ગોઠવ્યું હતું.તપાસ દરમિયાન પોલીસ જમાદાર બિપીનભાઈ લવજીભાઈ મકવાણા અને…
પાલનપુર, શક્તિપીઠ મંદિર અંબાજી ખાતે ભંડારકક્ષમાં દાન ભેટ તરીકે આવેલી રકમની ગણતરીની કામગીરી વખતે કર્મચારીઓ માટે ચા-નાસ્તો આવતા તે સમયનો લાભ લઇ અંબાજી ગબ્બર મંદિર ખાતે લેબર તરીકે કામ કરતો યુવક રૂ. ૧.૦૪ લાખનું બંડલ પોતાના લેંઘામાં સંતાડી બહાર જતા મંદિરના કર્મચારીઓ જોઈ ગયા હતા.જેથી લેબર પાસેથી પૈસાનું બંડલ પરત લઈને રૂપિયા ચોરી કરનાર લેબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અંબાજી મંદિર ખાતે યાત્રિકો દ્વારા દાનપેટી તથા ભંડારામાં નાંખવામાં આવતી દાનની રકમની ગણતરી દર મંગળવારે મંદિર હસ્તકના ભંડારકક્ષમાં સવારે ૯ઃ૦૦ કલાકેથી હાથ ધરવામાં આવે છે. તે પ્રમાણે તારીખ ૫ મેના રોજ દાનભેટ તરીકે આવેલી રકમની ગણતરીની કામગીરી ચાલુ હતી.ભંડારાની રકમની ગણતરીની કામગીરીમાં…
ભાવનગર, એસ.ટી. નિગમમાં કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ડ્રાઈવર-કંડક્ટરોને લઈ નિગમને ખાનગી તરફ ધકેલવાની ચાલી રહેલી હિલચાલ સામે કર્મચારીઓમાં ભારે વિરોધની લાગણી પ્રસરી છે.જો આ કાર્યવાહી બંધ નહીં રાખવામાં આવે તો આગામી ૨૫મીથી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારાઈ છે.જીએસઆરટીસી ખાતે સર્વિસો/શિડયુલોના કેન્સલેશનને લઈ ખાનગી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર બે-બે હજાર ડ્રાઈવર-કંડક્ટરને લેવા માટે નિગમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે.આ ઉપરાંત ભાડા કરાર આધારીત બસો ભાડે રાખવામાં આવે છે. દર માસે આવી પ્રિમિયમ બસોનું ભાડું આશરે ૧૨ કરોડ ચૂકવાય છે. ત્યારે આટલા ભાડા ચૂંકવવાના બદલે બેથી ત્રણ વર્ષમાં તમામ વાહનો પોતાની માલિકીના લઈ શકાય છે. પ્રિમિયમ સર્વિસો માટે ચૂકવાતા રૃ.૪૬થી ૫૪ પ્રતિ…
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે ગુરૂવાર તા. 07-05-2026ના રોજ બપોરના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક AMTS બસની બ્રેક અચાનક ફેલ થઈ જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસે માર્ગ પર પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક ફૂડ ડિલિવરી એજન્ટ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.બસ અને કાર વચ્ચે બાઈકનો કચ્ચરઘાણ અકસ્માતની સામે આવેલી હૃદયદ્રાવક તસવીરોમાં જોઈ શકાય છે કે, બ્રેક ફેલ થયેલી AMTS બસ એટલી વેગમાં હતી કે તેણે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર દરમિયાન બસ અને કારની વચ્ચે…
સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદના વિશાલા સર્કલ પાસે સોહરાબુદ્દીન શેખનું કથિત નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના આદેશથી ૨૦૧૨માં આ કેસ ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસના તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતા, પીડિત પરિવાર દ્વારા કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ૨૦૧૮નો…
(પ્રતિનિધિ) અમદાવાદ, જો તમે અમદાવાદના રોડ ઉપર ચાલતા હોવ તો હવે સાચવીને ચાલજો કારણ કે ગમે ત્યારે રોડ પર મોટો ખાડો પડી જાય અને તમે તેમાં પડી શકો છો. શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે એક યુવક બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અચાનક જ મોટો ભુવો (ખાડો) પડ્યો હતો અને બાઈક સાથે યુવક અંદર ખાબક્યો હતો.ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર અચાનક જ રોડમાં ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન ચાલકો રોકાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ખાડામાં પડેલા યુવકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. યુવકનું બાઈક…
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર પોલીસે બે સ્થળેથી દારૂના જંગી જથ્થા સામે બે લકઝયુરીયસ કાર સહિત કુલ રૂ.૩૦ લાખનો મુદામાલ ઝડપી લીધો છે. તેમાં અદાણી શાંતિગ્રામ ઓવરબ્રીજ પાસે ફોર્ચ્યુનર કારમાંથી દારૂની રપ૯ર બોટલો અને રામસણ નજીક કારમાંથી દારૂની ર૬૬૮ બોટલના જથ્થાનો સમાવેશ થાય છે. ગાંધીનગર એલસીબીની ટીમે રશાત્રે ખોરજ ગામની સીમમાં અદાણી શાંતીગ્રામ ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી હતી.પરંતુ હંમેશાની જેમ પોલીસને ચકમો આપી બુટલેગરો છુમંતર થઈ ગયો હતો. પીઆઈ એચ.પી. પરમારની ટીમે મળેલી બાતમીના આધારે જાસપુર વિશ્વ ઉમીયાધામ મંદીર પાસે નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ફોચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચાલકે કાર ભગાવી મુકતા તેને…
ભરૂચની ગ્રાન્ટ ઈન એડ ૫૫ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું અને ૧૦ સરકારી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્ય સમસ્તમાં જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં ૮૪.૧૫ ટકા પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અભિનંદન પાઠવાયા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાયેલી માધ્યમિક (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ૩૨ કેન્દ્રો ખાતે ૧૯ હજાર ૨૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી કુલ ૧૫ હજાર ૯૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.આ ૩૨ કેન્દ્રોમાં અનુક્રમે (૧) આમોદમાં ૬૦.૯૪ ટકા પરિણામ, (ર) અંકલેશ્વરમાં ૮૩.૫૨…
